Wednesday, July 30, 2014

રતિભાઈ પંડ્યાને 79મો જન્મદિન મુબારક


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

રતિભાઈ પંડ્યા ( જન્મ : 30-07-1936)ને 79મા જન્મદિન પ્રસંગે અભિવંદન


Sunday, July 27, 2014

જીવન નામે નૃત્ય


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


ભાષાની મજા, મજાની ભાષા - 840


'તમારો ફોન આઉટ ઓફ કવરેજ એરિયાની બહાર હતો.' 

'તમારો ફોન આઉટ ઓફ કવરેજ એરિયા હતો.' 
'તમારો ફોન કવરેજ એરિયાની બહાર હતો.'


Thursday, July 24, 2014

Tuesday, July 22, 2014

અમદાવાદ : આરપાર અને આસપાસ // સૂચિસર્જક : ડૉ. અશ્વિનકુમાર

ગાંધી-પ્રાર્થનામુદ્રા-પ્રતિમા | સત્યાગ્રહાશ્રમ | સાબરમતી | અમદાવાદ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પત્રકારત્વના વિદ્યાર્થીઓને રસ પડે તો, શનિવાર-રવિવાર અને રજાના દિવસોમાં, સ્થળ-મુલાકાત અને ક્ષેત્રહેવાલ માટે, અમદાવાદની આરપાર-આસપાસ જોવાલાયક-જાણવાલાયક, માનવાલાયક-માણવાલાયક, તસવીરલાયક-સ્વયંછબી(સેલ્ફી)લાયક જગ્યાઓ

.................................................................................................................................

(૦૦૧) અખબાર નગર, અમદાવાદ
(૦૦૨) અખબાર ભવન, ગાંધીનગર
(૦૦૩) અખાનો ખાંચો, દેસાઈની પોળ, ખાડિયા
(૦૦૪) અગ્નિ શામક દળ, દાણાપીઠ
(૦૦૫) 'અટિરા' 
(૦૦૬) અડાલજની વાવ
(૦૦૭) અનસૂયા સારાભાઈ સ્મારકસ્થળ, મિરઝાપુર  
(૦૦૮) અપંગ માનવ મંડળ, વસ્ત્રાપુર
(૦૦૯) અભયઘાટ  
(૦૧૦) અમદાવાદની ગુફા

(૦૧૧) અમદાવાદ યુનિવર્સિટી
(૦૧૨) અમદાવાદ-વન મોલ / આલ્ફા મોલ, વસ્ત્રાપુર
(૦૧૩) અમદાવાદ હાટ
(૦૧૪) અમર બાવળિયો 
(૦૧૫) અમિતાભ બચ્ચન પાન પાર્લર, ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની સામે, અમદાવાદ
(૦૧૬) અમૃતવર્ષીની વાવ (પાંચકુવા વાવ કે કાટખૂણી વાવ), પાંચકુવા દરવાજા
(૦૧૭) 'અવાજ'
(૦૧૮) અશરફખાનની કબર
(૦૧૯) અહમદશાહની દરગાહ
(૦૨૦) અહમદશાહનો રોજો

(૦૨૧) અશ્વ તાલીમ કેન્દ્ર, મેઘાણીનગર
(૦૨૨) અંધકન્યા પ્રકાશ સ્કૂલ, મેમનગર
(૦૨૩) અંધજન મંડળ, વસ્ત્રાપુર
(૦૨૪) અંબાપુરની વાવ
(૦૨૫) આઈ.આઈ.એમ.
(૦૨૬) આઈ.ટી.આઈ.
(૦૨૭) આઈ.પી.મિશન હાઈસ્કૂલ, ભદ્ર
(૦૨૮) આકાશવાણી કેન્દ્ર, અમદાવાદ
(૦૨૯) આચાર્ય કૃપાલાની સ્મારક અને અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ
(૦૩૦) આઝમખાનનો મહેલ

(૦૩૧) 'આત્મા', આશ્રમમાર્ગ
(૦૩૨) આદિવાસીસંગ્રહાલય, ગૂજરાત વિદ્યાપીઠ
(૦૩૩) આધ્યાત્મ વિદ્યામંદિર, થલતેજ
(૦૩૪) આયકર ભવન
(૦૩૫) આર.આર. શેઠની કંપની
(૦૩૬) આર.ટી.ઓ.
(૦૩૭) આર્ચર આર્ટ ગેલેરી
(૦૩૮) આશાભીલનો ટેકરો
(૦૩૯) ઇન્ડિયા ન્યૂઝ   
(૦૪૦) ઇન્દ્રોડા પાર્ક

(૦૪૧) ઇફ્ફકો, કસ્તૂરીનગર, કલોલ 
(૦૪૨) ઇમામ મંજિલ, ગાંધી આશ્રમ સામે, વાડજ
(૦૪૩) ઇસરો
(૦૪૪) ઇસ્કોન મંદિર 
(૦૪૫) ઈ. ટી.વી.
(૦૪૬) ઈ.ડી.આઈ.
(૦૪૭) ઈ.એમ.એમ.આર.સી. ગુજરાત યુનિવર્સિટી પરિસર
(૦૪૮) ઉદયભાઈની ગાંધીરિક્ષા, કાંકરિયા 
(૦૪૯) ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ
(૦૫૦) ઉમિયા ધામ, એસ.જી. હાઈવે

(૦૫૧) એ. આર. રાવ જીઓમેટ્રી ક્લબ, સી.એસ.સી., નવરંગપુરા
(૦૫૨) એ.એમ.એ.
(૦૫૩) એ.એમ.સી.
(૦૫૪) એકસો આઠનું મુખ્યાલય, કઠવાડા-નરોડા માર્ગ
(૦૫૫) એન.આઈ.ડી.
(૦૫૬) એ.બી.પી. ન્યૂસ
(૦૫૭) એલ. ડી. ઇન્ડોલોજી મ્યુઝિયમ, ગુજરાત યુનિવર્સિટી બસસ્ટેન્ડ પાછળ
(૦૫૮) એલિસબ્રિજ
(૦૫૯) એલિસબ્રિજ જીમખાના
(૦૬૦) એસ.ટી. બસસ્ટેન્ડ

(૦૬૧) ઓલીયોંસ ફ્રાન્સેસ
(૦૬૨) ઔડા (અશવિસમં) કાર્યાલય, ઉસ્માનપુરા
(૦૬૩) કડિયા નાકા, ગુરુકુળ
(૦૬૪) કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર
(૦૬૫) કર્ણાવતી આંખની હોસ્પિટલ, ઓગણજ
(૦૬૬) કનોરિયા આર્ટ ગેલેરી, નવરંગપુરા
(૦૬૭) કમલમ, ભાજપ પ્રાદેશિક કાર્યાલય, કોબા, ગાંધીનગર
(૦૬૮) કલમખુશ, સત્યાગ્રહાશ્રમ સામે, વાડજ
(૦૬૯) કલ્યાણ પુષ્ટિ હવેલી, આલ્ફા મોલ સામે, વસ્ત્રાપુર તળાવની પાસે
(૦૭૦) કસ્ટમ હાઉસ, આકાશવાણી કાર્યાલયની પાછળ

(૦૭૧) કસ્તૂરબા ગાંધી અલ્પાહાર ગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ
(૦૭૨) કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, શાહીબાગ
(૦૭૩) કંસારા પોળ
(૦૭૪) કારગિલ પેટ્રોલ પંપ, એસ.જી. હાઈવે
(૦૭૫) કાંકરિયા તળાવ
(૦૭૬) કેમ્પના હનુમાનજીનું મંદિર
(૦૭૭) કેલિકો મ્યુઝિયમ
(૦૭૮) કોન્ફ્લિક્ટોરિયમ
(૦૭૯) કોબાતીર્થ : મહાવીર સ્વામી સૂર્યતિલક સંયોગ (દર વર્ષે બાવીસમી મેના રોજ, બપોરે 02:07)
(૦૮૦) ખાન મસ્જિદ, ધોળકા

(૦૮૧) ખાસબજાર
(૦૮૨) ખાંસી પીરની દરગાહ
(૦૮૩) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જમાલપુર (ફક્ત શાકભાજી માટે)
(૦૮૪) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જેતલપુર (ફક્ત અનાજ માટે)
(૦૮૫) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, નરોડા (ફક્ત જથ્થાબંધ ફળફળાદિ માટે)
(૦૮૬) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, માણેકચોક (ફક્ત જથ્થાબંધ અને છૂટક ફળફળાદિ માટે)(૦૮૭) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વાસણા (ફક્ત ડુંગળી-બટેટાં-લસણ માટે)
(૦૮૮) ગણેશબારી
(૦૮૯) ગાયકવાડની હવેલી 
(૦૯૦) ગાયત્રી મંદિર, શાહીબાગ

(૦૯૧) ગાંધી ખટલો ન્યાયખંડ, જૂનું સર્કિટ હાઉસ, શાહીબાગ
(૦૯૨) ગાંધી નિવાસ ખંડ, ગૂજરાત વિદ્યાપીઠ
(૦૯૩) ગાંધી બાઇબલ ખંડ, ગૂજરાત વિદ્યાપીઠ
(૦૯૪) ગાંધી મૌન ખંડ, ગૂજરાત વિદ્યાપીઠ
(૦૯૫) ગાંધી શ્રમ સંસ્થાન, મેમનગર
(૦૯૬) ગુજરાત કેન્સર સોસાયટી
(૦૯૭) ગુજરાત કૉલેજ
(૦૯૮) ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ
(૦૯૯) 'ગુજરાત ટુડે' કાર્યાલય, શાહઆલમ દરવાજા પાસે
(૧૦૦) ગુજરાત નોલેજ કોન્સોર્ટીયમ

(૧૦૧) ગુજરાત નિયંત્રિત બજાર સંઘ, સહજાનંદ પ્લાઝા, ભઠ્ઠા, પાલડી
(૧૦૨) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ, મેઘાણીનગર
(૧૦૩) ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જી.એન.એલ.યુ.)
(૧૦૪) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય, અમદાવાદ
(૧૦૫) ગુજરાત મેડિકલ એસોસિએશન, આશ્રમમાર્ગ
(૧૦૬) ગુજરાત યુનિવર્સિટી
(૧૦૭) ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
(૧૦૮) ગુજરાત વડી અદાલત
(૧૦૯) ગુજરાત વિદ્યાસભા
(૧૧૦) ગુજરાત વિધાનસભા, ગાંધીનગર
   
(૧૧૧) ગુજરાત વિશ્વકોશ કાર્યાલય, ઉસ્માનપુરા બગીચાથી આગળ તરફ
(૧૧૨) 'ગુજરાત સમાચાર' (દૈનિક) કાર્યાલય, ખાનપુર
(૧૧૩) 'ગુજરાત સમાચાર' (સાપ્તાહિક, લંડન) કાર્યાલય, આંબાવાડી
(૧૧૪) ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ
(૧૧૫) ગુજરી બજાર
(૧૧૬) ગુમલે મસ્જિદ (મલિક ઇસાનની મસ્જિદ), ઇસનપુર
(૧૧૭) ગુરુકૂળ, છારોડી
(૧૧૮) ગુરુદ્વારા, થલતેજ
(૧૧૯) ગૂજરાત વિદ્યાપીઠ
(૧૨૦) ગૂર્જર પ્રકાશન

(૧૨૧) ગૂર્જરવાણી
(૧૨૨) ગિફ્ટ સિટી
(૧૨૩) ગીતા મંદિર
(૧૨૪) ગ્રાહક સુરક્ષા ભવન, ગોતા
(૧૨૫) ઘંટાકર્ણ મહાવીર જૈન મંદિર, મહુડી  
(૧૨૬) ચકલી શહીદ સ્મારક, રાયપુર
(૧૨૭) ચંડોળા તળાવ
(૧૨૮) ચંદ્રવિલાસ હોટેલ
(૧૨૯) ચાઇલ્ડ હેલ્પલાઇન (1098)
(૧૩૦) ચાંદલા ઓળ

(૧૩૧) 'ચેતના' સંસ્થા
(૧૩૨) ચોખાબજાર
(૧૩૩) છઠ ઘાટ
(૧૩૪) છારાનગર
(૧૩૫) જગન્નાથ ભગવાનનું મંદિર, જમાલપુર દરવાજા બહાર
(૧૩૬) જી.એમ.ડી.સી.
(૧૩૭) જી.એસ.ટી.વી.
(૧૩૮) જી.ટી.પી.એલ.
(૧૩૯) 'જીવનસંધ્યા'
(૧૪૦) જુમ્મા મસ્જિદ

(૧૪૧) જેઠાભાઈની વાવ, ઇસનપુર
(૧૪૨) જ્યોતિસંઘ
(૧૪૩) ઝવેરીવાડ
(૧૪૪) ઝાયડસ હોસ્પિટલ
(૧૪૫) ઝૂલતા મિનારા, કાળુપુર
(૧૪૬) ઝૂલતા મિનારા, રાજપુર-ગોમતીપુર
(૧૪૭) ટંકશાળ
(૧૪૮) ટિળક બાગ (વિક્ટોરિયા ગાર્ડન)
(૧૪૯) ટી.વી. નાઈન
(૧૫૦) ટ્રાફિક પોલીસ કમિશનરની કચેરી, શાહીબાગ

(૧૫૧) ડાહ્યાભાઈ ઈજતરામનો બંગલો, કોચરબ
(૧૫૨) ડી.એ.વી.પી.
(૧૫૩) ડૉ. નીલકંઠરાય છત્રપતિ નિવાસ, અમૃતલાલની પોળ, ખાડિયા (ગુજરાતની પ્રથમ અંધશાળા)
(૧૫૪) ડૉ. વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી સામે
(૧૫૫) ડૉ. વિક્રમ સારાભાઈ મેમોરિયલ કોર્નર, રિવરફ્રન્ટ, ઉસ્માનપુરા
(૧૫૬) ડ્રાઈવ-ઇન સિનેમાગૃહ
(૧૫૭) ઢીંગલીઘર
(૧૫૮) ઢોકલપીરની દરગાહ
(૧૫૯) ઢોર નિયંત્રણ વિભાગ, અમદાવાદ
(૧૬૦) ત્રણ દરવાજા

(૧૬૧) થોળનું તળાવ
(૧૬૨) દરિયાખાન ઘુમ્મટ, દૂધેશ્વર
(૧૬૩) દલપતરામ ચોક
(૧૬૪) દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ
(૧૬૫) દાણાપીઠ
(૧૬૬) દાદા હરિની વાવ, અસારવા
(૧૬૭) દાંડી કુટીર, ગાંધીનગર
(૧૬૮) દાંડી પૂલ, વાડજ
(૧૬૯) 'દિવ્ય ભાસ્કર' કાર્યાલય
(૧૭૦) 'નટરાણી'

(૧૭૧) 'નવગુજરાત સમય' કાર્યાલય  
(૧૭૨) નવજીવન પ્રકાશન મંદિર
(૧૭૩) નવભારત પ્રકાશન મંદિર
(૧૭૪) નવરંગપુરા બસ સ્ટેન્ડ (નોખી નિર્માણગાથા)
(૧૭૫) 'નવસર્જન'
(૧૭૬) નવું પાથરણાં બજાર, ગુરુકુળ
(૧૭૭) નરસિંહ ભગત છાત્રાલય
(૧૭૮) નશાબંધી મંડળ
(૧૭૯) નિરમા યુનિવર્સિટી
(૧૮૦) નેટવર્ક 18 ચેનલ, એસ.જી. હાઈ વે

(૧૮૧) પતંગ મ્યુઝિયમ
(૧૮૨) પત્રકાર કૉલોની
(૧૮૩) પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (સી.ઈ.ઈ.), થલતેજ ટેકરા
(૧૮૪) પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી
(૧૮૫) પારસી અગિયારી, કાંકરિયા
(૧૮૬) પારસી અગિયારી, ખમાસા
(૧૮૭) પાંજરાપોળ
(૧૮૮) પી.આઈ.બી. 
(૧૮૯) પી.આર.એલ. 
(૧૯૦) પોલીટેક્નિક

(૧૯૧) પોલીસ કમિશનરની કચેરી, શાહીબાગ
(૧૯૨) પોલીસ તાલીમ શાળા, કરાઈ
(૧૯૩) પ્રકાશન વિભાગ (કેન્દ્ર સરકાર), પાલડી
(૧૯૪) પ્રદીપ ત્રિવેદીનો સમાચારપત્રોનો સંગ્રહ, શાંતિનિકેતન, ગુરુકુળ માર્ગ, મેમનગર
(૧૯૫) પ્રાણીસંગ્રહાલય
(૧૯૬) પ્રાર્થના-સમાજ, રાયખડ
(૧૯૭) પ્લાસ્ટિક બજાર, કાળુપુર
(૧૯૮) ફરિયાદ નિવારણ પ્રાધિકરણ (જૂની વડી અદાલતનું પરિસર)
(૧૯૯) ફૂલ બજાર, જમાલપુર દરવાજા બહાર
(૨૦૦) ફેમિલી કોર્ટ

(૨૦૧) ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર
(૨૦૨) બહાઈ સેન્ટર, શાહપુર
(૨૦૩) બાઇબલ હાઉસ
(૨૦૪) બાનું ઘર, કોબા
(૨૦૫) બાર કાઉન્સિલ ઓફ ઇંડિયા
(૨૦૬) બાલવાટિકા
(૨૦૭) બાળ સંરક્ષણ ગૃહ
(૨૦૮) બાંધકામ મઝદૂર સંગઠન, પરીક્ષિતલાલ મજમુદાર પુલ પાસે, વાડજ
(૨૦૯) બિસ્કિટ ગલી
(૨૧૦) બ્રિટિશ લાઇબ્રેરી, વસ્ત્રાપુર

(૨૧૧) બેરોનેટની હવેલી, દેસાઈની પોળ, ખાડિયા
(૨૧૨) બૌદ્ધિક સંપદા ભવન, ઘાટલોડિયા
(૨૧૩) 'બ્લેકબોક્ષ' થિયેટર, ઓરોબોરોસ આર્ટ હબ, શિવરંજની ચાર રસ્તા ??
(૨૧૪) ભક્તકવિ નરસિંહ મહેતા સરોવર, વસ્ત્રાપુર
(૨૧૫) ભઠિયારગલી, ત્રણ દરવાજા
(૨૧૬) ભદ્ર કોર્ટ
(૨૧૭) ભદ્રનો કિલ્લો
(૨૧૮) ભદ્ર પ્લાઝા
(૨૧૯) ભાગવત વિદ્યાપીઠ, સોલા
(૨૨૦) ભો. જે. મ્યુઝિયમ, એચ. કે. આર્ટ્સ કોલેજ પરિસર, આશ્રમ માર્ગ

(૨૨૧) મજૂરગામ
(૨૨૨) મજૂર મહાજન સંઘ
(૨૨૩) મધર ટેરેસા આશ્રમ
(૨૨૪) મધર ડેરી
(૨૨૫) મધ્યસ્થ ગ્રંથાલય, ગૂજરાત વિદ્યાપીઠ
(૨૨૬) મધ્યસ્થ સુધારણાગૃહ, સાબરમતી
(૨૨૭) મલાવ તળાવ, ધોળકા
(૨૨૮) મહમ્મદ રફી સ્મૃતિમંદિર (રફીચાહક ઉમેશ મખીજાનું ડ્રાઈવ-ઇન થિયેટર પાસેનું ઘર)
૨૨૯) મહાગુજરાત શહીદ સ્મારક સ્થળ, લાલ દરવાજા
(૨૩૦) મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય શાળા, મીઠાખળી

(૨૩૧) મહાત્મા ગાંધી વસાહત, ગોતા
(૨૩૨) મહાત્મા મંદિર, ગાંધીનગર
(૨૩૩) મહિલા પોલીસ સ્ટેશન, મીઠાખળી
(૨૩૪) મહિલા પોલીટેક્નિક, અટિરા પાસે
(૨૩૫) મહિલા મિલન મંદિર
(૨૩૬) મહીપતરામ રૂપરામ આશ્રમ
(૨૩૭) મહેસૂલ ભવન, ગોતા
(૨૩૮) મંતવ્ય ન્યૂસ
(૨૩૯) 'માઈકા' 
(૨૪૦) મા. જે. ગ્રંથાલય

(૨૪૧) માણેકચોક
(૨૪૨) માણેકબુરજ
(૨૪૩) માતા ભવાનીની વાવ, અસારવા
(૨૪૪) માનવ મંદિર
(૨૪૫) માર્બલ માર્કેટ, એસ.જી. હાઈવે
(૨૪૬) મુખ્ય ટપાલ કાર્યાલય, મિરઝાપુર
(૨૪૭) મુહૂર્તપોળ
(૨૪૮) મેન્ટલ હોસ્પિટલ
(૨૪૯) મેસોનિક હોલ, શાહીબાગ અન્ડરપાસ
(૨૫૦) મોરારજી દેસાઈ સંગ્રહાલય, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ

(૨૫૧) મ્યુનિસિપલ માર્કેટ, સી.જી. રોડ, નવરંગપુરા
(૨૫૨) યુનાઇટેડ બાંગ્લા હોમ, ખાડિયા
(૨૫૩) યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામ સેન્ટર, સ્નાનાગાર પાસે, ગૂજરાત વિદ્યાપીઠ
(૨૫૪) રણછોડરાય મંદિર
(૨૫૫) રણુજા મંદિર, સોલા
(૨૫૬) રતનપોળ
(૨૫૭) રવીન્દ્રનાથ ઠાકુર સ્મારક કક્ષ, સરદાર સ્મારક, શાહીબાગ
(૨૫૮) રવીન્દ્ર ભવન, ગુજરાતી સાહિત્ય પરિસર પરિસર
(૨૫૯) રસૂલનો કિલ્લો
(૨૬૦) રાજસ્થાન હોસ્પિટલ, શાહીબાગ

(૨૬૧) રાજેશ ખન્નાના ચાહકની કપડાં-સિલાઈ દુકાન, કાંકરિયા
(૨૬૨) રાણીનો હજીરો
(૨૬૩) રાણી સિપ્રીની મસ્જિદ
(૨૬૪) રામદેવપીરનું મંદિર, ઘી-કાંટા, નવતાડ
(૨૬૫) રામ-રહીમનો ટેકરો, બહેરામપુરા
(૨૬૬) રામાપીરનો ટેકરો, જૂના વાડજ
(૨૬૭) રાયપુર ભજિયા હાઉસ
(૨૬૮) રેડિયો મિર્ચી
(૨૬૯) રેવડી બજાર, કાળુપુર
(૨૭૦) રિવરફ્રન્ટ

(૨૭૧) રૂડીનો રેડિયો
(૨૭૨) રેલ-વે સ્ટેશન, કાળુપુર
(૨૭૩) રેલ-વે સ્ટેશન, સાબરમતી
(૨૭૪) રેંટિયાવાડી
(૨૭૫) રોટી બજાર, જમાલપુર
(૨૭૬) લકી ચા ઘર, લાલ દરવાજા
(૨૭૭) લકુલીશ યોગ યુનિવર્સિટી, એસ. જી. હાઈ-વે, છારોડી, અમદાવાદ
(૨૭૮) લક્ષ્મી ગાંઠિયા રથ, નહેરુનગર
(૨૭૯) લગનિયા હનુમાન, મેઘાણીનગર
(૨૮૦) લાલ દરવાજા બસથોભો

(૨૮૧) લિગલ હિસ્ટરી મ્યુઝિયમ, જી.એન.એલ.યુ.
(૨૮૨) લો ગાર્ડન
(૨૮૩) લોથલ
(૨૮૪) લોર્ડ મિન્ટો ઉપર હુમલા સંબંધિત સ્મારક સ્થળ, રાયપુર દરવાજા પાસે
(૨૮૫) વન ચેતના કેન્દ્ર, વસ્ત્રાપુર
(૨૮૬) વનિતાવિશ્રામ શાળા, ખાડિયા
(૨૮૭) વસંત-રજબ ચોક, ખાંડની શેરી પાસે, જમાલપુર પગથિયાં
(૨૮૮) વસંત-રજબ ટાઉનશીપ, ગોતા
(૨૮૯) વસંત-રજબ સ્મારક, ગાયકવાડની હવેલી, જગન્નાથ મંદિરની નજીક, જમાલપુર
(૨૯૦) વાલ્મીકિ વાસ, નવરંગપુરા

(૨૯૧) વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ, કાળુપુર
(૨૯૨) વિઠ્ઠલ મંદિર
(૨૯૩) વિસા હનુમાન, દેસાઈની પોળ, ખાડિયા
(૨૯૪) વિજ્ઞાન સંગ્રહાલય, ગૂજરાત વિદ્યાપીઠ
(૨૯૫) વિન્ટેજ કાર પ્રદર્શન, કઠવાડા-નરોડા માર્ગ
(૨૯૬) વિશાલા વાસણ સંગ્રહાલય
(૨૯૭) વીજળીઘર
(૨૯૮) વી ટી.વી.
(૨૯૯) વી.એસ. હોસ્પિટલ
(૩૦૦) વૈષ્ણોદેવી મંદિર

(૩૦૧) વ્યાપાર સમાચાર વેબ પોર્ટલ, એસ.જી. હાઈ વે, મકરબા
(૩૦૨) વ્યાયામ વિદ્યાલય, કાંકરિયા
(૩૦૩) શહીદવીર વિનોદ કિનારીવાલા સ્મારક સ્થળ, ગુજરાત કૉલેજ પરિસર
(૩૦૪) શાર્દૂલ પ્રેસ, ગૂજરાત વિદ્યાપીઠ સામે, આશ્રમ માર્ગ
(૩૦૫) શાહઆલમના રોજા
(૩૦૬) શાંતિ સદન, મિરઝાપુર (અનસૂયા સારાભાઈનું નિવાસસ્થળ)
(૩૦૭) શેઠ મંગળદાસ ટાઉન હોલ, એલિસબ્રિજના પશ્ચિમ છેડે
(૩૦૮) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબા
(૩૦૯) શ્રેયસ શાળા સંગ્રહાલય, માણેકબાગ
(૩૧૦) સત્યાગ્રહાશ્રમ, કોચરબ

(૩૧૧) સત્યાગ્રહાશ્રમ, વાડજ
(૩૧૨) સદુમાતાની પોળ
(૩૧૩) સદવિચાર પરિવાર
(૩૧૪) સપ્તર્ષિનો આરો
(૩૧૫) સપ્તર્ષિ સ્મશાનગૃહ, જમાલપુર
(૩૧૬) સફાઈ વિદ્યાલય, વાડજ
(૩૧૭) સફાઈ સંસ્થાન, સુઘડ
(૩૧૮) 'સમભાવ' હાઉસ
(૩૧૯) સબ-રજિસ્ટ્રારની કચેરી, પાંજરાપોળ
(૩૨૦) સરકારી ફોટોલિથો પ્રેસ, દૂધેશ્વર

(૩૨૧) સરખેજના  રોજા
(૩૨૨) સરદાર બાગ, લાલ દરવાજા
(૩૨૩) સરદાર સ્મારક, ભદ્ર
(૩૨૪) સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક, સરદારનગર
(૩૨૫) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, શાહીબાગ
(૩૨૬) સરાણિયા વાસ
(૩૨૭) સરિતા ઉદ્યાન
(૩૨૮) સ્લોટર હાઉસ
(૩૨૯) 'સંદેશ' કાર્યાલય
(૩૩૦) સંસ્કાર કેન્દ્ર, પાલડી

(૩૩૧) સાઇકલ બજાર, ખાડિયા
(૩૩૨) 'સાથ' (વ્યક્તિને આત્મહત્યાના વિચારમાંથી પાછી વાળવા માટે પ્રયાસ કરતી સંસ્થા)
(૩૩૩) સાયન્સ સિટી
(૩૩૪) સાંઈબાબા મંદિર, રાયપુર
(૩૩૫) સિનેગોગ (યહૂદીઓનું ધર્મસ્થળ), જમાલપુર
(૩૩૬) સિમ્સ હોસ્પિટલ
(૩૩૭) સિવિલ હોસ્પિટલ, અસારવા
(૩૩૮) સિવિલ હોસ્પિટલ, સોલા
(૩૩૯) સિંધી બજાર
(૩૪૦) સિંધુ ભવન

(૩૪૧) સી.એન.આઈ. ચર્ચ, ભદ્ર
(૩૪૨) સી.એન. વિદ્યાલય
(૩૪૩) સીએન24 ન્યૂસ ચેનલ કાર્યાલય, અપ્સરા સિનેમા સામે, કાંકરિયા
(૩૪૪) સીદી સૈયદની જાળી
(૩૪૫) 'સેતુ', ઉમાશંકર જોશીનું નિવાસસ્થાન, નવરંગપુરા
(૩૪૬) સેપ્ટ યુનિવર્સિટી
(૩૪૭) 'સેવા'
(૩૪૮) સેવા કાફે, સી.જી. રોડ
(૩૪૯) સેંટ ઝેવિયર્સ કોલેજ
(૩૫૦) સ્ક્રેપયાર્ડ

(૩૫૧) 'સૃષ્ટિ'
(૩૨) સ્લમ ક્વાર્ટર્સ, જમાલપુર
(૩૩) સ્વામીનારાયણ મંદિર, કાલુપુર
(૩૪૪) સ્વામીનારાયણ મ્યુઝિયમ, નારણપુરા
(૩૫) 'સ્વાવલંબન ટ્રસ્ટ' (રક્તપિત્તના દર્દીઓનું પુનર્વસન કરતી સંસ્થા)
(૩૫૬) હઠીસિંહના દેરા
(૩૫૭) હરકુંવર શેઠાણીની હવેલી
(૩૫૮) હવામાન ખાતાની કચેરી
(૩૫૯) હસતી બીબીનો ગોખલો
(૩૬૦) હિમાલયા મોલ

(૩૬૧) હેપ્પી સ્ટ્રીટ, સી.જી. રોડ
(૩૬૨) હેરિટેજ હોમ, થલતેજ
(૩૬૩) હેલ્મેટ સર્કલ
(૩૬૪) હોટેલ પેજ વન : સમાચારપત્રના પ્રથમ પૃષ્ઠના વિષયવસ્તુ ઉપર આધારિત હોટેલ
(૩૬૫) 079સ્ટોરીઝ આર્ટ ગેલેરી, સિંધુ ભવન માર્ગ

કુલ : ૩૬૫

+

૩૬ એકતા ચંપલ (હિંદુ-મુસ્લિમ એકતારૂપ પગરખાંની દુકાન), દિલ્હી દરવાજા ??
૩૬૭ એન્જિનિયરની ચા, સુભાષ બ્રિજના નાકે
૩૬૮ ભયાનક ટી સ્ટૉલ, ભદ્રેશ્વર સ્મશાનભૂમિ, ઇંદિરા બ્રિજ પાસે
૩૬૯ લીમડાવાળી ખાદીની દુકાન, ગૂજરાત વિદ્યાપીઠ
૦ સમોસા પોળ, નવતાડ

૧ સેરેનિટી લાઈબ્રેરી એન્ડ બોટનિકલ ગાર્ડન, કોટેશ્વર ગામ, ગાંધીનગર
૨ પુનિતવન, ગાંધીનગર
 સંત સરોવર, ઇન્દ્રોડા
૭૪ અયપ્પા મંદિર, ગાંધીનગર
૭૫ 'આજ કી બાત' ન્યૂઝ ચેનલ, ગાંધીનગર

૭૬ 'બુલેટિન ઇન્ડિયા', તપોવન સર્કલ 
૭૭ 'સંદેશ' ન્યૂઝ ચેનલ 
૮ 'પ્રયોગશાળા', આશ્રમ માર્ગ
૯ 'રંગજ્યોત' ફાઇન આર્ટ પ્રિન્ટર્સ, નવજીવન પ્રકાશન મંદિર પરિસર         
૦ તુષારભાઈ 'આત્મનિર્ભર'ની નાસ્તા-લારી, મણિનગર

૩૮૧ કેસીજી (નૉલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત), અટીરા પાસે, પીઆરએલ સામે, નવરંગપુરા 

Monday, July 21, 2014

કવિની યાદ, કવિને યાદ / ૨૦૧૪

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ૨૧-૦૭-૨૦૧૪ના રોજ, બપોરે ૧૨:૦૦થી ૦૨:૦૦ના સમયગાળામાં કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીનો જન્મદિવસ (૨૧-૦૭-૧૯૧૧) માણ્યો. પ્રારંભમાં, ઉમાશંકર જોશીએ લખેલાં કેટલાંક ગીતોનું દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ કક્ષમાં ધ્વનિ-મુદ્રણ સંભળાવ્યું. ત્યાર પછી, ઉમાશંકર જોશીનાં જીવન-કવનનો પરિચય કરાવ્યો. બાદમાં અમે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં આવેલા 'ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ'ની મુલાકાત લીધી. ઉમાશંકર જોશીના વિદ્યાપીઠ-રોકાણનાં સ્મરણોને આલેખતા પુસ્તક '૩૧માં ડોકિયું નો આસ્વાદ કરાવ્યો. કાર્યક્રમના અંતે 'શિક્ષણ મહાવિદ્યાલય'ના ગૃહપતિ રમેશભાઈ બારોટના કંઠે "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ..."ના ગાન સાથે અમે કવિના શબ્દોને કાયમ માટે હૃદયસ્થ કર્યા.


નાનક મેઘાણી : સ્મરણો પાનાં પાનાં!


નાનક ઝવેરચંદ મેઘાણી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વૃત્ત : નાનક મેઘાણી ગ્રંથલીન થયા છે.
વિદાય : 20-07-2014
વય : 82 વર્ષ
વ્યક્તિત્વ : ભાવપૂર્ણ, ભારવિહીન 
વિશેષતા : 'જીવન એટલે પુસ્તકો, પુસ્તકો એટલે જીવન.'


Friday, July 18, 2014

Wednesday, July 16, 2014

સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા

ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

મોહનદાસ કરમચંદ ગાંધીએ ઈ.સ. ૧૯૧૫માં મૂળ અમદાવાદથી નોખા કોચરબમાં અનોખી સંસ્થા સ્થાપી. આ આશ્રમી સંસ્થા માટે ત્રણ નામ – ‘સત્યાગ્રહાશ્રમ’, ‘દેશસેવાશ્રમ’, ‘સેવામંદિર’ – પૈકી કયું નામ રાખવું એ અંગે ખુલ્લાં બારણે અને ઊંચાં ધોરણે ચર્ચા-વિચારણા કરવામાં આવી. આશ્રમના નામકરણ અંગે ગાંધીજી કહે છે : “ ... છેવટે સંસ્થાનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ રાખવામાં આવ્યું. હેતુ તપાસતાં એ નામ યોગ્ય જ હતું એમ લાગે છે. મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારુ જ જીવવાનો અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે. એ શોધમાં જેટલા સાથી મળે તેઓને ભેળવવાની પણ એટલી જ ઇચ્છા રહેલી છે.” (‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’; નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પહેલી આવૃત્તિ, મે, ૧૯૪૮; પ્રત : ૫૦૦૦; પૃષ્ઠ : ૭)

મોહનદાસ ગાંધીએ આશ્રમના બંધારણનો મુસદ્દો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કર્યો હતો. જે માત્ર કાચો ખરડો હતો અને મિત્રવર્ગમાં ટીકા સારુ મોકલવા છપાવેલો હતો. આ મુસદ્દો છાપામાં છાપવા સારુ નહોતો. તેમણે કેટલાક આગેવાનોને આશ્રમનો બંધારણ-મુસદ્દો મોકલાવ્યો હતો. જેમાં ગોંડળ રાજ્યના દીવાન રણછોડદાસ પટવારી, મુંબઈના રૂના અગ્રગણ્ય વેપારી અને અર્થશાસ્ત્રી સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ, જૈન વિદ્વાન અને ફિલસૂફ વીરચંદ શાહ, ગાંધીજીના સાથી ભાઈશ્રી કોટવાલ ... વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીએ આ તમામને પત્ર લખીને તેની સાથે આશ્રમી સંસ્થાના બંધારણનો ખરડો મોકલાવ્યો હતો. તે મુસદ્દો વાંચીને સલાહ-સૂચન-અભિપ્રાય-ટીકા મોકલવા માટે ગાંધીએ આ અગ્રજનોને વિનંતિ પણ કરી હતી.

ગાંધીએ સ્વામી શ્રદ્ધાનંદ નામથી વિખ્યાત થયેલા રાષ્ટ્રીય આગેવાન, આર્યસમાજના સક્રિય સેવક, ગુરુકુળ-કાંગડીના સ્થાપક મહાત્મા મુંશીરામ(૧૮૫૬-૧૯૨૬)ને ૧૪ જૂન, ૧૯૧૫ના રોજ એક પત્ર લખ્યો હતો. મોહનદાસે મહાત્માજીને આ પત્રમાં લખ્યું હતું : “હમણાં તો અમદાવાદમાં આશ્રમ ખોલ્યો છે. તેની નિયમાવલી હિંદીમાં તૈયાર થાય છે. તૈયાર થઈ જતાં આપના અભિપ્રાય માટે તે આપની પાસે મોકલવામાં આવશે.” (ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથ : ૧૩; નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પહેલી આવૃત્તિ, ઓગસ્ટ, ૧૯૬૯; પૃષ્ઠ : ૧૦૧)

સત્યાગ્રહાશ્રમના સુચારુ સંચાલન સારુ નિયમો જરૂરી હતા. આથી, જ નિયમાવલિ ઘડીને તેની ઉપર અભિપ્રાયો માગવામાં આવ્યા હતા. ઘણા બધા અભિપ્રાયો આવ્યા હતા. તેમાં પૂર્વ ન્યાયાધીશ અને બંગાળની રાષ્ટ્રીય શિક્ષણસંવર્ધક સંસ્થા ‘બંગજાતીય વિદ્યાપરિષદ’ના પ્રમુખ સર ગુરુદાસ બેનરજીએ આપેલો અભિપ્રાય ગાંધીજીને ખાસ યાદ રહી ગયો હતો. ગુરુદાસને મોહનદાસની નિયમાવલિ ગમી હતી. પરંતુ તેમણે એક સૂચના ખાસ એ કરી હતી કે, વ્રતોમાં નમ્રતાના વ્રતને સ્થાન આપવું જોઈએ. સર ગુરુદાસના કાગળનો ધ્વનિ એ હતો કે, આપણા યુવકવર્ગમાં નમ્રતાના વ્રતની ઊણપ વર્તાય છે. નમ્રતાનો અભાવ ગાંધી પોતે પણ ઠેકઠેકાણે અનુભવતા હતા. છતાં નમ્રતાને વ્રતમાં સ્થાન દેવાથી નમ્રતા નમ્રતા મટી જવાનો ગાંધીજીને આભાસ આવતો હતો. આથી, નમ્રતાના ગુણને કેન્દ્રમાં રાખીને ગાંધીજીએ ‘આત્મકથા’ (નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પુનર્મુદ્રણ એપ્રિલ, ૧૯૯૩; પૃષ્ઠ : ૩૭૯)માં લખ્યું છે : “નમ્રતાનો પૂરો અર્થ તો શૂન્યતા છે. શૂન્યતાને પહોંચવાને અર્થે બીજાં વ્રતો હોય. શૂન્યતા એ મોક્ષની સ્થિતિ. મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જો નમ્રતા – નિરભિમાનતા ન હોય તો તે મુમુક્ષુ નથી, સેવક નથી. તે સ્વાર્થી છે, અહંકારી છે.”

નવસ્થાપિત આશ્રમમાં વ્રતો-સંકલ્પો અને યમો-નિયમો અંગે ગાંધીજી કહે છે : “સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ વગેરે વ્રતો આશ્રમવાસીમાત્રને બંધનકારક હતાં. નાતજાતના ભેદ મુદ્દલ નહોતા રાખવામાં આવ્યા. અસ્પૃશ્યતાને આશ્રમમાં મુદ્દલ સ્થાન ન હતું એટલું જ નહીં, પણ હિંદુ જાતિમાંથી અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્નને આશ્રમની પ્રવૃત્તિમાં મહત્વનું સ્થાન હતું. અને જેમ અસ્પૃશ્યતાને વિષે તેમ જ હિંદુ જાતિમાં સ્ત્રીઓનાં કેટલાંક બંધનો તોડવાને વિષે પણ આશ્રમમાં મૂળથી આગ્રહ રાખવામાં આવ્યો. તેથી આશ્રમમાં સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા રહેલી છે. વળી હિંદુ મુસલમાન વગેરે જુદા જુદા ધર્મના લોકો વચ્ચે, જેટલો તે તે ધર્મના લોકો વચ્ચે હોઈ શકે, તેટલો જ ભ્રાતૃભાવ રાખવાનો આશ્રમમાં નિયમ થયો.” (‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’, પૃષ્ઠ : ૦૭-૦૮)

વિનોબાએ ‘અહિંસા’ અંગેના પ્રશ્નોનું સમાધાન મેળવવા લખેલા એક પત્રના ગાંધીએ આપેલા વળતા જવાબ અંગે વિનોબા કહે છે : “એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ-પત્રિકા પણ મોકલેલી, જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. એમાં લખ્યું હતું – ‘આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત-અવિરોધી દેશસેવા છે અને એના માટે અમે નીચે લખેલાં વ્રતો જરૂરી માનીએ છીએ.’ નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે એકાદશવ્રતોનાં નામ લખ્યાં હતાં. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસનાં ઘણાં થોથાં વાંચી કાઢેલાં, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાળ્યું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિમાર્ગમાં આવે છે, પરંતુ દેશસેવા માટે પણ આવશ્યક હોય છે, એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, ‘તું અહીં ચાલ્યો આવ.’ અને હું બાપુની પાસે પહોંચી ગયો.” (‘અહિંસાની ખોજ : વિનોબાની જીવન-ઝાંખી વિનોબાના શબ્દોમાં’; સંકલન-સંપાદન : કાલિન્દી, અનુવાદ : મીરા ભટ્ટ; યજ્ઞ પ્રકાશન, વડોદરા; પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૧૯૯૫; બીજી આવૃત્તિ, ઓક્ટોબર, ૨૦૦૬; પ્રથમ પુનર્મુદ્રણ, નવેમ્બર, ૨૦૧૩; પૃ. ૬૦-૬૧)

ગાંધીજી માટે આશ્રમ એ પ્રયોગભૂમિ છે. તેઓ સંસ્થાનાં વ્રતો-નિયમોને આકાર આપતાં પહેલાં તેને ચર્ચાના ચાકડે ચડાવે છે. ગાંધીજી સાચા હિંદ સ્વરાજનું એક વચન આપનાર પહેલા પુરુષ છે, પણ ગાંધીજી એટલે ‘પ્રથમ પુરુષ એકવચન’ નહીં! પ્રજાના નમ્રસેવક એવા ગાંધી વ્યાપક જનમતની સામેલગીરી ઇચ્છે છે. ગાંધીકર્મમાં મિત્રો-મુરબ્બીઓ-મહાનુભાવોની ટીકા-ટિપ્પણીને વિશેષ સ્થાન છે. આશ્રમના બંધારણના મુસદ્દામાં ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખવામાં આવ્યું હતું કે, “આ આશ્રમનો ઉદ્દેશ જન્મપર્યંત દેશસેવા કરતાં શીખવાનો અને કરવાનો છે.” આશ્રમના બંધારણની પત્રિકા થકી પણ વ્રતવીર ગાંધી દેશસેવાની પ્રતીતિ કરાવી શક્યા છે. આથી જ, વિકલ્પે બંગાળની ક્રાંતિ અથવા હિમાલયની શાંતિ ચાહતા નવયુવક વિનોબા સંકલ્પે અમદાવાદના કોચરબ આશ્રમે પહોંચ્યા એ ઘટના ભૌગોલિક નહીં, પણ ઐતિહાસિક હતી !

.................................................................................................................................
સંપર્ક :
ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

.................................................................................................................................
સૌજન્ય :
'નિરીક્ષક', ૧૬-૦૭-૨૦૧૪, પૃષ્ઠ : ૧૦-૧૧

* પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૮-૨૦૧૪; અંક : ૨૫૧, પૃષ્ઠ : ૦૯-૧૦-૦૮

પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૫-૨૦૧૮

Monday, July 14, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 837


'અહીં વીજળીનું લાઈટ બિલ સ્વીકારવામાં આવે છે.' 

'અહીં વીજળીનું બિલ સ્વીકારવામાં આવે છે.' 
'અહીં લાઈટ બિલ સ્વીકારવામાં આવે છે.'


Sunday, July 13, 2014

આભના ટુકડા, ટુકડાનું આભ


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


કથા પતી ગઈ પણ ન આવ્યો પ્રસાદ,
લોખંડી ચોકઠાંએ બાંધ્યો છે વરસાદ!


Saturday, July 12, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 836


'સરકારમાન્ય' અને 'માન્ય સરકાર' એ બન્ને શબ્દો ભિન્ન અર્થ ધરાવે છે!


Tuesday, July 8, 2014

ગાંધીજી કહે છે : પુસ્તકો વિશે


“એક એવું પુસ્તકાલય સ્થાપવું અને નિભાવવું જેમાં સાંસ્થાનિક અને વિદેશી કાયદાનાં પુસ્તકો અને સામયિકો ઉપરાંત પ્રવાસીઓને ઉપયોગી બીજાં તમામ ખાસ પુસ્તકો રાખવામાં આવે.”

મોહનદાસ કરમચંદ ગાંધી

માર્ચ૧૯૧૫ // (૧૩:૩૯)


Monday, July 7, 2014

મારા પપ્પા


મારા પિતા : ડાહ્યાભાઈ વાલજીભાઈ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

મારા પપ્પા ડાહ્યાભાઈ વાલજીભાઈને 83મા જન્મદિને અભિનંદન
જન્મદિવસ : 07-07-1932 
જન્મસ્થળ : અમદાવાદ


Sunday, July 6, 2014

ગાંધીજી કહે છે : પુસ્તકો વિશે


“જે કાંઈ ધર્મપુસ્તકો વાંચો તેમાં સત્ય કેટલું સમાયેલું છે તેનો વિચાર કરજો. જો સત્યને પકડી રાખશો તો તમારી ફતેહ છે.”

મોહનદાસ ગાંધી

‘ગુજરાતી’૨૧-૦૨-૧૯૧૫ // (૧૩:૨૨)


Friday, July 4, 2014

ગાંધીજી કહે છે : પુસ્તકો વિશે


“રહસ્ય માત્ર આપણા ધર્મનાં પુસ્તકોમાં જ નહીં પણ અન્ય ધર્મનાં પુસ્તકોમાં પણ સમાયેલું છે.”

મો.ક. ગાંધી

‘કાઠિયાવાડ ટાઇમ્સ’, ૧૭-૦૨-૧૯૧૫ // (૧૩:૨૨)

Wednesday, July 2, 2014

અંગ્રેજી ભાષા, દેશી મજા : 114


'ડાહ્યા માણસોએ 'ગાંડા બાવળ'નું અંગેજી ભાષાંતર 'Mad Babool Tree' કરવું જોઈએ?!'