Saturday, December 31, 2016

काका कालेलकर પ્રસ્તાવના વિશેષાંક


"ગુજરાતના અનેક લોકોની વિચારસૃષ્ટિમાં કાકા અજ્ઞાનપણે પણ બેઠેલા છે. કાકાએ એક જમાનામાં ગુજરાતના વાચક-વિચારક લોકોનાં ચિત્તમાં પ્રવેશ અને આવકાર મેળવ્યો છે. શરીરને બાંધનાર અન્ન પચી ગયા બાદ જેમ તે જુદું નામધારી રહેતું—રહી શકતું નથી, ન રહેવામાં જ તેની કૃતાર્થતા છે; તે જ પ્રમાણે આપણા મનના ખોરાકનુંય છે. અને સાહિત્ય એ મનનો ખોરાક છે. એ ખોરાક પૂરો પાડવામાં કાકાસાહેબ ગુજરાત પર ‘અઢળક ઢળ્યા છે’. એટલા બધા કે, એક મિત્રે સાચું કહ્યું કે, હાઈસ્કૂલના આરંભથી માંડીને એમ. એ. સુધી આજ કાકા વંચાય છે, એવી વિવિધ અને વિપુલ સામગ્રી એમણે ગુજરાતને ચરણે ધરી છે. ગુજરાતને કાકાની આ ભેટ ધન્ય કરે છે. તેના સાહિત્યના ઇતિહાસમાં એ વડે કાકા અમર સ્થાન પામ્યા છે. … રાષ્ટ્રદેવની આરાધનાનું એ સાહિત્ય આપવાને માટે ગુજરાત કાકાનું હંમેશનું ઋણી રહેશે. ..."

- મગનભાઈ દેસાઈ ('કાલેલકર અધ્યયન ગ્રંથ'માંથી)



('नवजीवनનો અક્ષરદેહ' // ઓક્ટોબર - નવેમ્બર, ૨૦૧૬)

Sunday, December 11, 2016

ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આવકાર : સ્વાતિ જોશી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા : ડૉ. આનંદ તેલતુંબડે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અધ્યક્ષીય : પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આભાર : નિરંજન ભગત
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સ્વાતિબહેન, ડૉ. આનંદ, પ્રકાશભાઈ, ભગતસાહેબ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન
વિષય : આંબેડકર અને લોકશાહી
વક્તા : ડૉ. આનંદ તેલતુંબડે (પ્રાધ્યાપક, લેખક, કર્મશીલ)
સ્થળ : એ.એમ.એ., અટીરા પરિસર, અમદાવાદ  
તારીખ : ૧૦ ડિસેમ્બર, ૨૦૧૬, શનિવાર

Wednesday, December 7, 2016

પારિવારિક ચલચિત્ર એટલે 'મિશન મમ્મી'



પટકથા-સંવાદ લેખક દીપક સોલિયા અને સહનિર્માતા-દિગ્દર્શક આશિષ કક્કડ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વધુ વિગતો માટે અહીં પહોંચી જાવ :
https://www.facebook.com/missionmummyfilm/

Tuesday, December 6, 2016

જયલલિતા એટલે લોકપ્રિયતા

આ તસવીરમાં એ.આઈ.એ.ડી.એમ.કે.ના સંસદસભ્યનો હાથ છે!

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

તારીખ : પાંચમી જૂન, ૨૦૧૫
સ્થળ : નવી દિલ્હીનું વિમાની મથક

Sunday, December 4, 2016

'મેલો' : મરણની જાણ કરતો મરદ

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

આધુનિક યુગમાં વ્હોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર, ઈ-મેઇલ, એસ.એમ.એસ. જેવી સુવિધાઓથી સંદેશા અને સમાચાર ઝડપથી ફરી વળે છે. એક જમાનામાં, મહોલ્લામાં સમ ખાવા પૂરતો એકાદ ટેલીફોન માંડ જોવા મળતો. એમાં પણ ટેલીફોનનું ડબલું ક્યારે 'ઠપ્પ' થઈ જાય એ કહેવાય નહીં! સંદેશા-વ્યવહારનાં સાધનો ટાંચાં હતાં ત્યારે, કોઈ સ્વજનનું મરણ થાય ત્યારે કુટુંબીજનોએ સગાં-સંબંધીઓને એ ખબર પહોંચાડવા માટે મરણિયા પ્રયાસો કરવા પડતા. દાખલા તરીકે, અમદાવાદમાં પટ્ટણી (વણકર) જ્ઞાતિએ મરણની ખબર મોકલવા માટેની મુખ્ય જવાબદારી જે માણસને સોંપી હતી તેને 'મેલો' કહેવાતો. જ્ઞાતિએ 'વાલ્મીકિ' એવો મેલો સમાચાર અને સાઇકલ લઈને નીકળી પડતો. મેલો ચોક્કસ વસ્તીમાં જઈને પોકાર પાડતો. જેમાં મૃતક વ્યક્તિનાં નામ-ઠામ અને અંતિમયાત્રાનાં સ્થળ-સમયની વિગતોનો સમાવેશ થતો. મેલો આ એકમાત્ર ખબરનું ઊંચા સાદે પુનરાવર્તન કરતો.

આ ખબર સાંભળતાંની સાથે, એ નાતના માણસો ઘરમાંથી બહાર દોડી આવતા. અંગત સગા-સંબંધીના મરણના સમાચાર હોય તો રોકકળ મચી જતી. મૃતક વિષયક પૂછપરછ થાય તો તેના જવાબો આપીને મેલો અન્ય વિસ્તાર તરફ સાઇકલ હંકારી જતો. 'શ્રી પટ્ટણી (વણકર) જ્ઞાતિ સંઘ'ના પૂર્વ પ્રમુખ નવનીત લાલજીભાઈ પટ્ટણી જણાવે છે કે, 'મેલો જ્યારે મરણના સમાચાર આપવા માટે આવતો ત્યારે, 'આજે કોની વિકેટ પડી?' એવો પ્રશ્ન પૂછીને ઇતર કોમના લોકો ક્યારેક તેની હાંસી પણ ઉડાવતા. આથી, ઈ.સ. ૧૯૮૪માં અમારી જ્ઞાતિએ બંધારણમાં સુધારો કરીને મેલો મોકલવાની પ્રથા બંધ કરી દીધી.' આમ, શહેરના સમાજજીવનમાંથી ખુદ 'મેલો' નામશેષ થઈ ગયો!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

'મેલો' : મરણની જાણ કરતો મરદ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૨-૨૦૧૬, રવિવાર

'આપણું અમદાવાદ'


સૌજન્ય :


'મેલો' : મરણની જાણ કરતો મરદ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૧-૨૦૧૬, રવિવાર

Thursday, December 1, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1019

'તેણે બાઇકની ટાંકીમાં સોનું પુરાવ્યું.'
કારણ કે, તે અમીર નથી, પણ લાચાર છે!

પત્રકારત્વના વિદ્યાર્થીઓએ જોવા-જાણવા જેવાં ચલચિત્રો


'કમલા'
'ક્રાંતિવીર'
'ધમાકા'
'ન્યૂ દિલ્હી ટાઇમ્સ'
'પીપલી લાઇવ'
'પેજ થ્રી'
'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની'
'ધમાકા'

Nightcrawler
No
Spotlight
The insider
Wag the dog

પ્રકૃતિનું કાવ્ય


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Wednesday, November 9, 2016

ગાંધીપૌત્ર કનુ ગાંધીને પ્રકાશ ન. શાહની શ્રદ્ધાંજલિ

નિમંત્રિત વક્તા : પ્રકાશ ન. શાહ, ગાંધીમાર્ગી કર્મશીલ અને વરિષ્ઠ તંત્રી
તારીખ : ૦૯-૧૧-૨૦૧૬
સમય : સવારના અગિયારથી પોણા બાર
સ્થળ : સભાખંડ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

કાર્યક્રમના જીવંત પ્રસારણ માટે જુઓ :
http://gujaratvidyapith.org/UpasanaLive.html

કાયદાવિષયક સરળ જાણકારી મેળવવી છે?

Sunday, November 6, 2016

'આપણું અમદાવાદ'

શહેરમાં હનુમાનજીનાં સ્થાનકો

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

હનુમાન તારા નામ છે હજાર...!

…………………………………………………………

Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર

અમદાવાદનાં ધાર્મિક સ્થાનકોમાં મહાવીર હનુમાનજીનાં મંદિરો તેમનાં નામ-સરનામાંના કારણે વિશેષ ધ્યાન ખેંચે છે. શાહીબાગ વિસ્તારમાં 'લશ્કરી છાવણીક્ષેત્ર' વચ્ચે બિરાજતા બજરંગબલીનું દેવાલય 'શ્રી કેમ્પ હનુમાનજી મંદિર' તરીકે પ્રખ્યાત છે. ખાડિયામાં બાલા હનુમાન અને રાયપુરમાં છબીલા હનુમાન, બાપુનગરમાં ભીડભંજન હનુમાન અને મેમનગરમાં તારીયા હનુમાન, આંબાવાડીમાં મંગલમૂર્તિ હનુમાન અને અમરાઈવાડીમાં નાગરવેલ હનુમાન, કેલિકો મિલ નજીક સંકટમોચન હનુમાન અને સેટેલાઇટ વિસ્તારમાં સિદ્ધ પંચમુખી હનુમાન પ્રત્યક્ષ છે. આ ઉપરાંત, ખોખરા-મહેમદાવાદ વિસ્તારમાં આવેલા 'રોકડીયા હનુમાન' અને ગીતામંદિર માર્ગ ઉપર આવેલા 'સર્વોદય હનુમાન'ની નોંધ લેવી જોઈએ. શહેરના તોફાનગ્રસ્ત વિસ્તારમાં હુલ્લડિયા હનુમાન તો સ્મશાનગૃહમાં મસાણિયા હનુમાનની નોંધ કેમ ન લેવી જોઈએ?! વિશેષ કરીને, અમદાવાદનાં બે હનુમાન-મંદિરો નોખી ઓળખ ધરાવે છે. મેઘાણીનગર મુકામે આવેલું 'લગનિયા હનુમાનનું મંદિર' પ્રભુતામાં પગલાં પાડવા ઇચ્છતાં પ્રેમીયુગલો માટેનું આસ્થા-સ્થાન છે. અંજનીપુત્ર અને પવનસુત હનુમાન શ્રદ્ધાપૂર્વક, સાહસપૂર્વક, અને સફળતાપૂર્વક લંકા ગયા હતા. આ કારણે, પરદેશ જવા ઇચ્છુક આસ્તિકો ખાડિયા-સ્થિત દેસાઈની પોળમાં આવેલા ચમત્કારી હનુમાનજી કે જે 'વિસા હનુમાન' તરીકે જાણીતા છે તેમના દર્શને અચૂક આવે છે!

Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર

શહેરના વસ્ત્રાપુરમાં આઈ.આઈ.એમ.નાં જૂના અને નવા પરિસરની વચ્ચે, એકસો બત્રીસ ફૂટના વલયમાર્ગ ઉપર 'માનતાવાળા હનુમાનજી'ના મંદિરનું સ્થાપન થયું છે. ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં મુખ્ય ઇમારત સામે ઇચ્છાધારી હનુમાનનું મંદિર અને અધ્યાપકોનાં રહેઠાણ નજીક કષ્ટભંજન હનુમાનનું મંદિર છે. સેપ્ટ યુનિવર્સિટી પાસેના મુખ્ય રસ્તા ઉપર, 'સર્વકાર્યસિદ્ધ હનુમાનજી'ની દેરીનો ધીમી પણ મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે! અમદાવાદમાં વિવિધ હનુમાન-મંદિરો સાથે વૃક્ષોનાં નામ જોડાયેલાં છે. ઝાડના છાંયડા નીચે દાદાનું દેરું મોટું થાય એટલે એ ઝાડ પણ જાણીતું થઈ જાય છે. જેના કારણે મીઠાખળી ગામમાં પીપળીયા હનુમાન, ગીતામંદિર નજીક લીમડીયા હનુમાન, કાંકરિયા વિસ્તારમાં આંબલીયા હનુમાન, જીવરાજ પાર્ક વિસ્તારમાં ખીજડીયા હનુમાન જેવાં મંદિરો જોવા મળે છે. શહેરોમાં જમીન ઘટતી જાય છે અને જનસંખ્યા વધતી જાય છે. કપિ જેવા પ્રાણી માટે વૃક્ષ એ જીવંતમંદિર છે. વાનરમાં હનુમાનજીની હયાતી જોતાં શહેરીજનોએ વધુ સંખ્યામાં અને વિવિધ જાતનાં વૃક્ષો વાવવાની જરૂર છે!

…………………………………………………………
સૌજન્ય :

'હનુમાન તારા નામ છે હજાર...!'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૬-૧૧-૨૦૧૬, રવિવાર

Sunday, October 30, 2016

Double Decker Living Root Bridge, Sohra, Meghalaya / ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ, સોહરા, મેઘાલય


Double Decker Living Root Bridge @ Sohra, Meghalaya
Date of Trekking : October 30, 2016.
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Double Decker Living Root Bridge, Sohra is situated in the dense forests of Meghalaya. This iconic bridge is a natural creation of entanglements of the roots of two trees. It is known as one of the best examples of environmental engineering in the world.


Double Decker Living Root Bridge, Sohra, Meghalaya
Individual Trekking Initiative on dated October 30, 2016 
ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ, સોહરા, મેઘાલય
ત્રીસમી ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ વ્યક્તિગત કઠિન-વન-કૂચકદમ પહેલ

રૅમૉન્ડ જપાંગ : મેઘાલયી ચાલક-મિત્ર અને પ્રવાસ-માર્ગદર્શક

 

Khrawborlang Raymond Japang : Mountain Man

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Khrawborlang Raymond Japang : Nature Lover

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Thursday, October 20, 2016

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / તસવીર-સમાચાર

રામચંદ્ર ગુહાની પ્રસન્ન મુદ્રા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પત્રકારત્વ : શિક્ષણ અને સલામતી

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / તસવીર-સમાચાર

ગુહાને સાંભળતાં ગાંધીજનો

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / તસવીર-સમાચાર

પદવી પામ્યાંની પ્રસન્નતા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / તસવીર-સમાચાર

સાદગીની શોભા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Monday, October 17, 2016

'રઘુપતિ રાઘવ રાજા રામ' : ભજન એક, ભાવ અનેક

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / નિમંત્રણપત્ર





ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / માધ્યમ-નોંધ

ગૂજરાત વિદ્યાપીઠનો ૬૩મો પદવીદાન-સમારંભ ૧૮ ઓક્ટોબર, ૨૦૧૬ ને મંગળવારના રોજ સવારના ૯:૩૦ વાગ્યે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થીભવનના પટાંગણમાં યોજાશે. આ પ્રસંગે વિખ્યાત ઇતિહાસકાર અને જીવનચરિત્ર-લેખક શ્રી રામચંદ્ર ગુહા દીક્ષાન્ત પ્રવચન આપશે.

ઇતિહાસ, રાજકારણ, લોકશાહી, ક્રિકેટ, પર્યાવરણ જેવા વિષયો ઉપર ગ્રંથલેખન કરનાર રામચંદ્ર ગુહા ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ અને ‘ગાંધી બીફોર ઇન્ડિયા’ જેવાં પુસ્તકોથી પ્રસિદ્ધ થયા છે. ‘પદ્મભૂષણ’ સહિત વિવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કારો-પારિતોષિકોથી સન્માનિત રામચંદ્ર ગુહા ‘પ્રોસ્પેક્ટ’ સામયિક દ્વારા ‘વિશ્વના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિકો’ની સૂચિમાં નામાંકિત થયા હતા. યેલ, સ્ટૅનફોર્ડ, કેલિફોર્નિયા, ઑસ્લોનાં વિશ્વવિદ્યાલયોમાં અને ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’માં અધ્યાપનકાર્ય કરનાર રામચંદ્ર ગુહાને યેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાવાચસ્પતિની માનદ્ પદવી પ્રાપ્ત થઈ છે.

ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ડૉ. ઇલાબહેન ભટ્ટ પદવીદાન-સમારંભનું અધ્યક્ષપદ સંભાળશે. કુલનાયક ડૉ. અનામિક શાહ સ્વાગત-પ્રવચન અને કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી આભારવિધિ કરશે. પદવીદાન-સમારંભમાં ૩૧૭ ભાઈઓ અને ૨૬૩ બહેનોને પદવી એનાયત થશે.

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / મુખ્ય મહેમાન / રામચંદ્ર ગુહા

રામચંદ્ર ગુહા (જન્મ : ૨૯-૦૪-૧૯૫૮, દહેરાદૂન) વિખ્યાત ઇતિહાસકાર અને જીવનકથાકાર છે. તેમણે યેલ યુનિવર્સિટી(યુ.એસ.) અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી(યુ.એસ.)માં અધ્યાપનકાર્ય કર્યું છે. તેઓ યુનિવર્સિટી ઓફ ઓસ્લો(નોર્વે)માં 'અર્ને નેસ્સ ચેર' શોભાવે છે. તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા(યુ.એસ.)માં ઇન્ડો-અમેરિકન કોમ્યુનિટી વિઝિટિંગ પ્રોફેસર રહ્યા છે. ૨૦૧૧-૧૨ના શૈક્ષણિક વર્ષમાં તેમણે 'લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ' મુકામે 'ધી ફિલિપ રોમન પ્રોફેસર ઓફ હિસ્ટરી એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સ' તરીકે સેવા આપી હતી.

રામચંદ્ર ગુહાનાં નોંધપાત્ર પુસ્તકોમાં 'The Unquiet Woods', 'A Corner of a Foreign Field', 'India after Gandhi', અને 'Gandhi Before India'નો સમાવેશ થાય છે. તેમના વિખ્યાત પુસ્તક 'Gandhi Before India'ને દેશ-દુનિયાનાં વિધવિધ સમાચારપત્રો અને સામયિકો દ્વારા 'વર્ષના શ્રેષ્ઠ પુસ્તક' અને 'દાયકાના શ્રેષ્ઠ પુસ્તક' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તેઓ વિવિધ સમાચારપત્રોમાં કતારલેખન કરે છે. તેમની કતાર છ ભાષાઓમાં પ્રકાશિત થાય છે, જે અંદાજે વીસ મિલિયન વાચકો સુધી પહોંચે છે. ગુહાનાં પુસ્તકો અને નિબંધો વીસથી વધુ ભાષાઓમાં અનૂદિત થયાં છે. 'ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ' સમાચારપત્રે તેમને ‘perhaps the best among India’s non fiction writers’ અને 'ટાઈમ' સામયિકે તેમને ‘Indian democracy’s pre-eminent chronicler’ કહ્યા છે.

રામચંદ્ર ગુહાને દેશ-દુનિયામાંથી વિવિધ પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં 'લેપોલ્ડ-હિડી પારિતોષિક', 'ધી ડેઇલી ટેલીગ્રાફ/ ક્રિકેટ સોસાયટી પુરસ્કાર', 'ધી માલ્કમ એડિડેશિઆહ પારિતોષિક', 'ધી રામનાથ ગોએન્કા પુરસ્કાર', 'ધી સાહિત્ય અકાદેમી પુરસ્કાર', અને 'ધી આર. કે. નારાયણ પુરસ્કાર'નો સમાવેશ થાય છે. તેમને ઈ.સ. ૨૦૦૯માં 'પદ્મભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૮ અને ઈ.સ. ૨૦૧૩માં 'પ્રોસ્પેક્ટ' સામયિકે ગુહાને 'વિશ્વના પ્રભાવક બૌદ્ધિકો'ની યાદીમાં નામાંકિત કર્યા હતા. તેમને ઈ.સ. ૨૦૧૪માં યેલ યુનિવર્સિટીએ 'માનદ્ વિદ્યાવાચસ્પતિ'ની પદવી આપી હતી. તેઓ ઈ.સ. ૨૦૧૫માં 'ફુકુઓકા પારિતોષિક'થી સન્માનિત થયા હતા.

જે ઘટના સમાચાર ન બને, એ લેખ બની શકે!

વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph by a neighbour / પાડોશી દ્વારા છબી

પાછળની હરોળમાં : સપના-તેજસ્વી-દિવ્યેશ વ્યાસ, ઋતુલ જોશી, કાર્તિક શાહ, ઉર્વીશ કોઠારી
આગળની હરોળમાં : સંજય ભાવે, વિપુલ કલ્યાણી, પ્રકાશ શાહ, રાજ ગોસ્વામી, બિનીત મોદી, અશ્વિનકુમાર 
પલાંઠીમાં : આશિષ કક્કડ

ઉપક્રમ : વરિષ્ઠ સંપાદક અને પત્રકાર વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન
સ્થળ : બહુપ્રતિભાપૂર્ણ માધ્યમકાર આશિષ કક્કડનું રહેઠાણ
તારીખ : ૧૬-૧૦-૨૦૧૬, રવિવાર, બપોરે ૧૨થી ૦૨

Sunday, October 16, 2016

મનુભાઈ પંચોળી 'દર્શક' વ્યાખ્યાનમાળા

વ્યાખ્યાનમાળાની વિગતો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'દર્શક'ના ચિત્રની છબી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આવકાર : પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પ્રાસ્તાવિક : વિપુલ કલ્યાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા : ભીખુ પારેખ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અધ્યક્ષીય : ઘનશ્યામ શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આભારદર્શન : અરુણકુમાર દવે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મંચસ્થ મહાનુભાવો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'દર્શક'પ્રિય શ્રોતાગણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વક્તા અને શ્રોતા : સભાખંડની શોભા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'દર્શક'પ્રિય શ્રોતાગણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : મનુભાઈ પંચોળી 'દર્શક' વ્યાખ્યાનમાળા
આયોજક : લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા અને 'ઓપિનિયન' વિચારપત્ર, યુ.કે.  
વિષય : ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા
મુખ્ય વક્તા : ભીખુ પારેખ
તારીખ : ૧૫-૧૦-૨૦૧૬, શનિવાર
સમય : નમતા પહોરે ચાર કલાકે
સ્થળ : હીરક મહોત્સવ ખંડ, ગૂજરાત વિદ્યાપીઠ

વ્યાખ્યાનમાળાના વૃતાંતનિવેદન માટે અહીં પહોંચી જાવ :

http://opinionmagazine.co.uk/details/2260/bharatmaam-vaadvivaadnee-pranaalikaa-vishe-bhikhu-parekh

('ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા વિશે ભીખુ પારેખ', લેખક : દિવ્યેશ વ્યાસ,
'નિરીક્ષક', ૦૧-૧૧-૨૦૧૬, પૃષ્ઠ : ૦૨, ૧૪, ૧૫)

'દર્શક'ના પુસ્તકનું લોકાર્પણ

મંચસ્થ મહાનુભાવો
ડાબેથી જમણે : રામચંદ્ર પંચોળી, પ્રકાશ ન. શાહ, અરુણકુમાર દવે,
ભીખુ પારેખ, ઘનશ્યામ શાહ, વિપુલ કલ્યાણી, રવીન્દ્ર પંચોળી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


'દર્શક'ચાહક શ્રોતાઓ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : 'દર્શક'ના પુસ્તક 'સોક્રેટીસથી માર્ક્સ'નું લોકાર્પણ
તારીખ : ૧૫-૧૦-૨૦૧૬, શનિવાર