Tuesday, February 27, 2018

પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે જાણીએ

મોરારજી દેસાઈને ૧૨૩મા જન્મદિવસે શ્રદ્ધાસુમન-અર્પણ કાર્યક્રમ


ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈનો ૧૨૩મો જન્મદિવસ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ ને બુધવારના રોજ ગાંધીઆશ્રમની બાજુમાં અભયઘાટ ખાતે સવારે ૮ વાગે મનાવવામાં આવશે.

આ પ્રસંગે પ્રાર્થના-ભજન તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહ, કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, તથા વિદ્યાપીઠના સેવકો અને વિદ્યાર્થીઓ ભાગ લેશે.
 
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે મોરારજી દેસાઈનો જન્મદિવસ અને નિર્વાણદિન અભયઘાટ ઉપર મનાવવામાં આવે છે.

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લ્ભભાઈ પટેલ અને પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠના આજીવન કુલપતિપદે કાર્યરત હતા.

Saturday, February 24, 2018

'હળવે હલેસે'

'સામાજિક બદલાવ માટે માધ્યમો' સંબંધિત સહચર્ય / Fellowship related to 'Media for social change'

કવિ-ગુરુ રવીન્દ્રનાથ


"૧૯૨૮માં કવિનો જન્મદિવસ અનોખી રીતે ઊજવાયો. પરંપરાગત સમારોહ ઉપરાંત એ વર્ષે તેમને તેમનાં જ પુસ્તકોથી તોલવામાં આવ્યા અને એ પુસ્તકો સાર્વજનિક પુસ્તકાલયો અને સંસ્થાઓને ભેટ આપવામાં આવ્યાં. રાજા-મહારાજાઓને સોનાચાંદીથી તોલવાનો રિવાજ હતો. તેમનાં જ પુસ્તકોથી લેખકને તોલવાની સંભવત: આ પ્રથમ ઘટના હતી."

[ સૌજન્ય : કવિ-ગુરુ રવીન્દ્રનાથ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬૭ ]

Thursday, February 22, 2018

Wednesday, February 21, 2018

ડૉ. અશ્વિનકુમાર // પરિચય-પૃષ્ઠ



નામ : ડૉ. અશ્વિનકુમાર

વ્યવસાય : અધ્યાપન

હોદ્દો : પ્રાધ્યાપક

વિભાગ : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯


અભ્યાસ : 

બી.એસસી. (ભૌતિકશાસ્ત્ર)

બી.સી.જે.પી. (સુવર્ણચંદ્રક વિજેતા)

એમ.જે.એસ. (પ્રથમ વર્ગ - વિશેષ યોગ્યતા)

એમ.ફિલ. (પત્રકારત્વ)

પીએચ.ડી. (પત્રકારત્વ)


પારિતોષિકો : 

ભગવતીલાલ ડાહ્યાલાલ રાવ (ખંભાત) સુવર્ણચંદ્રક

ફૂલશંકર પટ્ટણી (ભુજ) પત્રકારત્વ પારિતોષિક


પત્રકારત્વમાં તાલીમ :

'કર્ણાવતી એક્સપ્રેસ' (લઘુ કક્ષાનું દૈનિક)

'સમભાવ' (મધ્યમ કક્ષાનું દૈનિક)

'ગુજરાત સમાચાર', ન્યૂ યોર્ક આવૃત્તિ (અગ્રગણ્ય દૈનિક)


કારકિર્દી

ઈ.સ. ૧૯૯૫થી ૧૯૯૬ : ભારત સરકારના દૂરસંચાર વિભાગમાં કનિષ્ઠ દૂરસંચાર અધિકારી (જે.ટી.ઓ.)

ઈ.સ. ૧૯૯૬થી આજપર્યંત : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક 


સંશોધન :

પારંગત(એમ.જે.એસ.) 
શીર્ષક : 'અખબારો પાસેથી વાચકોની અપેક્ષાઓ : એક અધ્યયન'
માર્ગદર્શક : અજય ઉમટ (ચીફ સબ એડિટર, 'ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ)

અનુપારંગત(એમ.ફિલ.) 
શીર્ષક : 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા'
માર્ગદર્શક : તુષાર ભટ્ટ (પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક, અમદાવાદ)

વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)
શીર્ષક  : 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર
(અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)'
માર્ગદર્શક : ડૉ. રઘુવીર ચૌધરી (પૂર્વ પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)

માર્ગદર્શક :

પારંગત(એમ.એ.) : ઈ.સ. ૧૯૯૬થી 
અનુપારંગત(એમ.ફિલ.) : ઈ.સ. ૨૦૦૨થી 
વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.) : ઈ.સ. ૨૦૧૫થી 


સંપાદન :

સહસંપાદક : 'અભિદૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું  માસિક)
સંપાદક : 'એઇડ્સ-પ્રતિકાર' (સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતું સામયિક)
તંત્રી : 'વલોણું' (વિકાસના મુદ્દાની વાત માંડતું વિચારપત્ર)


વિશેષ કામગીરી :

સંશોધનાત્મક અને સર્જનાત્મક લેખન
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્તિઓ
'ભાષાની મજા, મજાની ભાષા' નામે, ચૌદસો પંચોતેરથી પણ વધુ 'ભાષા-નમૂના'નું નિર્માણ 

'કાકા-સવાસો(૧૮૮૫-૨૦૧૦)' નિમિત્તે, આચાર્ય કાકાસાહેબ કાલેલકરના સાહિત્યનો અભ્યાસ અને વ્યાખ્યાનો

'બા-બાપુ-દોઢસો' ઉજવણી અંતર્ગત, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના ઉપાસનાખંડમાં 'કસ્તૂરકથા'નો મૌલિક પ્રયોગ

'આઝાદીનો અમૃત મહોત્સવ' અંતર્ગત,

'મહાદેવકથા'નો મૌલિક પ્રયોગ
'મોહનકથા'નો મૌલિક પ્રયોગ
'વલ્લભકથા'નો મૌલિક પ્રયોગ
'ભીમકથા'નો મૌલિક પ્રયોગ
 
કતાર-લેખન :

શહેરના સામાજિક-સાંસ્કૃતિક વારસાની ઓળખ આપતી, 'આપણું અમદાવાદ' નામની કતાર 
'હળવે હૈયે' અને 'હળવે હલેસે' જેવી હાસ્ય-વ્યંગ્ય કતાર

બ્લોગ (અક્ષર-આકાશિકા) : 'અશ્વિનિયત' (http://ashwinningstroke.blogspot.in)
પોસ્ટ્સ : 4925+
પેજવ્યૂઝ : 400000+
વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

Monday, February 5, 2018

આચાર્ય જી.ભ. કૃપાલાની વ્યાખ્યાનમાળા : છેલ્લા બે સૈકાની પ્રકાશપૂર્ણ વિચારયાત્રા




'બહેતર ભારત'ને જાણીએ ...

શ્રીનિવાસ રામાનુજન વિશે જાણીએ

ભાષાની મજા, મજાની ભાષા - 1050

'તમે જેને ઓળખતા હો તેવા બે જવાબદાર માણસોની વિગતો આપો.'
'તમે જેને ઓળખતા હો તેવા બેજવાબદાર માણસોની વિગતો આપો.' (!)

ભાષાની મજા, મજાની ભાષા - 1048


જંગ સામાન્ય ન હોય , 'ખરાખરીનો' જ હોય!

ભાષાની મજા, મજાની ભાષા - 1049

એક શબ્દ, બે અર્થ !

'ધૃતરાષ્ટ્રની પત્ની ગંધારી હતી.'
'ધૃતરાષ્ટ્રની પત્ની ગંધારી હતી.'

ભાષાની મજા, મજાની ભાષા - 1047

ચૂંટણીમાં 'કાંટાની ટક્કર' થાય છે, 'ફૂલોની ટક્કર' ક્યારેય નહીં!

ભાષાની મજા, મજાની ભાષા - 1046

અકસ્માત વિશેના સમાચારમાં 'આબાદ બચાવ' ઘણી વાર થતો હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1045

'હસ્તધૂનન' કરી શકાય, 'હસ્તધનૂન' નહીં!
     

ભાષાની મજા, મજાની ભાષા - 1044

'અમિત' અને 'અમીત'ના અર્થમાં બહુ મોટો ફેર પડી જાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1043

'જાતકર્મ' ન થાય તો ચાલે, પણ 'જારકર્મ'થી તો દૂર જ રહેવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1042

મેળ વગરની વાત કે ભલીવાર વગરના કામ માટે આપણી ભાષામાં 'થૂંકનો સાંધો' જેવો મજબૂત પ્રયોગ છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1041

'ગુરુ'માં બધું લઘુ જ હોય!

Saturday, February 3, 2018

'હળવે હલેસે'


સૌજન્ય :

એક રીંછનું ઝાડ ઉપર ચઢી જવું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

Friday, February 2, 2018

નિરંજન ભગત : જન્મદિને અભિવંદન


કવિ નિરંજન ભગત
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ભગતસાહેબ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નિરંજન નરહરિ ભગત (૧૮-૦૫-૧૯૨૬થી ૦૧-૦૨-૨૦૧૮)

http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Niranjan-Bhagat.html


જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે-ચાર ઘડી
ને ગાઈ શકું બે-ચાર કડી

નિરંજન ભગત