Showing posts with label Hasmukh Patel. Show all posts
Showing posts with label Hasmukh Patel. Show all posts

Wednesday, December 25, 2024

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન


ગૂજરાત વિદ્યાપીઠ || અખબારી નોંધ ||

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન

- વિષયજૂથ આધારિત સાત સત્રોનું આયોજન

- નવોદિત અધ્યાપકોથી માંડીને વરિષ્ઠ પ્રાધ્યાપકોની સક્રિય સામેલગીરી

- શિબિર-સ્થળ તરીકે બનાસકાંઠા જિલ્લાના વિરમપુરની પસંદગી

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ચિંતન શિબિરનું આયોજન આગામી 26 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર, 2024 દરમિયાન, સંવેદના સર્વોદય ટ્રસ્ટ, વિરમપુર, બનાસકાંઠા ખાતે કરવામાં આવ્યું છે.

ત્રિદિવસીય ચિંતન શિબિરમાં વિવિધ સત્રોમાં, જુદા જુદા વિષયો ઉપર રજૂઆત, ચર્ચા, અને ચિંતન કરવામાં આવશે. ચિંતન શિબિરમાં ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખા અને વિભાગોના શૈક્ષણિક સેવકો ભાગ લેશે.

ચિંતન શિબિરના ઉદ્ઘાટન સત્રમાં, ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ટ્રસ્ટીઓ શ્રી ચંદ્રવદનભાઈ શાહ, શ્રી સુરેશભાઈ રામાનુજ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ ઠાકર, અને સમાજશાસ્ત્રીશ્રી ડૉ. વિદ્યુતભાઈ જોષી ઉપસ્થિત રહેશે.

ચિંતન શિબરમાં ઉદ્ઘાટન સત્ર, મુક્ત સત્ર, સમાપન સત્ર ઉપરાંત વિષયજૂથ આધારિત સાત સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. સાત વિષયજૂથ-રચનામાં વ્યાવસાયિક સજ્જતા, આર્થિક સ્વનિર્ભરતાના ઉપાયો, સામુદાયિક સંબંધો, પ્રવેશ લક્ષ્યાંક વ્યૂહરચના, વિદ્યાપીઠનાં પરિપાટી, પડકાર અને પહેલ, રાષ્ટ્રીય શિક્ષણનીતિ અમલીકરણની સમીક્ષા, વિસ્તરણ પ્રવૃત્તિઓની સમીક્ષાનો સમાવેશ થાય છે. પ્રત્યેક વિષય જૂથમાં 14 અધ્યાપકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં નવોદિત અધ્યાપકોથી માંડીને વરિષ્ઠ પ્રાધ્યાપકોનો સમાવેશ થાય છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, વિદ્યાકીય શાખા દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અધ્યાપકોની છ વ્યવસ્થાપન સમિતિઓનું ઘડતર કરવામાં આવ્યું છે. ચિંતન શિબિર માટે હરિયાળા અને રળિયામણા વિરમપુરની પસંદગી કરવામાં આવી છે. જ્યાં સર્વોદય કાર્યકર અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીશ્રી હસમુખભાઈ પટેલ યજમાન તરીકેની જવાબદારી નિભાવશે.

Saturday, March 16, 2024

પેસ્કુના પ્રતાપે


ઈ.સ. ૨૦૧૪માં બનાસકાંઠામાં ગ્રામજીવન-પદયાત્રા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


સ્થાનિક આદિવાસી બોલીમાં 'પેસ્કુ' એટલે 'હેન્ડ પંપ' !


Wednesday, November 26, 2014

બનાસકાંઠામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા


૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ભાયલાની પ્રાથમિક શાળાનાં ભાઈઓ-બહેનોને માહિતીપટલ થકી, ગાંધીવિચારનો સંદેશો પહોંચાડતા ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વના વિદ્યાર્થીઓ

તારીખ : 22-09-2014થી 25-09-2014, સોમવારથી ગુરુવાર
પદયાત્રાનું ગામ : ભાયલા
તાલુકો : અમીરગઢ
જિલ્લો : બનાસકાંઠા


Tuesday, November 11, 2014

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા : સહયોગી સંસ્થા અને કર્મયોગી સેવકો


ગાંધીનો ચહેરો સદાય હસતો રહે એવું સેવાકર્મ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

હસમુખ પટેલ (મંત્રી અને ટ્રસ્ટી) 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

શિલ્પા વૈષ્ણવ (સંયોજક)
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

આનંદ ચૌધરી (તકનિકી પ્રબંધક)
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


બનાસકાંઠામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા

તારીખ : 22-09-2014થી 25-09-2014, સોમવારથી ગુરુવાર

સ્થાનિક સહયોગી સંસ્થા : 
સંવેદના ટ્રસ્ટ, ધોળી ભાખરી, વિરમપુર
તાલુકો : અમીરગઢ
જિલ્લો : બનાસકાંઠા


Friday, September 26, 2014

મિત્રો સાથે ખૂબ મજા આવી, રસ્તામાં મજાની નદી આવી

ડાભછત્રા ગામ તરફ જતાં 

૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Thursday, September 25, 2014

ભોમિયા વિના મારે ભમવા'તા ભોંખરા !


ગામ : ડાભછત્રા, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા

૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા

P
hotograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સ્થાનિક આદિવાસી બોલીમાં 'ભોંખરા' એટલે 'ડુંગરા' !


Wednesday, September 24, 2014

અંતરિયાળ ગામના છેવટજન સાથે


ગામ : કેંગોરા, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા

૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Tuesday, September 23, 2014

અનુસ્નાતક વિદ્યાર્થીઓ સાથે અનુભવસ્નાતક માલધારી!


ઈશારીયા ગામ, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા 

૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે


૨૦૧૪માં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Sunday, September 21, 2014

ઈ.સ. ૨૦૧૪માં બનાસકાંઠામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા


તારીખ : 22-09-2014થી 25-09-2014, સોમવારથી ગુરુવાર
સ્થાનિક સહયોગી સંસ્થા : સંવેદના ટ્રસ્ટ, ધોળીભાંખરી, વિરમપુર
પદયાત્રાનાં ગામ : ભાયલા, ઈશારીયા, કેંગોરા, ડાભછત્રા
તાલુકો : અમીરગઢ
જિલ્લો : બનાસકાંઠા


Friday, August 29, 2014

ઝરણાં એટલે ડુંગરાનાં આંસુ?!


ઈ.સ. ૨૦૧૪માં બનાસકાંઠામાં ગ્રામજીવન-પદયાત્રા

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર