(સૌજન્ય : શશીકાંત વાઘેલા, 'ખબર અમદાવાદ')
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Morarji Desai. Show all posts
Showing posts with label Morarji Desai. Show all posts
Thursday, February 29, 2024
Tuesday, February 28, 2023
Sunday, April 10, 2022
મોરારજી દેસાઈ : તરણ અને તરવરાટ
Morarji Desai : 1973
![]() |
| Photo-Courtesy: http://specials.indiatoday.com/common/candid_camera/candidMorarji.html |
Morarji Desai : 1979
![]() |
| Prime Minister Morarji Desai having a holy dip at a Hindu pilgrim centre, Gangasagar (West Bengal) on May 29, 1979. Photo-Courtesy: https://www.timescontent.com/tss/showcase/preview-buy/128152/Feature/Morarji-Desai.html |
Tuesday, February 27, 2018
મોરારજી દેસાઈને ૧૨૩મા જન્મદિવસે શ્રદ્ધાસુમન-અર્પણ કાર્યક્રમ
ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈનો ૧૨૩મો જન્મદિવસ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ ને બુધવારના રોજ ગાંધીઆશ્રમની બાજુમાં અભયઘાટ ખાતે સવારે ૮ વાગે મનાવવામાં આવશે.
આ પ્રસંગે પ્રાર્થના-ભજન તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહ, કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, તથા વિદ્યાપીઠના સેવકો અને વિદ્યાર્થીઓ ભાગ લેશે.
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે મોરારજી દેસાઈનો જન્મદિવસ અને નિર્વાણદિન અભયઘાટ ઉપર મનાવવામાં આવે છે.
દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લ્ભભાઈ પટેલ અને પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠના આજીવન કુલપતિપદે કાર્યરત હતા.
Monday, April 10, 2017
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈને પુષ્પાંજલિ
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
વ્યક્તિ-વિશેષ : મોરારજી રણછોડજી દેસાઈ (૨૯-૦૨-૧૮૯૬થી ૧૦-૦૪-૧૯૯૫), ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન (૧૯૭૭-૧૯૭૯), ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર (૧૯૪૮-૧૯૬૩) અને કુલપતિ અર્થાત ચાન્સેલર (૧૯૬૩-૧૯૯૫)
ઉપક્રમ : પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈના ૨૩મા નિર્વાણદિને પુષ્પાંજલિ
ઉપસ્થિતિ : ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, અધ્યાપકો, સેવકો, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો
તારીખ : ૧૦-૦૪-૨૦૧૭, સોમવાર
સમય : સવારના આઠથી સાડા આઠ
સ્થળ : અભયઘાટ, ગાંધી-આશ્રમની બાજુમાં, સાબરમતીના તીરે, અમદાવાદ
Tuesday, February 28, 2017
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈને પુષ્પાંજલિ
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
વ્યક્તિ-વિશેષ : મોરારજી રણછોડજી દેસાઈ (૨૯-૦૨-૧૮૯૬થી ૧૦-૦૪-૧૯૯૫), ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન (૧૯૭૭-૧૯૭૯), ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર (૧૯૪૮-૧૯૬૩) અને કુલપતિ અર્થાત ચાન્સેલર (૧૯૬૩-૧૯૯૫)
ઉપક્રમ : પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈના ૧૨૨મા જન્મદિને પુષ્પાંજલિ
ઉપસ્થિતિ : ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહ, કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, અધ્યાપકો, સેવકો, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો, મોરારજીભાઈના પરિવારજનો, સેવાદળના કાર્યકરો, ચાહકો
તારીખ : ૨૮-૦૨-૨૦૧૭, મંગળવાર
સમય : સવારના આઠથી નવ
સ્થળ : અભયઘાટ, ગાંધી-આશ્રમની બાજુમાં, સાબરમતીના તીરે, અમદાવાદ
Tuesday, April 12, 2016
મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ
આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………
મોરારજી રણછોડજી દેસાઈ (૨૯-૦૨-૧૮૯૬થી ૧૦-૦૪-૧૯૯૫) ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન (૧૯૭૭-૧૯૭૯) હતા. તેઓ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર (૧૯૪૮-૧૯૬૩) અને કુલપતિ અર્થાત ચાન્સેલર (૧૯૬૩-૧૯૯૫) તરીકે સેવારત હતા. દેશ-દુનિયામાં ગમે ત્યાં હોય, કુલપતિ મોરારજીભાઈ ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં દર વર્ષે ૧૨ ઓક્ટોબરથી એક સપ્તાહ સુધી નિવાસ કરતા હતા. તેઓ ૧૮ ઓક્ટોબરના રોજ, વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં કેળવણીકુંજના કુલપતિની હેસિયતથી ભાષણ કરતા. મોરારજીભાઈ વિદ્યાપીઠના અનુસ્નાતક છાત્રાલયના ભાઈઓ સાથે એક દિવસ અને કન્યા છાત્રાલયની બહેનો સાથે એક દિવસ ભોજન લેતા હતા. એ વેળાએ કોઈ પદાધિકારીની હાજરી ન હોય એટલે, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ પોતાનાં શિક્ષણ, નિવાસ, ભોજન વિષયક સવાલો તેમને પૂછી શકતાં હતાં. આ જ રીતે, તેઓ અતિથિગૃહના ભોંયતળિયે, સંસ્થા-સંચાલકોની અનુપસ્થિતિમાં અધ્યાપકો અને વહીવટી કાર્યકરોને એક-એક કલાક સુધી સાંભળતા હતા. મોરારજીભાઈના બિનવાતાનુકૂલિત નિવાસખંડમાં બેસવા માટે લાકડાની પાટ અને પાણી પીવા માટે માટલી મૂકેલી હતી. તેમણે આ જ નિવાસખંડમાં અમદાવાદનાં કોમી રમખાણો (ઓક્ટોબર, ૧૯૬૯) અને નવનિર્માણ આંદોલન (માર્ચ, ૧૯૭૪) વખતે ઉપવાસ કર્યા હતા.
સમયની ચુસ્તી જાળવીને, મોરારજીભાઈ સાંજે પાંચથી છ સુધી ઉપાસનાખંડમાં હાજર રહેતા હતા. તેઓ ખાદીનો સ્વચ્છ-સુઘડ પોશાક તેમજ અણીદાર ટોપી પહેરીને, હાથમાં રેંટિયો લઈને, પાંચનો સમય થવામાં બે મિનિટ બાકી હોય ત્યારે આવી પહોંચતા. યોગીપુરુષની પેઠે ધ્યાનમુદ્રામાં ટટ્ટાર બેસતા. પ્રાર્થના બાદ ત્રીસ મિનિટ સુધી, એક પણ તાર ન તૂટે એવું સાતત્યપૂર્ણ કાંતણ કરતા. રેંટિયો કાંતવામાં મોરારજીભાઈની ઝડપ ધ્યાન ખેંચે એવી હતી. મોટા ભાગે, જાતે કાંતેલા સૂતરમાંથી તેમનો પોશાક તૈયાર થતો. ગૃહમંત્રી, નાણામંત્રી, કે વડાપ્રધાન મોરારજી દેસાઈ દેશ-દુનિયામાં ક્યાંય પણ જાય, પોતાની સાથે રેંટિયો રાખતા. કાંતણ બાદનું તેમનું ત્રીસ મિનિટનું પ્રવચન સાંભળવા માટે, નગરજનો પણ વિદ્યાપીઠના પરિસરમાં આવતા હતા. મોરારજીભાઈ વહેલી સવારે નિયમિત અને ઝડપભેર ચાલતા હતા. તેઓ વિદ્યાપીઠના રમતોત્સવને ખુલ્લો મૂકતા. રમતના મેદાન ઉપર વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે રસ્સાખેંચ અને સેવકો માટે તેજચાલ જેવી સ્પર્ધા પણ થતી. આ સ્પર્ધાના નિર્ણાયક બનવામાં, ખુદ કુલપતિ મોરારજી દેસાઈ ઉત્સાહી હોય એવા એ દિવસો હતા! ગૂજરાત વિદ્યાપીઠના 'પ્રાણજીવન વિદ્યાર્થીભવન'માં 'મોરારજી દેસાઈ સંગ્રહાલય' જાણવાલાયક જગ્યા છે. સાબરમતીના તીરે, ગાંધીજીના સત્યાગ્રહાશ્રમની પડોશમાં, એકાદશવ્રતી મોરારજીભાઈનો દેહ પંચમહાભૂતમાં ભળ્યો હતો. તેમની સમાધિ 'અભયઘાટ' તરીકે ઓળખાય છે. અમદાવાદીઓએ સ્વચ્છતા, સુઘડતા, સુંદરતા, શાતાનો ચતુર્વેણી અનુભવ કરવો હોય તો 'અભયઘાટ'ની મુલાકાત લેવા જેવી છે.
…………………………………………………………………………………………………
સૌજન્ય :
મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૪-૨૦૧૬, મંગળવાર
Subscribe to:
Posts (Atom)














