Showing posts with label Umashankar Joshi. Show all posts
Showing posts with label Umashankar Joshi. Show all posts

Monday, July 21, 2025

ઉમાશંકર જોશી


ઉમાશંકર જોશી : વ્યક્તિત્વ અને સાહિત્ય 

વ્યાખ્યાન મોરારજી દેસાઈ મંડપમ્, 

Monday, September 2, 2024

ગાંધીકથા || ઉમાશંકર જોશી


અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ગાંધીજીના પ્રમુખપદે મળી રહી હતી. હૉલ ખીચોખીચ ભરાયેલો હતો. ગાંધીજીનું ભાષણ શરૂ થયું. સભામાંથી ‘માઈક!' ‘માઈક!' એવા અવાજો આવ્યા.

ગાંધીજીએ કહ્યું : “શાંતિ રાખો ને સાંભળો. સંભળાશે. સંભળાય છે ને હવે?”

છેક સામેની દીવાલને અઢેલીને ઊભેલા એક કાર્યકરે કહ્યું : “ના જી, નથી સંભળાતું!”

ગાંધીજી : “તો આ કેવી રીતે સંભળાયું?” અને આખી સભા ખડખડાટ હસી પડી.

હાસ્યનાં મોજાં શમ્યાં અને પાછળ પ્રસન્ન શાંતિ મૂકતાં ગયાં.

(જોશી, ૧૯૬૯, પૃ : ૧૨૦)

ગાંધીકથા
ઉમાશંકર જોશી
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
અમદાવાદ : ૩૮૦ ૦૦૧
પહેલી આવૃત્તિ : ૧૯૬૯
પુનર્મુદ્રણ : ૨૦૧૭

Sunday, September 11, 2022

ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર, ગંગોત્રી ટ્રસ્ટ // ફેલોશિપ માટે જાહેરાત


ઉમાશંકર જોશી 
છબી-સૌજન્ય : જગન મહેતા

ગંગોત્રી ટ્રસ્ટ તરફથી ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર [Umashankar Joshi Center for Gujarat Studies] શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એક પ્રવૃત્તિ તરીકે ગુજરાતનાં સાહિત્ય, સમાજ અને ઇતિહાસના આંતરસંબંધો પર સંશોધનનું કાર્ય કરવાનું નક્કી કર્યું છે.

આ પ્રવૃત્તિની શરૂઆત ગુજરાતના દલિતો, આદિવાસીઓ અને અન્ય વંચિત સમુદાયો દ્વારા રચાયેલા સાહિત્ય પર સંશોધન માટે [લેખિત કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમમાં] ફેલોશિપ આપીને કરવાનું નક્કી કર્યું છે. સંશોધન આ સાહિત્યના કોઈ એક પાસા કે મુદ્દા પર કેન્દ્રિત હોય એ ઇચ્છનીય છે.

ફેલોશિપ માટેની જરૂરી વિગતો નીચે આપી છે:

૧. વીસ વર્ષ ઉપરની કોઈ પણ વ્યક્તિ આ સંશોધન માટે લાયક ગણાશે. દલિત, આદિવાસી અને અન્ય વંચિત સમુદાયોના સંશોધકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

૨. ઉમેદવારે સંશોધનની એક ટૂંકી રૂપરેખા આપવી જરૂરી રહેશે. શક્ય હોય તો સાથે સંદર્ભ સૂચિ પણ જોડી શકાય.

૩. સંશોધનની અવધિ એક વર્ષની હશે.

૪. સંશોધકને રૂ. એક લાખની ફેલોશિપ આપવામાં આવશે.

૫. સંશોધન પૂરું થયે એને પ્રકાશિત કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

૬. ઉમેદવારે બે પાનાંનો પોતાનો પરિચય (C. V.) આપવાનો રહેશે. પોતાનું નામ, ઈ-મેઈલ સરનામું, સંપર્ક નંબર, ઘરનું સરનામું અવશ્ય આપવું પડશે.

૭. સંશોધન ગુજરાતી ભાષામાં કરવાનું રહેશે. જો કોઈ સંશોધક બીજી ભાષામાં લખવા ઇચ્છે તો ગુજરાતીમાં અનુવાદની વ્યવસ્થા કરવામાં આવશે. આ સંશોધનનો મુખ્ય હેતુ ગુજરાત અને ગુજરાતી ભાષામાં સાહિત્ય અને સમાજ વિશે એક લોકતાંત્રિક અને સમાવેશી સમજ ઊભી કરવાનો છે.

૮. સંશોધન માટેની અરજી (રૂપરેખા અને સ્વપરિચય સાથે) નીચેના સરનામે અથવા ઈ-મેઈલ દ્વારા uj.gangotritrust@gmail.com પર મોકલવા વિનંતી છે.

૯. સંશોધન માટેની અરજી ૩૦ નવેમ્બર ૨૦૨૨ સુધીમાં મોકલવાની રહેશે.

૧0. કેન્દ્રની બીજી પ્રવૃત્તિઓ, જેવી કે વિવિધ વિષયના નિષ્ણાતો સાથે સાહિત્ય, સમાજ અને ઇતિહાસ અંગે તેમજ સંશોધન/વિવેચનનાં સાધનો વિશે વખતોવખત ચર્ચાઓ, પરિસંવાદો અને કાર્યશિબિરોનો લાભ તેમજ જરૂર જણાય તો માર્ગદર્શકની મદદ સંશોધકોને મળી શકશે.

૧૧. સાહિત્ય અને સંશોધન પર એક વિચારનોંધ નીચે આપી છે.


'સાહિત્ય અને સંશોધન - એક વિચારનોંધ' :

ભારતમાં સંસ્થાનવાદ દરમ્યાન અંગ્રેજી શિક્ષણ અને સાહિત્ય, સંસ્થાનવાદી તેમજ રાષ્ટ્રવાદી ઇતિહાસલેખન અને વિચારધારાઓ, પ્રાચ્યવિદ્યા (Orientalist Studies)નો ઉદ્ભવ અને વિકાસ વગેરેની અસર નીચે ‘સાહિત્ય’ની, ખાસ કરીને ‘ભારતીય સાહિત્ય’ની, એક પરિભાષા ઊભી થઈ. ભારતની અનેકવિધ મૌખિક, લેખિત તેમજ વાચિક સાહિત્યિક પરંપરાઓ, જેમાં વિવિધ સામાજિક સમુદાયોનું સર્જન આ પહેલાંની સદીઓમાં થયું હતું અને જે ભારતીય સાહિત્યની લાક્ષણિકતા હતી તેને સ્થાને સાહિત્યની એક સમાનધર્મી [homogeneous] ચોક્કસ સમજ ઊભી થઈ. સંસ્થાનવાદી શિક્ષણમાંથી જે વિદ્વાનો નીકળ્યા તે મુખ્યત્વે ઉચ્ચ વર્ણના, મધ્યમવર્ગી, શહેરી પુરુષો હતા જેમણે ભારતની ભાષાઓમાં પ્રિન્ટ સાહિત્યનું સર્જન કર્યું. છાપકામના ઉદ્યોગની શરૂઆતને લીધે લેખિત કે પ્રકાશિત કૃતિ એ જ સાહિત્ય એવી સીમિત સમજ ઊભી થઈ. જ્યારે દેશમાં એંશી ટકાથી પણ વધારે પ્રજા નિરક્ષર હતી અને અક્ષરજ્ઞાન હોય એમાંના પણ મોટા ભાગના લોકો સંસ્થાનવાદી શિક્ષણથી વંચિત હતા ત્યારે સાહિત્યની આ વ્યાખ્યા સ્વીકારવી મુશ્કેલ છે. આને કારણે અનેક પ્રકારનું સર્જન હાંસિયામાં ધકેલાઈ ગયું. આ સાથે સાહિત્યના ઇતિહાસલેખનને સંસ્થાનવાદી અને રાષ્ટ્રવાદી ઇતિહાસલેખન અને વિચારધારાની અસર નીચે પ્રાચીન/હિન્દુ, મધ્યકાલીન/મુસ્લિમ અને અર્વાચીન/બ્રિટિશ વિભાગોમાં વહેંચવામાં આવ્યું. આ ઇતિહાસને કોઈ બીજા પ્રકારના ઇતિહાસના સંદર્ભમાં જોયા સિવાય આ વૈચારિક વિશ્વની અંદર સંસ્થાનવાદી સંશોધનનાં સાધનો વિકસ્યાં. સાહિત્યની અનેકવિધતા અને પાયાની એકતા જે અનેક પ્રદેશોમાં જોવા મળતી તેને સંકુચિત ચોકઠાંઓમાં ગોઠવવામાં આવી. સાહિત્યના ઇતિહાસને આ રીતે એક પ્રકારની સીમિત એકરૂપતા આપવામાં આવી અને દરેક ભાષામાં આ રીતે અલગ અલગ ઇતિહાસ લખવામાં આવ્યો.

આપણા સાહિત્યના ઇતિહાસ લેખનની અને વિવેચનની આ પદ્ધતિ અપૂરતી છે. બીજો પ્રશ્ન એ પણ છે કે સાહિત્ય વિશે જે કઈ સંશોધન થયું છે અને થઈ રહ્યું છે તે સાહિત્યની કૃતિ એ સ્વતંત્ર કલાત્મક કૃતિ છે એવી વિચારધારાથી મહદંશે પ્રેરિત છે. સાહિત્યિક સર્જનના સામાજિક/ઐતિહાસિક મૂળને જરા પણ તપાસ્યા વિના કૃતિ, સ્વરૂપ, સમય, ભાષાકીય સ્વરૂપો અને શૈલી, બધાંને અલગ અલગ ચોકઠાંઓમાં મૂકીને સાહિત્યનું વિવેચન થાય છે. ઉપરાંત, આ વિવેચન/ઇતિહાસમાં પ્રાચીન સમયના સંસ્કૃત સાહિત્યને મહત્ત્વ આપી બ્રાહ્મણવાદી સાહિત્યિક પરંપરાનું આધિપત્ય સાહિત્યમાં સ્થપાયું છે જે પરંપરા આજ સુધી ચાલુ છે. પ્રાચીન ભારતીય સાહિત્ય એટલે મુખ્યત્વે ઉત્તર ભારતની પ્રાચીન સમયની વૈદિક, સંસ્કૃત, ધાર્મિક અને આધ્યાત્મિક કૃતિઓ એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. બીજી ભાષાઓના, જેમ કે તમિળના, પ્રાચીન સાહિત્યનો ઉલ્લેખ પણ થતો નથી. આ પ્રકારની સાહિત્યની પરંપરાની સમજ એ કેવળ અનૈતિહાસિક જ નહીં પરંતુ અતાર્કિક અને અધૂરી પણ છે.

આ સીમિત પરંપરાને લીધે ભારતીય સાહિત્યને સમગ્રતામાં ઐતિહાસિક રીતે સમજવું અને તેને સૈધ્ધાંતિક રીતે મૂલવવું મુશ્કેલ બને છે. સાહિત્યનું ઐતિહાસિક બંધારણ, વિવિધ સ્વરૂપોનું સમયાંતરે નિર્માણ, એકતા અને વિવિધતા વચ્ચેનું દ્વંદ્વ [dialectics], ભાષાઓ વચ્ચે સામ્ય, જેવા અનેક મહત્ત્વના પ્રશ્નો અનુત્તર રહે છે. આ સંદર્ભમાં સાહિત્યિક કૃતિનું નિર્માણ અને તેનો ઇતિહાસ; વર્ગ, જાતિ, લિંગ વગેરેના એકબીજા સાથે ભિડાતા ખ્યાલો; વિચારધારાઓનો સંઘર્ષ અને તેની સાહિત્યસર્જન પર અસર; મૌખિક, લેખિત અને પ્રિન્ટ પદ્ધતિઓના ઇતિહાસ અને આંતરસંબંધો વગેરેને વિગતમાં જોવાનું પણ જરૂરી બને છે.

સાહિત્ય અને સાહિત્યના ઇતિહાસ/વિવેચન/સંશોધન વિશે મૂળમાંથી જ ફેરવિચારણા કરવાની અને સંશોધનનાં નવાં સાધનોનો ઉપયોગ કરવાની આને કારણે જરૂર ઊભી થાય છે. ખાસ તો સાહિત્યને સાહિત્ય ઉપરાંત બીજા વિષયો જેવા કે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, નૃવંશશાસ્ત્ર વગેરે માનવશાસ્ત્રો અને સમાજશાસ્ત્રોના અભ્યાસની મદદથી ફરીથી સમજવાની જરૂર છે. ટૂંકમાં, ઐતિહાસિક અને સાંસ્કૃતિક/સામાજિક પ્રવાહોના વિશાળ અભ્યાસનો એક ભાગ હોય તે રીતે એક જુદી જાતનો સાહિત્યનો અભ્યાસ કરવાની જરૂર છે.

સાહિત્ય એ કેવળ એક સ્વતંત્ર અને સ્વાયત્ત પ્રવૃત્તિ કે અભિવ્યક્તિ નહીં પરંતુ સમાજ અને ઇતિહાસનો એક અંતર્ગત ભાગ છે જે તે બંને વિશે એક સમજ ઊભી કરે છે. આથી ઉપર જણાવ્યા મુજબ મહત્ત્વનું એ જોવાનું બને છે કે સમાજના કયા સમૂહનું સાહિત્ય એ મુખ્ય પ્રવાહનું સાહિત્ય બને છે, જે સાહિત્ય વિશે એક સામાન્ય સમજ ઊભી કરે છે જેને લીધે બીજા અનેક સમૂહોનું સાહિત્ય એ સાહિત્યિક પરિભાષાથી બાકાત રહે છે. સાહિત્યની સમજ કોઈ એક વર્ચસ્વ ધરાવતા સમૂહની મર્યાદિત સમજ બનીને ન રહે, કોઈ એક સમૂહના ‘સાહિત્ય’ વિશેના માપદંડોથી દરેક સમૂહનું સાહિત્ય ન મપાય એ જોવું, અને સાથેસાથે સાહિત્ય વિશે એક સમાવેશી સમજ ઊભી કરવી અને એ દ્વારા કોઈ પણ કૃતિ કે સમૂહનું સાહિત્ય તપાસવું, જરૂરી બને છે. સાહિત્યનાં સ્વરૂપો પણ બદલાતા સામાજિક અને ઐતિહાસિક પ્રવાહોમાંથી જન્મતાં હોય છે. સાહિત્યની કૃતિ કયા પ્રકારના સમાજ અને ઇતિહાસમાંથી જન્મે છે અને કયા પ્રકારના સમાજ અને ઇતિહાસને આકાર આપે છે એ તપાસવું એ આ સંશોધનનું પાયાનું ધ્યેય છે.

સાહિત્યની નવેસરથી વિચારણા કરતાં એની પરિભાષા વિસ્તૃત કરવી જરૂરી બને છે. એની સીમિત, કેવળ લેખિત, સાહિત્ય તરીકેની પરિભાષાને કારણે અનેક સમુદાયોનું સાહિત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું છે જેનો મુખ્યધારામાં સમાવેશ કરવો જરૂરી છે. આપણા દેશમાં અનેક સમુદાયો અનેક માધ્યમો દ્વારા સાહિત્યનું સર્જન કરે છે. ટેક્નોલૉજીના વિકાસ અને વિસ્તારને કારણે આજે આપણી પાસે અભિવ્યક્તિનાં અનેક માધ્યમો છે જેનો પણ સાહિત્યની અભિવ્યક્તિ માટે ઉપયોગ થવો જોઈએ જેથી બીજાં માધ્યમો દ્વારા સાહિત્યનું સર્જન તેમજ સંશોધન થઈ શકે. આને પરિણામે સાહિત્યની એક સમાવેશી પરિભાષા ઊભી થઈ શકે અને છેવટે સાહિત્યનું સ્વરૂપ બદલી શકાય.

--------------------------------------------------------------------------------

નિયામક
ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર,
ગંગોત્રી ટ્રસ્ટ,
૨૬, સરદાર પટેલ નગર,
એલિસબ્રિજ, અમદાવાદ - ૩૮૦૦૦૬

Thursday, July 21, 2022

ઉમાશંકર જોશીને જન્મદિને અભિવંદન : ૨૧-૦૭-૨૦૨૨ : કાર્યક્રમ : ૦૧


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી

ઉપસ્થિત : દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના વિદ્યાર્થીઓ, પત્રકારત્વ વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ

ચર્ચાના વિષયો : ગૂજરાત વિદ્યાપીઠમાં ઉમાશંકર જોશીનો નિવાસ-સમય, અમદાવાદમાં ઉમાશંકર જોશીનું 'સેતુ' નિવાસ-સ્થાન

તારીખ : ૨૧-૦૭-૨૦૨૨

સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦

સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીને જન્મદિને અભિવંદન : ૨૧-૦૭-૨૦૨૨ : કાર્યક્રમ : ૦૨


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી

ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ

ચર્ચા-વિષય : ઉમાશંકર જોશી વિષયક વેબસાઇટ, ઉમાશંકર જોશીનું '૩૧માં ડોકિયું પુસ્તક, અને 'સંસ્કૃતિ' સામયિક, કટોકટીકાળમાં ઉમાશંકર

વિશેષ વ્યાખ્યાન : ડૉ. ગૌરાંગ જાની, વરિષ્ઠ સમાજશાસ્ત્રી અને સંલગ્ન પ્રાધ્યાપક, સમાજશાસ્ત્ર વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

વ્યાખ્યાન-વિષય : જાહેર જીવનના સર્જક ઉમાશંકર જોશી સાથેનાં યાદગાર સ્મરણો 

તારીખ : ૨૧-૦૭-૨૦૨૨

સમય : ૦૧:૦૦થી ૦૨:૦૦

સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Wednesday, June 22, 2022

અનોખી પુસ્તકાર્પણનોંધ

દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી કોરટમાં લઈ જવાતાં હાથકડી પહેરેલા હાથમાં બૅરિસ્ટર ગાંધીએ ઝાલેલી તૉલ્સ્તૉય કૃત “ખુદાનો દરબાર તારા અંતરમાં છે” એ પુસ્તકની નકલને...

ગાંધીકથા
ઉમાશંકર જોશી
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
પહેલી આવૃત્તિ : ૧૯૬૯
પુનર્મુદ્રણ : ૨૦૧૭
પૃષ્ઠ : ३

Saturday, July 21, 2018

સમાજ-જીવનના સર્જક ઉમાશંકર જોશીના જન્મદિનની ઉજવણી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઉપક્રમ : સમાજ-જીવનના સર્જક ઉમાશંકર જોશીના જન્મદિનની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ
વ્યાખ્યાન-વિગતો : ઉમાશંકર જોશીનું સમાજધર્મી પત્રકારત્વ
તારીખ : ૨૧-૦૭-૨૦૧૮, શુક્રવાર
સમય : સવારના ૦૯:૦૦થી ૧૦:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Saturday, December 30, 2017

પી. સાઈનાથનું ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નિરંજન ભગત
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સ્વાતિ જોશી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પી. સાઈનાથ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઇંદુકુમાર જાની
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પી. સાઈનાથ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શ્રોતાગણમાં સર્જકો અને કર્મશીલો
 Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શ્રોતાગણમાં પ્રૌઢ લેખકો અને યુવા વાચકો
 Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પત્રકારત્વના વિદ્યાર્થીમિત્રો સાથે પી. સાઈનાથ
 Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પત્રકારો અને પ્રાધ્યાપકો સાથે પી. સાઈનાથ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Saturday, July 22, 2017

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / વર્ષ : ૨૦૧૭

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે રમેશભાઈ બારોટ
સંગત : સંગીત-શિક્ષક રમેશભાઈ બારોટ દ્વારા ઉમાશંકર જોશીનાં ગીતોની પ્રસ્તુતિ
વ્યાખ્યાન-વિગતો : ઉમાશંકર જોશીનું 'સંસ્કૃતિ'પૂર્ણ પત્રકારત્વ અને '૩૧માં ડોકિયું પુસ્તક
તારીખ : ૨૧-૦૭-૨૦૧૭, શુક્રવાર
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Sunday, December 11, 2016

ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આવકાર : સ્વાતિ જોશી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા : ડૉ. આનંદ તેલતુંબડે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અધ્યક્ષીય : પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આભાર : નિરંજન ભગત
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સ્વાતિબહેન, ડૉ. આનંદ, પ્રકાશભાઈ, ભગતસાહેબ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન
વિષય : આંબેડકર અને લોકશાહી
વક્તા : ડૉ. આનંદ તેલતુંબડે (પ્રાધ્યાપક, લેખક, કર્મશીલ)
સ્થળ : એ.એમ.એ., અટીરા પરિસર, અમદાવાદ  
તારીખ : ૧૦ ડિસેમ્બર, ૨૦૧૬, શનિવાર

Thursday, July 21, 2016

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૧

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની પૂર્વ સવારે ઉજવણી
ઉપસ્થિત : મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, સેવકો, અને અધ્યાપકો
સંગત : ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ શ્રવણ
કાર્યક્રમ-સામગ્રી : ''૩૧ માં ડોકિયું'(રોજનીશી)નો પરિચય
તારીખ : ૨૦-૦૭-૨૦૧૬, બુધવાર
સમય : ૧૧:૧૫થી ૧૧:૪૫
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૨

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, સેવકો, અને અધ્યાપકો
સંગત : ઉમાશંકર જોશીના અસલ અવાજમાં 'ભોમિયા વિના ભમવા'તા ડુંગરા ...'નું પઠન
કાર્યક્રમ : http://www.umashankarjoshi.in/ વેબ-સાઇટનો પરિચય અને ઉમાશંકર જોશીની તસવીરોના આધારે તેમનાં જીવન-કવનનો પરિચય     
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૧૧:૧૫થી ૧૧:૪૫
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૩

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે ગૃહપતિ રમેશભાઈ બારોટ
સંગત : રમેશભાઈ બારોટ સાથે વિદ્યાર્થીઓએ કર્યું ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ ગાન
કાર્યક્રમ-સામગ્રી : 'સંસ્કૃતિ' સામયિકમાં પ્રગટ થયેલા ઉમાશંકર જોશીના સંપાદકીય લેખો અને ઉમાશંકર જોશીનું સમાજ-નિસબતી પત્રકારત્વ       
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪