Showing posts with label Gujarati Literature. Show all posts
Showing posts with label Gujarati Literature. Show all posts

Sunday, December 7, 2025

Monday, January 1, 2024

ગ્રંથ-ગુલાલ | કૃતિકોશ (૧૮૦૧−૨૦૦૦) | સંપાદક : રમણ સોની


અર્વાચીન ગુજરાતી સાહિત્યના, ઈ.૨૦૦૦ સુધીમાં પ્રકાશિત સર્વ ગ્રંથોની વિગતોને સ્વરૂપવાર અને સમયાનુક્રમે રજૂ કરતો સંદર્ભકોશ



Sunday, March 19, 2023

ચારણી સાહિત્યમાં ગાંધીજી | ડૉ. અંબાદાન રોહડિયા






ડૉ. અંબાદાન રોહડિયા
તસવીરો : ડૉ. અશ્વિનકુમાર
Dr. Ambadan Rohadia 
Photographs : Dr. Ashwinkumar 

"ચારણકવિઓએ ગાંધી વિચારને લોકહૃદય સુધી પહોંચાડવા કાવ્યસર્જન કરી તેનું ગાન કર્યું. કવિ કાગે આરઝી હકૂમત વિશે શામળ બાવની પણ લખી. તો મેરૂભા ગઢવીએ ગાંધી વિચાર અપનાવી જીવનપર્યંત તેનું ગાન કર્યું. આરઝી હકૂમતની લડાઈ વખતે કુતિયાણાથી ભાગેલ લોકોને છત્રાવામાં આવકાર્યા, છાવણી નખાવી અને નાનજી કાળીદાસ મહેતા પાસેથી ધન પણ અપાવ્યું. વડોદરામાં ગાયકવાડે સન્માન સમારંભ યોજ્યો, અનેક વિનંતી છતાં ખાદી ન ત્યજી-પોશાક ન બદલ્યો. એ સભામાં મદનમોહન માલવિયા અને મેરૂભા ગઢવી એ બે જણ જ ખાદીધારી હાજર હતા. ગાંધીજીની વાત આમજનતા સુધી પહોંચાડવામાં કાગ, મેરૂભા, મહેશદાન મિસણ, નવિનદાન રત્નું, કવિ દાદ, માવદાનજી રત્નું, અજયદાન બારહઠ, કરણીદાન રોહિડયા, બાણીદાન રોહડિયા અને હિંગળાજદાન કવિયા વગેરેએ અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ચારણોની કવિતા માત્ર રાજ્યાશ્રિત ન હતી તેઓ માત્ર ‘નરાસંશી’ નહીં પણ ખરા અર્થમાં ‘રાષ્ટ્રસંશી’ હતા એ વાત અહીંથી પ્રગટે છે. કેમકે, તેમણે ગાંધીજી ઉપરાંત સરદાર, જવાહર, દયાનંદ, રાણી લક્ષ્મીબાઈ, તાત્યાટોપે અને અન્ય સ્વાતંત્ર્ય વીરો વિશે કાવ્યો લખ્યાં છે. ભારત સ્વતંત્ર થયા પછી લડાયેલ ત્રણે યુદ્ધો પાકિસ્તાન, ચીન અને પાકિસ્તાન વિશે કાવ્યો લખીને વીરોને પ્રેર્યા છે. તો છેલ્લે અંતિમ ‘કારગીલ યુદ્ધ’ વિશે કે ‘ધરતીકંપ' સંદર્ભે પણ કાવ્ય રચનાઓ થઈ છે. આથી એ વાતની પ્રતીતિ થાય છે કે ચારણ પરંપરા ક્ષીણકાય અવશ્ય થઈ છે, પરન્તુ લુપ્ત થઈ નથી. રાષ્ટ્રે પોતાની આ સાંસ્કૃતિક ધરોહરનું મૂલ્ય સમજીને તેને સાહિત્યક્ષેત્રે પુનઃ પ્રસ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. જો એમ થશે તો ગાંધીજીનું જ સાચું તર્પણ થશે."

(વિગત-સૌજન્ય : 
ચારણી સાહિત્યકાર ડૉ. અંબાદાન રોહડિયા)


Monday, March 6, 2023

કૂંચી આપો, બાઈજી! । વિનોદ જોશી




વિનોદ જોશી / Dr. Vinod Joshi
Photographs : Dr. Ashwinkumar 
તસવીરો : ડૉ. અશ્વિનકુમાર



કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી

કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદિયું પાછી ઠેલી;

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી

– વિનોદ જોશી



વિનોદ જોશીના સ્વરમાં 'કૂંચી આપો, બાઈજી!' :
https://www.google.com/search?q=%E0%AA%95%E0%AB%82%E0%AA%82%E0%AA%9A%E0%AB%80+%E0%AA%86%E0%AA%AA%E0%AB%8B,+%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%9C%E0%AB%80!+in+vinod+joshi+voice&rlz=1C1ONGR_enIN947IN947&source=lnms&tbm=vid&sa=X&ved=2ahUKEwjO4MP6ysf9AhWzmlYBHbspBqAQ0pQJegQIBRAC&biw=1536&bih=714&dpr=1.25#fpstate=ive&vld=cid:392eb193,vid:U6JeM0azr3c


હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં 'કૂંચી આપો, બાઈજી!'  
https://youtu.be/ie4snkNp9FM


બંધુમાં બધું આવી ગયું! | Dr. Vinod Joshi & Dr. Bharat Joshi

 

ડૉ. વિનોદ જોશી અને પ્રા. ભરત જોશી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


Monday, August 8, 2022

કનુભાઈ જાની : સ્મરણો શાશ્વત


કનુભાઈ જાની
Photograph : Dr. Ashwinkumar
છબી : ડૉ. અશ્વિનકુમાર



કનુભાઈ છોટાલાલ જાની
૦૪-૦૨-૧૯૨૫ // ૦૮-૦૮-૨૦૨૨

ગૂજરાત વિદ્યાપીઠના ભાષા-સાહિત્યના નિવૃત્ત પ્રાધ્યાપક, મેઘાણી ચરિત્રકાર, વિવેચક


* ઝવેરચંદ મેઘાણી વિશે કનુભાઈ જાની :

https://youtu.be/8c2r2kvDU1U


* વંદનીય વિદ્યાપુરુષ કનુભાઈ જાની વિશે નીતિન વડગામા

https://shikshandarshan.wordpress.com/2016/02/08/vyakti-parichay-4/