"૧૯૨૮માં કવિનો જન્મદિવસ અનોખી રીતે ઊજવાયો. પરંપરાગત સમારોહ ઉપરાંત એ વર્ષે તેમને તેમનાં જ પુસ્તકોથી તોલવામાં આવ્યા અને એ પુસ્તકો સાર્વજનિક પુસ્તકાલયો અને સંસ્થાઓને ભેટ આપવામાં આવ્યાં. રાજા-મહારાજાઓને સોનાચાંદીથી તોલવાનો રિવાજ હતો. તેમનાં જ પુસ્તકોથી લેખકને તોલવાની સંભવત: આ પ્રથમ ઘટના હતી."