અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Wednesday, February 22, 2023
કસ્તૂરબા વિશે આચાર્ય કૃપાલાની
Tuesday, November 1, 2022
બા બાપુને પૂછવા લાગ્યાં ...
Monday, October 31, 2022
'માતાજી, આપ જો દેશકા ભલા કર રહી હો, ઉસકે લિયે યે દિયા હૈ.'
આટલી વારમાં તો એક વિદ્યાર્થી આવ્યો અને કહેવા લાગ્યો : 'સેંકડો સ્ત્રીઓ પેલા મંડપમાં બેઠી છે - કેવળ દર્શનને માટે.' મેં ગાંધીજીને કહ્યું. ગાંધીજી નીકળ્યા, જઈને ઊભા રહ્યા. તેમના આગળ નાનાંમોટાં ઘરેણાંઓથી ભરેલી એક કોથળી ઠલવાઈ! આવી શ્રદ્ધા જ્યાં ત્યાં જોઈને હું ચકિત થયો છું. ઝરિયાની કોથળીમાં ઝરિયાના અર્ધનગ્ન મજૂરોની સ્ત્રીઓનાં ઘરેણાં પડેલાં છે. પટણામાં તે જ દિવસે પૂ. કસ્તૂરબા ગંગાજી નાહવા ગયાં હતાં, ત્યાં અનેક બહેનો નાહતી હતી. તેમને કોઈકે કહ્યું : 'યે માતાજી હૈ.' એટલે પોતાને છેડે જે કાંઈ બાંધેલું હશે તેટલું છોડીને તેમણે કસ્તૂરબાને ચરણે ધર્યું! પણ આખરે એક ફાટાતૂટા કપડાવાળી ઘરડી ડેાશી આવી અને તેણે એક રૂપિયો મૂક્યો. પૂ. કસ્તૂરબાએ પૂછ્યું : ‘બહેન તમે શો ધંધો કરો છો?' જવાબ મળ્યો : 'દૂધ વેચવાનો.' એટલે બીજા પાસે ઊભેલા એક ભાઈએ કહ્યું : 'દૂધ વેચીને જેમ તેમ બચાવેલા પૈસામાંથી એ એક રૂપિયો આવ્યો છે!' એટલે પેલી ભલી બાઈ બોલી : 'માતાજી, આપ જો દેશકા ભલા કર રહી હો, ઉસકે લિયે યે દિયા હૈ.'
MD-05:504