Showing posts with label Essay-competition. Show all posts
Showing posts with label Essay-competition. Show all posts

Tuesday, August 19, 2025

શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા ૨૦૨૫ || સ્પર્ધકે જાણવું જોઈએ એવું થોડું . . .


● લલિત નિબંધની સમજ કેળવવા આ સાથે આપેલુ લિસ્ટ જોઈ તેમાંથી બને એટલા નિબંધો વાંચવાથી યુવાનોની લલિત નિબંધની સમજણ ખુલશે . . .

=========

● આદર્શ લલિત નિબંધ-સંગ્રહોમાંના થોડા . . .

૦૧) ગુલામમોહમ્મદ શેખ : ઘેર જતાં

૦૨) હર્ષદ ત્રિવેદી ; માંડવીની પોળના મોર

૦૩) સુરેશ જોશી : જનાન્તિકે, પ્રથમ પુરુષ એકવચન, રમ્યાણિ વીક્ષ્ય

૦૪) દિગીશ મહેતા : દૂરના એ સૂર

૦૫) કિશનસિંહ ચાવડા : અમાસના તારા

૦૬) ભરત નાયક : મને ફૉમ છે

૦૭) ગીતા નાયક : ઈલેક્ટ્રીક ટ્રેન

૦૮) વીરુ પુરોહિત : નિમજ્જન

૦૯) સ્વામી આનંદના નિબંધોનું સંપાદન : ધરતીની આરતી

૧૦) મોહમ્મદ માંકડ : કેલીડોસ્કોપ

૧૧) મહેન્દ્રસિંહ પરમાર : રખડુનો કાગળ

૧૨) જનક ત્રિવેદી : મારો અસબાબ

૧૩) ભોળાભાઈ પટેલ : ચૈતર ચમકે ચાંદની, બોલે ઝીણા મોર, દૃશ્યાવાલી, શાલભંજિકા

૧૪) યજ્ઞેશ દવે : અરૂપસાગરે રૂપરતન

૧૫) સુમન શાહ : સુમન શાહની નિબંધસૃષ્ટિ

૧૬) અનિલ જોશી : સ્ટેચ્યૂ


ચરિત્ર નિબંધોના આપણી ભાષામાં બે ઉત્તમ સંગ્રહ છે :

૦૧) નામરૂપ : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

૦૨) વ્યથાનાં વીતક : જોસેફ મેકવાન


અંતે - સન ૨૦૨૩-૨૦૨૪ એમ બન્ને વર્ષની સ્પર્ધામાં નોંધપાત્ર ઠરેલા નિબંધોના "નિબંધન્-૨૦૨૩" અને "નિબંધન્-૨૦૨૪" નામના સંગ્રહો અમે પ્રકાશિત કર્યો છે જે સૌ સ્પર્ધકોને ઉપયોગી સાબિત થશે . . . આ સંગ્રહો મેળવવા Nilesh Murani અથવા/અને Pustak Sathi નો સંપર્ક કરવો.

- ધ.ત્રિ.

(૧૦ ઓગસ્ટ ૨૦૨૫)

સ્પર્ધાના નિયમો જાણવા માટે :

https://www.facebook.com/share/p/1ExmgdFEeg/

Dharmendra Trivedi
www.snakeloversclub.com

Monday, August 18, 2025

શ્રી જનક ત્રિવેદી નિબંધસ્પર્ધા - ૨૦૨૫




-: સ્પર્ધામાં ભાગ લેવા માટેની શરતો :-

૦. શ્રી જનક ત્રિવેદી નિબંધસ્પર્ધાના વિજેતાને રૂ. ૧૧,૦૦૦/- પુરસ્કાર સ્વરૂપે અપાશે.

૧. તારીખ ૧લી ઓગસ્ટ ૨૦૨૫થી લઈને નિબંધ મોકલવાની છેલ્લી તારીખ ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫ (આ તારીખો દરેક વર્ષે સમાન રહેશે.) આ તારીખ પહેલાં આપની એન્ટ્રી ઈ-મેઈલથી મોકલી આપવી.

૨. લલિતનિબંધ ક્ષેત્રે સર્જન કરતા ૪૫ વર્ષથી મોટી ઉમરના ન હોય તથા જેમનો એક પણ નિબંધસંગ્રહ પ્રગટ થયો ન હોય તેવા સર્જકો જ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. (એન્ટ્રીની સાથે સર્જકે પોતાનું આધારકાર્ડ/જન્મનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે)

તા. ૧ નવેમ્બર ૧૯૮૦ બાદ જન્મેલા લોકો ભાગ લઈ શકશે.

૩. નિબંધ ઓછામાં ઓછા ૧૨૦૦ શબ્દોનો હોવો જોઈશે, પરંતુ મહત્તમ શબ્દોની મર્યાદા નથી. એક વ્યક્તિ માત્ર એક જ નિબંધ મોકલી શકશે.

૪. સ્પર્ધામાં ભાગ લેવા માટે આપની કૃતિ માઈક્રોસોફ્ટ વર્ડ ફાઇલમાં ‘શ્રુતિ’ ફોન્ટ્સમાં ટાઇપ કરીને jtri.nibandhspardha@gmail.com પર મોકલવાની રહેશે. આ નિયમમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. ટપાલથી હસ્તલિખિત કે પ્રિન્ટેડ નિબંધો સ્વીકારવામાં નહીં આવે.

૫. સ્પર્ધામાં ભાગ લેનારે નીચે મુદ્દા નંબર ૬ મુજબની બાહેંધરી લખી આપવાની રહેશે.

૬. -: બાહેંધરી :-

"આ નિબંધ મારી સ્વરચિત અને અપ્રગટ રચના છે, તથા પુરસ્કૃત થાય કે ન થાય, પરંતુ તેને પ્રગટ કરવાના હક્કો શ્રી જનક ત્રિવેદી પરિવારને રહેશે, જેના બદલ કોઈ માનદ્ વળતર માંગીશ નહીં."

૭. સામાન્ય રીતે અમે સ્પર્ધામાંથી ચૂંટેલા નિબંધોનું સંપાદન પ્રગટ કરીએ છીએ. આ સંપાદન માટે લેખકની અલગથી મંજૂરી ન લેવી પડે એ માટે ઉપર મુજબની બાહેંધરી લઈએ છીએ. છતાં સ્પર્ધા પત્યા બાદ કોઈ નિબંધકાર સંગ્રહમાં પોતાનો નિબંધ પ્રગટ ન કરવા ઈચ્છતા હોય તો તેની સ્પર્ધા પત્યા બાદ ઈ-મેઈલ તથા ટેલિફોનથી આયોજકને જાણ કરવી જરૂરી છે. નિબંધ સ્પર્ધાનું પરિણામ જાહેર થયા બાદ શ્રી જનક ત્રિવેદી પરિવારની અનુમતિ લઈને પછી જ સર્જક પોતાનો નિબંધ ક્યાંય પણ પ્રકાશિત કરી શકશે.

આયોજક/-
શ્રી જનક ત્રિવેદી પરિવાર
પહેલી ઓગસ્ટ બે હજાર પચ્ચીસ


Friday, June 16, 2023

નિબંધ સ્પર્ધા | 'અખબારની આજ અને આવતીકાલ'


માહિતી-સૌજન્ય : 
રમેશ તન્ના
હકારાત્મક પત્રકાર, લેખક, સમાજસેવક
પૂર્વ વિદ્યાર્થી (૧૯૯૧-૧૯૯૩) અને અધ્યાપક (૧૯૯૪-૧૯૯૫), પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ