Showing posts with label Mahadev Desai - Diary. Show all posts
Showing posts with label Mahadev Desai - Diary. Show all posts

Monday, December 18, 2023

મહાદેવભાઈની ડાયરી // મહાદેવ હરિભાઈ દેસાઈ


(૧) ૧૩-૧૧-૧૯૧૭ થી ૧૭-૧-૧૯૧૯ : 
પુસ્તક ચોથું

(૨) ૨૧-૧-૧૯૧૯ થી -૬-૧૯૨૧ : 
પુસ્તક પાંચમું

(૩) જૂન ૧૯૨૧ થી ૨૩-૧-૨૩ : 
પુસ્તક સોળમું

(૪) ૨૪-૧-૧૯૨૩ થી ૧૫-૭-૧૯૨૩ : 
પુસ્તક સત્તરમું

(૫) ૨૨-૭-૧૯૨૩ થી ૨૭-૧-૧૯૨૪ : 
પુસ્તક અઢારમું

(૬) ૧૮-૧-૧૯૨૪ થી ૨૯-૧૨-૧૯૨૪ : 
પુસ્તક છઠ્ઠું

(૭) ૩૦-૧૨-૧૯૨૪ થી ૩૦-૪-૧૯૨૫ : 
પુસ્તક સાતમું

(૮) ૧-૫-૧૯૨૫ થી ૩૧-૧૨-૧૯૨૫ : 
પુસ્તક આઠમું

(૯) ૧-૧-૧૯૨૬ થી ૨૦-૧૨-૧૯૨૬ : 
પુસ્તક નવમું

(૧૦) ૨૧-૧૨-૨૬ થી ૪-૬-૨૭ : 
પુસ્તક દસમું

(૧૧) ૫-૬-૧૯૨૭ થી ૨૦-૧૨-૧૯૨૭ : 
પુસ્તક અગિયારમું

(૧૨) ૨૧-૧૨-૧૯૨૭ થી ૩૦-૮-૧૯૨૯ : 
પુસ્તક બારમું

(૧૩) ૩૧-૮-૧૯૨૯ થી ૨૫-૪-૧૯૩૦ અને ૨૪-૧૦-૧૯૩૦ થી ૨૬-૧-૧૯૩૧ : 
પુસ્તક તેરમું

(૧૪) ૨૭-૧-૧૯૩૧ થી ૨૯-૮-૧૯૩૧ : 
પુસ્તક ચૌદમું

(૧૫) ૩૦-૮-૧૯૩૧ થી ૯-૩-૧૯૩૨ : 
પુસ્તક પંદરમું

(૧૬) ૧૦-૩-૧૯૩૨ થી ૪-૯-૧૯૩૨ : 
પુસ્તક પહેલું

(૧૭) ૫-૯-૧૯૩૨ થી ૧-૧-૧૯૩૩ : 
પુસ્તક બીજું

(૧૮) ૨-૧-૧૯૩૩ થી ૨૦-૮-૧૯૩૩ : 
પુસ્તક ત્રીજું

(૧૯) ૨૪-૭-૧૯૩૪ થી ૫-૨-૧૯૩૫ : 
પુસ્તક ઓગણીસમું

(૨૦) ૧૦-૭-૧૯૩૪ થી ૬-૩-૧૯૩૬ : 
પુસ્તક વીસમું

(૨૧) ૧૪મી એપ્રિલ ૧૯૩૬ થી ૧૦ જાન્યુઆરી ૧૯૩૭ : પુસ્તક એકવીસમું

(૨૨) ૧૦મી જાન્યુઆરી ૧૯૩૭ થી ૧૯મી નવેમ્બર ૧૯૩૭ : પુસ્તક બાવીસમું

(૨૩) ૨૬ ઑક્ટોબર ૧૯૩૭થી ૨૭ ઑગસ્ટ ૧૯૩૮ : 
પુસ્તક ત્રેવીસમું

Monday, October 31, 2022

'માતાજી, આપ જો દેશકા ભલા કર રહી હો, ઉસકે લિયે યે દિયા હૈ.'

આટલી વારમાં તો એક વિદ્યાર્થી આવ્યો અને કહેવા લાગ્યો : 'સેંકડો સ્ત્રીઓ પેલા મંડપમાં બેઠી છે - કેવળ દર્શનને માટે.' મેં ગાંધીજીને કહ્યું. ગાંધીજી નીકળ્યા, જઈને ઊભા રહ્યા. તેમના આગળ નાનાંમોટાં ઘરેણાંઓથી ભરેલી એક કોથળી ઠલવાઈ! આવી શ્રદ્ધા જ્યાં ત્યાં જોઈને હું ચકિત થયો છું. ઝરિયાની કોથળીમાં ઝરિયાના અર્ધનગ્ન મજૂરોની સ્ત્રીઓનાં ઘરેણાં પડેલાં છે. પટણામાં તે જ દિવસે પૂ. કસ્તૂરબા ગંગાજી નાહવા ગયાં હતાં, ત્યાં અનેક બહેનો નાહતી હતી. તેમને કોઈકે કહ્યું : 'યે માતાજી હૈ.' એટલે પોતાને છેડે જે કાંઈ બાંધેલું હશે તેટલું છોડીને તેમણે કસ્તૂરબાને ચરણે ધર્યું! પણ આખરે એક ફાટાતૂટા કપડાવાળી ઘરડી ડેાશી આવી અને તેણે એક રૂપિયો મૂક્યો. પૂ. કસ્તૂરબાએ પૂછ્યું : ‘બહેન તમે શો ધંધો કરો છો?' જવાબ મળ્યો : 'દૂધ વેચવાનો.' એટલે બીજા પાસે ઊભેલા એક ભાઈએ કહ્યું : 'દૂધ વેચીને જેમ તેમ બચાવેલા પૈસામાંથી એ એક રૂપિયો આવ્યો છે!' એટલે પેલી ભલી બાઈ બોલી : 'માતાજી, આપ જો દેશકા ભલા કર રહી હો, ઉસકે લિયે યે દિયા હૈ.'


MD-05:504


Sunday, October 30, 2022

બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી : બાપુ

'પતિપત્ની વિષેના સંબંધની બાબત મારા વિચારોમાં ફેર પડ્યો છે ખરો. જે રીતે હું બા તરફ વર્ત્યો તે રીતે તમે કોઈ તમારી પત્નીઓ તરફ ન વર્તો એમ ઇચ્છું ખરો. મારી સખ્તીથી બાએ કાંઈ ખોયું નથી કેમ કે બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી. તેના પ્રત્યે પ્રેમ અને માન તો હતાં જ. તેને હું ઊંચે ચડેલી જોવા ઇચ્છતો હતો. છતાં બા મને નહોતી વઢી શકતી. હું વઢી શકતો હતો. બાને મેં અમલમાં મારા જ જેટલા અધિકાર નહોતા આપ્યા. અને બામાં બિચારીમાં તે લેવાની શક્તિ ન હતી. હિંદુ સ્ત્રીઓમાં એ શક્તિ હોતી જ નથી. એ હિંદુ સમાજની ખામી છે. ... એકબીજાંનો પ્રેમ દંપતીને પાપમાંથી ભલે ઉગારે, ડર કદી નહીં. આ શિક્ષણ આપવાનું હું આશ્રમમાં જ શીખ્યો. બાના પ્રત્યેનું મારું સાબરમતીનું વર્તન ઉત્તરોત્તર આવું થતું ગયું છે. તેથી બા ચઢી છે. આગળનો ડર હજી સાવ નહીં ગયો હોય. પણ ઘણો ગયો છે. મનમાં પણ બાના પ્રત્યે ખીજ ચઢે છે તો મારા પ્રત્યે ખીજ કાઢું છું. ખીજનું મૂળ મોહ છે. મારામાં આ ફેરફાર થયો છે તે મહત્ત્વનો છે અને તેનાં સુંદર પરિણામો આવ્યાં છે. મારો પ્રેમ હજુ નિર્મળ થતો જશે તો જ પરિણામો વધારે સુંદર થશે. અસંખ્ય સ્ત્રીઓ મારો વિશ્વાસ સહેજે કરે છે. તેનું કારણ મારો પ્રેમ અને આદર છે એવો મને વિશ્વાસ છે. એ ગુણ અદૃશ્ય રીતે કામ કર્યાં જ કરે છે.'

રામદાસ ગાંધીને પત્ર
11-08-1932

મહાદેવભાઈની ડાયરી,
પુસ્તક પહેલું, પૃષ્ઠ : ૩૫૫-૭

બાપુના મતે બાનો સૌથી મોટો ગુણ : બહાદુરી

વલ્લભભાઈ : "બાનું તો કોઈને પણ લાગે તેમ છે. બા તો અહિંસાની મૂર્તિ છે. એવી અહિંસાની છાપ મેં બીજી કોઈ સ્ત્રીના મુખ ઉપર જોઈ નથી. એમની અપાર નમ્રતા, એમની સરળતા, કોઈને પણ હેરત પમાડે તેવાં છે."
બાપુ : "સાચી વાત છે વલ્લભભાઈ. પણ મને બાનો સૌથી મોટો ગુણ એની હિંમત અને બહાદુરી લાગે છે. એ આડાઈ કરે, ક્રોધ કરે, અદેખાઈ કરે. પણ એ બધું જાણ્યા પછી આખરે દક્ષિણ આફ્રિકાથી આજ સુધીની એની કારકિર્દી લઈએ તો એની બહાદુરી શેષ રહે છે."

31-3-1932

MD:01:66

બા વિશે બાપુ


બાપુએ પોલાકને લાંબો મજાનો કાગળ લખ્યો. એમાં કાગળ ફરી પાછો ન વાંચી જવાનાં પરિણામો વર્ણવ્યાં. પોતે એક વાર એક કાગળમાં no (ના) લખતાં રહી ગયેલા તેનું કેવું પરિણામ આવ્યું તે વર્ણવ્યું. બાને વિષે લખ્યું :
"She has aged considerably - in some respects perhaps more than I have. Spiritually she has made wonderful progress."
"એ ઘરડી થઈ ગઈ છે, કેટલીક બાબતમાં તો મારા કરતાંયે વધારે. આધ્યાત્મિક દૃષ્ટિએ એણે ગજબ પ્રગતિ સાધી છે."

8-6-1932

MD:01:208