Showing posts with label Admission - 2024-2025. Show all posts
Showing posts with label Admission - 2024-2025. Show all posts

Wednesday, April 10, 2024

ગૂજરાત વિદ્યાપીઠ || પ્રવેશ પ્રક્રિયા - ૨૦૨૪-૨૦૨૫ || અરજીપત્રક અને અનુસરણ


પ્રિય વિદ્યાર્થીમિત્ર,

સને 1920માં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટેનું અરજીપત્રક ભરવા બદલ અભિનંદન.

હવે પછીની પ્રવેશ પ્રક્રિયા આ મુજબ છે :


પ્રવેશ-પ્રક્રિયાનું સમયપત્રક :



પ્રવેશ-પરીક્ષાનો અભ્યાસક્રમ :




ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથાની લિંક : સંક્ષિપ્ત આત્મકથા (eshabda.online)

આપની અનુકૂળતાએ ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાં મુલાકાત માટે હૃદયપૂર્વકનું આમંત્રણ છે.

કોઈપણ પૂછપરછ માટે admission2024@gujaratvidyapith.org ઈમેઇલ આઇડી ઉપર સંપર્ક કરવો :


આપના અન્ય મિત્રોને પણ વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનું અરજીપત્રક ભરવા અંગે જાણ કરવા વિનંતિ.





શુભેચ્છાઓ સહ

પ્રવેશ સમિતિ
ગૂજરાત વિદ્યાપીઠ

Friday, March 29, 2024

ગૂજરાત વિદ્યાપીઠનો વર્ષ - ૨૦૨૪-૨૦૨૫નો પ્રવેશ કાર્યક્રમ જાહેર

અખબારી યાદી

તા. ૨૯/૩/૨૦૨૪

ગૂજરાત વિદ્યાપીઠનો વર્ષ - ૨૦૨૪નો પ્રવેશ કાર્યક્રમ જાહેર

--------------------------------------

- ૧૪ સ્નાતક, ૩ સ્નાતકોત્તર, ૧૯ અનુસ્નાતક, ૫ અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની ૧૮૮૨ જેટલી બેઠક માટે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

- ૩૦ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

- પ્રવેશ પરીક્ષા GEETA ૧૧ મેના રોજ રાજ્યનાં ૩૦ સ્થાનો પર યોજાશે.

- ૨૪ થી ૨૬ જૂન દરમિયાન પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે

- ૧ લી જુલાઈથી નવું સત્ર શરૂ થશે.

--------------------------------------

આજરોજ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ માટેની પ્રવેશ કાર્યવાહી જાહેર કરવામાં આવી છે. ૧૪ સ્નાતક, ૩ સ્નાતકોત્તર, ૧૯ અનુસ્નાતક, ૫ અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની ૧૮૮૨ જેટલી બેઠક માટે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. ઉમેદવારે પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૪/૨૦૨૪ છે.

પ્રવેશ સમિતિના સંયોજક પ્રો. અજય પરીખે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ગૂજરાત વિધાપીઠના તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારે યુજી/પીજી માટેની સીયુઈટી પરીક્ષા અથવા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નિર્ધારિત કરેલ GEETA (Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) બંનેમાંથી કોઈ એક પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાપીઠ દ્વારા પરીક્ષા આગામી ૧૧/૫/૨૦૨૪ના રોજ રાજ્યનાં ૩૦ કેન્દ્રો પર લેવાશે.

પ્રવેશ પરીક્ષા ૬૦ પ્રશ્નોની રહેશે જે માટે ૯૦ મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે. કસોટી સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુ આધારિત ઓએમઆરથી લેવામાં આવશે. કસોટીનું પરિણામ ૧૬/૫/૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવશે. સીયુઈટી અને GEETAના ગુણાંકને આધારે મેરિટ યાદી મુજબ પરામર્શન અને પ્રવેશ કાર્યવાહી ૨૪ થી ૨૬ જૂન, ૨૦૨૪ દરમ્યાન યોજાશે. તથા નવું સત્ર ૧ લી જુલાઈથી શરૂ થશે એમ શ્રી પરીખે ઉમેર્યું હતું.

ગૂજરાત વિદ્યાપીઠ : પ્રવેશ જાહેરાત : ૨૦૨૪-૨૦૨૫