Showing posts with label Rabindranath Tagore. Show all posts
Showing posts with label Rabindranath Tagore. Show all posts

Wednesday, May 1, 2024

Poet Rabindranath Tagore ///// 7 May 1861 - 7 August 1941


રવીન્દ્રગીત

વજ્રે તોમાર બાજે બાંશી
સે કી સહજ ગાન?
સેઈ સૂરે તે જાગબો આમિ
દાઓ મોરે સેઈ કાન.

(વીજળીના ગડગડાટમાં તમારી બંસી બજી રહી છે, એ કાંઈ સહેજે સંભળાય તેવા સૂર છે? એ સૂરે હું જાગી ઊઠું એવા મને કાન આપો.)

રવીન્દ્રનાથ ઠાકુર

Saturday, February 24, 2018

કવિ-ગુરુ રવીન્દ્રનાથ


"૧૯૨૮માં કવિનો જન્મદિવસ અનોખી રીતે ઊજવાયો. પરંપરાગત સમારોહ ઉપરાંત એ વર્ષે તેમને તેમનાં જ પુસ્તકોથી તોલવામાં આવ્યા અને એ પુસ્તકો સાર્વજનિક પુસ્તકાલયો અને સંસ્થાઓને ભેટ આપવામાં આવ્યાં. રાજા-મહારાજાઓને સોનાચાંદીથી તોલવાનો રિવાજ હતો. તેમનાં જ પુસ્તકોથી લેખકને તોલવાની સંભવત: આ પ્રથમ ઘટના હતી."

[ સૌજન્ય : કવિ-ગુરુ રવીન્દ્રનાથ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬૭ ]