Showing posts with label Photography. Show all posts
Showing posts with label Photography. Show all posts

Friday, October 22, 2021

ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રતાપકુમાર-સુમિત્રાબહેન દ્વારા ગાંધીગીતોની પ્રસ્તુતિ


પ્રતાપકુમાર ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

સુમિત્રાબહેન ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં ૨૨-૧૦-૨૦૨૧ના રોજ પ્રતાપકુમાર ટોલિયા (જન્મ : ૨૧-૧૦-૧૯૩૦) અને એમનાં પત્ની સુમિત્રાબહેન ટોલિયાએ ગાંધીગીતો રજૂ કર્યાં. સંયોજક ડૉ. કમલેશ પટેલે ટોલિયા યુગલનો પરિચય આપ્યો હતા. આ પ્રસંગે કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી અને કાર્યકારી કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટ ખાસ હાજર રહ્યા હતા.

પ્રતાપકુમાર ટોલિયા જૈન ધર્મના વિદ્વાન, મહાત્મા ગાંધી અને શ્રીમદ રાજચંદ્રના અભ્યાસી, અને ગીતસંગીતકાર છે. પ્રતાપકુમારને આશરે બે હજાર જેટલાં ગીતો કંઠસ્થ છે. તેમણે ઈ. સ. ૧૯૫૬થી ૧૯૫૮ના સમયગાળામાં વિનોબાજીની વિવિધ પદયાત્રાઓમાં સંગીતપ્રસ્તુતિ કરી હતી. તેમણે વીસ હજાર વિદ્યાર્થીઓને 'ઓમ તત્સત્ શ્રી નારાયણ તું'નું પ્રાર્થનાગીત શીખવ્યું હતું. તેનું સમૂહ ગાન 20-12-1958ના રોજ સાબરમતીના તીરે વિનોબાજીની હાજરીમાં કરાવ્યું હતું. મૂળે અમરેલીના વતની પ્રતાપકુમાર ઈ. સ. ૧૯૬૮થી ૧૯૭૦ દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં હિંદી અને અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કાર્યરત હતા.

પ્રતાપકુમાર ટોલિયાએ ઈ. સ. ૧૯૬૯માં ગાંધી-શતાબ્દી ટાણે સાબરમતીથી દાંડી સુધીની યાત્રા કરી હતી. તેઓ પદયાત્રામાં સિતાર સાથે મોખરે ચાલતા હતા. પ્રતાપકુમાર ટોલિયાએ 'જનસત્તા' દૈનિકમાં 'દાંડીપથને પગલે પગલે' નામની કતાર દ્વારા પદયાત્રાના અનુભવોનું આલેખન કર્યું હતું. સંગીતસમર્પિત પ્રતાપકુમાર અને સુમિત્રાબહેન બેંગલુરુમાં રહે છે. વયોવૃદ્ધ અને અનુભવસમૃદ્ધ ટોલિયા દંપતી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રસંગોપાત્ત આવીને જૂનાં ગાંધીગીતોને નવી પેઢી સુધી પહોંચાડે છે.

સુમિત્રાબહેન- પ્રતાપકુમાર ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Sunday, June 20, 2021

અમદાવાદના આલાપને આંતરરાષ્ટ્રીય અભિનંદન!




સ્પર્ધા વિશે ...

6TH Annual International Photography Contest 35AWARDSમાં કુલ 173 દેશમાંથી 123418 ફોટોગ્રાફર મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 444 હજાર ફોટોગ્રાફ્સ સબમિટ કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ રાઉન્ડમાં માત્ર 3% ફોટોગ્રાફર્સના ફોટોગ્રાફ્સ પસંદ કરવામાં આવ્યા હતા. બીજા રાઉન્ડમાં તેમાથી 21% ફોટોગ્રાફ્સ ત્રીજા રાઉન્ડ માટે પસંદ પામ્યા હતા. અને ત્રીજા રાઉન્ડના અંતે દુનિયાના Top 300 ફોટોગ્રાફરમાં પસંદગી થયા બાદ વાઇલ્ડ લાઇફ કેટેગરીમાં Top 100 Nominet ફોટોગ્રાફ્સમાં આ ફોટોગ્રાફની પસંદગી થઈ. આ પસંદગી કરવા માટે દુનિયાના 50 દેશના 50 નિર્ણાયકો દ્વારા સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી. સ્પર્ધાના અંતે આ ફોટોગ્રાફ 'વાઇલ્ડ લાઇફ કેટેગરી'માં દુનિયાના Top 50 અને તેમાં પણ 35મા ક્રમે પસંદગી પામ્યો. સાથે સાથે ભારતના Top 100 ફોટોગ્રાફર્સમાં તેમજ અમદાવાદના Top 10 ફોટોગ્રાફર્સમાં પણ સામાવેશ થયો હતો.

તસવીર ઝડપનાર આલાપ બ્રહ્મભટ્ટ

શિકાર ઝડપનાર  કેમેલિયન

તસવીર વિશે ...

આ ફોટો ગીર અભ્યારણ્યની નજીક આવેલા એક ખેતરમાં લીધેલો છે. જ્યારે હું ગીર અભ્યારણ્ય ગયો હતો ત્યારે એક સાંજે લટાર મારવા નીકળ્યો હતો. ત્યાં એક ખેતરના છેડે આ કેમેલિયન ઇયળનો શિકાર કરતાં નજરે પડ્યો. એક-બે ઇયળનો શિકાર તેણે કર્યો ત્યારે હું તેને બરાબર જોતો રહ્યો. મને લાગ્યું કે હજુ એ એ-બે ઇયળનો શિકાર કરશે. એટલે તરત મેં મારો કેમેરા કાઢી આ ફોટો ઝડપી લીધો. સામાન્ય રીતે તેની શિકાર કરવાની ઝડપ એટલી બધી હોય છે કે આંખના પલકારમાં તે શિકાર કરીને આરોગી લે છે. આ તસવીર લેવાની તક મને મળી તે મારા માટે ખૂબ આનંદની વાત કહેવાય. કેમેલિયનની આવી લાક્ષણિક તસવીર બહુ ઓછી જોવા મળે છે.

આલાપ બ્રહ્મભટ્ટ // વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, ફિલ્મ મેકર

Wednesday, February 26, 2014