![]() |
| Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
ઈ.સ. ૨૦૦૩ના સમયગાળામાં, ક્ષેત્ર-મુલાકાત દરમિયાન, વરિષ્ઠ છબી-પત્રકાર ઝવેરીલાલ મહેતા સાથે ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓની આ સમૂહ છબી અમદાવાદસ્થિત રવિશંકર રાવળ કલાભવનના પરિસરમાં લીધી હતી. તસવીરમાં ડાબેથી જમણે ઊભેલા વિદ્યાર્થીઓમાં, જયેશ પારકર, જિતેન્દ્ર બાંધણિયા, સતેષ ચૌધરી, હીરાલાલ પરમાર, હેમંત ગોલાણી, ઈસુદાન ગઢવી દૃશ્યમાન થાય છે.
ઈ.સ. ૨૦૧૮ના વર્ષમાં, 'પદ્મશ્રી' પારિતોષિકનું સન્માન મેળવનાર ઝવેરીલાલ મહેતાને અભિવંદન.
