અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Elephant. Show all posts
Showing posts with label Elephant. Show all posts
Saturday, September 17, 2022
Tuesday, February 23, 2021
Sunday, August 12, 2018
Wednesday, August 12, 2015
હાથી સાથ બઢાના
હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
સૌથી લાંબી એટલે કે બાવીસ મહિનાની સગર્ભાવસ્થા ધરાવવા છતાં હાથણીઓ 'જગમાં અમે, પહેલા ક્રમે'ના મિથ્યાભિમાનમાં રાચતી નથી. હાથણીનું બચ્ચું આશરે નેવું કિલોના વજન સાથે આ પૃથ્વી ઉપર 'ધમાકેદાર' અવતરણ કરે છે. હાથણીઓના અલાયદા ડૉક્ટર એટલે કે ગાયનેકો-એલિફન્ટોલોજિસ્ટ ન હોવાથી હાથણીઓની નોર્મલ ડિલિવરી (કુદરતી પ્રસૂતિ) થાય છે. જોકે, શંકર ભગવાને હાથીનું માથું વાઢીને તેને પોતાના પુત્રના ધડ ઉપર લગાવીને સૃષ્ટિની પહેલી શસ્ત્રક્રિયા કરી હતી. આ વાર્તાવર્ણન સાંભળીને 'ભગવાનથી આવું કરાય ખરું?'; 'પછી પેલા હાથીનું શું થયું?' એવા સવાલ ચારેક વર્ષની કોઈ પ્યારી દીકરી પૂછે ત્યારે ડાબા હાથે માથું ખંજવાળવું પડે.
આમ જોવા જઈએ તો હાથીની સૂંઢ એ નાકનો થયેલો વધુ પડતો વિકાસ છે. બહુહેતુકીય સૂંઢની મદદથી હાથી લાંબા શ્વાસ લઈ શકે છે, દૂરનું સૂંઘી શકે છે, સ્પર્શ કરે છે, વસ્તુ પકડે છે, અવાજ કરે છે, લડાઈ કરે છે. હાથીની સૂંઢ હાથ તરીકે પણ કામ આપે છે. જેના કારણે તે પોતાની આંખો પણ લૂછી શકે છે. હાથી સૂંઢથી મગફળીના કોચલાને એવી રીતે તોડી શકે છે કે સિંગદાણો આખો રહે! કોઈ પણ પ્રકારની સરકારી યોજના વગર પણ, હાથી સૂંઢ વડે જળસંચય કરી શકે છે. આ જ સૂંઢ નાહવા માટેનો ફુવારો પણ બની શકે છે. હાથી શાકાહારી પ્રાણી છે. તેની સૂંઢમાં એક પણ હાડકું નથી હોતું. ગમે તેવો કામચોર હાથી પણ પોતાની સૂંઢથી ત્રણસો કિલોની આસપાસનું વજન ઊંચકી શકે છે. જોકે, શેરી-રસ્તા ઉપર જોવા મળતા હાથીની સૂંઢ ઉપર શહેરીજનો બે-પાંચ રૂપિયાનો સિક્કો મૂકે છે. આ સિક્કાઓને સાચવીને લગભગ પહેલા માળ જેટલી ઊંચાઈએ 'સલામત હાથ'માં પહોંચાડવા માટે હાથીને મોંઘા ભાવની ઊર્જા ખર્ચવી પડે છે.
હાથીને ખૂબ મોટા કાન હોય છે. તેઓ ઘણું દૂરનું સાંભળી શકે છે. આમ છતાં હાથણી તો હાથીને એવું કહેતી જ હશે કે, 'ક્યારની બૂમો પાડું છું, છતાં સાંભળતો કેમ નથી?' હાથી પોતાના કાનને પકડ્યા વગર પણ હલાવી શકે છે. જેના કારણે પવન આવે છે અને તેને ગરમીમાં રાહત મળે છે. કુદરતે માણસને પણ હાથી જેવા મોટા કાન અને એ કાન હલાવવાનું કૌશલ્ય આપ્યું હોત તો સારું થાત. જેથી કરીને ગરમી અને બફારામાં તેને રાહત થાત. જોકે, કાળઝાળ ઉનાળામાં વાસણાથી ચાંદખેડા જતી પાંચસો એક નંબરની બસમાં ઊભેલા બધા મુસાફરો કાન હલાવે તો એમના કાન એકબીજાને અડકે, અને પરિસ્થિતિ 'ખતરકાન' થઈ જાય તો કહેવાય નહીં. વળી, આળસુ માણસ પોતે કાન ન હલાવે પણ બીજાની સાવ નજીક જઈને ઊભો રહે! આવી ગુસ્તાખી કોણ માફ કરે?
'સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’માંથી ‘આપણે હાથી ખરીદીએ’ પ્રકરણ વાંચ્યા પછી 'દોઢા ગુજરાતી' તરીકે અમને કેટલાક સવાલ થવાના જ. અમે 'માહિતી અધિકાર કાનૂન'ની મદદ લીધા વગર પણ (ઓછા)લાગતા-(વધુ)વળગતાવાળાઓને આટલા સવાલ પૂછવા માંગીએ છીએ : મધ્યમ વર્ગના માણસને હાથીનો નિભાવ કેવી રીતે પોષાય? ઉદરટાંકીમાં ગંજાવર ખોરાક-પાણી પુરાવતો હાથી છેવટે કેટલી એવરેજ આપે? કોઈ મંદિરમાંથી સેકન્ડ હેન્ડ હાથી ખરીદીએ તો કિંમતમાં કેટલો ફેર પડે? હાથી ખરીદવા માટે લોન લઈએ તો એના ઉપર ભરવું પડતું વ્યાજ આવકવેરાની કઈ કલમ હેઠળ બાદ મળે? નવો હાથી ખરીદીએ તો કંપની વર્ષમાં કેટલી ફ્રી સર્વિસ કરી આપે? આપણે ગમે એટલા રૂપિયા ખર્ચીએ, પણ શહેરમાં કયો બિલ્ડર હાથી માટે અલાયદા પાર્કિંગની વ્યવસ્થા આપે છે?
અમદાવાદમાં ભદ્રકિલ્લાથી પાનકોરનાકા સુધી જઈએ તો રસ્તા ઉપર જગ્યા સિવાય બધું જ જોવા મળે છે. આવા વિસ્તારોમાં મોપેડ ચલાવો કે મોટરકાર, પરંતુ જગ્યા, ઝડપ, અને નિરાશા એકસરખી મળે છે. આ પરિસ્થિતિમાં શહેર સુધરાઈએ જાહેર ભાવપત્રક મંગાવીને હાથીસવારીની સેવા શરૂ કરવી જોઈએ. પ્રજાને ગમે તેટલી ઉતાવળ હશે તોય તેઓ રસ્તા ઉપર મહાકાય હાથીને જોઈને તેને આપમેળે જગ્યા કરી આપશે. જેના કારણે પ્રજામાં સહિષ્ણુતા અને ઉદારતાનો ગુણ કેળવાશે. હાથી ઉપર સવારી કરવાથી મોટેરાંને મહત્વ અને નાનેરાંને મનોરંજન મળી રહેશે. હાથીપીઠ ઉપર બેસનાર વિહંગાવલોકન કે સિંહાવલોકનની જેમ ગજાવલોકનનો લાભ લઈ શકશે. હાથીને મધુપ્રમેહ નથી હોતો એટલે તે કેળાં અને શેરડીની ના પાડતો નથી. જેના કારણે સમગ્ર રસ્તા ઉપર કેળાં અને શેરડી વેચવા માટેનાં પાથરણાં પથરાઈ જશે. આમ, સ્થાનિક માણસોને રોજગારી મળી રહેશે. જેના કારણે ધોળા દિવસે અમુક કલાકો પૂરતું બેકારીનું નિકંદન નીકળી જશે. આમ, હાથી થકી માહિતી, મનોરંજન, રોજગાર, અને પ્રવાસન જેવા હેતુઓ સિદ્ધ કરી શકાશે. ભદ્ર પ્લાઝા માટેની આ 'હાથીઆય યોજના' ધીરેધીરે કાંકરિયા કાર્નિવલ અને સાબરમતી રિવરફ્રન્ટ માટે પણ લાગુ પાડી શકાય તેમ છે.
.................................................................................................................................
સૌથી લાંબી એટલે કે બાવીસ મહિનાની સગર્ભાવસ્થા ધરાવવા છતાં હાથણીઓ 'જગમાં અમે, પહેલા ક્રમે'ના મિથ્યાભિમાનમાં રાચતી નથી. હાથણીનું બચ્ચું આશરે નેવું કિલોના વજન સાથે આ પૃથ્વી ઉપર 'ધમાકેદાર' અવતરણ કરે છે. હાથણીઓના અલાયદા ડૉક્ટર એટલે કે ગાયનેકો-એલિફન્ટોલોજિસ્ટ ન હોવાથી હાથણીઓની નોર્મલ ડિલિવરી (કુદરતી પ્રસૂતિ) થાય છે. જોકે, શંકર ભગવાને હાથીનું માથું વાઢીને તેને પોતાના પુત્રના ધડ ઉપર લગાવીને સૃષ્ટિની પહેલી શસ્ત્રક્રિયા કરી હતી. આ વાર્તાવર્ણન સાંભળીને 'ભગવાનથી આવું કરાય ખરું?'; 'પછી પેલા હાથીનું શું થયું?' એવા સવાલ ચારેક વર્ષની કોઈ પ્યારી દીકરી પૂછે ત્યારે ડાબા હાથે માથું ખંજવાળવું પડે.
આમ જોવા જઈએ તો હાથીની સૂંઢ એ નાકનો થયેલો વધુ પડતો વિકાસ છે. બહુહેતુકીય સૂંઢની મદદથી હાથી લાંબા શ્વાસ લઈ શકે છે, દૂરનું સૂંઘી શકે છે, સ્પર્શ કરે છે, વસ્તુ પકડે છે, અવાજ કરે છે, લડાઈ કરે છે. હાથીની સૂંઢ હાથ તરીકે પણ કામ આપે છે. જેના કારણે તે પોતાની આંખો પણ લૂછી શકે છે. હાથી સૂંઢથી મગફળીના કોચલાને એવી રીતે તોડી શકે છે કે સિંગદાણો આખો રહે! કોઈ પણ પ્રકારની સરકારી યોજના વગર પણ, હાથી સૂંઢ વડે જળસંચય કરી શકે છે. આ જ સૂંઢ નાહવા માટેનો ફુવારો પણ બની શકે છે. હાથી શાકાહારી પ્રાણી છે. તેની સૂંઢમાં એક પણ હાડકું નથી હોતું. ગમે તેવો કામચોર હાથી પણ પોતાની સૂંઢથી ત્રણસો કિલોની આસપાસનું વજન ઊંચકી શકે છે. જોકે, શેરી-રસ્તા ઉપર જોવા મળતા હાથીની સૂંઢ ઉપર શહેરીજનો બે-પાંચ રૂપિયાનો સિક્કો મૂકે છે. આ સિક્કાઓને સાચવીને લગભગ પહેલા માળ જેટલી ઊંચાઈએ 'સલામત હાથ'માં પહોંચાડવા માટે હાથીને મોંઘા ભાવની ઊર્જા ખર્ચવી પડે છે.
હાથીને ખૂબ મોટા કાન હોય છે. તેઓ ઘણું દૂરનું સાંભળી શકે છે. આમ છતાં હાથણી તો હાથીને એવું કહેતી જ હશે કે, 'ક્યારની બૂમો પાડું છું, છતાં સાંભળતો કેમ નથી?' હાથી પોતાના કાનને પકડ્યા વગર પણ હલાવી શકે છે. જેના કારણે પવન આવે છે અને તેને ગરમીમાં રાહત મળે છે. કુદરતે માણસને પણ હાથી જેવા મોટા કાન અને એ કાન હલાવવાનું કૌશલ્ય આપ્યું હોત તો સારું થાત. જેથી કરીને ગરમી અને બફારામાં તેને રાહત થાત. જોકે, કાળઝાળ ઉનાળામાં વાસણાથી ચાંદખેડા જતી પાંચસો એક નંબરની બસમાં ઊભેલા બધા મુસાફરો કાન હલાવે તો એમના કાન એકબીજાને અડકે, અને પરિસ્થિતિ 'ખતરકાન' થઈ જાય તો કહેવાય નહીં. વળી, આળસુ માણસ પોતે કાન ન હલાવે પણ બીજાની સાવ નજીક જઈને ઊભો રહે! આવી ગુસ્તાખી કોણ માફ કરે?
'સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’માંથી ‘આપણે હાથી ખરીદીએ’ પ્રકરણ વાંચ્યા પછી 'દોઢા ગુજરાતી' તરીકે અમને કેટલાક સવાલ થવાના જ. અમે 'માહિતી અધિકાર કાનૂન'ની મદદ લીધા વગર પણ (ઓછા)લાગતા-(વધુ)વળગતાવાળાઓને આટલા સવાલ પૂછવા માંગીએ છીએ : મધ્યમ વર્ગના માણસને હાથીનો નિભાવ કેવી રીતે પોષાય? ઉદરટાંકીમાં ગંજાવર ખોરાક-પાણી પુરાવતો હાથી છેવટે કેટલી એવરેજ આપે? કોઈ મંદિરમાંથી સેકન્ડ હેન્ડ હાથી ખરીદીએ તો કિંમતમાં કેટલો ફેર પડે? હાથી ખરીદવા માટે લોન લઈએ તો એના ઉપર ભરવું પડતું વ્યાજ આવકવેરાની કઈ કલમ હેઠળ બાદ મળે? નવો હાથી ખરીદીએ તો કંપની વર્ષમાં કેટલી ફ્રી સર્વિસ કરી આપે? આપણે ગમે એટલા રૂપિયા ખર્ચીએ, પણ શહેરમાં કયો બિલ્ડર હાથી માટે અલાયદા પાર્કિંગની વ્યવસ્થા આપે છે?
અમદાવાદમાં ભદ્રકિલ્લાથી પાનકોરનાકા સુધી જઈએ તો રસ્તા ઉપર જગ્યા સિવાય બધું જ જોવા મળે છે. આવા વિસ્તારોમાં મોપેડ ચલાવો કે મોટરકાર, પરંતુ જગ્યા, ઝડપ, અને નિરાશા એકસરખી મળે છે. આ પરિસ્થિતિમાં શહેર સુધરાઈએ જાહેર ભાવપત્રક મંગાવીને હાથીસવારીની સેવા શરૂ કરવી જોઈએ. પ્રજાને ગમે તેટલી ઉતાવળ હશે તોય તેઓ રસ્તા ઉપર મહાકાય હાથીને જોઈને તેને આપમેળે જગ્યા કરી આપશે. જેના કારણે પ્રજામાં સહિષ્ણુતા અને ઉદારતાનો ગુણ કેળવાશે. હાથી ઉપર સવારી કરવાથી મોટેરાંને મહત્વ અને નાનેરાંને મનોરંજન મળી રહેશે. હાથીપીઠ ઉપર બેસનાર વિહંગાવલોકન કે સિંહાવલોકનની જેમ ગજાવલોકનનો લાભ લઈ શકશે. હાથીને મધુપ્રમેહ નથી હોતો એટલે તે કેળાં અને શેરડીની ના પાડતો નથી. જેના કારણે સમગ્ર રસ્તા ઉપર કેળાં અને શેરડી વેચવા માટેનાં પાથરણાં પથરાઈ જશે. આમ, સ્થાનિક માણસોને રોજગારી મળી રહેશે. જેના કારણે ધોળા દિવસે અમુક કલાકો પૂરતું બેકારીનું નિકંદન નીકળી જશે. આમ, હાથી થકી માહિતી, મનોરંજન, રોજગાર, અને પ્રવાસન જેવા હેતુઓ સિદ્ધ કરી શકાશે. ભદ્ર પ્લાઝા માટેની આ 'હાથીઆય યોજના' ધીરેધીરે કાંકરિયા કાર્નિવલ અને સાબરમતી રિવરફ્રન્ટ માટે પણ લાગુ પાડી શકાય તેમ છે.
નગરોમાં ચાર રસ્તા ઉપરનાં જાહેરખબરી પાટિયાં કરતાં હાથીનાં પડખાં વધારે અસરકારક સાબિત થાય એમ છે. કારણ કે, હોર્ડિંગ્સ એ સ્થિર માધ્યમ છે, જ્યારે હાથી એ જીવંત માધ્યમ છે. વળી, હાથીના જમણા પડખા ઉપર જાહેરખબર સંબંધિત ચિહ્ન-તસવીર-સૂત્ર-પંક્તિ-બયાન કર્યાં બાદ જગ્યા ખૂટે તો નીચેના ખૂણે 'અનુસંધાન માટે જુઓ આ જ હાથીનું ડાબું પડખું' એવી નોંધ મૂકી શકાય! આમ, હાથીનાં જમણા અને ડાબા એમ બન્ને પડખાંનો છૂટથી અને વટથી ઉપયોગ કરીને રૂપિયા રળી શકાય. હાથીના શરીરનાં અન્ય અંગો જેવાં કે, કપાળ, કાન, દાંત, સૂંઢ, પગ, પૂંછડી ઉપર ચોરસ ફૂટ લેખે ભાવ વસૂલીને જાહેરખબર ચીતરી શકાય. આ સારુ કેવળ કુદરતી રંગોનો જ ઉપયોગ કરીને આપણી પર્યાવરણીય નિસબતનો પરિચય કરાવવો જ રહ્યો. અહીં, હાથી ઉપર જાહેરખબર લખવા માટે જે વિશેષ અને વિશાળ ફોન્ટ વાપરવામાં આવે તેને 'એલિફોન્ટ' જેવું નિરાળું નામ આપી શકાય.
બે હજાર બારની સાલથી બારમી ઓગસ્ટનો દિવસ 'વિશ્વ હાથી દિવસ' તરીકે ઉજવાય છે. આપણે ભલે મહોલ્લાની મઝિયારી મિલકત સમાન દેશી ગલૂડિયું પણ ન પાળતાં હોઈએ, પરંતુ આવો હાથીખમ લેખ વાંચીને ઘરેબેઠાં 'વિશ્વ હાથી દિવસ'ની ઉજવણી કરી શકીએ છીએ. સૃષ્ટિમાં હાથીના અસ્તિત્વ સામે પડકાર ઊભો થયો છે. માનવજાતે 'હસ્તીત્વ' બચાવવા માટે નક્કર પગલાં લેવાં જ રહ્યાં. આથી, અમે નક્કી કર્યું છે કે, જુવાનીમાં હાથીદાંતનું કડું ન પહેરવું અને બુઢાપામાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવું. દરેક વખતે અમારાથી ઊંધું જ વિચારતા કેટલાક મિત્રો જુવાનીમાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવાનો અને બુઢાપામાં હાથીદાંતનું કડું ન પહેરવાનો નિર્ધાર કરી શકે છે!
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
બે હજાર બારની સાલથી બારમી ઓગસ્ટનો દિવસ 'વિશ્વ હાથી દિવસ' તરીકે ઉજવાય છે. આપણે ભલે મહોલ્લાની મઝિયારી મિલકત સમાન દેશી ગલૂડિયું પણ ન પાળતાં હોઈએ, પરંતુ આવો હાથીખમ લેખ વાંચીને ઘરેબેઠાં 'વિશ્વ હાથી દિવસ'ની ઉજવણી કરી શકીએ છીએ. સૃષ્ટિમાં હાથીના અસ્તિત્વ સામે પડકાર ઊભો થયો છે. માનવજાતે 'હસ્તીત્વ' બચાવવા માટે નક્કર પગલાં લેવાં જ રહ્યાં. આથી, અમે નક્કી કર્યું છે કે, જુવાનીમાં હાથીદાંતનું કડું ન પહેરવું અને બુઢાપામાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવું. દરેક વખતે અમારાથી ઊંધું જ વિચારતા કેટલાક મિત્રો જુવાનીમાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવાનો અને બુઢાપામાં હાથીદાંતનું કડું ન પહેરવાનો નિર્ધાર કરી શકે છે!
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :
હાથી સાથ બઢાના
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩
Wednesday, April 15, 2015
મહાવત એટલે મહાવટ!
હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
નગરજનોને પ્રાણીઘર અને સરકસ કરતાં, જાહેર રસ્તા ઉપર મફતમાં હાથીદર્શનનો લાભ વધારે મળે છે. આપણે ત્યાં હાથી પૂર્વ ભારતનો, મંદિર-માલિક પશ્ચિમ ભારતનો, સાથીબાવો ઉત્તર ભારતનો, અને હાથીચાલક દક્ષિણ ભારતનો હોય એવું બનવાજોગ છે. આમ, એક હાથીમાં આખા હિંદુસ્તાનનું પ્રતિબિંબ ઝીલાય છે. આ રીતે પણ 'વિવિધતા દ્વારા એકતા'નો રાષ્ટ્રીય સંદેશો પ્રગટ થાય છે. હાથીના હાંકનાર માટે વપરાતો 'મહાવત' શબ્દ સંસ્કૃતના 'મહામાત્ર' શબ્દ ઉપરથી ચઢી આવ્યો છે. એક સમયે વિદ્યાપીઠોમાં 'રજિસ્ટ્રાર' માટે 'મહામાત્ર' શબ્દ વપરાતો હતો. આપણી ભાષામાં ‘હોદ્દો’ એટલે 'પદવી' અને 'અંબાડી' એમ બે અર્થ છે. મહાવતની 'ઊંચી' પદવીએ પહોંચેલો માણસ અંબાડી ઉપર બિરાજમાન થાય ત્યારે એનો ભારે વટ પડે છે. 'ત'નો 'ટ' બોલતાં પારસીઓ કે બિનપારસીઓ 'મહાવત'ને 'મહાવટ' કહે છે એ સાર્થક લાગે છે. છતાં, મહાવત બાહ્ય દેખાડાથી દૂર રહે છે. આથી, કોઈ ગજપાલ મોંઘા ભાવના હાથી ઉપર પોતાની દીકરીને બેસાડીને એને નિશાળે મૂકવા-લેવા જતો નથી.
મહાવત ધારે તો એક હાથમાં અંકુશ અને ટેલિફોન બીડી, બીજા હાથમાં પરચૂરણ સિક્કા અને મોબાઇલ ફોન રાખી શકે છે. આપણાં શહેરોમાં જોવા મળતા મહાવત મોટા ભાગે ટૂંકાં ધોતિયા-ઝભ્ભામાં હોય. તેના ઝભ્ભાની બન્ને બાજુનાં ખિસ્સાંમાં શહેર આખાના ઉઘરાવેલા પરચૂરણ સિક્કા અને ચલણી નોટો સમાઈ જાય. તેણે માથે ફાળિયું વીંટ્યું હોય અને ખભે રૂમાલ નાખ્યો હોય. શિયાળામાં હાથીના શિખર ઉપર બેસવાથી પ્રમાણમાં વધારે ઠંડી લાગે. આથી, ટાઢા પવનથી બચવા મહાવત કાળી કોટી ધારણ કરે. ગમે એટલું આધુનિકીકરણ કે વસ્ત્રપરિવર્તન થાય, પણ જીન્સ-ટીશર્ટ અને ગોગલ્સ-કેપ પહેરેલા આપણા મહાવતને જોઈ જાવ તો વ્હોટ્સએપ ઉપર એની વિરલ તસવીરને વાઇરલ કરજો. હાથી ઉપર બેસીને રોજ દૂરદૂર સુધી જોવાનું અને નજીકથી જથ્થાબંધ પરચૂરણ ગણવાનું હોવા છતાં કોઈ મહાવતને દૂરનાં કે નજીકનાં ચશ્માં હોતાં નથી. મહાવત પગરખાં પહેરીને હાથી ઉપર ચઢ-ઊતર કરતો નથી. આથી, મહાવત એનાં ચંપલ ક્યાં મૂકે છે એ સવાલ અને ચંપલ બન્ને અસ્થાને છે!
ગજની સૂંઢ મહાવત સુધી પરચૂરણ તો શું, ભરપૂર પાણીપૂરી પણ છલકાવ્યા વગર અને ગપકાવ્યા વગર પહોંચાડી શકે એમ છે. સવાલ હાથી અને મહાવત વચ્ચે તાલીમ જ નહીં તાલમેલનો પણ છે. સામાન્ય રીતે મહાવત હાથી ઉપર ચઢવા માટે લાંબી સૂંઢનો જ ઉપયોગ કરે છે. તે ટૂંકા રસ્તા અર્થાત શોર્ટ-કટમાં માનતો નથી. આથી, મહાવત હાથીની ટૂંકી પૂંછ ઉપરથી ચઢવાનું ભાગ્યે જ પસંદ કરે છે. ઉનાળામાં હાથીને બન્ને કાન સતત હલાવવાનો આદેશ આપીને મહાવત મફતની હવા ખાતો નથી. કોઈ એવું કહી શકે કે, મહાવતને હાથીની ઊંચાઈનો લાભ મળે છે. એટલે જ મહાવત એવી ફરિયાદ ક્યારેય કરતો નથી કે, મોબાઇલ ફોનમાં ટાવર પકડાતો નથી. મહાવતે હાથીમાં કેટલીક સુટેવો અને શિસ્તનું સિંચન કર્યું છે એ આપણે સ્વીકારવું પડે. ઉદાહરણ તરીકે જોઈએ તો, હાથી કેળાંની આખેઆખી લૂમ છાલ સાથે ઓહિયા કરી જવાનું પસંદ કરે છે. કારણ કે, વાંદરામાંથી બની બેઠેલા માણસ કે માણસ બનવાનું મુલત્વી રાખનાર વાંદરાની માફક કેળાંની છાલ ઉતારીને એ છાલ પછી રસ્તા ઉપર ફેંકવાનું હાથીના સ્વભાવમાં નથી. એ વાત જુદી છે કે, શહેર સુધરાઈએ હાથીની પીઠ ઉપર કચરાપેટી મૂકવાની વ્યવસ્થા ન કરી હોવાથી મહાવતે કેળાં ખાધાં પછી છાલને ભોંયભેગી કરવી પડે છે.
ભારતીય હાથી બે હજારથી માંડીને પાંચ હજાર કિલોગ્રામ સુધીનું વજન ધરાવે છે. આટલા વિશાળ વજન ઉપર વિરાજમાન ભારતીય મહાવતનું વજન પચાસ કિલોગ્રામની આસપાસ હોય છે. જો મહાવત મહાકાય હોય તો તે જેવો હાથી ઉપર ચઢે કે તરત જ બન્નેને સંયુક્ત રીતે હાંફ ચઢે એ શક્ય છે. સાડા છ ફૂટથી માંડીને સાડા અગિયાર ફૂટની ઊંચાઈ ધરાવતા હાથી ઉપર કાબૂ રાખવા માટે પાંચથી સાડા પાંચ ફૂટનો મહાવત પૂરતો થઈ પડે છે. મનુષ્યના મગજનું વજન 'દોઢ' કિલોગ્રામની આસપાસ હોય છે. મહાવત પણ છેવટે તો માણસ જ છે. આથી, સરેરાશ દોઢ કિલોગ્રામનું મગજ ધરાવતો મહાવત આશરે પાંચ કિલોગ્રામનું મગજ ધરાવતા હાથી ઉપર કબજો રાખી શકે છે. હાથી દુનિયાનાં સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી છે. આવા બુદ્ધિશાળી પ્રાણી ઉપર નિયંત્રણ રાખનાર મહાવતને આપણે સૌથી બુદ્ધિશાળી વ્યવસાયિક ગણવો જોઈએ! જોકે, હાથીના શરીર ઉપર નિયમિત ચઢતાં મહાવતો નિશાળનાં પગથિયાં ભાગ્યે જ ચઢ્યા હશે. છતાં, ઘણા મહાવતો હાથીનાં તન ઉપર મનોહર ચિત્રો દોરે છે. લલિત કલા અકાદમીએ આ 'જીવંત' ચિત્રોની હરીફાઈ અને પ્રદર્શનનું આયોજન કરવું જોઈએ. કોઈ નવો શબ્દ ન મળે ત્યાં સુધી, વાચકો મહાવતની પત્નીને મહાવતી કહી શકે છે. આપણી સંસ્કૃતિએ ઘણી મહાસતી આપી, પણ ભાગ્યે જ કોઈ મહાવતી આપી. નિભા નાંબૂદીરી કેરળની એક માત્ર તાલીમસિદ્ધ મહિલા મહાવત છે. મૂળે તો પ્રાણીશાસ્ત્રમાં પારંગત થયેલી નિભા ઈ.સ. ૧૯૯૭થી ૧૯૯૯ના ગાળામાં મહાવતી બની હતી. નિભા વિશે વિદેશી સર્જકો ચલચિત્ર તૈયાર કરે અને આપણે ગૂગલિયાં કરીએ ત્યારે વાતની ખબર પડે છે.
ખાસ સમયે હાથી મદમાં આવે ત્યારે મહાવતની મદદમાં કોણ આવે? તોફાને ચઢનાર હાથી મહાવતને હોદ્દા ઉપરથી છેક નીચે ઉતારી મૂકે અને છેક ઉપર પણ પહોંચાડી શકે! જોકે ચાલુ હાથીએ, હાથીપીઠ ઉપરથી અકસ્માતે લપસી જવાથી મહાવતને દાખલ કરવો પડ્યો હોય એવું તેજવાહિની એકસોઆઠની સેવાની જાણમાં નથી. સૂંઢ ઉપરથી ગમે તેટલી વખત ચઢ-ઉતર કરે તોપણ મહાવતના ગોઠણના સાંધા ઘસાતા નથી. કોઈ ઘૂંટણજ્ઞાનીએ મહાવતના ઢીંચણની જોડી બદલી આપી હોય એવા સમાચાર હજી સુધી વાંચવામાં આવ્યા નથી. ખાધે-પીધે સુખી ઘર કે મંદિરના મહાવતને પણ હાથી ઉપર આવ-જા કરવા માટે લિફ્ટ મુકાવવાનો દુષ્ટ વિચાર આવ્યો નથી. જગતમાં જંગલો ઘટતાં જાય છે. જનસંખ્યા વધતી જાય છે. હાથી જેવાં પ્રાણીઓ ઉપર જોખમ વધતું જાય છે. મહાવતગીરી પણ વિસરાતા જતાં કૌશલ્યમાં વિલીન થઈ રહી છે. વાસ્તવિકતા તો એ છે કે, મહાવતનો વ્યવસાય ઓછા વેતન અને વધુ જોખમનો છે. જીવનવીમો ઉતારતા ભારતીય એજન્ટને મહાવતની કામગીરી કરવાની આવે તો તેઓ ‘હાથી મેરે જીવનસાથી’ નામની વીમાયોજનાનો સુંદર રીતે પ્રચાર કરી શકે એમ છે. 'નયા દૌર' ફિલ્મમાં દિલીપકુમાર ઘોડાગાડીવાનની જગ્યાએ મહાવત હોત તો તેમણે 'સાથી હાથ બઢાના'ની જગ્યાએ 'હાથી સાથ બઢાના' જેવું ગીત ગાવાનું પસંદ કર્યું હોત!
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :
'હળવે હૈયે',
મહાવત એટલે મહાવટ!
'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮
http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/15042015/0/1/
Subscribe to:
Posts (Atom)