Tuesday, December 30, 2025

Sunday, December 21, 2025

રાજ્યસ્તરીય પરિસંવાદમાં વિષય-નિષ્ણાત તરીકે વ્યાખ્યાન


સરદાર વલ્લભભાઈ પટેલની ભાષા 
ડૉ. અશ્વિનકુમાર

વિષય-નિષ્ણાત તરીકે વ્યાખ્યાન
રાજ્યસ્તરીય પરિસંવાદ
સી. બી. પટેલ આર્ટસ કૉલેજ, નડિયાદ 
તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫, રવિવાર 
સવારે ૧૧:૪૦થી ૦૧:૦૦


Saturday, December 20, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1626


'બપોર' એટલે દિવસનો મધ્ય ભાગ, મધ્યાહ્ન, દિવસના બે પ્રહર પત્યા પછીનો સમયગાળો

'બપોર' પુંo, સ્ત્રીo, કે નo?


બપોર થઈ.

કે

બપોર થયો.

કે

બપોર થયું.

Monday, December 15, 2025

MOUNTAIN MOVERS MAKES HISTORY

 



By climbing Mt. Vinson in Antarctica, Surbhi and Hemant becomes First Indian Couple to complete 7 SUMMITS - climbing highest mountains of all 7 continents.
Surbhi becomes oldest Indian female to complete 7 SUMMITS.


Job @ TV9 Gujarati

 


ભાષાની મજા, મજાની ભાષા - 1625


સોનું આપીને કેશ મેળવો.

સોનું આપીને કૅશ મેળવો.

256010446001 : સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો


Paper Code
256010446001

Subject Name

સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો

(Principles of Mass Communication)

Unit 1 એકમ : ૧
૧.૧ : પ્રત્યાયનનો અર્થ અને વ્યાખ્યાઓ
૧.૨ : પ્રત્યાયનની પ્રક્રિયા અને તત્ત્વો
૧.૩ : પ્રત્યાયનના પ્રકારો
૧.૪ : પ્રત્યાયનનાં કાર્યો
૧.૫ : પ્રત્યાયનનું જીવનમાં સ્થાન અને મહત્ત્વ

Unit 2 એકમ : ૨
૨.૧ : પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોનું મહત્વ
૨.૨ : પ્રત્યાયનમાં અંતરાયો અને ગેરસમજો
૨.૩ : પ્રત્યાયનના વાહન તરીકે ભાષાનો ઉદ્દભવ અને વિકાસ
૨.૪ : અસરકારક પ્રત્યાયન માટેના સાત 'સી'
૨.૫ : અસરકારક પ્રત્યાયક તરીકે મહાત્મા ગાંધીજી

Unit 3 એકમ : ૩
૩.૧ : હેરોલ્ડ લાસ્સવેલનું પ્રત્યાયન મોડેલ
૩.૨ : ન્યૂકોમ્બનું પ્રત્યાયન મોડેલ
૩.૩ : મુદ્રણનો ઉદ્દભવ અને વિકાસ
૩.૪ : પ્રકાશનનો ઉદ્દભવ અને વિકાસ
૩.૫ : સમાચાર સંસ્થાઓનો ઉદ્દભવ અને વિકાસ

Unit 4 એકમ : ૪ : પ્રાયોગિક
૪.૧ : માધ્યમોમાં અભિવ્યક્તિની આઝાદી વિષયક સમાચાર-સામગ્રી
૪.૨ : માધ્યમોમાં રાષ્ટ્રીય એકતા વિષયક સમાચાર-સામગ્રી
૪.૩ : માધ્યમોમાં સામાજિક જવાબદારી વિષયક સમાચાર-સામગ્રી
૪.૪ : માધ્યમોમાં પર્યાવરણ વિષયક સમાચાર-સામગ્રી
૪.૫ : માધ્યમોમાં માહિતીનો અધિકાર વિષયક સમાચાર-સામગ્રી

Wednesday, December 10, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1624


આ સીટીમાં સિટી વગાડવાની મનાઈ છે?

આ સિટીમાં સીટી વગાડવાની મનાઈ છે?

Sunday, December 7, 2025

Sunday, November 30, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1621


ગુજરાતી દૈનિકોની ભાષા મુજબ શેરબજારમાં જે બોલે એ 'કડાકો' હોય છે!

Thursday, November 20, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1619


હું આપશ્રીને પૂછીને વિગતો આપીશ.

હું પૂછીને આપશ્રીને વિગતો આપીશ.


Tuesday, November 18, 2025

સંરક્ષણ પત્રકારત્વ || વક્તા : ડૉ. વિવેક ભટ્ટ

 

केन्द्रीय शिक्षा मंत्रालय, राष्ट्रीय बुक ट्रस्ट के सहयोग से अहमदाबाद, गुजरात में आयोजित अंतरराष्ट्रीय बुक फेस्टिवल 2025 में भारतीय विचार मंच की विशेष लेक्चर सीरीज़ में डॉ. विवेक भट्ट का अतिथि वक्ता के तौर पर विशेष संबोधन। 

डॉ. विवेक भट्ट 

देश के एक मात्र पत्रकार जिन्होंने देश की सभी सीमाओं पर , देश की सभी सेनाओं के साथ रह कर उनकी ज़िंदगी पर डोक्युमेंन्ट्रीज बनाई है।

जवानों के की देश भक्ति उनका साहस और बोर्डर पर जीवन यादगार अनुभव के साथ कई कहानियों को सुनने हेतु आमंत्रण है।



આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં જીવનકથા-લેખન વિશે રમેશ તન્નાની કાર્યશાળા


કાર્યશાળા આયોજક રમેશ તન્ના સાથે ગૂજરાત વિદ્યાપીઠના
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ

Saturday, November 15, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1618


'લાઇફલાઇન' શબ્દનું ગુજરાતી ભાષાંતર 'જીવનદોરી' કે 'જીવાદોરી' કરી શકાય.

Monday, November 10, 2025

વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો પ્રારંભ

o ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સ્વાવલંબન યાત્રાનો શુભારંભ
o સેવકો અને કાર્યકરો, પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓની ઉત્સાહભેર સામેલગીરી

ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર 2025 ને સોમવારે સવારે શુભારંભ થયો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના સેવકો, ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોમાં હાલમાં અભ્યાસ કરતાં વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓ, અને સ્થાનિક સંસ્થા 'લોકમંગલમ્'ના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્વાવલંબન યાત્રાનો શુભારંભ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. તેમણે સ્વદેશી અને સ્વાવલંબનનો મહિમા વર્ણવતું પ્રવચન કરીને પદયાત્રીઓનો જુસ્સો વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.


સમગ્ર દિવસ દરમિયાન પદયાત્રીઓએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. ગૂજરાત વિદ્યાપીઠના સેવકોએ અને વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ અને વર્તમાન, ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘની શતાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મનાં 150 વર્ષ, રાષ્ટ્રીય પ્રેરણાગાન 'વન્દે માતરમ્'ની રચનાનાં 150 વર્ષ, અને બિરસા મુંડાના જન્મનાં 150 વર્ષની ઉજવણી વિશે રસપ્રદ વિગતો આપીને સ્વદેશી અને સ્વાવલંબન વિશે વિદ્યાર્થીઓને જાગ્રત કર્યા હતા.

પ્રત્યેક શાળાના પરિસરમાં યોજાયેલા 'સ્વાવલંબન યાત્રા સંમિલન'માં આચાર્યશ્રી, શિક્ષકો, સેવકો, અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.


...........................................................................

વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાના શુભારંભની તસવીરો

























ભાષાની મજા, મજાની ભાષા - 1617


ગુજરાતી અખબારોમાં 'કમબેક' માટે 'પુનરાગમન' કે 'વાપસી' શબ્દને પરત બોલાવવા જેવા છે!


ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી સંમેલન : નિમંત્રણ

સૌ સ્નાતક મિત્રો,

તા. 06-07 ડિસેમ્બર 2025 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી અધિવેશન રાખેલ છે. આ શતાબ્દી અધિવેશનમાં આપ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. આપની ઉપસ્થિતિ અંગે તથા તમારી વિગતો આ સાથે આપેલ લિંક ઉપર ક્લિક કરી ભરવા વિનંતી. આપનો મોબાઈલ નંબર એડ કરી તેના પર ઓટીપી આવશે જે એન્ટર કર્યા પછી જરૂરી વિગતો ભરી શકાશે.


આપ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર જઈને સ્નાતક સંઘ પર ક્લિક કરી ઉપરોક્ત વિગતો અપડેટ કરી શકો છો.


Friday, November 7, 2025

જોરાવરસિંહ જાદવને શ્રદ્ધાંજલિ




તસવીર : ડૉ. કિરણ કાપુરે
ગાંધી-અભ્યાસી
ડૉ. કિરણ કાપુરે
 સાથે

ગૂજરાત વિદ્યાપીઠમાં, કુમાર વિનય મંદિરના પ્રાંગણમાં જોરાવરસિંહ જાદવ
તારીખ : ૦૩-૦૭-૨૦૨૨
તસવીરો : ડૉ. અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી ઉજવણી શુભારંભ 
૦૬-૧૨-૨૦૨૪ ૮૫ વર્ષ 
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે તેઓ 48 વર્ષ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા. તેમણે 10મા અને 11મા ધોરણનો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. તેમણે આચાર્ય ચંદ્રકાંત ઉપાધ્યાય સાથેના એમના શાળાજીવનના અનુભવની વિગતે વાત માંડી હતી. શ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે, મને ગુજરાતી લખતાં આવડતું નહોતું. પણ ગૂજરાત વિદ્યાપીઠમાં હું સાચું ગુજરાતી લખતાં શીખ્યો અને આજે મારાં 115 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં પુસ્તકો આજે પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. તેમણે વર્ષ 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જે સંસ્થા થકી લોકસાહિત્ય, સંસ્કૃતિ અને કળાનો પ્રચાર- પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થા સાથે 5000 લોક-કલાકારો જોડાયેલા છે. શ્રી જોરાવરસિંહ જાદવે કહ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારો અને કેળવણી મને જીવનભર બહુ કામ લાગ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે. તેમણે સ્નાતકોને સંદેશો આપતાં કહ્યું હતું કે, કોઈપણ કાર્ય નિષ્ઠાથી કરો તો એનું ફળ મળશે જ.

ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત // જોરાવરસિંહ જાદવ

 

https://mavjibhai90735916.files.wordpress.com/2018/05/virasat.pdf


વન્દે માતરમ્