અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Gandhi - Birthday. Show all posts
Showing posts with label Gandhi - Birthday. Show all posts
Wednesday, October 2, 2024
Saturday, September 28, 2024
અખબારી યાદી | ગૂજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસના રોજ 'રેંટિયા બારસ'ની ઉજવણી
અખબારી યાદી
ગૂજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસના રોજ 'રેંટિયા બારસ'ની ઉજવણી
તિથિ પ્રમાણે મોહનદાસ કરમચંદ ગાંધી ભાદરવા વદ બારસના રોજ જન્મ્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મતિથિ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે.
મહાત્મા ગાંધીજીએ સન ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તેઓ ૧૯૨૦થી ૧૯૪૮ સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી (ચાન્સેલર) તરીકે સેવારત હતા.
ગૂજરાત વિદ્યાપીઠમાં 'રેંટિયા બારસ'(૨૯-૦૯-૨૦૨૪, રવિવાર)ના રોજ સવારે ૮:૦૦થી ૯:૦૦ દરમિયાન સમૂહ કાંતણનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગૂજરાત વિદ્યાપીઠમાં મોરારજી દેસાઈ મંડપમમાં યોજાશે. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, સેવકો, અધ્યાપકો ભાગ લેશે. વિદ્યાર્થીઓ ખાદીના ગણવેશમાં અને સેવકો, અધ્યાપકો ખાદીનાં સફેદ વસ્ત્રોમાં ભાગ લેશે.
વિશેષમાં, સમગ્ર દિવસ દરમિયાન, ગૂજરાત વિદ્યાપીઠના સેવકો નિર્ધારિત સમયે અને વીસ સભ્યોની ટુકડી પ્રમાણે સવારે ૮:૦૦થી સાંજના ૬:૦૦ સુધીના સમયગાળામાં નિરંતર કાંતણ કરશે.
'રેંટિયા બારસ'ના દિવસે રેટિંયો, ખાદી, અને ગાંધીજીના જીવનકાર્ય વિષયક વિવિધ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પુસ્તક-પ્રદર્શન એક સપ્તાહ સુધી નિહાળી શકાશે.
કુલસચિવશ્રી,
ગૂજરાત વિદ્યાપીઠ
Subscribe to:
Posts (Atom)