Showing posts with label Graam-Shilpee. Show all posts
Showing posts with label Graam-Shilpee. Show all posts

Tuesday, April 12, 2022

ગ્રામશિલ્પી : અશોક ચૌધરી

 

અશોક ચૌધરી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર



અશોક ચૌધરી, પૂર્વ વિદ્યાર્થી, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ 

ગ્રામશિલ્પી તરીકેનું કાર્યક્ષેત્ર 
ગામ : કરુઠા 
તાલુકો : માંડવી 
જિલ્લો : સુરત

Wednesday, November 24, 2021

ગ્રામશિલ્પી રમણભાઈ સંગાડા (દાહોદ) : ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે / Ramanbhai Sangada


ગ્રામશિલ્પી : રમણભાઈ સંગાડા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગ્રામશિલ્પી : રમણભાઈ સંગાડા (પૂર્વ વિદ્યાર્થી, ગૂજરાત વિદ્યાપીઠ)  
ગામ : પરમારના ડુંગરપુર
તાલુકો : સંજેલી 
જિલ્લો : દાહોદ

Monday, January 1, 2018

નિલમ પટેલને ૨૦૧૭ના વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
'ગ્રામશિલ્પી' નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ગ્રામશિલ્પીમિત્રો સાથે નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
હિતચિંતક ધીરુભાઈ ઘેવરિયા સાથે નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નિલમ ધીરુભાઈ પટેલને ૨૦૧૭ના વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

નિલમભાઈ ધીરુભાઈ પટેલનો જન્મ તા. ૨૨-૦૩-૧૯૮૪ના રોજ મુ. ગુંદલાવ (તા. વલસાડ, જિ. વલસાડ)માં થયો હતો. તેઓએ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં અધ્યયન કરીને વર્ષ ૨૦૦૭માં ગ્રામઅર્થશાસ્ત્રના વિષયમાં પારંગત(એમ.એ.)ની પદવી પ્રાપ્ત કરી. ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણવ્યવસ્થાથી તેમના જીવનમાં બદલાવ આવ્યો. ભણીગણીને પુત્ર ઘર અને નોકરીની જવાબદારીઓ સંભાળી લે તેવી પિતાની ઇચ્છાને પૂર્ણ કરવાને બદલે તેઓ ગાંધીવિચાર અનુસાર ગ્રામવિકાસ અને ગ્રામસ્વરાજના સ્વપ્નને સાકાર કરવા ગૂજરાત વિદ્યાપીઠની ‘ગ્રામશિલ્પી યોજના’માં જોડાયા અને સહ્યાદ્રિની ગિરિમાળા વચ્ચે વસેલા તથા શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા જેવી સુવિધાઓથી દૂર એવા મુ. ખોબા(તા. ધરમપુર, જિ. વલસાડ)ને પોતાની કર્મભૂમિ બનાવી.

મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેઓએ શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્ત્રીસશક્તીકરણ, વનસુરક્ષા, રોજગારી, કૃષિસુધારણા, પશુપાલન, ગ્રામોદ્યોગો, લોકપ્રતિકારકતાનો અહિંસક રાહ, યુવકપ્રવૃત્તિ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યાં છે.

વર્ષ ૨૦૧૪માં જાગૃત જન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તેમને ‘જાગૃત જન ઍવોર્ડ’, ૨૦૧૬માં વિચાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ‘ગાંધીમિત્ર ઍવોર્ડ’ તથા ૨૦૧૭માં આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ‘ધરતી રત્ન ઍવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે.

નિલમ પટેલનાં સમાજસેવાનાં કાર્યોને બિરદાવતાં, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૭ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેઓની પસંદગી કરી છે.

શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર : ૨૦૧૭ : અર્પણ સમારોહ


તારીખ : ૦૧-૦૧-૨૦૧૮, સોમવાર
સમય : સવારે ૧૧-૦૦ કલાકે
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


ગૂજરાત વિદ્યાપીઠ, તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ૧૯૯૮થી ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપે છે. વર્ષ ૨૦૧૭નો આ પુરસ્કાર શ્રી નિલમભાઈ ધીરુભાઈ પટેલને આપવાનું ઠરાવવામાં આવ્યું છે. તેઓએ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં અધ્યયન કરીને વર્ષ ૨૦૦૭માં ગ્રામઅર્થશાસ્ત્ર પારંગત (એમ.એ.)ની પદવી પ્રાપ્ત કરી. ગાંધીવિચાર અનુસાર ગ્રામવિકાસ અને ગ્રામસ્વરાજના સ્વપ્નને સાકાર કરવા તેઓ ગૂજરાત વિદ્યાપીઠની ‘ગ્રામશિલ્પી યોજના’માં જોડાયા અને સહ્યાદ્રિની ગિરિમાળા વચ્ચે વસેલા તથા શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા જેવી સુવિધાઓથી દૂર એવા મુ. ખોબા (તા. ધરમપુર, જિ. વલસાડ)ને પોતાની કર્મભૂમિ બનાવી.

'ગ્રામશિલ્પી' નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

નિલમે મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્ત્રીસશક્તીકરણ, વનસુરક્ષા, રોજગારી, કૃષિસુધારણા, પશુપાલન, ગ્રામોદ્યોગો, યુવકપ્રવૃત્તિ, લોકપ્રતિકારકતાનો અહિંસક રાહ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યાં છે. તેમનાં સમાજસેવાનાં આ કાર્યોને બિરદાવવા, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૭ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેમની પસંદગી કરી છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી અને સમારોહના અધ્યક્ષશ્રી ઇલાબહેન ભટ્ટના હસ્તે આ પુરસ્કાર તેઓને અર્પણ કરવામાં આવનાર છે. કુલનાયકશ્રી પ્રા. અનામિકભાઈ શાહ આ સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરશે.

.................................................................................................................................
વિગત-સૌજન્ય : કુલસચિવ-કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Monday, April 10, 2017

કૃષિજીવી ગ્રામશિલ્પી : રાધાકૃષ્ણ શર્મા

રાધાકૃષ્ણ શર્મા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠના ગ્રામશિલ્પી : રાધાકૃષ્ણ શર્મા

ગૂજરાત વિદ્યાપીઠમાં પારંગત( પત્રકારત્વ)નો અભ્યાસ : ૨૦૦૭-૨૦૦૯

સંપર્ક-સરનામું :
'યોગદાન ગ્રામસેવા કેન્દ્ર'
રાટોટી, આગ્રા, ઉત્તર પ્રદેશ, પિન : ૨૮ ૩૧ ૧૩
૯૫૫૭૨૯૪૭૬૭ (હરતો-ફરતો સંપર્ક)

Sunday, January 1, 2017

Wednesday, April 27, 2016

સંસ્થા-કાર્યકર માટે ‘ગ્રામશિલ્પી’ યોજના

'ગ્રામશિલ્પી' એ ગાંધીવિચારના પાયા પર સંપોષી/ટકાઉ વિકાસની ધગશ સાથે આગળ વધવા ઇચ્છનાર સ્નાતક-અનુસ્નાતક યુવાનો માટેનો કાર્યક્રમ છે. છેલ્લા કેટલાક સમયથી આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન કેટલીક સંસ્થાઓ તરફથી આવા ગ્રામશિલ્પી તરીકે કેળવાયેલા કાર્યકર તેમની સંસ્થાને મળે તેવી લાગણી વ્યક્ત થતી હતી. આ વિચાર દ્વારા તેમની સંસ્થાને પણ લાંબા ગાળા માટે ગાંધી વિચાર આધારિત દૃષ્ટિકોણ મળી રહે તે અપેક્ષા તો ખરી જ. આવા કર્મશીલો ગાંધીવિચાર સાથેની સંસ્થાઓને પણ મળે તેવું ગૂજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું છે. આ વર્ષે આવી જ કેટલીક સંસ્થાઓમાંથી પસંદગીની દસેક સંસ્થાઓ માટે 'ગ્રામશિલ્પી'નો કાર્યક્રમ નક્કી કરેલો છે. જેનો મુખ્ય હેતુ ગાંધીવિચારને વરેલી સંસ્થાઓ માટે યોગ્ય કાર્યકર તૈયાર કરવાનો છે. આ કાર્યકર સંસ્થા-સંચાલન, ગાંધીવિચાર, વિકાસની વર્તમાન પરિસ્થિતિની સમજણ, સંપોષી વિકાસ જેવી બાબતોની સમજણ સાથે સ્થાનિક જરૂરિયાત મુજબનાં તળપદાં આયોજનો કરી તેને વૈશ્વિક પરિપેક્ષમાં તપાસી અને તેનું અમલીકરણ કરી શકે. આ સમગ્ર કાર્યક્રમમાં જે મિત્ર તાલીમ માટે જોડાય છે તેને આઠ હજાર રૂપિયાનું માનદ વેતન પ્રતિ માસ જે તે સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે.

આ કાર્યક્રમમાં જોડવા ઇચ્છુક ઉમેદવારનો નક્કી કરેલી તારીખે 'પરિસર મુલાકાત' (કેમ્પસ ઇન્ટરવ્યૂ) કરવામાં આવશે. તેમાંથી પસંદ થયેલા ઉમેદવારને પાંચ દિવસની પસંદગી કાર્યશાળામાં બોલાવવામાં આવશે.

કાર્યક્રમ અંગે વધુ વિગત માટે સંપર્ક:

અમિત જે શાહ : 9723132334; amit.shah@ceeindia.org
પાર્થેશ પંડ્યા : 9825412841; parthesh.panday@ceeindia.org
તેજસ ઠાકર : 079-23274270; tejasthaker@gujaratvidyapith.org

ગ્રામશિલ્પી પસંદગી શિબિર તારીખ ૧૬થી ૨૦ મે, ૨૦૧૬ના રોજ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવેલી છે.

// માહિતી-સૌજન્ય : અમિત જે. શાહ //

વિદ્યાર્થીઓ માટે 'ગ્રામશિલ્પી' યોજના

ગૂજરાત વિદ્યાપીઠ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, અમદાવાદના સહિયારા પ્રયાસોથી ચાલતી ગ્રામશિલ્પી યોજનામાં દર વર્ષે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓ માટે પસંદગી શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષની પ્રકિયાના ભાગરૂપે વિવિધ વિભાગોમાં અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાંથી ઇચ્છુક ઉમેદવારો પસંદગી શિબિરમાં જોડાઈ શકશે. આ કાર્યક્રમમાં જોડાવા માટેના અરજીપત્ર નીચે મુજબના સરનામેથી મેળવી શકાશે.

અમદાવાદ : અરુણભાઈ ગાંધી, રોજગાર પરામર્શ એકમ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
સાદરા : તેજસભાઈ ઠાકર, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, સાદરા

કાર્યક્રમ અંગે વધુ વિગત માટે સંપર્ક :

અમિત જે શાહ : 9723132334; amit.shah@ceeindia.org
પાર્થેશ પંડ્યા : 9825412841; parthesh.panday@ceeindia.org
તેજસ ઠાકર : 079-23274270; tejasthaker@gujaratvidyapith.org

ગ્રામશિલ્પી પસંદગી શિબિર તારીખ ૧૬થી ૨૦ મે, ૨૦૧૬ના રોજ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવેલ છે.

// માહિતી-સૌજન્ય : અમિત જે. શાહ //

Monday, November 2, 2015

ગૌતમ : અડગ ગ્રામશિલ્પી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગ્રામશિલ્પી :
ગૌતમ ચૌધરી

કાર્યક્ષેત્ર : 
ગામ : કાકશાળા (મહારાષ્ટ્રની નજીક આવેલું ગુજરાતનું વનગ્રામ)
તાલુકો : સુબીર
જિલ્લો : ડાંગ

સ્થળ-મુલાકાત : ૦૧-૧૧-૨૦૧૫

Thursday, May 15, 2014

નોખા યુવાનો માટે અનોખો ગ્રામશિલ્પી કાર્યક્રમ


ઉપક્રમ : ગ્રામશિલ્પી કાર્યક્રમ માટેનો પાંચ દિવસનો પસંદગી-શિબિર   

સહયોગી સંસ્થાઓ : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, અમદાવાદ

ઉમેદવાર : તન અને મનથી યુવાન ભાઈઓ-બહેનો

આત્મશ્રદ્ધા : ગાંધીવિચાર દ્વારા સમાજવિકાસ

તૈયારી : આજીવન ગ્રામોત્થાન-કાર્ય

પસંદગી : ગ્રામશિલ્પી કાર્યક્રમ અંગેની પ્રાથમિક સમજ, સર્વાંગી વ્યક્તિત્વ, અને રૂબરૂ મુલાકાત

સંપર્ક સારુ સમય સીમારેખા : ૧૫-૦૫-૨૦૧૪

સઘળી માહિતી માટે મળવા જેવા માણસો :
અમિત જે. શાહ : ૦૭૯-૨૬૪૮૮૭૪૩, ૦૯૭૨૩૧૩૨૩૩૪
પાર્થેશ પંડ્યા :  ૦૭૯-૨૬૮૪૪૭૪૨, ૦૯૮૨૫૪૧૨૮૪૧

-------------------------------------------------------------------------------------------------------


Sunday, November 17, 2013

નીલમ : ખોબા ગામના, ખુલ્લા મનના ગ્રામશિલ્પી


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર




ગ્રામશિલ્પી :
નીલમ પટેલ 

કાર્યક્ષેત્ર : 
ગામ : ખોબા (મહારાષ્ટ્રની હદે આવેલું ગુજરાતનું છેલ્લું ગામ)
તાલુકો : ધરમપુર  
જિલ્લો : વલસાડ

સ્થળ-મુલાકાત : 29-10-2013