Wednesday, September 29, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1258


કયો શબ્દ સાચો છે?


હ્રદય


હ્રદ્દય


હૃદય


હૃદ્દય


હદય


હદ્દય


હ્યદય 


હ્યદ્દય


હ્દય


હ્રુદય


હ્રુદ્દય


હ્રૃદય


હ્રૃદ્દય


તમે સાચી જોડણી શોધવા માટે ખાંખાંખોળા કર્યા હોય તો એનો અર્થ એ કે માતૃભાષા માટે તમારું 'હૃદય' ધબકે છે!


Thursday, September 23, 2021

વિદ્યાપીઠના વિનયમંદિરમાં વિજ્ઞાનજીવી વિષ્ણુભાઈ

 


વિષ્ણુભાઈ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

વિષ્ણુભાઈ પટેલ
ખગોળવિજ્ઞાનના અચ્છા જાણકાર.
સમર્પિત વિજ્ઞાન-શિક્ષક, કુમાર વિનય મંદિર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


તસવીર-તારીખ : ૦૬-૦૫-૨૦૧૯, સોમવાર, સમય : સવારના સાડા છ 
તસવીર-સ્થળ : ગૂજરાત કુમાર વિનય મંદિરનું મેદાન, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

કાર્યક્રમ-કારણ : વિષ્ણુભાઈ પટેલ દ્વારા અનોખું આકાશદર્શન (પરોઢિયે ચારથી છ)
વિષ્ણુભાઈએ ત્રણ અતિશક્તિશાળી દૂરબીન ગોઠવ્યા હતા.
પરિણામે, અમે મેદાનમાંથી આકાશમાં પહોંચી શક્યા.
સોમવારની વહેલી સવારે અમે ગુરુ, શુક્ર, શનિ જોયા!

Monday, September 20, 2021

કાશ્યપી મહાને મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ગુજરાતીમાં અનુવાદ બદલ સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કાર - ૨૦૨૦

 

કાશ્યપી મહા તસવીર સૌજન્ય : પરીક્ષિત જોશી

સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે સુશ્રી કાશ્યપી મહાને પ્રાપ્ત થયો છે. હિન્દીમાં ૨૦૧૫માં મૃદુલા સિન્હા દ્વારા લખાયેલી લંકાપતિ રાવણની પત્ની સતી મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ૨૦૧૬માં પ્રકાશિત થયેલા ગુજરાતી અનુવાદ માટે એમને જાહેર થયો છે. વર્ષ ૨૦૨૦ માટેના આ પુરસ્કારમાં રુ. ૫૦૦૦૦ અને તામ્રપત્રનો સમાવેશ થાય છે. ગુજરાતી અનુવાદ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયો હતો. ‘પરિતપ્ત લંકેશ્વરી’ પુસ્તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમમાં પણ સામેલ થયેલું છે.

કાશ્યપી મહાને આ પહેલાં, અનુવાદ સહિતના લેખિકાના તમામ પ્રકારના પુસ્તકોની શ્રેણીમાં વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ગુજરાતી સાહિત્ય પરિષદનો અનુવાદ પુરસ્કાર પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. અંગ્રેજીમાં પોલ બ્રન્ટન દ્વારા લખાયેલા પુસ્તકનો કાશ્યપી મહા દ્વારા ગુજરાતીમાં થયેલા અનુવાદ ‘હિમાલય અને એક તપસ્વી’ને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. કાશ્યપીએ મરાઠી, હિન્દી, અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અત્યાર સુધીમાં ૬૫ ઉપરાંત પુસ્તકોના અનુવાદ આપ્યાં છે.

કાશ્યપી મહાએ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં ઈ.સ. ૧૯૯૭માં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ પત્રકારત્વમાં એમ.એ. અને એમ.ફિલ.ની પદવી ધરાવે છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પત્રકારત્વના મુલાકાતી અધ્યાપક ઉપરાંત તેઓ વિવિધ ગુજરાતી અખબારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં છે.

તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ રવીન્દ્ર ભવન, નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કંબારની અધ્યક્ષતામાં યોજાયેલી કાર્યકારી મંડળની બેઠકમાં ૨૪ ભારતીય ભાષાઓના પુસ્તકો માટે વર્ષ ૨૦૨૦ના સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કારનો અંતિમ નિર્ણય કરવામાં આવ્યો હતો. પુરસ્કાર માટેના પુસ્તકોનું ચયન માટે દરેક ભાષાની એક ત્રિસદસ્યીય નિર્ણાયક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા માટેની ચયન સમિતિમાં પ્રા. સંજય શ્રીપાદ ભાવે, ડૉ. વર્ષા દાસ અને શ્રી નિરંજન રાજ્યગુરુએ પોતાની સેવાઓ આપી હતી.

આ પહેલાં, વર્ષ ૨૦૨૦ માટે સાહિત્ય અકાદેમી દ્વારા ગુજરાતી ભાષાના સાહિત્યકારો સર્વશ્રી હરિશ મિનાશ્રુ (મુખ્ય પુરસ્કાર), નટવર પટેલ (બાલ પુરસ્કાર) અને અભિમન્યુ આચાર્ય (યુવા ગૌરવ પુરસ્કાર)ને પણ પુરસ્કાર જાહેર થઈ ચૂક્યા છે.

 
(વિગત સૌજન્ય : પરીક્ષિત જોશી)

Saturday, September 18, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1257


'ગાડરડી તરોઈ જાય એટલે કાંઈ ગામ છાશ વગરનું ન રહે.'

ભાષાની મજા, મજાની ભાષા - 1256



'વાયક' એટલે વેણ કે વાક્ય.

સંતો જે વચન આપે એ માટે પણ 'વાયક' શબ્દ વપરાય છે.

લોકબોલીમાં કોઈ સંદેશા માટે 'વાયક' શબ્દ વપરાતો હતો. ભજન કે પાટમાં પધારવા માટે જે મૌખિક નિમંત્રણ આપવામાં આવે એના માટે પણ 'વાયક' વપરાતો હતો.

Friday, September 17, 2021

કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ


'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ
કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ 
ઈ-બુક સંપાદન : રમણ સોની

કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – ૭ પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે.


શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક વિશાળ હતું – નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે.

આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1255


 ગુજરાતી અખબારોની ભાષામાં પ્રત્યાઘાતો 'ઘેરા' પડે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 1254

 

ગુજરાતી અખબારોની ભાષામાં કૃત્ય 'અધમ' હોય છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1253


ગુજરાતી અખબારોની ભાષામાં હુમલો 'હિચકારો' હોય છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1252


નીતિ ન હોવાના કારણે, મનન હોય એ સ્વાભાવિક છે.

નીતિન હોવાના કારણે, મન ન હોય એ સ્વાભાવિક છે.

નીતિન હોવાના કારણે, મનન હોય એ સ્વાભાવિક છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1251


'હિમ' અને 'હેમ' ભિન્ન અર્થ ધરાવે છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1250

 

ગુજરાતી અખબારોની ભાષામાં જવાબ 'જડબાતોડ' હોય છે!



ભાષાની મજા, મજાની ભાષા - 1249


આ પૈકી કઈ જોડણી સાચી છે?


પિડિત

પિડીત

પીડિત

પીડીત

ભાષાની મજા, મજાની ભાષા - 1248


આપણાં અખબારોની ભાષા પ્રમાણે વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય છે!



ભાષાની મજા, મજાની ભાષા - 1247


આપણાં અખબારોની ભાષામાં તંત્ર મોટા ભાગે 'નીંભર' જ જોવા મળે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 1246


આપણાં અખબારોની ભાષાના નસીબમાં 'વિધિની વક્રતા' જોવા મળે છે.


Thursday, September 16, 2021

અડધી ચા અને આખી ચર્ચા

 

ડૉ. ગૌરાંગ જાની, સદાપ્રવૃત્ત સમાજશાસ્ત્રી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

મુરબ્બી, માર્ગદર્શક, મિત્ર ડૉ. ગૌરાંગ જાની સાથે : અડધી ચા અને આખી ચર્ચા 
સ્થળ : કસ્તૂરબા અલ્પાહારગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ
તારીખ : ૧૬-૦૯-૨૦૨૧, ગુરુવાર

ભાષાની મજા, મજાની ભાષા - 1245


નીતિન હોવાના કારણે, તેઓએ મળવાનું ટાળ્યું.

નીતિ ન હોવાના કારણે, તેઓએ મળવાનું ટાળ્યું.

ભાષાની મજા, મજાની ભાષા - 1244


આ શબ્દ બોલતી વખતે કયા અક્ષર પછી જગ્યા રાખશો? 

કે

કોઈ અક્ષર વચ્ચે જગ્યા નહીં રાખો?


શ્રી ધરાણી

શ્રીધ રાણી

શ્રીધરા ણી

શ્રીધરાણી


ભાષાની મજા, મજાની ભાષા - 1243


આપણી ભાષામાં વ્યક્તિને 'જાહેરમાં' ઉતારી પાડવામાં આવે છે, 'ખાનગીમાં' ચઢાવવામાં આવે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 1242


'અમદાવાદમાં બીજે મેડિકલ કૉલેજ છે?'

'ખબર નથી.'


'અમદાવાદમાં બી.જે. મેડિકલ કૉલેજ છે?'

'હા.'


ભાષાની મજા, મજાની ભાષા - 1241

 

ગુજરાતી અખબારોમાં શ્રદ્ધાંજલિ અપાય ત્યારે, આત્મા હંમેશાં 'અમર' જ હોય છે.


Sunday, September 12, 2021

Janushi Raichura : The youngest author of India

conGREATulations!

Janushi Raichura / જાનુષી રાયચુરા

Photograph : Dr. Ashwinkumar
છબી : ડૉ. અશ્વિનકુમાર



આપણે પ્રકાશવર્ષમાં જીવીએ છીએ!


 પ્રકાશનો ધ્વનિ : કાન દઈને સાંભળીએ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


નવી પેઢીને જોડતી પાર્થ-પ્રકાશ પ્રશ્નોત્તરી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

 યુવાનો સાથેનું પ્રકાશમાન હાસ્ય  
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Friday, September 10, 2021

આચાર્ય કૃપાલાની અવકાશી વ્યાખ્યાનમાળા વક્તા : પ્રકાશ ન. શાહ


પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિતે
ગાંધી અધ્યયન વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
આયોજિત
આચાર્ય કૃપાલાની વ્યાખ્યાનમાળા

* વ્યાખ્યાન શ્રેણી ઉદ્ઘાટન કાર્યક્રમ
Saturday, 11 September, 2021 
11:00 am – 1:00 pm
ગૂગલ મીટ લિંક
યુ ટ્યુબ લિંક

* 'સ્વરાજ સાધના' વ્યાખ્યાન માળા
Date: 13 to 24 September, 2021
Time: 4:00 pm - 5:30 pm
યુ ટ્યુબ લિંક
ગૂગલ મીટ લિંક

Sunday, September 5, 2021

સમર્પિત શિક્ષક અને સંસ્થા-સંચાલક : કુમુદભાઈ ઠાકર (લોકભારતી - સણોસરા)


કુમુદચંદ્ર ઠાકર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

'દર્શક'ના દેશમાં મૈત્રીભાવનું પવિત્ર ઝરણું


લોકભારતી - સણોસરા થકી પાંગરેલી મૈત્રી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


કુમુદભાઈ ઠાકર અને રતિભાઈ પંડ્યા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર