Showing posts with label Krishnalal Shridharani. Show all posts
Showing posts with label Krishnalal Shridharani. Show all posts

Sunday, March 9, 2025

વડલો || કૃષ્ણલાલ શ્રીધરાણી


અમે તો સૂરજના છડીદાર 
અમે તો પ્રભાતના પોકાર !....ધ્રુવ૦

સૂરજ આવશે સાત ઘોડલે 
અરુણ રથ વ્હાનાર !

આગે ચાલું બંદી બાંકો, 
પ્રકાશ-ગીત ગાનાર !....અમે૦

નીંદરને પારણીએ ઝૂલે, 
ધરા પડી શુનકાર !
ચાર દિશાના કાન ગજાવી, 
જગને જગાડનાર !....અમે૦

પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં, 
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલા સર્વ પોપચે, 
જાગૃતિ-રસ પાનાર !....અમે.

Friday, September 17, 2021

કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ


'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ
કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ 
ઈ-બુક સંપાદન : રમણ સોની

કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – ૭ પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે.


શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક વિશાળ હતું – નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે.

આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.