Thursday, October 3, 2024

ગ્રામજીવન-પદયાત્રા : સૂચનાઓ

ગૂજરાત વિદ્યાપીઠનું ઓળખપત્ર સાથે રાખવું.

ખાદીનો માન્ય ગણવેશ અને ખાદીનાં અન્ય વસ્ત્રો ગૌરવથી ધારણ કરવાં. 

પાથરવા-ઓઢવાની હળવી ચાદર જેવી જરૂરી વસ્તુઓ સાથે લઈને આવવું. 

સહેલાઈથી  ઊંચકી શકાય એટલો જ સામાન લાવવો.

જરૂરી દવાઓ સાથે રાખવી.    

ગ્રામજીવન-પદયાત્રા હોવાથી ગ્રામીણ જીવન અને પદયાત્રાના નિયમો ધ્યાનમાં રાખવાં.

ખેડૂત કે માલિકને પૂછ્યા વિના ખેતર કે વાડીમાંથી કોઈપણ વસ્તુ તોડવી નહીં.

સ્થાનિક સંસાધનોનો વિવેકપૂર્વક અને ચીવટપૂર્વક ઉપયોગ કરવો.

ગ્રામજીવન-પદયાત્રાનું સમયપત્રક જાળવવું.

ગ્રામજીવન-પદયાત્રાનો રોજેરોજનો અહેવાલ લખતાં રહેવું.

ગરમીની ઋતુમાં માથું ઢાંકવું.

પાણીની બાટલી લાવવી.

સ્વયંશિસ્તમાં છતાં આનંદમાં રહેવું!


Wednesday, October 2, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં પૂજ્ય ગાંધીજીની 155મી જન્મ જયંતીની ભવ્ય અને ભાવસભર ઉજવણી : અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

 *ગૂજરાત વિદ્યાપીઠમાં પૂજ્ય ગાંધીજીની 155મી જન્મ જયંતીની ભવ્ય અને ભાવસભર ઉજવણી : અનેકવિધ કાર્યક્રમોનું આયોજન*

-------------

*માનવતા અને વિશ્વ કલ્યાણ માટે 'સત્ય' અને 'અહિંસા'નું પૂજ્ય બાપુનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે : શ્રી આચાર્ય દેવવ્રતજી*

-------------

*વિદ્યાપીઠના 1800 વિદ્યાર્થીઓ 21 થી 26 ઑક્ટોબર દરમિયાન 18,000 ગામોમાં પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન સાથે ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે*

--------------

*વિવિધ દેશો વચ્ચે વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ છે ત્યારે આખા વિશ્વને 'ગાંધી વિચાર'ની તરસ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી* 

-----------------

*ગાંધી જયંતી સમારોહમાં ગાંધી પ્રિય ભજનોની પ્રસ્તુતિ : બેટરી ઓપરેટેડ કાર્ટનું લોકાર્પણ : પૂ. મહાત્માને મળેલા માનપત્રો અને પ્રશસ્તિ પત્રોના કાયમી પ્રદર્શનનું ઉદ્ઘાટન : જમનાલાલ બજાજ કલાકક્ષ-આર્ટ ગેલેરીનો શુભારંભ : કન્યા છાત્રાલય પરિસરમાં સામૂહિક સફાઈ અભિયાન*

 

-----------------


પૂજ્ય મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતી એ ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, "મેરા જીવન હી મેરા સંદેશ હૈ." પૂજ્ય બાપુનું આ કથન જીવન વ્યવહારમાં ઉતારવાની આવશ્યકતા છે. માનવતા અને વિશ્વ કલ્યાણ માટે 'સત્ય' અને 'અહિંસા' માટેનું તેમનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે.


ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધી ગ્રામજીવન પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. વિદ્યાપીઠના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સેવકો સાથે 1800 જેટલા વિદ્યાર્થીઓ તારીખ 21 થી 26 ઑક્ટોબર દરમિયાન ગુજરાતના 18,000 જેટલા ગામોમાં પદયાત્રા કરશે અને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તથા સંપદાના સંરક્ષણ માટેના પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન માટે ખેડૂતો-ગ્રામજનોને પ્રેરણા અને પ્રશિક્ષણ આપશે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની ચિંતા કરીને સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી અભિયાનનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાકૃતિક ખેતી મહાઅભિયાનથી ગ્રામીણ પરિવારોની સૌથી મોટી સેવા થશે, ગામડાં સમૃદ્ધ થશે.


પૂજ્ય ગાંધીજીએ કહ્યું છે કે, ભારતના વિકાસનો માર્ગ ગામડાઓમાં થઈને નીકળે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય ગાંધીજીના આ અવતરણને ટાંકીને કહ્યું હતું કે, ગ્રામ વિકાસ અને અંત્યોદયથી જ ભારતને સમૃદ્ધ અને વિકસિત બનાવી શકાશે. ગામનો પૈસો ગામમાં રહે અને શહેરનો પૈસો પણ ગામમાં આવે તો ગ્રામ વિકાસ થાય. 'સાદું જીવન અને ઉચ્ચ વિચારો' - પૂજ્ય બાપુના વ્યવહારમાં રહેલી સાદગી અને તેમના વિચારોથી આખું વિશ્વ આજે તેમને આદરપૂર્વક નમન કરે છે. વિશ્વમાં માનવતારહિત વિચારોને કારણે વિવિધ દેશો વચ્ચે વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ છે ત્યારે આખા વિશ્વને 'ગાંધી વિચાર'ની તરસ છે.


પૂજ્ય ગાંધીજી પ્રાકૃતિક જીવન જીવતા હતા, એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રકૃતિ માનવની તમામ જરૂરિયાતની પૂર્તિ કરી શકે છે, તેની લાલચની પૂર્તિ કરી શકતી નથી. મનુષ્યએ પોતાની લાલચની પૂર્તિ માટે પ્રકૃતિનું શોષણ કર્યું છે. તેનું જ પરિણામ ગ્લોબલ વૉર્મિંગ છે. પ્રાકૃતિક ખેતી પ્રકૃતિની સંપદાના સંરક્ષણનું અભિયાન છે. સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું અભિયાન છે. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓના પ્રાકૃતિક ખેતીના સંદેશ સાથેની ગાંધી ગ્રામજીવન પદયાત્રામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી રાષ્ટ્ર કલ્યાણનું અભિયાન છે. માતા-પિતાને અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપશો તો ધરતી સોનું થઈ જશે. ક્યારેય પૂર નહીં આવે, બધું પાણી જમીનમાં શોષાઈ જશે, જળસંચય થશે. આહાર શુદ્ધ થશે. સ્વાસ્થ્ય સુધરશે. પ્રદૂષણ દૂર થશે. એક કામથી અનેક લાભ થશે. તેમણે પ્રાકૃતિક ખેતી વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજણ આપી હતી.


ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીના પાવન પર્વે ગાંધી પ્રિય ભજનોનો કાર્યક્રમ યોજાયો હતો. આકાશવાણી અને દૂરદર્શનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયકો શ્રી હસમુખ પાટડીયા અને શ્રી કલ્યાણી કૌઠાળકરે ગાંધી પ્રિય ભજનોની સુમધુર પ્રસ્તુતિ કરી હતી.


વિધાપીઠ પરિસરની સ્વચ્છતા અને શાંતિને ધ્યાનમાં લઈને પ્રદૂષણ રહિત પર્યાવરણને અનુકૂળ બેટરી ઓપરેટેડ કાર્ટ વસાવવામાં આવ્યું છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂર્વ શિક્ષણ મંત્રી અને વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુલપતિ શ્રી ડૉ.હર્ષદ પટેલ સાથે આ કાર્ટમાં પહેલી સફર કરીને તેનું લોકાર્પણ કર્યું હતું.


ગૂજરાત વિધાપીઠ પરિસરમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં પૂ. મહાત્મા ગાંધીજીને વિશ્વભરમાંથી મળેલા 26 જેટલા માનપત્રો અને પ્રશસ્તિ પત્રોનું વિશિષ્ટ કાયમી પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ દીપ પ્રગટાવીને આ પ્રદર્શન કક્ષનું ઉદઘાટન કર્યું હતું.


વિજ્ઞાન અને કલાના વિકાસ માટે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં જમનાલાલ બજાજ કલાકક્ષ-આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે. શ્રી જમનાલાલ બજાજ કલાકક્ષ-આર્ટ ગેલેરીમાં કલાકારો પોતાના પ્રદર્શન પણ આયોજિત કરી શકશે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ કલાકક્ષ ખુલ્લો મુક્યો હતો. 


ગાંધી જયંતીના વિવિધ કાર્યક્રમોના અંતે કન્યા છાત્રાલય પરિસરમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરાયું હતું શ્રી આચાર્ય દેવવ્રતજી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને સૌએ સામૂહિક શ્રમયજ્ઞ કર્યો હતો.


ગાંધી જયંતીના આ સમારોહમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટિમ્બડીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. કે. બી. કથિરિયા, ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ ઠાકર તેમજ શ્રી સુરેશ રામાનુજ તથા વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ શ્રી ડૉ.નિખિલ ભટ્ટ,  વિદ્યાપીઠના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

-------------------

ગૂજરાત વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી | જીવંત પ્રસારણ | સૌજન્ય : 'દૂરદર્શન' ન્યૂસ ગુજરાતી



સત્યના પ્રયોગો અથવા આત્મકથા | મોહનદાસ કરમચંદ ગાંધી


https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE

October 2, 1869


https://www.calculator.net/day-of-the-week-calculator.html?today=10%2F02%2F1869&x=Calculate

Tuesday, October 1, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી

અખબારી યાદી (પ્રેસ નોટ)

ગૂજરાત વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી

૦ આકાશવાણીના ગાયકવૃંદ દ્વારા ગાંધીજીનાં પ્રિય ભજનોની રજૂઆત

૦ કુલાધિપતિશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક વ્યાખ્યાન

૦ મહાત્મા માનપત્ર ખંડનું લોકાર્પણ

૦ પ્રદૂષણ રહિત, પર્યાવરણ સુરક્ષિત વાહનનું લોકાર્પણ

૦ જમનાલાલ બજાજ કલાકક્ષનું લોકાર્પણ

૦ પરિસરમાં સમૂહ સફાઈ અભિયાન

૦ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાકૃતિક ખેતી માટે શિબિરનું આયોજન

તા. 2 ઑક્ટોબર, 2024 ને બુધવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસરમાં મહાત્મા ગાંધીજીની 155મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે, ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલશ્રી તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણી કાર્યક્રમમાં આકાશવાણી, અમદાવાદના ગાયકવૃંદ દ્વારા મહાત્મા ગાંધીજીનાં પ્રિય ભજનો રજૂ કરવામાં આવશે. કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં યોજાશે. જેમાં શૈક્ષણિક, બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ ભજન કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીનાં જીવનમૂલ્યો અને તેમના વિચારોનું સ્મરણ કરવામાં આવશે. આ સાથે, ગાંધીજીનાં વિચારો અને મૂલ્યોને પુનઃ પ્રતિબિંબિત કરીને સમાજમાં ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક, બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓ એમ મળીને કુલ 1800 વ્યક્તિઓ ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે. ગુજરાતનાં કુલ 18,000 ગામડાંમાં તા. 21 થી 26 ઑક્ટોબર 2024 એમ કુલ 6 દિવસો દરમિયાન પ્રાકૃતિક ખેતી આધારિત ‘સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંપદા સંરક્ષણનું મહાઅભિયાન’ આદરવામાં આવશે. ગાંધીજીના રચનાત્મક અને રાષ્ટ્રપોષક વિચારોને કટિબદ્ધ કરવાના હેતુને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશો સાથે આદરણીય કુલાધિપતિશ્રી 1800 પદયાત્રીઓને પ્રાકૃતિક ખેતી અંગે અભિમુખ કરશે.

મહાત્મા ગાંધીજીને વિશ્વભરમાંથી મળેલાં માનપત્રો અને પ્રશસ્તિપત્રોના વિશિષ્ટ પ્રદર્શન માટે, પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રથમ માળે, ગાંધી મૌનખંડની બાજુમાં માનપત્ર ખંડનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ગાંધીજીના જીવનનાં મૂલ્યો અને વિશ્વભરમાં તેમના પ્રત્યેના આદરને ઉજાગર કરનાર કુલ 26 જેટલાં સન્માનપત્રો રજૂ કરવામાં આવશે. જે ગાંધીજીના વિચારો પ્રત્યેના આદરભાવ સાથે તેમને વિશ્વભરમાં આપવામાં આવેલાં માનની પ્રતીતિ કરાવે છે.

વિદ્યાપીઠમાં પર્યાવરણ અને સ્વચ્છતાના મહત્ત્વને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ રહિત અને પર્યાવરણને અનુકૂળ વાહનોનો પ્રચાર કરવા માટે આદરણીય કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પર્યાવરણ સુરક્ષિત વાહનનું લોકાર્પણ કરવામાં આવશે.

ગૂજરાત વિદ્યાપીઠમાં વિજ્ઞાન અને કલા શાખાના વિકાસ માટે જમનાલાલ બજાજ કલાકક્ષનું લોકાર્પણ કરવામાં આવશે. આ કલાકક્ષ વિદ્યાર્થીઓને નવીન વિચારો અને સર્જનાત્મકતા તરફ પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત કરવામાં આવશે.

વિદ્યાપીઠના પરિસરમાં શ્રમદાન અને સ્વચ્છતા માટે મહાત્મા ગાંધીજીના આદર્શોને અનુસરતા, સમગ્ર પરિસરમાં સામૂહિક સફાઈનું આયોજન કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલશ્રી તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક, બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

તા. ૨ ઑક્ટોબરથી ૬ ઑક્ટોબર દરમ્યાન પ્રાકૃતિક ખેતી માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પદયાત્રીઓ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેતી સંબંધિત જ્ઞાન અને અનુભવોને ગુજરાતનાં ગામડાંમાં ફેલાવી શકે તથા ખેતરોમાં કાર્યક્ષમ રીતે તેનો અમલ કરી શકે. શિબિરમાં પ્રાકૃતિક ખેતીનાં વિવિધ પાસાં જેવાં કે જમીનનું સ્વાસ્થ્ય, પાણીનો સચોટ ઉપયોગ, બીજ જાતિ સંરક્ષણ અને રાસાયણિક ખાતરોના વિકલ્પો વિશે ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક, બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓના જૂથ અનુસાર કુલ 1800 પદયાત્રીઓને ચાર જૂથોમાં પ્રતિજૂથ 200 પદયાત્રીઓને સૈદ્ધાંતિક તેમજ આઠ જૂથોમાં પ્રતિજૂથ 50 પદયાત્રીઓને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. ગૂજરાત વિદ્યાપીઠનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના નિયામકશ્રીઓ તથા વિષયનિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે.

તા. ૦૧-૧૦-૨૦૨૪           કા. કુલસચિવ
અમદાવાદ                  ગૂજરાત વિદ્યાપીઠ

તા. ક. : પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ મુકામે, ૦૨-૧૦-૨૦૨૪ ને બુધવારના રોજ, સવારે ૮:૩૦ સુધીમાં સ્થાન લઈ લેવા વિનંતિ.

🙏

ગ્રામજીવનયાત્રા


વિદ્યાર્થીમિત્રોએ, મોરબી જિલ્લામાં ગ્રામજીવનયાત્રા માટે, તારીખ ૨૦-૧૦-૨૦૨૨ ને રવિવારના રોજ, ખાદીના ગણવેશ/પહેરવેશમાં નિર્ધારિત બસ-મથકે આવવું.

સ્થાનિક સહયોગી સંસ્થાના જણાવ્યા અનુસાર, પાથરવા અને ઓઢવા માટેની ચાદર લઈને આવવું. આવશ્યક દવાઓ સાથે રાખવી. કિંમતી ચીજ-વસ્તુઓ ઘરે રાખવી.

આ વિદેશ-પ્રવાસ નથી, પણ ગ્રામ-યાત્રા છે. આપણે જાતે જ, સહેલાઈથી ઊંચકી શકીએ એટલો સામાન લઈને આવવા વિનંતિ છે.

ગ્રામજીવન પદયાત્રા માટેની ઢગલાબંધ નહીં પણ, હળવી શુભેચ્છાઓ!


Monday, September 30, 2024

ગુજરાતી અંગત નિબંધો


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A4_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B

શિક્ષણ : હેતુ સાથેનો સેતુ


કનુ દેસાઈ

ઉમાશંકર જોશી

કૃષ્ણલાલ શ્રીધરાણી

પ્રહ્લાદ પારેખ

બચુભાઈ શુક્લ

ભોગીલાલ ગાંધી

પ્રહ્લાદ પારેખ

નટવરલાલ માળવી

 



શાંતિનિકેતન


https://gujarativishwakosh.org/%E0%AA%B6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%A4%E0%AA%A8/

Sunday, September 29, 2024

ચકલાઓ, ભણશો તો ચણશો!


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ભાષાની મજા, મજાની ભાષા - 1527


તિથિ પ્રમાણે મોહનદાસ કરમચંદ ગાંધી ભાદરવા વદ બારશના રોજ જન્મ્યા હતા.
ગાંધીજીની જન્મતિથિ 'રેંટિયાબારસ' તરીકે ઊજવાય છે.


'... હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑક્ટોબરની બીજી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્‍મ પામ્‍યો.'

- મોહનદાસ કરમચંદ ગાંધી
સત્યના પ્રયોગો અથવા આત્મકથા / ભાગ પહેલો : ૧. જન્મ


Saturday, September 28, 2024

અખબારી યાદી | ગૂજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસના રોજ 'રેંટિયા બારસ'ની ઉજવણી

અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસના રોજ 'રેંટિયા બારસ'ની ઉજવણી

તિથિ પ્રમાણે મોહનદાસ કરમચંદ ગાંધી ભાદરવા વદ બારસના રોજ જન્મ્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મતિથિ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે.

મહાત્મા ગાંધીજીએ સન ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તેઓ ૧૯૨૦થી ૧૯૪૮ સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી (ચાન્સેલર) તરીકે સેવારત હતા.

ગૂજરાત વિદ્યાપીઠમાં 'રેંટિયા બારસ'(૨૯-૦૯-૨૦૨૪, રવિવાર)ના રોજ સવારે ૮:૦૦થી ૯:૦૦ દરમિયાન સમૂહ કાંતણનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગૂજરાત વિદ્યાપીઠમાં મોરારજી દેસાઈ મંડપમમાં યોજાશે. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, સેવકો, અધ્યાપકો ભાગ લેશે. વિદ્યાર્થીઓ ખાદીના ગણવેશમાં અને સેવકો, અધ્યાપકો ખાદીનાં સફેદ વસ્ત્રોમાં ભાગ લેશે.

વિશેષમાં, સમગ્ર દિવસ દરમિયાન, ગૂજરાત વિદ્યાપીઠના સેવકો નિર્ધારિત સમયે અને વીસ સભ્યોની ટુકડી પ્રમાણે સવારે ૮:૦૦થી સાંજના ૬:૦૦ સુધીના સમયગાળામાં નિરંતર કાંતણ કરશે.

'રેંટિયા બારસ'ના દિવસે રેટિંયો, ખાદી, અને ગાંધીજીના જીવનકાર્ય વિષયક વિવિધ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પુસ્તક-પ્રદર્શન એક સપ્તાહ સુધી નિહાળી શકાશે.

કુલસચિવશ્રી,
ગૂજરાત વિદ્યાપીઠ

Thursday, September 19, 2024

'સ્વામી આનંદ : જીવન-ઘડતર અને સાહિત્ય-સર્જન' વિશે વ્યાખ્યાન


ડૉ. અશ્વિનકુમાર
વિષય : 'સ્વામી આનંદ : જીવન-ઘડતર અને સાહિત્ય-સર્જન'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૯-૦૯-૨૦૨૪, ગુરુવાર


Wednesday, September 18, 2024

ગ્રામજીવન-પદયાત્રા : ૨૦૨૪

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ

ગ્રામજીવન-પદયાત્રા

૨૦-૧૦-૨૦૨૪, રવિવારથી ૨૬-૧૦-૨૦૨૪, શનિવાર

જિલ્લો : મોરબી

તાલુકા : હળવદ, મોરબી, મિયાણા

૧૦ વિદ્યાર્થીઓ + ૦૧ અધ્યાપક = ૧૧ સભ્યો
(૦૪ બહેનો + ૦૭ ભાઈઓ)

ગ્રામજીવનયાત્રાનો મુખ્ય વિષય : પ્રાકૃતિક ખેતી

પહેલા ત્રણ દિવસ : સામૂહિક ગ્રામ-સંપર્ક

છેલ્લા ત્રણ દિવસ : વ્યક્તિગત ગ્રામ-સંપર્ક

Mastering Survey Question Design || Dr. Uma Shankar Pandey


https://youtu.be/52uM0C_s1WI


Monday, September 16, 2024

Gandhi and His Spinning Wheel: The Story Behind an Iconic Photo || Ben Cosgrove


https://www.life.com/people/gandhi-and-his-spinning-wheel-the-story-behind-an-iconic-photo/

Mahatma Gandhi : Quotations : Spinning Wheel


https://mkgandhi-sarvodaya.blogspot.com/search?q=Spinning+Wheel


ગાંધીજી : દિનવારી : સપ્ટેમ્બર : ૧૯૩૩

 



Mahatma Gandhi : Quotations : Journalism


https://mkgandhi-sarvodaya.blogspot.com/2012/08/thought-for-day-journalism.html

https://www.gandhiheritageportal.org/cwmg_volume_thumbview/MjY=#page/359/mode/1up

https://mkgandhi-sarvodaya.blogspot.com/search?q=Journalism



Sunday, September 15, 2024

Know Your City: ‘Kumar’ magazine turns 100, how it has contributed to art and literature in Gujarat | Ritu Sharma


https://indianexpress.com/article/cities/ahmedabad/know-your-city-kumar-magazine-turns-100-gujarat-9568948/

Vocabulary


https://www.vocabulary.com/dictionary/goodbye

Haida Gwaii, also known as the Queen Charlotte Islands


https://youtu.be/oMNC2boYaq0?feature=shared

બચુભાઈ રાવત : એક પણ પુસ્તક લખ્યા વિના ગુજરાતની ત્રણ પેઢીઓનાં ઘડતરમાં ફાળો આપનાર સંપાદક | ઉર્વીશ કોઠારી


https://www.bbc.com/gujarati/articles/cw423nn27xwo

છૂંદણાં || Tattoos

 


Wednesday, September 11, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1526


સાચી જોડણી કઈ?

'ન્યાયાધીશ' કે 'ન્યાયાધિશ'?


ભાષાની મજા, મજાની ભાષા - 1525


સાચો શબ્દ કયો છે?

'લાલચુ' કે 'લાલચી'?

Viral video on ‘Indian English’


https://www.hindustantimes.com/trending/loose-motion-to-time-pass-american-womans-viral-video-on-indian-english-is-spot-on-101726030029376.html




ભાષાની મજા, મજાની ભાષા - 1524


આમાંથી સાચી જોડણી કઈ? 
જવાબ સાચા ઉચ્ચાર દ્વારા આપવો!

શુશીલા

સુશીલા

શુસીલા

સુસીલા

ભાષાની મજા, મજાની ભાષા - 1523


સાચો શબ્દ કયો છે?
'દિલચસ્પી' કે 'દિલચશ્પી'?

ગ્રંથસાર


https://granthsar.glide.page/dl/6471c6

Monday, September 2, 2024

ગાંધીકથા || ઉમાશંકર જોશી


અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ગાંધીજીના પ્રમુખપદે મળી રહી હતી. હૉલ ખીચોખીચ ભરાયેલો હતો. ગાંધીજીનું ભાષણ શરૂ થયું. સભામાંથી ‘માઈક!' ‘માઈક!' એવા અવાજો આવ્યા.

ગાંધીજીએ કહ્યું : “શાંતિ રાખો ને સાંભળો. સંભળાશે. સંભળાય છે ને હવે?”

છેક સામેની દીવાલને અઢેલીને ઊભેલા એક કાર્યકરે કહ્યું : “ના જી, નથી સંભળાતું!”

ગાંધીજી : “તો આ કેવી રીતે સંભળાયું?” અને આખી સભા ખડખડાટ હસી પડી.

હાસ્યનાં મોજાં શમ્યાં અને પાછળ પ્રસન્ન શાંતિ મૂકતાં ગયાં.

(જોશી, ૧૯૬૯, પૃ : ૧૨૦)

ગાંધીકથા
ઉમાશંકર જોશી
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
અમદાવાદ : ૩૮૦ ૦૦૧
પહેલી આવૃત્તિ : ૧૯૬૯
પુનર્મુદ્રણ : ૨૦૧૭

એકત્ર ગ્રંથાલય - સમગ્ર સૂચિ


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF#%E0%AA%85%E0%AA%B2%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80

ભાષાની મજા, મજાની ભાષા - 1520


'કાંચ' નહીં, 'કાચ' ન વાગે એનું ધ્યાન રાખવું.


ભાષાની મજા, મજાની ભાષા - 1519


આંખ ક્યારે ઘારણ ધારણ કરે તે કાંઈ કહેવાય નહીં!


ભાષાની મજા, મજાની ભાષા - 1518


'સંબધ' નહીં, 'સબંધ' નહીં, પણ 'સંબંધ' જ.

'સંબંધ'માં બે અનુસ્વારો વચ્ચે સંબંધ છે એમ માનવું!


ભાષાની મજા, મજાની ભાષા - 1517


'અભિભૂત' એટલે 'હારેલું', 'અપમાનિત', 'પ્રભાવિત', 'અંજાયેલું'.

તમે કયા અર્થમાં અભિભૂત થવાનું પસંદ કરશો?!

ભાષાની મજા, મજાની ભાષા - 1516


જો માનવું જ હોય તો, 'નશીબ'માં નહીં, પણ 'નસીબ'માં માનવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1515


'એન્વાયરમેન્ટ' નહીં, 'એન્વાયર્નમેન્ટ' બચાવો!

ભાષાની મજા, મજાની ભાષા - 1514


આજે છેલ્લો 'પીડિયર' રમતગમતનો છે?

આજે છેલ્લો 'પીરિયડ' રમતગમતનો છે?

ભાષાની મજા, મજાની ભાષા - 1513


'બ્રેઇન ડેડ' માટે 'મગજ મૃત' શબ્દ-પ્રયોગ કરી શકાય.

ભાષાની મજા, મજાની ભાષા - 1512


જીવનમાં 'પોગ્રેસ' નહીં, 'પ્રોગ્રેસ' કરો!

ભાષાની મજા, મજાની ભાષા - 1511


'મોટિવેશનલ સ્પીકર' માટે 'પ્રેરક વક્તા' જેવો ગુજરાતી શબ્દ-પ્રયોગ કરી શકાય.

Sunday, September 1, 2024

મકરન્દ મહેતા અને શિરીન મહેતાનાં પુસ્તકો


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%AE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AB%8B

અગ્રગણ્ય ઇતિહાસકાર ડૉ. મકરંદ મહેતાનું અવસાન


ડૉ. મકરંદ મહેતા
Photograph : Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ડૉ. મકરંદ મહેતા, અગ્રગણ્ય ઇતિહાસકાર
જન્મ : ૨૫-૦૫-૧૯૩૧ 
નિધન : ૦૧-૦૯-૨૦૨૪

ભાષાની મજા, મજાની ભાષા - 1510


'સ્ટંટ'નો અનુવાદ કરવાનો 'કરતબ' કરવા જેવો ખરો!

ભાષાની મજા, મજાની ભાષા - 1509


અશ્કય કુમાર આગામી ફ્લિમમાં ચાલતી રિશ્કાએ સ્ટંટ કરવાનું રિક્સ લેશે.
અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ચાલતી રિક્ષાએ સ્ટંટ કરવાનું રિસ્ક લેશે.

ભાષાની મજા, મજાની ભાષા - 1508


જીવનમાં 'રિક્સ' ન લેવું, પણ 'રિસ્ક' તો લેવું પડે!

ભાષાની મજા, મજાની ભાષા - 1507


કોઈ ભલે 'રિશ્કા' કરે, આપણે તો 'રિક્ષા' કરવી!

ભાષાની મજા, મજાની ભાષા - 1506


મનોરંજન માટે 'ફ્લિમ' ન જોવી, પણ 'ફિલ્મ' જોવી જોઈએ.

ભાષાની મજા, મજાની ભાષા - 1505


'અશ્કય કુમાર'ની ખબર નથી, પણ 'અક્ષય કુમાર' અભિનેતા છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1504


વાયદો ખોટો પડ્યો.
વાયડો ખોટો પડ્યો.


ભાષાની મજા, મજાની ભાષા - 1503


એ ચંપારણમાં ભૂલી પડી?
એ ચંપા રણમાં ભૂલી પડી?

ભાષાની મજા, મજાની ભાષા - 1502


ગુજરાતી દૈનિકોની ભાષા મુજબ, અદાલત ફગાવે એ 'જામીન' હોય છે!


મહાદેવ દેસાઈ : જીવન અને લેખન


https://www.eshabda.online/navajivan/navakshardeh/2024/2024_08_09/


ભાષાની મજા, મજાની ભાષા - 1501


કઈ બૅન્કમાં સૌથી ઓછું વ્યાજ દર હોય છે?

કઈ બૅન્કમાં સૌથી ઓછો વ્યાજ દર હોય છે?

Working Journalists and other Newspaper Employees (Conditions of Service) and Miscellaneous Provisions Act, 1955


https://www.indiacode.nic.in/handle/123456789/1504/

श्रमजीवी पत्रकार और अन्य समाचारपत्र कर्मचारी (सेवा की शर्तें) और विविध प्रावधान अधिनियम, 1955


https://ruralindiaonline.org/en/library/resource/the-working-journalists-and-other-newspaper-employees-act/

Friday, August 30, 2024

'ઝવેરચંદ મેઘાણી : સાહિત્ય અને પત્રકારત્વ' વિશે વ્યાખ્યાન


ડૉ. અશ્વિનકુમાર
વિષય : 'ઝવેરચંદ મેઘાણી : સાહિત્ય અને પત્રકારત્વ'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૩૦-૦૮-૨૦૨૪, શુક્ર
વાર

Wednesday, August 28, 2024

Job @ Gandhinagar | Gujarati to Hindi Translation


*तत्काल आवश्यकता है*
----------------------

तत्काल *गुजराती से हिन्दी अनुवादक* की।

उम्मीदवार मूलत: *हिन्दी भाषी* होना चाहिए तथा उसे *हिन्दी भाषा* का पूरा-पूरा और गूढ़ ज्ञान होना चाहिए।

उम्मीदवार को *गुजराती भाषा* भी पूरी तरह समझ में आनी चाहिए, जिससे वह गुजराती से हिन्दी अनुवाद श्रेष्ठ रूप से कर सके।

*शिक्षा* - जर्नलिज़्म / ग्रेजुएट

*अनुभव* - किसी हिन्दी मीडिया फील्ड का या अनुवाद का अनुभव होना आवश्यक

*वेतन* - 24,200/- रुपए प्रतिमाह

*कार्यस्थल* - जीवराज मेहता भवन (पुराना सचिवालय), गांधीनगर

*संपर्क* - 9998953281

धन्यवाद।

Tuesday, August 27, 2024

Job @ itsmajja.com

 


ભાષાની મજા, મજાની ભાષા - 1500


માણેકચોકના ચોકસી બજારમાં લંગડી લઈને દોડતા યુવકની અટકાયત.

માણેકચોકના ચોકસી બજારમાં લગડી લઈને દોડતા યુવકની અટકાયત.

Saturday, August 24, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1499


શિષ્યે ગુરુની પ્રતિજ્ઞા તોડી.

શિષ્યે ગુરુની પ્રતિમા તોડી.


Friday, August 23, 2024

Careers Workshop' for young journalists and students of mass communication


The Collective Newsroom on behalf of BBC News Gujarati is organising an online 'Careers Workshop' for young journalists and students of mass communication. This workshop is aimed to give an enhanced understanding of the resume making and demonstrating the skills when applying for journalism jobs.

we request you to please encourage students to participate in the workshop that is beneficial for them for the beginning of their professional career in journalism.


Date: Monday 23 September, 2024
Time: 11.30am

Thursday, August 22, 2024

'નર્મદ : જીવન અને સર્જન' વિશે વ્યાખ્યાન


ડૉ. અશ્વિનકુમાર
વિષય : 'નર્મદ : જીવન અને સર્જન'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨૨-૦૮-૨૦૨૪, ગુરુવાર


Wednesday, August 21, 2024

Theodore M. Newcomb Model of Communication


https://youtu.be/p2ukB4F5BkE?si=wCn0t8nRpqHBhmMH


Content-Courtesy :
Dr. Vinay Vikram Singh
Allahabad University

'કાકાસાહેબ કાલેલકર : જીવન અને કાર્ય' વિશે વ્યાખ્યાન


ડૉ. અશ્વિનકુમાર
વિષય : 'કાકાસાહેબ કાલેલકર : જીવન અને કાર્ય'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨૧-૦૮-૨૦૨૪, બુધવાર
(કાકાસાહેબની પુણ્યતિથિ)

Maori—we greet each other by pressing our noses and foreheads together | Times of India Travel


https://timesofindia.indiatimes.com/travel/destinations/maoriwe-greet-each-other-by-pressing-our-noses-and-foreheads-together/articleshow/64355734.cms

Maori : Traditional Greetings


https://youtu.be/esLT24lArz0?feature=shared

Monday, August 19, 2024

કાકાસાહેબની 'સ્મરણયાત્રા'માં ભાઈ-બહેન સંબંધ' વિશે વ્યાખ્યાન


ડૉ. અશ્વિનકુમાર
વિષય : કાકાસાહેબની 'સ્મરણયાત્રા'માં ભાઈ-બહેન સંબંધ
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૯-૦૮-૨૦૨૪, સોમવાર
(રક્ષાબંધન પ્રસંગે વિશેષ વ્યાખ્યાન)


Raksha Bandhan | Advertisement | Parle-G


https://www.youtube.com/watch?v=B6axexxolTE

આજ રક્ષા બંધને | અનિલ ચાવડા


મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી;
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.

છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી!

કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી.

ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.

આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી!


Friday, August 16, 2024

C. S. Lewis, advice to a young writer, 1959




Courtesy : Dr. Uma Shankar Pandey 

પૂર્વ વિદ્યાર્થીઓનો વર્તમાન વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ'


પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખા
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


પૂર્વ વિદ્યાર્થીઓનો વર્તમાન વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ'

આ કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થી પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ સાથેનાં સ્મરણો તાજાં કરે છે. 
સમૂહ-માધ્યમોના ક્ષેત્રે રાખવી પડતી સાવધાની અને સજ્જતાની જાણકારી આપે છે. 
વર્તમાન વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરે છે.


૧ 
¤ ૧૬-૦૮-૨૦૨૪ : શુક્રવાર, ૧૧થી ૧૨
ડૉ. કિરણ કાપુરે
ગાંધી વિષયક સંશોધક
સંપાદક : 'નવજીવનનો અક્ષરદેહ'
કતારલેખક : 'ગુજરાતમિત્ર'

૨ 
¤ ૧૭-૦૮-૨૦૨૪ : શનિવાર, ૧૦થી ૧૧
નવીન ખત્રી
પ્રવાસન વિષયક સંશોધક
એડિટર, 'શંખનાદ' સામયિક
સબ એડિટર, 'ગુજરાત સમાચાર ડિજિટલ'

૩ 
¤ ૨૦-૦૮-૨૦૨૪ : મંગળવાર, ૧૧થી ૧૨
સંધ્યા કાર
ગાંધી વિષયક સંશોધક
કેઝ્યુઅલ અનાઉન્સર, આકાશવાણી
પીએમ યુવા મેન્ટરશિપ ૨.૦ લેખક

૪ 
¤ ૨૧-૦૮-૨૦૨૪ : બુધવાર, ૧૧થી ૧૨
નિકુલ વાઘેલા
રિપોર્ટર : બોલીવૂડ બિટ
રિપોર્ટર : એજ્યુકેશન બિટ
પત્રકાર, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ

૫ 
¤ ૨૨-૦૮-૨૦૨૪ : ગુરુવાર, ૧૧થી ૧૨
કેયૂર કોટક
પૂર્વ પત્રકાર, 'ઇકોનોમિક ટાઇમ્સ'
અનુવાદક, સંપાદક
પ્રકાશક

૬ 
¤ ૦૨-૦૯-૨૦૨૪ : સોમવાર, ૧૧થી ૧૨
જિજ્ઞેશ પરમાર
સીનિયર આસિસ્ટન્ટ એડિટર, 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા', અમદાવાદ 
ગાંધી-આંબેડકર પત્રકારત્વ વિષયક સંશોધક


💐
વિભાગના વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ' બદલ આનંદ અને આભાર.
🙏

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પ્રતિ,

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ,

વર્તમાન વિદ્યાર્થીઓ સાથેના 'સંવાદ-સેતુ' કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.

તમારી અનુકૂળતાએ તારીખ નક્કી કરીશું.
વાર સોમથી શુક્રનો રહેશે.
સમય ૧૧થી ૧૨નો રહેશે.

અમે રાહ જોઈશું.



Thursday, August 15, 2024

એક ઑસ્ટ્રેલિયન પત્રકાર સાથે મુલાકાત


ગાંધી : ... તમને સાંભળીને નવાઈ લાગશે કે મેં કદી રેડિયો સાંભળ્યો નથી કે સિનેમા જોયો નથી.

૫ત્રકાર : એ ચીજો ખરાબ છે એમ આપ માને છો ?

ગાંધી : એમ તો ન કહું. એટલું કહું ખરો કે સિનેમાની ફિલમો ઘણી વાર ખરાબ હોય છે. રેડિયોને વિશે મને ખબર નથી, એટલું હું અવશ્ય કહી શકું છું કે અડધા કલાકની અંદર જગતના સર્વ ભાગમાંથી ખબરો મેળવવાની ઝંખના મને નથી. એથી માણસને વિચાર કરવાનો વખત બહુ ઓછો રહે છે, અને દર અડધા કલાકે માણસને દુનિયાના બધા ભાગમાંથી ખબર શા સારુ મળવી જોઈએ? મારી નજીકમાં નજીકના વાતાવરણમાં ને તેના બનાવોમાં રસ લઈને મારે સંતોષ માનવો જેઈએ.

૭૬:૦૩

નાગરિકના મૂળભૂત હક્કો


https://egyankosh.ac.in/bitstream/123456789/14386/1/Unit-1.pdf


My Experiments With Truth | Autobiography | M K Gandhi


https://www.mkgandhi.org/ebks/An-Autobiography.pdf

વ્યક્તિવિશેષ | યોગેશ્વરજી । ગુજરાત વિશ્વકોશ

 



Tuesday, August 13, 2024

Digital Journalism Trainee @ BBC News Gujarati


Digital Journalism Trainee BBC News Gujarati- 6 months' Contract

Last date to apply: 20 August 2024

Apply for this link

https://shorturl.at/Lh5nJ

About Job

The Collective Newsroom is inviting applications for BBC India Trainee Scheme 2024-25 as part of its Diversity and Inclusion commitment. You will join the Collective Newsroom as a Digital Journalism Trainee, assisting in BBC News Gujarati.

You do not need any journalism experience before you start but you must be able to demonstrate your interest (for example, a qualification in journalism or a related subject).

You will be trained on digital journalism, including how to write for the website and social media platforms; as well as produce video across various platforms.

Should you complete your traineeship successfully, you will be skilled to apply for journalism roles within the Collective Newsroom and in other media organisations.

There is no guarantee of a job at the end of the scheme.

Monday, July 29, 2024

અખબારી નોંધ (Press Note)


ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોકાર્પણ દિવસની ઉજવણી


કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે વ્યા.સ. મંદિર અર્થાત્ વ્યાવસાયિક સજ્જતા મંદિરના પ્રારંભની કરેલી જાહેરાત


ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો માટે ત્રિદિવસીય શિક્ષણ-કાર્યશાળાનું આયોજન 

 

ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રારંભ ૨૯-૦૭-૨૦૨૦ના દિવસે કરવામાં આવ્યો હતો. આ મહત્ત્વપૂર્ણ દિવસને ધ્યાનમાં રાખીને, ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોકાર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૨૯-૦૭-૨૦૨૪ના રોજ, હીરક મહોત્સવ સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમનો સમયસર પ્રારંભ વિદ્યાપીઠ-ગાન સાથે થયો હતો.


ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ વિદ્યાશાખાનાં અધ્યક્ષ અને ડીનશ્રી તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ વિષયક જવાબદારી સંભાળતાં નોડલ અધિકારી પ્રા. દીપુબા દેવડાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ગૂજરાત વિદ્યાપીઠ વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ઉચ્ચ શિક્ષણ સંબંધિત ભલામણોનું ગૂજરાત વિદ્યાપીઠમાં અમલીકરણ’ વિશે મુદ્દાસર અને રસપ્રદ રજૂઆત કરી હતી.  તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મૂળ દસ્તાવેજની વિવિધ બાબતોને ટાંકીને ગૂજરાત વિદ્યાપીઠની ગાંધીવિચાર આધારિત સર્વાંગી શિક્ષણ-વ્યવસ્થા, સમાજ-અનુબંધિત અભ્યાસક્રમ, બહુવિદ્યાશાખાકીય અભિગમ, સ્થાનિક ભાષામાં શિક્ષણ, અભ્યાસક્રમોમાં શિક્ષણ-પ્રશિક્ષણ, તાલીમ-ક્ષેત્રકાર્ય, અભ્યાસક્રમોનું અદ્યતનીકરણ, અધ્યાપન-પદ્ધતિઓ, પ્રાર્થના, યોગ, પદયાત્રા, શિબિર, પ્રવાસ, કેન્દ્ર-નિવાસ, સમૂહજીવન થકી જીવન-ઘડતર અને વ્યક્તિત્વ-વિકાસ, શિક્ષણમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો વિનિયોગ, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે સુવિધાસજ્જ પરિસર, ‘સ્વપ્ન’ પ્રકલ્પથી માંડીને કલાભવન, પુસ્તકાલયથી માંડીને છાત્રાલય અને પરિસંવાદખંડથી માંડીને પ્રયોગશાળાની સગવડનો વિગતે પરિચય કરાવ્યો હતો.    


કાર્યક્રમના અધ્યક્ષ અને ગૂજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્ભવ અને અમલીકરણની રૂપરેખા આપી હતી. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સાદી સમજણ આપતા કહ્યું હતું કે, ‘બુનિયાદી શિક્ષણ વત્તા યંત્રવિદ્યા(પ્રૌદ્યોગિકી) એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’. તેમણે જીવન-ઉપયોગી અસલ કેળવણી આપતી ગૂજરાત વિદ્યાપીઠ સમયની સાથે તાલ મિલાવીને યંત્રવિદ્યાનો ઉપયોગ કરે એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાર્થક થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કુલપતિશ્રીએ વર્ષ 1920માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના પ્રારંભના સમયમાં ઘડાયેલા વિવિધ અભ્યાસક્રમો આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેટલા પ્રાસંગિક છે એને ઉદાહરણ આપીને સમજાવ્યા હતા. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠની કેળવણી વિશે વિવિધ વિષયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંશોધન-નિબંધ તૈયાર કરાવવા માટે અધ્યાપકોને અનુરોધ કર્યો હતો. 


કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં ઓગસ્ટ, 2024માં માનવ સંસાધન વિકાસ કેન્દ્ર (Human Resource Development Centre) અંતર્ગત વ્યાવસાયિક સજ્જતા મંદિર એટલે કે વ્યા.સ. મંદિરના પ્રારંભની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો માટે ‘વર્ગશિક્ષણ વિષયક પદ્ધતિશાસ્ત્ર’ની ત્રિદિવસીય કાર્યશાળાના આયોજનની પણ જાહેરાત કરી હતી.


રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લોકાર્પણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાના વિભાગોના અધ્યાપકો હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ કર્યું હતું.


(અખબારી નોંધ : લેખન અને સંપાદન : ડૉ. અશ્વિનકુમાર)

Saturday, July 27, 2024

Research Institutes


https://icssr.org/research-institutes-0

Courtesy :

Indian Council of
Social Science Research

Ministry of Education
Aruna Asaf Ali Marg
New Delhi 110067

કુલીનચંદ્ર યાજ્ઞિક : અલવિદા



કુલીનચંદ્ર યાજ્ઞિક
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ભાષાની મજા, મજાની ભાષા - 1494


મારે વાત કરવાની છે.

મારી વાત કરવાની છે.


વ્યક્તિવિશેષ | પિંગળશીભાઈ મેઘાણંદ ગઢવી | ગુજરાત વિશ્વકોશ

 


Wednesday, July 24, 2024

'જન્મભૂમિ' | ગુજરાતી વિશ્વકોશ


https://gujarativishwakosh.org/%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF/


કાર્યક્રમની તૈયારી


કાર્યક્રમના આયોજન અને અંદાજિત ખર્ચની મંજૂરી માટે સંબંધિત અધિકારીને પત્ર

સભાખંડ
વીજળી
ધ્વનિ
પ્રકાશ
પ્રોજેક્ટર 
લેપટોપ કમ્પ્યુટર
વિડીયોગ્રાફી 
ફોટોગ્રાફી
જીવંત પ્રસારણની વ્યવસ્થા

બેઠક વ્યવસ્થા
વધારાની ખુરશીઓ

કાર્યક્રમની સમય રૂપરેખા

ઉદ્ઘાટન કાર્યક્રમ
દીવી
તેલ
રૂની વાટ
મીણબત્તી
દિવાસળી

સ્વાગત
ટ્રે
પુસ્તક
શાલ
ખાદીનો રૂમાલ

સ્ટેજ
એક દિવસ અગાઉ બેનર વ્યવસ્થા
ખુરશીની સંખ્યા અને ગોઠવણી
પાણીની બૉટલ્સ
કાચના પ્યાલા
ટ્રે

આમંત્રણ કાર્યક્રમ
અખબારી યાદી : કાર્યક્રમ પૂર્વે 
અખબારી યાદી : કાર્યક્રમ પૂર્ણ થયા બાદ

મહેમાનો માટે પાણીની વ્યવસ્થા
બેનર
ફ્લાયર
સ્ટેન્ડી

વક્તાનો પરિચય
સ્ટેજ ઉપર ખુરશીઓની વ્યવસ્થા
કાર્યક્રમ માટે આમંત્રિત શ્રોતાઓની નિર્ધારિત સંખ્યા
વિવિધ વિભાગો અને સંસ્થાઓને આમંત્રણ

કાર્યક્રમ સંચાલન 
આભારવિધિ 
આવકાર 
પરિચય 
 
સમૂહ-તસવીર

અલ્પાહાર માટે અગાઉથી જાણકારી
ચા-કોફી
નાસ્તો

કાર્યક્રમ થયા બાદ ખર્ચની વિગતો
બિલ
મહેમાનશ્રીના પુરસ્કાર માટે બેંકની વિગતો

સભાખંડની આસપાસ સાફ-સફાઈ
મહેમાનશ્રીનો પરિચય-આલેખ
તસવીરો
પુસ્તકો
વિશેષ યોગદાનની વિગતો

કાર્યક્રમનું સંચાલન
પ્રાર્થના
વિદ્યાપીઠ-ગાન અને સંઘગાન માટેની ઓડિયો વ્યવસ્થા
રાષ્ટ્રગીત માટે ઓડિયો વ્યવસ્થા
મહેમાનશ્રીને અગાઉથી અપાયેલો નિર્ધારિત વક્તવ્ય સમય
શ્રોતાઓની સંખ્યા વધે કે ઘટે એ અનુસાર ખુરશીઓની વ્યવસ્થા
મોબાઈલ બંધ રાખવા અંગેની સૂચના
બેનર એક દિવસ અગાઉ લગાડવાની વ્યવસ્થા
સ્ટેન્ડી મુખ્ય દરવાજા આગળ મૂકવાની વ્યવસ્થા
કુલસચિવશ્રીને મહેમાનનો પરિચય આપવા અંગે અને તે અંગેની માહિતી મોકલવા અંગેની સૂચના
પરિચય આલેખ અગાઉથી મેળવી લેવાની વ્યવસ્થા
કુલપતિશ્રીને કાર્યક્રમના સમયની રૂપરેખા એક દિવસ પહેલા મોકલવી
વરસાદ કે અન્ય અણધાર્યા સંજોગોમાં કાર્યક્રમનાં તારીખ, સમય, સ્થળ બદલવા અંગેની આગોતરી વ્યવસ્થા
પ્રાર્થના ગાવા માટે બહેનો-ભાઈઓની ટુકડીને સર્વધર્મપ્રાર્થના રોજનીશીમાંથી  મોકલવી. 
ચા નાસ્તો ગરમાગરમ અને સમયસર મળે એ જોવા માટે વિદ્યાર્થીઓની એક ટુકડી
મહેમાનને વિમાની મથકેથી લાવવા અને લઈ જવા માટે ડ્રાઇવરને સૂચના
મંડળના મુખ્ય અધિકારીને સૂચના

સહભાગી વિદ્યાર્થીઓ અને પત્રકારોની નામ-નોંધણી
મુખ્ય વક્તાની વિગતો અને તસવીરો સાથેનું પ્રેઝન્ટેશન
મુખ્ય વક્તાને પુરસ્કાર માટે બેંકની વિગતો

મહેમાનોને ચા-નાસ્તા માટે મહેમાન-ગૃહમાં અલાયદી વ્યવસ્થા
આભાર-પત્ર