Monday, October 31, 2022

જ્યારે કસ્તૂરબાએ કડાં ન લીધાં

'સ્ત્રીઓની પ્રેમભક્તિ અને શ્રદ્ધાથી ઉત્પન્ન થતી રમણીય મૂંઝવણના દાખલામાંથી એક જ અહીં નોંધું? એક બહેને પોતાનાં સોનાનાં કડાં અને સોનાનો હાર પૂજ્ય કસ્તૂરબાને પહેરાવ્યાં. કસ્તૂરબાએ ગભરાઈને તરત જ તે “મને કેમ ચડાવો છો?” બોલી ઉતાર્યો અને કહ્યું : “બહેન, આ ઘરેણાં તો ગાંધીજી સ્વરાજ માટે માગે છે.” બહેને હાર સ્વરાજફંડ માટે ગાંધીજીના ચરણ આગળ મૂક્યો. પણ “કડાં તો તમે પહેરો તો જ આપું” એમ કહ્યું. કસ્તૂરબાએ કડાં ન લીધાં એટલે કડાં સ્વરાજફંડને ન મળ્યાં.'

MD : 05:499

No comments:

Post a Comment