Showing posts with label Gandhi - Statue. Show all posts
Showing posts with label Gandhi - Statue. Show all posts

Saturday, November 1, 2025

ગાંધી : વિચાર અને આચાર


રામકૃષ્ણ પરમહંસ, દયાનંદ સરસ્વતી હિંદુસ્તાનમાં નહીં ભૂલાય તેમ ગાંધીજી પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં અમર રહેશે, પણ ગાંધીજીએ પોતાની પાછળ મંદિર સ્થપાય કે મૂર્તિ સ્થપાય એમ કદી ઇચ્છયું નથી. તેઓ કહેતા હતા કે, મેં જે લખ્યું છે એ બધું બળી જાય કે બધું રફેદફે થઈ જાય, એની કંઈ ફિકર નથી. મેં ક્યા પ્રકારનું જીવન જીવ્યું એ જનતા જાણે અને તે પ્રમાણે આચરતી થાય એ જ મહત્ત્વનું છે.

ગાંધીજીની ભણાવવાની રીત
છગનલાલ નટુભાઈ જોષી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ (૧૯૭૯)
પૃ. ૧૫