Sunday, October 2, 2022

મોહનદાસ કરમચંદ ગાંધી : જીવનક્રમ (મુસદ્દો)

2 ઑક્ટોબર, 1869 : સુદામાપુરી પોરબંદરમાં જન્મ.

1882 : તેર વર્ષની ઉંમરે કસ્તૂરબાઈ સાથે લગ્ન.

29 સપ્ટેમ્બર, 1888 : સાઉધૅમ્પટન (ઇંગ્લેન્ડ) પહોંચ્યા.

27 મે, 1891 : બૅરિસ્ટરની યાદીમાં નામ.

25 મે, 1893 : ડરબન (નાતાલ) પહોંચ્યા.

26 મે, 1893 : પાઘડી ઉતારવાને બદલે અદાલત છોડી ગયા (ડરબન).

31 મે, 1893 : રાત્રે પીટરમૅરિત્સબર્ગ સ્ટેશને ગાડીમાંથી ધક્કો મારીને ઉતારી દેવાયા.

1893 : ટૉલ્સ્ટૉયના પુસ્તક 'ધ કિંગ્ડમ ઑવ ગૉડ ઇઝ વિધિન યુ'નું વાચન.

22 ઑગસ્ટ, 1894 : 'નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ'ની સ્થાપના.

9 જુલાઈ, 1896 : રાજકોટમાં 'ધ ગ્રીન પૅમ્ફ્લૅટ' પુસ્તિકાનો પ્રારંભ.

16 નવેમ્બર, 1896 : રામકૃષ્ણ ભાંડારકરના પ્રમુખપદે પુણેમાં મળેલી સભામાં ભાષણ.

11 ઑક્ટોબર, 1899 : બોઅર યુદ્ધ વેળા સારવાર ટુકડીની રચના.

1900 : છેલ્લા પુત્ર દેવદાસની પ્રસૂતિ જાતે કરાવી.

4 જૂન, 1903 : 'ઇન્ડિયન ઓપિનિયન' સાપ્તાહિકનો પહેલો અંક પ્રસિદ્ધ થયો.

ડિસેમ્બર, 1904 : 'ફિનિક્સ આશ્રમ'ની સ્થાપના.

20 જુલાઈ, 1906 : : 'ફિનિક્સ આશ્રમ'માં આજીવન બ્રહ્મચર્યવ્રત લીધું. 

11 સપ્ટેમ્બર, 1906 : જોહાનિસબર્ગમાં ટ્રાન્સવાલના હિંદીઓની સભામાં ફરજિયાત નોંધણીના કાયદાને તાબે ન થવાની પ્રતિજ્ઞા લેવરાવી.

22 માર્ચ, 1907 : સ્વાયત્ત બનેલા ટ્રાન્સવાલ સંસ્થાનની ધારાસભામાં ફરજિયાત ઓળખપત્રોનો કાયદો પસાર.

1908 : ઓળખપત્રોના કાયદા વિરુદ્ધની લડત 'પેસિવ રિઝિસ્ટન્સ' માટે મગનલાલ ગાંધીએ સૂચવેલ 'સદાગ્રહ' સુધારીને ‘સત્યાગ્રહ’ નામ રાખ્યું.

10 જાન્યુઆરી, 1908 : ઓળખપત્ર ન કઢાવવા માટે બે માસની સાદી કેદ.

30 જાન્યુઆરી, 1908 : કાયદો રદ થાય તો સ્વેચ્છાએ ઓળખપત્રો કઢાવવાની ગૃહપ્રધાન સ્મટ્સ સાથે સમજૂતી.

10 ફેબ્રુઆરી, 1908 : ઓળખપત્ર કઢાવવા જતાં પઠાણ અસીલ મીર આલમે કરેલો હુમલો. 

16 ઓગસ્ટ, 1908 : સમજૂતીનો સ્મટ્સે કરેલો ભંગ અને ઓળખપત્રોની હોળી.

14 ઓક્ટોબર, 1908 : કાયદાનો ભંગ કરી ટ્રાન્સવાલમાં પ્રવેશ કરવા બદલ બે માસની સખત મજૂરીની સજા 

11 ડિસેમ્બર, 1909 : હિંદ સ્વરાજ’નાં 20 પ્રકરણો ‘ઇન્ડિયન ઓપિનિયન'માં પ્રસિદ્ધ.

માર્ચ, 1910 : ‘હિંદ સ્વરાજ' પર પ્રતિબંધ. તેના અનુવાદ 'ઇન્ડિયન હોમરૂલ’ની એક નકલ ટૉલ્સ્ટૉયને મોકલી.

જૂન, 1910 : 'ટૉલ્સ્ટૉય ફાર્મ'ની સ્થાપના; ગાય કે ભેંસનું દૂધ ન લેવાનું વ્રત; ફલાહારનો પ્રયોગ.

19 મે,  1911 : જ્યેષ્ઠ પુત્ર હરિલાલે સદાને માટે દક્ષિણ આફ્રિકા છોડ્યું.

22 ઑક્ટોબર, 1912 : ગોપાળ કૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકાની મુલાકાતે.

13 સપ્ટેમ્બર, 1913 : સત્યાગ્રહની લડતમાં કસ્તૂરબાની ધરપકડ અને સજા.

14 નવેમ્બર, 1913 : એક વર્ષની સખત કેદની સજા.

16 નવેમ્બર, 1913 : અન્યાયનો પ્રતિકાર કરતા હિંદીઓ પ્રત્યે લૉર્ડ હાર્ડિજે મદ્રાસના ભાષણમાં દર્શાવેલી સહાનુભૂતિ.

12 ડિસેમ્બર, 1913 : દક્ષિણ આફ્રિકાની સરકારે નીમેલું ત્રણ ગોરા સભ્યોનું પંચ.

18 ડિસેમ્બર, 1913 : જેલમાંથી મુક્તિ.

26 જૂન, 1914 : પંચની ભલામણો મુજબ કાયદો પસાર

18 જુલાઈ, 1914 : ગોખલેને મળવા લંડન ગયા અને ‘ફિનિક્સ' આશ્રમની મંડળી શાંતિનિકેતન ગઈ.

9 જાન્યુઆરી, 1915 : કાયમ માટે સ્વદેશ પરત. 

14 જાન્યુઆરી, 1915 : ઝીણાના પ્રમુખપદે યોજાયેલી સભામાં અંગ્રેજી વિરુદ્ધ સત્યાગ્રહ.

17 ફેબ્રુઆરી, 1915 : શાંતિનિકેતનની મુલાકાત.

17 માર્ચ, 1915 : મિત્ર પ્રાણજીવનદાસને મળવા રંગૂન ગયા.

5 એપ્રિલ, 1915 : હરદ્વારના કુંભમેળામાં ગયા. સૂર્યાસ્ત પહેલાં ભોજન અને પાંચથી વધુ વસ્તુ ન લેવાનું વ્રત.

20 મે, 1915 : કોચરબમાં સત્યાગ્રહ આશ્રમ'નો પ્રારંભ.
 
26 જૂન, 1915 : 'કૈસરે હિંદ'નો ચાંદ મળ્યો.

11 સપ્ટેમ્બર, 1915 : અંત્યજ દૂદાભાઈને આશ્રમમાં પ્રવેશ.

15 નવેમ્બર, 1915 : 'ગુજરાત સભા'ના ઉપપ્રમુખ.

6 ફેબ્રુઆરી, 1916 : બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રાજામહારાજાઓ ભડકી ઊઠે તેવું ભાષણ.

26 ડિસેમ્બર, 1916 : કૉંગ્રેસના લખનૌ અધિવેશનમાં જવાહરલાલ નહેરુનો પ્રથમ પરિચય.

10 એપ્રિલ, 1917 : રાજકુમાર શુક્લ સાથે ચંપારણમાં નીલવરોના ત્રાસની તપાસ અર્થે પટણા ગયા.

18 એપ્રિલ, 1917 : અદાલતમાં હુકમ ભંગ અંગે નિવેદન.

20 ઓક્ટોબર, 1917 : ભરૂચમાં મળેલી બીજી ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ.

3 નવેમ્બર, 1917 : ગોધરામાં મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ.

7 નવેમ્બર, 1917 : મહાદેવ દેસાઈ ગાંધીજીના રહસ્યમંત્રી બન્યા.

14 ફેબ્રુઆરી, 1918 : મિલમાલિકો અને મજૂરો વચ્ચે સમાધાન સાર નિમાયેલા પંચના સભ્ય.

26 ફેબ્રુઆરી, 1918 : હડતાળમાં મજૂરોને માર્ગદર્શન આપવા અનસૂયા સારાભાઈના નામથી પત્રિકા પ્રગટ કરી.

15 માર્ચ, 1918 : મજૂરોને મક્કમ રાખવા અનિશ્ચિત મુદતના ઉપવાસ જાહેર કર્યા. 

18 માર્ચ, 1918 : સમાધાન થતાં પારણાં કર્યાં.

27 માર્ચ, 1918 : નડિયાદમાં 5,000 જેટલા ખેડૂતોની સભામાં મહેસૂલ-મોકૂફી માટે સત્યાગ્રહની સલાહ.

18 એપ્રિલ, 1918 : રંગરૂટોની ભરતી માટે વાઇસરૉયે બોલાવેલી પરિષદમાં ઠરાવને ટેકો.

1918 : રંગરૂટોની ભરતીમાં ખેડા જિલ્લાના ખેડૂતોનો સહકાર ન મળતાં આધાત; મરડો અને હરસની વ્યાધિ.

24 ફેબ્રુઆરી, 1918 : અંગ્રેજ ન્યાયાધીશ રૉલેટના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ તૈયાર કરેલાં બે બિલોના વિરોધમાં 'સત્યાગ્રહ પ્રતિજ્ઞા’ ઘડી.

23 માર્ચ, 1919 : કાયદાના વિરોધમાં હડતાળ, ઉપવાસ અને પ્રાર્થના માટે પ્રજાને સૂચના.

30 માર્ચ, 1919 : દિલ્હીમાં આ દિવસે તારીખની સમજફેરને કારણે સત્યાગ્રહનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો.

6 એપ્રિલ, 1919 : આખા દેશમાં રૉલેટ કાયદા વિરુદ્ધ સત્યાગ્રહના કાર્યક્રમનો આરંભ થયો.

9 એપ્રિલ, 1919 : પંજાબ સરકારના હુકમથી પલવલ સ્ટેશને ધરપકડ. 

13 એપ્રિલ, 1919 : અમદાવાદમાં પ્રાયશ્ચિત્ત રૂપે ત્રણ દિવસના ઉપવાસ. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ.

7 સપ્ટેમ્બર, 1919 : 'નવજીવન' સાપ્તાહિકનો પહેલો અંક પ્રસિદ્ધ.

8 ઑક્ટોબર, 1919 : 'યંગ ઇન્ડિયા'નો પહેલો અંક પ્રસિદ્ધ.

15 નવેમ્બર, 1919 : હંટર પંચનો બહિષ્કાર અને સ્વતંત્ર તપાસનો કૉંગ્રેસનો નિર્ણય.

25 ડિસેમ્બર, 1919 : અમૃતસરમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં ભારતના નવા બંધારણના કાયદાનો સ્વીકાર.

2 ઑગસ્ટ, 1920 : ત્રણ ચાંદ સરકારને પરત અને અસહકારનો આરંભ.

18 ઓક્ટોબર, 1920 : ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના.

24 ડિસેમ્બર, 1921 : અમદાવાદમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં અમુક શરતોએ સર્વસત્તાધીશ નિમાયા.
 
29 જાન્યુઆરી, 1922 : બારડોલી તાલુકા પરિષદમાં નાકર અને સવિનય કાનૂન ભંગની લડતનો ઠરાવ પસાર.

4 ફેબ્રુઆરી, 1922 : ચૌરીચૌરાની ઘટના.

10 માર્ચ, 1922 : ધરપકડ અને 6 વર્ષની સાદી કેદ.

21 માર્ચ, 1922 : યરવડા જેલમાં.

21 જાન્યુઆરી, 1924 : પુણેની સાસૂન હૉસ્પિટલમાં ઍપેન્ડિક્સની શસ્ત્રક્રિયા.

5 ફેબ્રુઆરી, 1924 : સરકારે વિના શરતે છોડી મૂક્યા.

17 સપ્ટેમ્બર, 1924 : દિલ્હીમાં મહમદઅલીને ઘેર રહી કોમી રમખાણોના પ્રાયશ્ચિત્ત સારુ નવ દિવસના ઉપવાસ.

6 નવેમ્બર, 1924 : સ્વરાજપક્ષના ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ સાથે સમજૂતી. 

26 ડિસેમ્બર, 1924 : બેલગામ કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ સભ્ય થવા માટેની લાયકાતમાં સુધારા.

28 એપ્રિલ, 1925 : 'અખિલ હિંદ ગોરક્ષા મંડળ'ની સ્થાપના.

22 સપ્ટેમ્બર, 1925 : પટણામાં કૉંગ્રેસની મહાસમિતિ દ્વારા 'અખિલ હિંદ ચરખા સંઘ'ની સ્થાપના.

7 નવેમ્બર, 1925 : મૅડલિન સ્લેડ સત્યાગ્રહ આશ્રમમાં; પુત્રી તરીકે સ્વીકારી; 'મીરાંબહેન' નામ.

26 ડિસેમ્બર, 1927 : મદ્રાસ અધિવેશનમાં નહેરુએ રજૂ કરેલો સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ.

5 જાન્યુઆરી, 1928 : 'યંગ ઇન્ડિયા'માં ઠરાવની કડક ટીકા.

૩ ફેબ્રુઆરી, 1928 : સાઇમન કમિશનનો બહિષ્કાર.

28 ઑગસ્ટ, 1928 : 'સાંસ્થાનિક દરજ્જાના સ્વરાજ'ની ભલામણનો લખનૌમાં મળેલી સર્વપક્ષી પરિષદે કરેલો સ્વીકાર.

28 ડિસેમ્બર, 1928 : કલકત્તા અધિવેશનમાં નાકરની લડત અને અહિંસક અસહકારનો ઠરાવ.

31 ઑક્ટોબર, 1928 : વાઇસરોય લૉર્ડ અવિને કરેલી ગોળમેજી પરિષદની જાહેરાત.

19 ડિસેમ્બર, 1929 : લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયનો ઠરાવ.

10 જાન્યુઆરી, 1930 : જાન્યુઆરીની 26મીએ પ્રજાએ લેવાની પ્રતિજ્ઞાનો ઠરાવ.

15 ફેબ્રુઆરી, 1930 : કૉંગ્રેસ કારોબારીએ સવિનય કાનૂનભંગ માટે સત્તા આપી.

2 માર્ચ, 1930 : વાઇસરૉયને મીઠાના કાયદાના ભંગ માટેનો પત્ર.

12 માર્ચ, 1930 : દાંડીકૂચનો પ્રારંભ.

6 એપ્રિલ, 1930 :  દાંડી પહોંચી મીઠાના કાયદાનો ભંગ.

5 મે, 1930 : ધરપકડ અને યરવડા જેલમાં.

26 જાન્યુઆરી, 1931 :  જેલમાંથી મુક્તિ.

5 માર્ચ, 1931 : ગાંધી-અર્વિન સમજૂતી.

12 સપ્ટેમ્બર, 1931 : કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગોળમેજી પરિષદ માટે લંડનમાં.

13 સપ્ટેમ્બર, 1931: અમેરિકાની પ્રજાજોગ વાયુપ્રવચન.

22 સપ્ટેમ્બર, 1931 : ચાર્લી ચૅપ્લિન મળવા આવ્યા.

9 ઑક્ટોબર, 1931 : મૉન્ટેસોરી મળ્યાં.

20 ઑક્ટોબર, 1931 : ‘God Is' લેખ ધ્વનિમુદ્રિત થયો અને રૉયલ્ટીના પાંચ હજાર પાઉન્ડ મળ્યા.

25 ઑક્ટોબર, 1931 : ઑક્સફર્ડની મુલાકાત.

31 ઑક્ટોબર, 1931 : કેમ્બ્રિજની મુલાકાત.

5 નવેમ્બર, 1931 : જોર્જ પાંચમાએ ગોળમેજી પરિષદના સભ્યો માટે યોજેલા ચા-નાસ્તા માટે ટૂંકી પોતડી અને ચાદરના પહેરવેશમાં.

6 નવેમ્બર, 1931 : શૉ દંપતીએ મુલાકાત લીધી.

13 નવેમ્બર, 1931 : અસ્પૃશ્યો માટે અલગ મતદારમંડળના જિંદગીના ભોગે વિરોધની ગોળમેજી પરિષદમાં ચેતવણી.

1 ડિસેમ્બર 1931 : ગોળમેજી પરિષદ પૂરી થઈ.

6 ડિસેમ્બર, 1931 : રોમાં રોલાં સાથે.

12 ડિસેમ્બર, 1931 : પોપની રાજધાની વૅટિકનમાં ઈશુની પ્રતિમાનું દર્શન. રોમમાં મુસોલિની સાથે મુલાકાત.

25 ડિસેમ્બર, 1931 : ખાન અબદુલ ગફારખાનની ધરપકડ.

26 ડિસેમ્બર, 1931 : નહેરુની ધરપકડ. 

1 જાન્યુઆરી, 1932 : કૉંગ્રેસ કારોબારી સમિતિએ સવિનય કાનૂનભંગનો ઠરાવ કર્યો.

4 જાન્યુઆરી, 1932 : ધરપકડ અને અનિશ્ચિત મુદત સુધી વલ્લભભાઈ સાથે યરવડા જેલમાં.

10 માર્ચ, 1932 : મહાદેવ દેસાઈને યરવડા જેલમાં ખસેડ્યા.

20 સપ્ટેમ્બર, 1932 : મૅક્ડોનલ્ડના અસ્પૃશ્યો માટેના અલગ મતદારમંડળના નિર્ણયને બદલાવવા અનિશ્ચિત મુદતના ઉપવાસ.

24 સપ્ટેમ્બર, 1932 : સવર્ણ હિંદુઓ અને અસ્પૃશ્યો વચ્ચે ચૂંટણી અંગે સમજૂતી. 

25 સપ્ટેમ્બર, 1932 : મુંબઈમાં સવર્ણ હિંદુઓની પરિષદે અસ્પૃશ્યોના નાગરિક હક અંગે ઠરાવ પસાર કર્યો.

30 સપ્ટેમ્બર, 1932 : હરિજન સેવક સંઘની સ્થાપના.

11 ફેબ્રુઆરી, 1933 : 'હરિજન', 23મીએ ‘હરિજન સેવક’ (હિંદી) અને 12મી માર્ચે 'હરિજન બંધુ' સાપ્તાહિકો શરૂ કર્યાં.

31 જુલાઈ, 1933 : વ્યક્તિગત સત્યાગ્રહનો ઇરાદો જાહેર કર્યો.

1 ઓગસ્ટ, 1933 : ધરપકડ અને યરવડા જેલમાં.

14 સપ્ટેમ્બર, 1933 : રાજકારણમાં ભાગ ન લેવાનો નિર્ણય કરી વર્ધા ગયા.

30 સપ્ટેમ્બર, 1933 : સત્યાગ્રહ આશ્રમ ‘હરિજન સેવક સંઘ'ને સુપરત.

7 નવેમ્બર, 1933 : 'હરિજન યાત્રા' (દેશનો પ્રવાસ).

25 એપ્રિલ, 1934 : બિહારમાં લાલનાથ શાસ્ત્રીની ઉશ્કેરણીથી ટોળાએ હુમલો કર્યો.

8 મે, 1934 : ઓરિસામાં પગપાળા પ્રવાસ.

18 મે, 1934 : સામૂહિક સત્યાગ્રહ પાછો ખેંચ્યો.

29 મે, 1934 : મીનુ મસાણીને પત્ર લખી કૉંગ્રેસ સમાજવાદી પક્ષને આવકાર પરંતુ તેના કાર્યક્રમો સાથે અસંમતિ દર્શાવી.

25 જૂન, 1934 : પુણેમાં મોટર ઉપર બૉમ્બ ફેંકાયો.

17 સપ્ટેમ્બર 1934 : કૉંગ્રેસમાંથી નિવૃત્તિનો ઇરાદો જાહેર કર્યો.

30 ઑક્ટોબર, 1934 : કૉંગ્રેસમાંથી રાજીનામું

14 ડિસેમ્બર, 1934 : 'અખિલ હિંદ ગ્રામોદ્યોગ સંઘ’ની સ્થાપના.

 2 જુલાઈ, 1935 : પ્રાંતીય સ્વાયત્તતાના કાયદાને શાહી મંજૂરી.

12 એપ્રિલ, 1936 : નહેરુના પ્રમુખપદે લખનૌમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં નવા બંધારણનો અસ્વીકાર અને મહાસમિતિના ચૂંટણી ઢંઢેરા મુજબ ચૂંટણી લડવાનો ઠરાવ.

30 એપ્રિલ, 1936 : વર્ધા છોડી સેગાંવ રહેવા ગયા.

31 ઑક્ટોબર, 1936 : અમદાવાદમાં 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના  બારમા અધિવેશનના પ્રમુખ.

11 નવેમ્બર, 1936 : ત્રાવણકોરનાં મંદિરો અસ્પૃશ્યો માટે ખુલ્લાં મુકાયાં.

17 જુલાઈ, 1937 : મુંબઈમાં બાળાસાહેબ ખેરે પ્રધાનમંડળ રચવાનું સ્વીકાર્યું. ‘હરિજન’ના અંકમાં પ્રધાનો અને વિરોધપક્ષોને સલાહ આપતો લેખ.

નવેમ્બર, 1937 : કલકત્તામાં ત્રાસવાદી કેદીઓને છોડાવ્યા.

25 માર્ચ, 1938 : અંત્યજો માટે પ્રવેશબંધીવાળા જગન્નાથ મંદિરમાં કસ્તૂરબા અને મહાદેવ દેસાઈનાં પત્ની દર્શનાર્થે ગયાં તે બદલ મહાદેવભાઈને કડક ઠપકો.

20 મે, 1938 : મુસ્લિમ લીગ જ મુસલમાનો વતી બોલી શકે એવી ઝીણાની માગણીનો અસ્વીકાર.

2 ફેબ્રુઆરી, 1939 : રાજકોટના ઠાકોરે કસ્તૂરબાને અટકાયતમાં લીધાં.

3 માર્ચ, 1939 : રાજકોટના ઠાકોરે સમજૂતી માટેની વિનંતી ન સ્વીકારતાં ઉપવાસ શરૂ કર્યા.

7 માર્ચ, 1939 : વાઇસરૉયે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને લવાદ નીમતાં પારણાં કર્યાં.

16 એપ્રિલ, 1939 : સર મૉરિસ ગ્વાયરે વલ્લભભાઈના પક્ષે ચુકાદો આપતાં મુસ્લિમોએ અને ભાયાતોએ પ્રાર્થનાસભા સામે દેખાવો કર્યા. 

24 એપ્રિલ, 1939 : પોતાની હાર કબૂલ કરતું નિવેદન કર્યું.

29 એપ્રિલ, 1939 : સુભાષ બોઝે કારોબારી સમિતિ અંગે સલાહ આપતો પત્ર વાંચી પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.

23 જુલાઈ, 1939 : હિટલરને યુદ્ધ ટાળવા લખેલો વિનંતીપત્ર.

5 સપ્ટેમ્બર, 1939 : સિમલામાં વાઇસરૉય સાથે મુલાકાત દરમ્યાન યુદ્ધથી થનારા વિનાશના વિચારે ડૂસકું આવી ગયું.

8 સપ્ટેમ્બર, 1939 : વર્ધામાં મળેલી કૉંગ્રેસ કારોબારી સમિતિમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને બિનશરતી નૈતિક ટેકો.

31 ઑક્ટોબર, 1939 : કૉંગ્રેસ પક્ષનાં પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં. 

12 ડિસેમ્બર, 1939 : મુસ્લિમોને ડિસેમ્બરની 22મીનો દિવસ મુક્તિદિન તરીકે ઊજવવાનું ઝીણાનું એલાન

28 ફેબ્રુઆરી, 1940 : ભારતનું બંધારણ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ ઘડે તેવો ઠરાવ અને જરૂર પડ્યે સવિનય કાનૂનભંગની લડત આપવાનો ઠરાવ પટણામાં મળેલી કૉંગ્રેસ કારોબારીએ પસાર કર્યો.

5 માર્ચ, 1940 : સેગાંવનું નામ ‘સેવાગ્રામ' રાખ્યું.

2 જુલાઈ, 1940 : નાઝીવાદ સામે અહિંસક લડત માટે 'દરેક બ્રિટનને જાહેર પત્ર' લખ્યો. 

2 ઑગસ્ટ, 1940 : લઘુમતીઓના અભિપ્રાયોને પૂરું વજન આપવાના વાઇસરૉયના નિવેદનને કૉંગ્રેસ કારોબારીએ વખોડ્યું. 

11 ઑક્ટોબર, 1940 : સેવાગ્રામમાં કારોબારી સમિતિ સમક્ષ વ્યક્તિગત સત્યાગ્રહની યોજના. 

17 ઑક્ટોબર, 1940 : વિનોબાનો સત્યાગ્રહ અને ધરપકડ

31 ઑક્ટોબર, 1940 : સત્યાગ્રહ સારુ નહેરુને ચાર વર્ષની સજા.

29 ડિસેમ્બર, 1940 : સુભાષના સહકાર આપવા અંગેના પત્રનો અસ્વીકાર.

17 જાન્યુઆરી, 1941 : કલકત્તામાં નજરકેદ રખાયેલા સુભાષ અદૃશ્ય.

3 ડિસેમ્બર, 1941 : વ્યક્તિગત સત્યાગ્રહીઓનો છુટકારો.

13 ડિસેમ્બર, 1941 : અઢાર મુદ્દાના રચનાત્મક કાર્યક્રમના ખરડાનું પુસ્તિકા રૂપે પ્રકાશન.

30 ડિસેમ્બર, 1941: કૉંગ્રેસને દોરવણી આપવામાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલી વિનંતીનો બારડોલીમાં મળેલી કારોબારીએ કરેલો સ્વીકાર.

15 જાન્યુઆરી, 1942 : પોતાના વારસદાર રાજગોપાલાચારી કે વલ્લભભાઈ નહિ પણ જવાહરલાલ એવું સેવાગ્રામમાં મહાસમિતિને જણાવ્યું.

27 માર્ચ, 1942 : બંધારણની દરખાસ્તો લઈને આવેલા સ્ટૅફર્ડ ક્રિપ્સને પહેલા જ વિમાનમાં પાછા જવાની સલાહ. 

14 જુલાઈ, 1942 : બ્રિટને તાત્કાલિક ભારત છોડવાનો ઠરાવ કારોબારી સમિતિએ પસાર કર્યો.

8 ઑગસ્ટ, 1942 : બ્રિટનને કહ્યું 'ભારત છોડો' અને પ્રજાને મંત્ર આપ્યો : 'કરેંગે યા મરેંગે'.

9 ઑગસ્ટ, 1942 : ગાંધીજી અને કારોબારી સમિતિના સભ્યોની ધરપકડ તથા આગાખાન મહેલમાં અટકાયત.

15 ઑગસ્ટ, 1942 : હૃદયરોગના હુમલાથી મહાદેવ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન.

10 ફેબ્રુઆરી, 1943 : જાપાનતરફી અને હિંસક ઘટનાઓ માટે જવાબદાર ગણવાના આક્ષેપ વિરુદ્ધ એકવીસ દિવસના ઉપવાસ શરૂ.

22 ફેબ્રુઆરી, 1943 : સ૨કારે તહોમતનામાની પુસ્તિકા પ્રસિદ્ધ કરી.

15 જલાઈ, 1943 : આક્ષેપોનો સચોટ ઉત્તર.

22 ફેબ્રુઆરી, 1944 : આગાખાન મહેલમાં કસ્તૂરબાનું અવસાન.

6 મે, 1944 : આગાખાન મહેલમાંથી વિના શરતે મુક્તિ

10 મે, 1944 : 86 લાખ રૂપિયાના કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટના પ્રમુખ.

14 જૂન, 1945 : લૉર્ડ વેવલનું વાટાઘાટો માટેનું વાયુપ્રવચન.

15 જૂન, 1945 : અહમદનગરના કિલ્લામાં નજરકેદ કારોબારીના સભ્યોની મુક્તિ અને કૉંગ્રેસ પરથી ઉઠાવી લીધેલો પ્રતિબંધ.

14 જુલાઈ, 1945 : સિમલામાં મળેલી પરિષદને વાઇસરોયે નિષ્ફળ જાહેર કરી.

23 માર્ચ, 1946 : ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું.

25 જૂન, 1946 : પ્રતિનિધિમંડળની બંધારણસભાને લગતી જોગવાઈઓનો સ્વીકાર કરતો ઠરાવ કૉંગ્રેસની કારોબારી સમિતિએ કર્યો.

4 જુલાઈ, 1946 : વાઇસરૉયે સરકારી અમલદારોની બનેલી કામચલાઉ સરકાર રચી.

29 જુલાઈ, 1946 : પાકિસ્તાનના ધ્યેય માટે મુસ્લિમ લીગે સીધાં પગલાંનો કરેલો નિર્ણય.

16 ઑગસ્ટ, 1946 : કલકત્તામાં ભયંકર કોમી રમખાણો.

2 સપ્ટેમ્બર, 1946 : નહેરુએ બાર સભ્યોની વચગાળાની સરકાર રચી.

10 ઓક્ટોબર, 1946 : નોઆખલી જિલ્લાના હિંદુઓ ઉપર પાશવી અત્યાચારો.

15 ઑક્ટોબર, 1946 : મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વચગાળાની સરકારમાં જોડાયા.

27 ઑક્ટોબર, 1946 : : બિહારમાં મુસલમાનો વિરુદ્ધ રમખાણો.

6 નવેમ્બર, 1946 : નોઆખલી જવા નીકળ્યા.

19 નવેમ્બર, 1946 : 'હરિજન' સાપ્તાહિકની જવાબદારી કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને નરહરિ પરીખને સોંપી.

૩ ડિસેમ્બર, 1946 : મુસ્લિમ લીગના બહિષ્કાર છતાં બંધારણસભા મળે તે અયોગ્ય છે એમ નિવેદન.

2 જાન્યુઆરી, 1947 : નોઆખલીનો પગપાળા પ્રવાસ શરૂ.

1 ફેબ્રુઆરી, 1947 : પ્રાર્થનાસભામાં મનુબહેન સાથેના સહશયનના પ્રયોગનો ઉલ્લેખ.

9 ફેબ્રુઆરી, 1947 : મશરૂવાળાએ 'હરિજન'ના સંપાદક તરીકે આપેલું રાજીનામું.

15 ફેબ્રુઆરી, 1947 : રાયપુરા ગામમાં હિંદુઓએ અને મુસલમાનોએ માનપત્ર આપ્યું.

20 ફેબ્રુઆરી, 1947 : ભારત છોડવાના નિર્ણયની વડાપ્રધાન ક્લેમન્ટ ઍટલીએ કરેલી જાહેરાત, વાઇસરૉય તરીકે લૉર્ડ માઉન્ટબૅટનની નિમણૂક.

30 માર્ચ, 1947 : બિહારનાં ગામોની મુલાકાત અને મુસલમાનોની દુર્દશાનાં દર્શન.

31 માર્ચ, 1947 : દિલ્હી આવેલા લૉર્ડ માઉન્ટબૅટનને મળ્યા.

1947 : એશિયાઈ રિલેશન્સ કૉન્ફરન્સમાં ભારતીય સંસ્કૃતિનું
દર્શન ભંગીઓનાં ઝૂંપડાંમાં હોવાનું સમજાવ્યું. 

4 એપ્રિલ, 1947 : ઝીણાને કે કૉંગ્રેસને પ્રધાનમંડળ રચવાના આમંત્રણની યોજના વાઇસરૉય સમક્ષ રજૂ કરી. 

10 એપ્રિલ, 1947 : પ્રધાનમંડળ રચવા અંગેની યોજના સાથે કૉંગ્રેસ કારોબારી અસંમત.

13 એપ્રિલ 1947 : બિહાર ગયા.

1 મે, 1947 : દેશનો વહીવટ લીગ કે કોંગ્રેસને સોંપી જતા રહેવાની સલાહ વાઇસરૉયે ન માની.

2 જૂન, 1947 : વાઇસરૉયની ભારતના ભાગલાની યોજના કૉંગ્રેસ, મુસ્લિમ લીગ અને શીખોના પ્રતિનિધિઓએ સ્વીકારી.

13 જૂન, 1947 : વાઇસરૉયની યોજનાનો સ્વીકાર કૉંગ્રેસ કારોબારીએ કર્યો.

18 જુલાઈ, 1947 : ભારત અને પાકિસ્તાનને બ્રિટિશ રાષ્ટ્રસંધના સંસ્થાન તરીકે શાહી મંજૂરી.

25 જુલાઈ, 1947 : દેશી રાજ્યોને લૉર્ડ માઉન્ટબૅટને આપેલી સલાહ.

13 ઑગસ્ટ, 1947 : કલકત્તામાં સુહરાવર્દી સાથે વસવાટ.

13 ઑગસ્ટ, 1947 : પાકિસ્તાનને ઇંગ્લેન્ડના રાજાની શુભેચ્છાઓ માઉન્ટબેટને પાઠવી.

15 ઑગસ્ટ, 1947 : ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ અને પ્રાર્થના કરીને ઉજવ્યો.

31 ઑગસ્ટ, 1947 : હૈદરી મૅન્શન ઉપર હિંદુ ટોળાનો હુમલો થતાં અનિશ્ચિત મુદતના ઉપવાસ.

4 સપ્ટેમ્બર, 1947 : કલકત્તામાં શાંતિ જળવાવાની ખાતરી મળતાં ઉપવાસ છોડ્યા.

5 સપ્ટેમ્બર, 1947 : શાંતિસેવાદળને 'મારું જીવન એ જ મારો સંદેશો છે' એવો સંદેશો બંગાળીમાં આપ્યો.

9 સપ્ટેમ્બર, 1947 : દિલ્હી પહોંચ્યા.

10 સપ્ટેમ્બર, 1947 : પ્રાર્થનાસભામાં શહાદરા સ્ટેશને જોયેલા દુ:ખજનક અનુભવનું વર્ણન.

27 ઑક્ટોબર, 1947 : કાશ્મીરનું ભારત સાથે જોડાણ.

1 જાન્યુઆરી, 1948 : પાકિસ્તાનના પંચાવન કરોડ રૂપિયા નહિ આપવાનો ભારત સરકારનો નિર્ણય.

2 જાન્યુઆરી, 1948 : કાશ્મીરનો પ્રશ્ન રાષ્ટ્રસંઘની સલામતી સમિતિને સોંપાયો.

12 જાન્યુઆરી, 1948 : પ્રાર્થનાસભામાં હિંદુ-મુસ્લિમ વચ્ચે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસનો નિર્ણય જાહેર કર્યો.

15 જાન્યુઆરી, 1948 : ભારત સરકારે પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપ્યા.

18 જાન્યુઆરી, 1948 : શાંતિની જાહેરાત થતાં ઉપવાસ છોડ્યા.

20 જાન્યુઆરી, 1948 : પંજાબી યુવકે પ્રાર્થનાસભાથી થોડે દૂર બૉમ્બનો ધડાકો કર્યો.

30 જાન્યુઆરી, 1948 : પ્રધાનમંડળમાં નહેરુ અને વલ્લભભાઈ બેઉની હાજરી જરૂરી હોવાનો દૃઢ અભિપ્રાય વલ્લભભાઈ સાથેની ચર્ચામાં જણાવ્યો.

30 જાન્યુઆરી, 1948 : ગોડસેની ત્રણ ગોળીઓથી દેહાંત.

31 જાન્યુઆરી, 1948 : યમુનાકિનારે રામદાસે કરેલો અગ્નિદાહ – રાત્રે નહેરુનું ભવ્ય અંજલિ આપતું વાયુપ્રવચન. 

5 ફેબ્રુઆરી, 1948 : નહેરુને સહકારની ખાતરી આપતો વલ્લભભાઈનો પત્ર.

1948 : વિશ્વભરમાંથી મળેલા ત્રણ હજાર જેટલા શોકસંદેશા.

15 ફેબ્રુઆરી, 1948 : છેલ્લું વસિયતનામું અને ઇચ્છાપત્ર ‘હરિજન'માં પ્રસિદ્ધ થયું.


No comments:

Post a Comment