Sunday, December 29, 2024

Satellite Imaging and Daily Earth Insights to Take Action


https://www.planet.com/

સાહિત્યસંશોધન : પદ્ધતિ અને સમસ્યાઓ || જયન્ત કોઠારી




https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80_%E0%AA%B8%E0%AA%98%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80_-_%E0%AA%9C%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4_%E0%AA%95%E0%AB%8B%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80/%E0%AB%A8.%E0%AB%A8_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%A8_:_%E0%AA%AA%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BF_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93

Gujarat Vidyapith


https://youtu.be/Uq3qLSGjIDA?si=Bft8X1L3IgTB73O8

Wednesday, December 25, 2024

Approaches to Development Communication


https://www.youtube.com/watch?v=MprTwHr6X08

https://studymasscom.com/development-communication/different-approaches-to-development-communication/

How to make a lithographic print | National Museums Liverpool

 

https://www.youtube.com/watch?v=G0So4M7Tbis

ગ્રામજીવન-પદયાત્રાનું દસ્તાવેજીકરણ


https://youtu.be/V6U7Bvkh-Jg?si=jTYKTtQX-LGioB-g

નાતાલનાં રમકડાં | મેરી વિલાર્ડ | સમગ્ર અરધી સદીની વાચનયાત્રા


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B0%E0%AA%AE%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82

 


ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન


ગૂજરાત વિદ્યાપીઠ || અખબારી નોંધ ||

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન

- વિષયજૂથ આધારિત સાત સત્રોનું આયોજન

- નવોદિત અધ્યાપકોથી માંડીને વરિષ્ઠ પ્રાધ્યાપકોની સક્રિય સામેલગીરી

- શિબિર-સ્થળ તરીકે બનાસકાંઠા જિલ્લાના વિરમપુરની પસંદગી

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ચિંતન શિબિરનું આયોજન આગામી 26 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર, 2024 દરમિયાન, સંવેદના સર્વોદય ટ્રસ્ટ, વિરમપુર, બનાસકાંઠા ખાતે કરવામાં આવ્યું છે.

ત્રિદિવસીય ચિંતન શિબિરમાં વિવિધ સત્રોમાં, જુદા જુદા વિષયો ઉપર રજૂઆત, ચર્ચા, અને ચિંતન કરવામાં આવશે. ચિંતન શિબિરમાં ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખા અને વિભાગોના શૈક્ષણિક સેવકો ભાગ લેશે.

ચિંતન શિબિરના ઉદ્ઘાટન સત્રમાં, ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ટ્રસ્ટીઓ શ્રી ચંદ્રવદનભાઈ શાહ, શ્રી સુરેશભાઈ રામાનુજ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ ઠાકર, અને સમાજશાસ્ત્રીશ્રી ડૉ. વિદ્યુતભાઈ જોષી ઉપસ્થિત રહેશે.

ચિંતન શિબરમાં ઉદ્ઘાટન સત્ર, મુક્ત સત્ર, સમાપન સત્ર ઉપરાંત વિષયજૂથ આધારિત સાત સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. સાત વિષયજૂથ-રચનામાં વ્યાવસાયિક સજ્જતા, આર્થિક સ્વનિર્ભરતાના ઉપાયો, સામુદાયિક સંબંધો, પ્રવેશ લક્ષ્યાંક વ્યૂહરચના, વિદ્યાપીઠનાં પરિપાટી, પડકાર અને પહેલ, રાષ્ટ્રીય શિક્ષણનીતિ અમલીકરણની સમીક્ષા, વિસ્તરણ પ્રવૃત્તિઓની સમીક્ષાનો સમાવેશ થાય છે. પ્રત્યેક વિષય જૂથમાં 14 અધ્યાપકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં નવોદિત અધ્યાપકોથી માંડીને વરિષ્ઠ પ્રાધ્યાપકોનો સમાવેશ થાય છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, વિદ્યાકીય શાખા દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અધ્યાપકોની છ વ્યવસ્થાપન સમિતિઓનું ઘડતર કરવામાં આવ્યું છે. ચિંતન શિબિર માટે હરિયાળા અને રળિયામણા વિરમપુરની પસંદગી કરવામાં આવી છે. જ્યાં સર્વોદય કાર્યકર અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીશ્રી હસમુખભાઈ પટેલ યજમાન તરીકેની જવાબદારી નિભાવશે.

ભાષાની મજા, મજાની ભાષા - 1543


દીકરી સાથે જ માઈ ઘટનાસ્થળે હાજર હોવાના પુરાવા મળ્યા હતા.

દીકરી સાથે જમાઈ ઘટનાસ્થળે હાજર હોવાના પુરાવા મળ્યા હતા.


Tuesday, December 24, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવ સંપન્ન થયો

ગૂજરાત વિદ્યાપીઠ || અખબારી યાદી ||

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવ સંપન્ન થયો

૦ રમતોત્સવમાં ખેલાડીઓની ઉત્સાહભેર ભાગીદારી

૦ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ચંદ્રકો અને પ્રમાણપત્રો અપાયાં


ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરના રમતગમત સંકુલમાં ૨૨થી ૨૪ ડિસેમ્બર, ર૦૨૪ દરમિયાન 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દોડ, કૂદ, ફેંક જેવી ખેલકૂદ પ્રવૃત્તિઓ, સાંઘિક રમતો, અને વ્યક્તિગત રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તા. 24-12-2024ના રોજ 'ખેલભારતી' રમતોત્સવના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં, મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, 'વિજેતાઓને ઇનામ આપતાં જાણે હું રમતો હોઉં એવો ભાવ થાય છે!' તેમણે પોતાના યુવાકાળના રમત-ગમતના દિવસોને યાદ કરીને, ખેલાડીઓને અને આયોજકોને અભિનંદન આપ્યા હતા.

કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે, ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ચંદ્રવદનભાઈ શાહે, સી.એન. વિદ્યાવિહારના પોતાના છાત્રાલય-જીવનના રમતગમતના અનુભવોને વાગોળ્યા હતા.

ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટે પ્રાસંગિક પ્રવચનમાં, શારીરિક શિક્ષણને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવા અનુરોધ કર્યો હતો.

શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉ. જગદીશચંદ્ર ગોઠીએ સમગ્ર રમતોત્સવનો અહેવાલ રજૂ કર્યો હતો.

વિજેતાઓને, મહાનુભાવોના હસ્તે, કુલ 166 ચંદ્રકો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થી રમતગમત, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખાનાં અધ્યક્ષ ડૉ. અમિષા શાહ, શારીરિક શિક્ષણના વિષય-તજજ્ઞ પ્રા. મગનભાઈ તાળા તેમજ આંતરરાષ્ટ્રીય રમતવીર અજયસિંહ ચુડાસમા અને દેવ નરવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક જગદીશચંદ્ર સાવલિયાએ, આભારવિધિમાં મેદાન-માવજત માટે વિદ્યાર્થીઓના શ્રમકાર્યની વિશેષ નોંધ લીધી હતી.

કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પ્રાધ્યાપક પ્રભુલાલ કાસુન્દ્રાએ કર્યું હતું.

વિજેતાઓને બિરદાવવા માટે, 'ખેલભારતી' રમતોત્સવના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર ||||||| ડૉ. અશ્વિનકુમાર


https://opinionmagazine.co.uk/narayan-desai-gandhivichaarna-karmasheel-kelavaneekaar-kalamveer-kathaakaar/

 



Sunday, December 22, 2024

Development Communication - Definition


https://academic-accelerator.com/encyclopedia/development-communication


https://www.scribd.com/document/332637773/Development-Communication

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન

ગૂજરાત વિદ્યાપીઠ | અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન

૦ જે ખેલે છે તે ખીલે છે : કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલ

૦ રમતોત્સવમાં 464 ખેલાડીઓની ઉત્સાહભેર ભાગીદારી   

ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરના રમતગમત સંકુલમાં ૨૨થી ૨૪ ડિસેમ્બર, ર૦૨૪ દરમિયાન 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દોડ, કૂદ, ફેંક જેવી ખેલકૂદ પ્રવૃત્તિઓ, સાંઘિક રમતો, અને વ્યક્તિગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 'ખેલભારતી' રમતોત્સવમાં 464 ખેલાડીઓએ ઊર્જા અને ઉમંગથી ભાગ લીધો છે.
 
22-12-2024 ને રવિવારની સવારે ખેલભારતી રમતોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રમતવીરોએ સમૂહકૂચ કરી હતી અને આતશ જ્યોત પ્રગટાવી હતી. રમતવીર મહેશ ઝાંપડિયાએ પ્રતિજ્ઞાવાચન કર્યું હતું. શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉ. જગદીશચન્દ્ર ગોઠીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

મુખ્ય અતિથિ તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસરના પૂર્વ કુલપતિશ્રી ડૉ. જતીન સોનીએ ઉદ્બોધનમાં સ્વાસ્થ્યને શ્રેષ્ઠ સંપત્તિ ગણાવી હતી. ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી સુરેશ રામાનુજે વિદ્યાપીઠમાં પોતાના વિદ્યાર્થીકાળના દિવસોને યાદ કરીને શારીરિક ચુસ્તીનો મહિમા કર્યો હતો. કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રા. ફકીરચંદે વક્તવ્યમાં માનવીના જીવનમાં રમતગમતની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે અધ્યક્ષીય ઉદ્બોધનમાં, વિદ્યાર્થીઓને રમતગમત માટે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, 'જે ખેલે છે તે ખીલે છે.' તેમણે ખેલભારતી રમતોત્સવની વિધિવત ઘોષણા કરી હતી. 

ખેલભારતી રમતોત્સવમાં યુ.જી.સી.ના અન્ડર સેક્રેટરી રવિનારાયણ અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રા. રામનિવાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પ્રા. પ્રભુલાલ કાસુન્દ્રાએ કર્યું હતું. વિદ્યાર્થી રમતગમત, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખાનાં અધ્યક્ષ ડૉ. અમિષા શાહે આભારવિધિ કરી હતી. તા. 24-12-2024 ને મંગળવારના રોજ સવારે ખેલભારતી રમતોત્સવનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે.

 




Sunday, December 8, 2024

'ગુજરાત સમાચાર ટ્રસ્ટ' અને 'ક્લાસ્મૃતિ' દ્વારા દિગ્દર્શન કાર્યશાળા


'ગુજરાત સમાચાર ટ્રસ્ટ' અને 'ક્લાસ્મૃતિ' દ્વારા નાટ્ય કળાને પ્રોત્સાહન આપવા અને સારા દિગ્દર્શકો તૈયાર કરવાના ઉદ્દેશ સાથે 37મી એકાંકી નાટ્ય સ્પર્ધા પૂર્વે 3 દિવસીય તદ્દન નિઃશુલ્ક દિગ્દર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય કક્ષાના દિગ્દર્શકો રાજુ બારોટ, સૌમ્ય જોશી, સંજય ગોરડીયા અને વિરલ રાચ્છ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે. આ વર્કશોપ તદ્દન નિઃશુલ્ક છે તેમાં જોડાવા આપને સાદર નિમંત્રણ છે.

આ વર્કશોપમાં ભાગ લેવા ઓનલાઇન ફોર્મ ભરી પૂર્વ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.

તારીખ : 27, 28, અને 29 ડિસેમ્બર 2024

સમય : સાંજે 6થી 10

સ્થળ : ક્લાસ્મૃતિ, GSTV કેમ્પસ, ઈસકોન મંદિરની બાજુમાં, અમદાવાદ

ફોન : +91 6357936893

રજીસ્ટ્રેશન લિંક :

સ્થળની લિંક :

ગુજરાતી અંગત નિબંધો


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A4_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B

Vocabulary


https://www.vocabulary.com/dictionary/goodbye

Friday, December 6, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો 

૦ ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે  : પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ

૦ સ્નાતકોની વર્તણૂક એ જ વિદ્યાપીઠ છે : કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ

ગૂજરાત વિદ્યાપીઠના હીરક સભાખંડમાં તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૪ ને શુક્રવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સંઘગાન અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી  શ્રી સુરેશ રામાનુજે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

ત્યારબાદ, સ્નાતક સંઘના ગીતની રજૂઆત અને સ્નાતક સંઘના પ્રતીકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના મુખ્ય મહેમાન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે વક્તવ્ય આપતા એમના ગૂજરાત વિદ્યાપીઠ સાથેના અનુભવોને વાગોળ્યા હતા.

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે તેઓ 48 વર્ષ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા. તેમણે 10મા અને 11મા ધોરણનો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. તેમણે આચાર્ય ચંદ્રકાંત ઉપાધ્યાય સાથેના એમના શાળાજીવનના અનુભવની વિગતે વાત માંડી હતી. શ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે, મને ગુજરાતી લખતાં આવડતું નહોતું. પણ ગૂજરાત વિદ્યાપીઠમાં હું સાચું ગુજરાતી લખતાં શીખ્યો અને આજે મારાં 115 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં પુસ્તકો આજે પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. તેમણે વર્ષ 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જે સંસ્થા થકી લોકસાહિત્ય, સંસ્કૃતિ અને કળાનો પ્રચાર- પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થા સાથે 5000 લોક-કલાકારો જોડાયેલા છે. શ્રી જોરાવરસિંહ જાદવે કહ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારો અને કેળવણી મને જીવનભર બહુ કામ લાગ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે. તેમણે સ્નાતકોને સંદેશો આપતાં કહ્યું હતું કે, કોઈપણ કાર્ય નિષ્ઠાથી કરો તો એનું ફળ મળશે જ.

સ્નાતક સંઘના સંયોજક ડૉ. કૌશિકભાઈ પટેલે વર્ષ  દરમિયાનના શતાબ્દી આયોજનની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, સ્નાતકોએ પહેલા ચરણમાં આઠ લાખ ઇકોતેર હજાર રૂપિયા જેટલી રકમનો ફાળો આપ્યો છે.

કુલસચિવશ્રી ડૉ. નિખિલભાઈ ભટ્ટે મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કારનાં નામોની ઘોષણા કરી હતી. આ ઘોષણા અંતર્ગત વર્ષ 2023ના પુરસ્કાર માટે, છત્તીસગઢમાં કામ કરનાર ભારતી ઓડેદરાની અને વર્ષ 2024ના પુરસ્કાર માટે ગ્રામશિલ્પી અશોક ચૌધરીની પસંદગી થઈ છે.

કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે અધ્યક્ષીય ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સ્નાતકો માટે ગૂજરાત વિદ્યાપીઠ સાથેનાં સ્મરણોને વાગોળવાનો અને જૂની યાદોને તાજી કરવાનો આ અનેરો અવસર છે. તેમણે કહ્યું હતું કે હીરામાં કોણ પહેલ પાડે છે એ અગત્યનું છે. તેમણે મોરારજી દેસાઈના અવતરણ 'સ્નાતક સંઘ એ માતૃસંસ્થા સાથેની સગાઈ છે.'ને યાદ કર્યું હતું.

તેમણે સ્નાતક સંઘનાં વિવિધ અધિવેશનોનો વિગતે પરિચય આપ્યો હતો. સ્નાતક સંઘનું પહેલું અધિવેશન 1926માં આચાર્ય ગિદવાણીના અધ્યક્ષસ્થાને, બીજું અધિવેશન 1928માં આચાર્ય કૃપાલાનીના અધ્યક્ષસ્થાને અને ત્રીજું અધિવેશન 1929માં કિશોરલાલ મશરૂવાળાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંગ્રહાલયના નિર્માણની સંકલ્પના રજૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ગ્રામજીવનયાત્રા ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે. એક અંદાજ મુજબ ગૂજરાત વિદ્યાપીઠના 28 હજાર સ્નાતકો  દેશનાં વિવિધ રાજ્યોમાં વસે છે. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ વસે છે. આગામી ગ્રામજીવન યાત્રામાં વિદ્યાર્થીઓ ગુજરાતના તમામ જિલ્લામાં વસતા વિદ્યાપીઠના સ્નાતકો સાથે સીધો સંપર્ક કરશે. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો વિશે દસ્તાવેજી ચલચિત્રો બનાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. તેમણે ખાસ કહ્યું હતું કે સ્નાતકોની વર્તણૂક એ જ વિદ્યાપીઠ છે. જેવો સ્નાતક એવી વિદ્યાપીઠ. ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા ઉજ્જવળ છે.

કાર્યક્રમના અંતે સ્નાતક ચંદુભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના પ્રા. અમૃતભાઈ ભરવાડે કર્યું હતું.

Thursday, December 5, 2024

Three-Day workshop


પરિસંવાદ/તાલીમ-કાર્યક્રમ/કાર્યશાળા/ઓપવર્ગ : Three-Day workshop
કાર્યક્રમનું નામ અને સ્થળ : Department of Higher and Professional Education, NIEPA, New Delhi
વિષય : Leadership Development for University Deans and Head of Departments
તારીખ : December 2-4, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1539


તમને શું થવું ગમે?
'નિષ્ણાત' કે 'નિષ્ણાંત'?!

Monday, December 2, 2024

Three-Day workshop on Leadership Development for University Deans and Head of Departments


The Department of Higher and Professional Education, NIEPA is organizing a Three-Day workshop on Leadership Development for University Deans and Head of Departments. The programme aims to understand the challenges of an academic administrator, and to develop capacities to master the new leadership approaches for overcoming the challenges. The programme has been scheduled on December 2-4, 2024 at Department of Higher and Professional Education, NIEPA, New Delhi.