પરીક્ષાનું સમયપત્રક બરાબર વાંચી લેવું.
પરીક્ષાવિષયક સૂચનાઓનો અમલ કરવો.
પેન-પેન્સિલ, ઈરેઝર-સ્કેલ જેવી વસ્તુઓ સાથે લઈને આવવું.
અધિકૃત ઓળખપત્ર સાથે રાખવું.
મોબાઈલ ફોન સહિતનાં કોઈપણ વીજાણુ ઉપકરણો સાથે રાખવાની મનાઈ છે.
ચિઠ્ઠી-ચબરખી ભૂલથી પણ સાથે ન લઈ જવી.
પરીક્ષાના સ્થળે અડધો કલાક પહેલાં પહોંચી જવું.
પ્રાર્થનાનો ઘંટ વાગે એટલે સમયસર સમૂહ-પ્રાર્થના કરવી.
પરીક્ષાના સમય દરમિયાન શિસ્તપાલન અનિવાર્ય છે.
વર્ગ નિરીક્ષક સાથે વિવેકપૂર્ણ વર્તન અપેક્ષિત છે.
પરીક્ષા શરૂ થયા પહેલાં અને પરીક્ષા પૂર્ણ થયા પછી, બિનજરૂરી ચર્ચાઓ ટાળવી.
તન અને મન સ્વસ્થ રાખવાં.
વિદ્યાર્થીમિત્રોને પરીક્ષાની શુભેચ્છાઓ.
Thank you sir
ReplyDelete