Wednesday, June 21, 2023

વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ જોગ


અભ્યાસ પૂર્ણ થયા બાદ અંતિમ ગુણપત્ર તથા અનામત રકમ પરત લેવા અંગેના અરજીપત્રક વિશે 

વિદ્યાર્થીએ અરજીપત્ર ધ્યાનપૂર્વક વાંચવું. એમાં માંગેલી તમામ વિગતો ભરવી.

આ અરજીપત્રમાં નીચેની ત્રણ વિગતો અગત્યની છે :

૧) મહાવિદ્યાલયમાં / વિભાગમાં કોઈ નાણાં / સાધનસામગ્રી કે અન્ય બાબત લેવાની રહેતી નથી. ...

૨) છાત્રાલયનો હિસાબ ચૂકતે છે. ...

૩) ગ્રંથાલયમાં કોઈ પુસ્તક લેવાનું બાકી નથી. ...

વિદ્યાર્થીએ ઉપરોક્ત ત્રણ વિગતો પૈકી,

પહેલી વિગતમાં વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખા કાર્યાલય(મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ)ના સંબંધિત સેવકની સહી અને એની બાજુમાં વિભાગીય અધ્યક્ષની સહી કરાવવાની છે.

બીજી વિગતમાં મુખ્ય ગૃહપતિ કે ગૃહમાતાની સહી કરાવવાની છે.

ત્રીજી વિગતમાં ગ્રંથપાલની સહી કરાવવાની છે.

વિદ્યાર્થીએ આ ચાર સહીઓ કરાવ્યા પછી, વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખાના ડીન પાસે સહી માટે આવવા વિનંતિ છે.


No comments:

Post a Comment