Tuesday, January 20, 2026

એકત્ર શ્રુતિસંવાદ || વિવેચનની પાઠશાળા || ગુજરાતી સાહિત્યની વિવેચનની કૃતિઓ, ઉપરાંત સાહિત્યના ઇતિહાસ વિશેના AI-સહાયિત સમજૂતી-અર્થઘટન આપતા સર્વ-સુગમ વર્ચ્યુઅલ સંવાદો


https://shrutisamvad.lovable.app

Ekatra Dialogue || Global Knowledge, Local Voices || Unlock the worlds best books - distilled into 15 minute dialogues


https://dialogue.ekatrafoundation.org/

તમારી સર્જનાત્મકતાને 'કવચ'ની જરૂર છે!


 

માહિતી-સૌજન્ય : 
રણજિત મકવાણા, પૂર્વ વિદ્યાર્થી (વર્ષ : ૨૦૨૩-૨૦૨૫), પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ

Sunday, January 18, 2026

ભાષાની મજા, મજાની ભાષા - 1618


'લાઇફલાઇન' શબ્દનું ગુજરાતી ભાષાંતર 'જીવનદોરી' કરી શકાય.

ભાષાની મજા, મજાની ભાષા - 1617


ગુજરાતી અખબારોમાં 'કમબેક' માટે 'પુનરાગમન' કે 'વાપસી' શબ્દને પરત બોલાવવા જેવા છે!

અભિનંદન


વિભાગના પીએચ.ડી. વિદ્યાર્થી પારસ યાદવને સંશોધન-પૉસ્ટર માટે પ્રથમ ઈનામ.

Saturday, January 17, 2026

ગુણપત્રક વિતરણ


મોરારજી દેસાઈ મંડપમ 

ગૂજરાત વિદ્યાપીઠ 

તારીખ 17 જાન્યુઆરી 2026 

શનિવાર

Thursday, January 15, 2026

Martin Luther King Junior's famous speech: I have a dream


https://share.google/larXxUEicPUOBfM6f

માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર)ના જન્મદિન નિમિત્તે વ્યાખ્યાન

 

માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર)ના જન્મદિન (૧૫-૦૧-૧૯૨૯) નિમિત્તે વ્યાખ્યાન

વિષય : માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) : જીવન અને ઉદ્દેશ

દિનાંક : ૧૫-૦૧-૨૦૨૬, ગુરુવાર

સ્થળ : મોરારજી મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

'આદિલોક' સામયિક


https://adilok.com/corporate-3-landing/

Tuesday, January 13, 2026

પૂર્વ વિદ્યાર્થીનો વર્તમાન વિદ્યાર્થી સાથે વાર્તાલાપ

મીત સોની, પત્રકાર, વીટીવી ડિજિટલ 

સંવાદનો વિષય : પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવેશતા નવસ્નાતકો સામેના પડકારો અને તેના ઉકેલો


Monday, January 12, 2026

'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે વ્યાખ્યાન


'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે વ્યાખ્યાન

વિષય : સ્વામી વિવેકાનંદ : જીવન અને કાર્ય

દિનાંક : ૧૨-૦૧-૨૦૨૬, સોમવાર

સ્થળ : મોરારજી મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


Sunday, January 11, 2026

'વૈષ્ણવજન' પૉડકાસ્ટમાં જીવદયા-કર્મશીલ અને પક્ષીવિદ કાર્તિક શાસ્ત્રી સાથે સંવાદ


ગૂજરાત વિદ્યાપીઠ પૉડકાસ્ટ : 'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચારનાં'
વિષય-નિષ્ણાત : જીવદયા-કર્મશીલ અને પક્ષીવિદ કાર્તિક શાસ્ત્રી

Friday, January 9, 2026

પરિસંવાદ

 




વતન-વાપસીએ બાપુની ઝાંખી || ડૉ. અશ્વિનકુમાર

Photograph-Courtesy: google image 

ત્રીસ જાન્યુઆરી, ઓગણીસો અડતાળીસે દેહથી ગયા તે ‘મહાત્મા’ હતા. પણ નવ જાન્યુઆરી, ઓગણીસો પંદરે દેશમાં આવ્યા તે ‘મોહનદાસ ગાંધી’ હતા. જોકે, ગાંધીભાઈએ જીવનનાં એકવીસ વરસ દક્ષિણ આફ્રિકાની ભૂગોળને અને દુનિયાના ઇતિહાસને આપ્યા. તેઓ ગિરમીટિયાઓને દેશી ભાષાઓમાં સમજતા તો ગોરાઓને અંગ્રેજી ભાષામાં સમજાવતા. મો.ક. ગાંધી અધિપતિની હેસિયતથી ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ગુજરાતી, હિંદી, તામિલ, અને અંગ્રેજી એમ ચાર ભાષામાં લખાણો છાપતા. ‘સત્યાગ્રહ’નું શસ્ત્ર નહીં પણ શાસ્ત્ર સમજી-સમજાવીને તેઓ હિંદના દરિયાકિનારે ભરતી બનીને આવ્યા. ૦૯-૦૧-૧૯૧૫ના રોજ, ગાંધી મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે એક પારસી ખબરપત્રી તેમની મુલાકાત લેવા સારુ છેક બંદર ઉપર પહોંચી જઈને તેમને મળ્યો. તેને પહેલાં પહોંચી જઈને ગાંધીને મળી લેવાની હોંશ હતી. ‘સૌથી પ્રથમ, તેજ કદમ’નું સ્પર્ધાસૂત્ર એ જમાનાના પત્રકારત્વનું લક્ષણ હોય પણ ખરું. પેલા પત્રકારે તો મળતાંની સાથે જ ગાંધી ઉપર અંગ્રેજીમાં સવાલ છાંટ્યો. પછી શું થયું?... ગાંધીનું નહીં, પેલા પત્રકારનું?!... આ અંગે આપણા સૌના ‘કા.કા.’ને પૂછવું પડે.

કાકાસાહેબ કાલેલકર ‘બાપુની ઝાંખી’(નવજીવન પ્રકાશન મંદિર, પહેલી આવૃત્તિ: ૧૯૪૯, બીજી આવૃત્તિ : ૧૯૫૫, પુનર્મુદ્રણ : ૧૯૬૯, પૃ.૧૨)માં નોંધે છે : “તેમણે પૂછેલા સવાલનો જવાબ આપતાં પહેલાં બાપુએ કહ્યું – ‘ભાઈ, તમે હિંદી છો, હું પણ હિંદી છું. તમારી માતૃભાષા ગુજરાતી છે, મારી પણ ગુજરાતી છે. તો પછી તમે મને અંગ્રેજીમાં કેમ સવાલ પૂછો છો? તમે શું એમ માનો છો કે દક્ષિણ આફ્રિકામાં રહી આવ્યો એટલે મારી જન્મભાષા ભૂલી ગયો? અથવા એવું તો માનતા નથીને કે મારા જેવા બેરિસ્ટર સાથે અંગ્રેજીમાં વાત કરવી જ શોભે?’ ” આ ઘટના અંગે કાકાસાહેબ વધુમાં લખે છે કે, “ખબરપત્રી શરમાયો કે નહીં એ હું જાણતો નથી, પણ એને નવાઈ થઈ ખરી. પોતાની મુલાકાતના હેવાલમાં બાપુના આ જવાબને જ તેણે અગ્રસ્થાન આપ્યું હતું.” લેખને સમેટતાં કાલેલકર કહે છે : “તેણે બીજા સવાલો શા પૂછ્યા અને બાપુએ જવાબો શા આપ્યા એ હું ભૂલી ગયો છું. પણ આપણા દેશના નેતાઓમાં એક નેતા એવા છે જે માતૃભાષામાં બોલવાની સ્વાભાવિકતાનું મહત્ત્વ સમજે છે એ જાણીને સૌને સંતોષ થયો.” આ જે બન્યું તેને સમાચારની ભાષામાં ઘટના પણ વિચારની ભાષામાં ઘડતર કહેવાય. જેમાંથી એક પત્રકારે નહીં, આખી પ્રજાએ બોધપાઠ લેવો રહ્યો.

ગાંધીના માનમાં ઉત્તમલાલ ત્રિવેદીએ મુંબઈમાં ગુજરાતીઓનો મેળાવડો ગોઠવ્યો હતો. ‘ગાંધીજીની દિનવારી’(માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૦૨)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલની નોંધ મુજબ, ‘આ મેળાવડો ગુર્જર સભા તરફથી ૧૪-૦૧-૧૯૧૫ની સાંજે મુંબઈસ્થિત મંગળદાસની વાડીમાં યોજાયો હતો.’ ગુજરાતી હોવાના નાતે મહમદઅલી ઝીણા પણ એમાં હાજર રહ્યા હતા. આ મેળાવડાના પ્રમુખ કે મુખ્ય વક્તા તરીકે ઝીણાએ ટૂંકું અને મીઠું પણ અંગ્રેજીમાં ભાષણ કર્યું. બીજાં ભાષણો પણ મોટા ભાગે અંગ્રેજીમાં જ થયાં હતાં. હવે ગાંધીનો વારો આવ્યો! આ બનાવનું બયાન કરતાં મો.ક. ગાંધી ‘સત્યના પ્રયોગો’(નવજીવન પ્રકાશન મંદિર, પ્રથમ આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : ૨૦૦૯, પૃ. ૩૪૫)માં કહે છે : “જયારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર ગુજરાતીમાં જ વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડા જ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામેનો મારો નમ્ર વિરોધ નોંધાવ્યો. મારા મનમાં આમ કરવા વિશે સંકોચ તો હતો જ. લાંબી મુદતની ગેરહાજરી પછી પરદેશથી વળેલો બિનઅનુભવી માણસ ચાલતા પ્રવાહની સામે જાય એમાં અવિવેક તો નહીં હોય એવું મને લાગ્યા કરતું હતું. પણ ગુજરાતીમાં ઉત્તર વાળવાની મેં હિંમત કરી તેનો કોઈએ અનર્થ ન કર્યો ને સૌએ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગતા બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સભામાંથી ખેંચ્યો.”

દાનત હોય તો, આ દૃષ્ટાંતો ઉપરથી આપણે ધડો લઈ શકીએ છીએ. સવાલો પૂછનાર પત્રકારની માતૃભાષા ગુજરાતી છે એવું જાણી લીધા પછી ગુજરાતીમાં સંવાદ કરવો એ ગૌરવનો વિષય છે, શરમનો નહીં. એનાથી ગેરસમજ ઘટશે, ઠેરસમજ વધશે. ગુજરાતી વ્યવસ્થા-વાતાવરણ-વ્યવહારમાં ગુજરાતી ભાષામાં વાત વહેતી કરવા માટે હિંમત સિવાય કશું જરૂરી નથી. પછી ભલેને સામે ઝીણા હોય કે મોટા! અંતે એટલું સ્વીકારીએ કે, જાહેરમાં એકવાર માતૃભાષામાં અભિવ્યક્ત થયા પછી કોઈ નવી વાત રજૂ કરવામાં અગવડ નહીં પડે એવો સાર જો મો.ક. ગાંધી ખેંચી શકતા હોય તો આપણે તેમના તરફ ખેંચાવું જ રહ્યું.

.................................................................................................................................
અક્ષર-આકાશિકા(બ્લોગ) : https://ashwinningstroke.blogspot.com

Thursday, January 1, 2026

મહાદેવ દેસાઈ જન્મજયંતી


પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પૂર્વ સ્નાતકો રમેશ તન્ના અને ગોપી મણિયારનું સન્માન


256010446006 સમૂહ માધ્યમોનો વિકાસ (Development of Mass Media)



256010446006
સમૂહ માધ્યમોનો વિકાસ 
(Development of Mass Media)

Unit 1 એકમ : ૧

૧.૧ આઝાદી પહેલાનું ભારતીય પત્રકારત્વ

૧.૨ આઝાદી પહેલાનું ગુજરાતી પત્રકારત્વ

૧.૩ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હસ્તલિખિત પત્રિકાઓ

૧.૪ આઝાદી પછીનું ભારતીય પત્રકારત્વ

૧.૫ આઝાદી પછીનું ગુજરાતી પત્રકારત્વ

Unit 2 એકમ : ૨

૨.૧ દેશપારનું ગુજરાતી પત્રકારત્વ

૨.૨ વંચિતો માટેનું પત્રકારત્વ

૨.૩ મહિલાઓ માટેનું પત્રકારત્વ

૨.૪ ગુજરાતી સામયિકોનો ઇતિહાસ અને વર્તમાન

૨.૫ ગુજરાતી ચલચિત્રોનો ઇતિહાસ અને વર્તમાન

Unit 3 એકમ : ૩

૩.૧ ચલચિત્રની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ

૩.૨ રેડિયોની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ

૩.૩ ટેલિવિઝનની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ

૩.૪ નૂતન માધ્યમોની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ

૩.૫ પ્રસારભારતી

Unit 4 એકમ : ૪ : પ્રાયોગિક

૪.૧ દૈનિકોની સમાચાર-સામગ્રી

૪.૨ ટેલિવિઝન ચેનલ્સની સમાચાર-સામગ્રી

૪.૩ રેડિયો ચેનલ્સની સમાચાર-સામગ્રી

૪.૪ વેબ-પોર્ટલ્સની સમાચાર-સામગ્રી

૪.૫ ચલચિત્રોની સમીક્ષા

|| સને ૨૦૨૬માં કરેલા પ્રવાસની સૂચિ || ડૉ. અશ્વિનકુમાર


૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ : માતર, નડીઆદ તાલુકો, ખેડા જિલ્લો


શબ્દલોકના યાત્રીઓ : ભાગ ૧ - ૨ || રમણલાલ જોશી


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93_%E2%80%93_%E0%AB%A7


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93_%E2%80%93_%E0%AB%A8

Sunday, December 21, 2025

રાજ્યસ્તરીય પરિસંવાદમાં વિષય-નિષ્ણાત તરીકે વ્યાખ્યાન


સરદાર વલ્લભભાઈ પટેલની ભાષા 
ડૉ. અશ્વિનકુમાર

વિષય-નિષ્ણાત તરીકે વ્યાખ્યાન
રાજ્યસ્તરીય પરિસંવાદ
સી. બી. પટેલ આર્ટસ કૉલેજ, નડિયાદ 
તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫, રવિવાર 
સવારે ૧૧:૪૦થી ૦૧:૦૦


Monday, December 15, 2025

MOUNTAIN MOVERS MAKES HISTORY

 



By climbing Mt. Vinson in Antarctica, Surbhi and Hemant becomes First Indian Couple to complete 7 SUMMITS - climbing highest mountains of all 7 continents.
Surbhi becomes oldest Indian female to complete 7 SUMMITS.


Job @ TV9 Gujarati

 


256010446001 : સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો


Paper Code
256010446001

Subject Name

સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો

(Principles of Mass Communication)

Unit 1 એકમ : ૧
૧.૧ : પ્રત્યાયનનો અર્થ અને વ્યાખ્યાઓ
૧.૨ : પ્રત્યાયનની પ્રક્રિયા અને તત્ત્વો
૧.૩ : પ્રત્યાયનના પ્રકારો
૧.૪ : પ્રત્યાયનનાં કાર્યો
૧.૫ : પ્રત્યાયનનું જીવનમાં સ્થાન અને મહત્ત્વ

Unit 2 એકમ : ૨
૨.૧ : પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોનું મહત્વ
૨.૨ : પ્રત્યાયનમાં અંતરાયો અને ગેરસમજો
૨.૩ : પ્રત્યાયનના વાહન તરીકે ભાષાનો ઉદ્દભવ અને વિકાસ
૨.૪ : અસરકારક પ્રત્યાયન માટેના સાત 'સી'
૨.૫ : અસરકારક પ્રત્યાયક તરીકે મહાત્મા ગાંધીજી

Unit 3 એકમ : ૩
૩.૧ : હેરોલ્ડ લાસ્સવેલનું પ્રત્યાયન મોડેલ
૩.૨ : ન્યૂકોમ્બનું પ્રત્યાયન મોડેલ
૩.૩ : મુદ્રણનો ઉદ્દભવ અને વિકાસ
૩.૪ : પ્રકાશનનો ઉદ્દભવ અને વિકાસ
૩.૫ : સમાચાર સંસ્થાઓનો ઉદ્દભવ અને વિકાસ

Unit 4 એકમ : ૪ : પ્રાયોગિક
૪.૧ : માધ્યમોમાં અભિવ્યક્તિની આઝાદી વિષયક સમાચાર-સામગ્રી
૪.૨ : માધ્યમોમાં રાષ્ટ્રીય એકતા વિષયક સમાચાર-સામગ્રી
૪.૩ : માધ્યમોમાં સામાજિક જવાબદારી વિષયક સમાચાર-સામગ્રી
૪.૪ : માધ્યમોમાં પર્યાવરણ વિષયક સમાચાર-સામગ્રી
૪.૫ : માધ્યમોમાં માહિતીનો અધિકાર વિષયક સમાચાર-સામગ્રી

Tuesday, November 18, 2025

સંરક્ષણ પત્રકારત્વ || વક્તા : ડૉ. વિવેક ભટ્ટ

 

केन्द्रीय शिक्षा मंत्रालय, राष्ट्रीय बुक ट्रस्ट के सहयोग से अहमदाबाद, गुजरात में आयोजित अंतरराष्ट्रीय बुक फेस्टिवल 2025 में भारतीय विचार मंच की विशेष लेक्चर सीरीज़ में डॉ. विवेक भट्ट का अतिथि वक्ता के तौर पर विशेष संबोधन। 

डॉ. विवेक भट्ट 

देश के एक मात्र पत्रकार जिन्होंने देश की सभी सीमाओं पर , देश की सभी सेनाओं के साथ रह कर उनकी ज़िंदगी पर डोक्युमेंन्ट्रीज बनाई है।

जवानों के की देश भक्ति उनका साहस और बोर्डर पर जीवन यादगार अनुभव के साथ कई कहानियों को सुनने हेतु आमंत्रण है।



આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં જીવનકથા-લેખન વિશે રમેશ તન્નાની કાર્યશાળા


કાર્યશાળા આયોજક રમેશ તન્ના સાથે ગૂજરાત વિદ્યાપીઠના
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ

Monday, November 10, 2025

વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો પ્રારંભ

o ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સ્વાવલંબન યાત્રાનો શુભારંભ
o સેવકો અને કાર્યકરો, પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓની ઉત્સાહભેર સામેલગીરી

ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર 2025 ને સોમવારે સવારે શુભારંભ થયો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના સેવકો, ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોમાં હાલમાં અભ્યાસ કરતાં વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓ, અને સ્થાનિક સંસ્થા 'લોકમંગલમ્'ના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્વાવલંબન યાત્રાનો શુભારંભ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. તેમણે સ્વદેશી અને સ્વાવલંબનનો મહિમા વર્ણવતું પ્રવચન કરીને પદયાત્રીઓનો જુસ્સો વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.


સમગ્ર દિવસ દરમિયાન પદયાત્રીઓએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. ગૂજરાત વિદ્યાપીઠના સેવકોએ અને વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ અને વર્તમાન, ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘની શતાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મનાં 150 વર્ષ, રાષ્ટ્રીય પ્રેરણાગાન 'વન્દે માતરમ્'ની રચનાનાં 150 વર્ષ, અને બિરસા મુંડાના જન્મનાં 150 વર્ષની ઉજવણી વિશે રસપ્રદ વિગતો આપીને સ્વદેશી અને સ્વાવલંબન વિશે વિદ્યાર્થીઓને જાગ્રત કર્યા હતા.

પ્રત્યેક શાળાના પરિસરમાં યોજાયેલા 'સ્વાવલંબન યાત્રા સંમિલન'માં આચાર્યશ્રી, શિક્ષકો, સેવકો, અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.


...........................................................................

વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાના શુભારંભની તસવીરો

























ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી સંમેલન : નિમંત્રણ

સૌ સ્નાતક મિત્રો,

તા. 06-07 ડિસેમ્બર 2025 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી અધિવેશન રાખેલ છે. આ શતાબ્દી અધિવેશનમાં આપ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. આપની ઉપસ્થિતિ અંગે તથા તમારી વિગતો આ સાથે આપેલ લિંક ઉપર ક્લિક કરી ભરવા વિનંતી. આપનો મોબાઈલ નંબર એડ કરી તેના પર ઓટીપી આવશે જે એન્ટર કર્યા પછી જરૂરી વિગતો ભરી શકાશે.


આપ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર જઈને સ્નાતક સંઘ પર ક્લિક કરી ઉપરોક્ત વિગતો અપડેટ કરી શકો છો.


Friday, November 7, 2025

જોરાવરસિંહ જાદવને શ્રદ્ધાંજલિ




તસવીર : ડૉ. કિરણ કાપુરે
ગાંધી-અભ્યાસી
ડૉ. કિરણ કાપુરે
 સાથે

ગૂજરાત વિદ્યાપીઠમાં, કુમાર વિનય મંદિરના પ્રાંગણમાં જોરાવરસિંહ જાદવ
તારીખ : ૦૩-૦૭-૨૦૨૨
તસવીરો : ડૉ. અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી ઉજવણી શુભારંભ 
૦૬-૧૨-૨૦૨૪ ૮૫ વર્ષ 
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે તેઓ 48 વર્ષ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા. તેમણે 10મા અને 11મા ધોરણનો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. તેમણે આચાર્ય ચંદ્રકાંત ઉપાધ્યાય સાથેના એમના શાળાજીવનના અનુભવની વિગતે વાત માંડી હતી. શ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે, મને ગુજરાતી લખતાં આવડતું નહોતું. પણ ગૂજરાત વિદ્યાપીઠમાં હું સાચું ગુજરાતી લખતાં શીખ્યો અને આજે મારાં 115 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં પુસ્તકો આજે પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. તેમણે વર્ષ 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જે સંસ્થા થકી લોકસાહિત્ય, સંસ્કૃતિ અને કળાનો પ્રચાર- પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થા સાથે 5000 લોક-કલાકારો જોડાયેલા છે. શ્રી જોરાવરસિંહ જાદવે કહ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારો અને કેળવણી મને જીવનભર બહુ કામ લાગ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે. તેમણે સ્નાતકોને સંદેશો આપતાં કહ્યું હતું કે, કોઈપણ કાર્ય નિષ્ઠાથી કરો તો એનું ફળ મળશે જ.