Tuesday, December 3, 2013

જાતને પૂછવા જેવો પ્રશ્ન


સમય હોય તો,
યાદદાસ્તને ઢંઢોળીને, 
જાતને પ્રશ્ન પૂછી જુઓ કે,
કચરો વીણનારાં
શ્રમજીવી બહેનને, 
તમે છેલ્લે ક્યારે 
માનથી અને મનથી 
બોલાવ્યાં હતાં ?

                                      - અશ્વિનકુમાર

સૌજન્ય :
'નિરીક્ષક', ૦૧-૧૨-૨૦૧૩, પૃષ્ઠ : ૨૨
પુનર્મુદ્રણ : 'દલિત અધિકાર', ૧૬-૦૨-૨૦૧૫, પૃષ્ઠ : ૦૫

No comments:

Post a Comment