Monday, December 2, 2019

વિદ્યાપીઠની આશા // કાકાસાહેબ કાલેલકર


વિદ્યાપીઠ કાંઈ મામૂલી શિક્ષણસંસ્થા નથી. એની પાછળ મહાન આર્ય આદર્શ છે એટલું જ નહીં પણ આજના પ્રબુદ્ધ ગુજરાતમાં અને મહાગુજરાતમાં લગભગ બધાં બળોનું તે એક કેન્દ્રીકરણ છે. વિદ્યાપીઠના ધ્યાનમંત્ર સાથે આપણે વડના ઝાડનું પ્રતીક મૂક્યું છે. એનાં મૂળિયાં દૂર દૂર જઈ ત્યાંથી પોષણ લઈ આવે છે, એની વિસ્તીર્ણ ઘટા વિશાળ અને શીતળ છાયા ફેલાવે છે, એની વધતી જતી વડવાઈઓ નવે નવે ઠેકાણે જડ ઘાલે છે, અને એના ટેટાઓ કોણ જાણે કેટલે દૂર જઈ નવી નવી વસાહતો સ્થાપે છે. ખરેખર વટવૃક્ષ જેમ આપણી સંસ્કૃતિનું દ્યોતક છે તેમ આપણી સંસ્થાના આદર્શનું સૂચક પણ છે. 

No comments:

Post a Comment