Wednesday, February 21, 2018

ડૉ. અશ્વિનકુમાર // પરિચય-પૃષ્ઠ



નામ : ડૉ. અશ્વિનકુમાર

વ્યવસાય : અધ્યાપન

હોદ્દો : પ્રાધ્યાપક

વિભાગ : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯


અભ્યાસ : 

બી.એસસી. (ભૌતિકશાસ્ત્ર)

બી.સી.જે.પી. (સુવર્ણચંદ્રક વિજેતા)

એમ.જે.એસ. (પ્રથમ વર્ગ - વિશેષ યોગ્યતા)

એમ.ફિલ. (પત્રકારત્વ)

પીએચ.ડી. (પત્રકારત્વ)


પારિતોષિકો : 

ભગવતીલાલ ડાહ્યાલાલ રાવ (ખંભાત) સુવર્ણચંદ્રક

ફૂલશંકર પટ્ટણી (ભુજ) પત્રકારત્વ પારિતોષિક


પત્રકારત્વમાં તાલીમ :

'કર્ણાવતી એક્સપ્રેસ' (લઘુ કક્ષાનું દૈનિક)

'સમભાવ' (મધ્યમ કક્ષાનું દૈનિક)

'ગુજરાત સમાચાર', ન્યૂ યોર્ક આવૃત્તિ (અગ્રગણ્ય દૈનિક)


કારકિર્દી

ઈ.સ. ૧૯૯૫થી ૧૯૯૬ : ભારત સરકારના દૂરસંચાર વિભાગમાં કનિષ્ઠ દૂરસંચાર અધિકારી (જે.ટી.ઓ.)

ઈ.સ. ૧૯૯૬થી આજપર્યંત : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક 


સંશોધન :

પારંગત(એમ.જે.એસ.) 
શીર્ષક : 'અખબારો પાસેથી વાચકોની અપેક્ષાઓ : એક અધ્યયન'
માર્ગદર્શક : અજય ઉમટ (ચીફ સબ એડિટર, 'ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ)

અનુપારંગત(એમ.ફિલ.) 
શીર્ષક : 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા'
માર્ગદર્શક : તુષાર ભટ્ટ (પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક, અમદાવાદ)

વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)
શીર્ષક  : 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર
(અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)'
માર્ગદર્શક : ડૉ. રઘુવીર ચૌધરી (પૂર્વ પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)

માર્ગદર્શક :

પારંગત(એમ.એ.) : ઈ.સ. ૧૯૯૬થી 
અનુપારંગત(એમ.ફિલ.) : ઈ.સ. ૨૦૦૨થી 
વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.) : ઈ.સ. ૨૦૧૫થી 


સંપાદન :

સહસંપાદક : 'અભિદૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું  માસિક)
સંપાદક : 'એઇડ્સ-પ્રતિકાર' (સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતું સામયિક)
તંત્રી : 'વલોણું' (વિકાસના મુદ્દાની વાત માંડતું વિચારપત્ર)


વિશેષ કામગીરી :

સંશોધનાત્મક અને સર્જનાત્મક લેખન
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્તિઓ
'ભાષાની મજા, મજાની ભાષા' નામે, ચૌદસો પંચોતેરથી પણ વધુ 'ભાષા-નમૂના'નું નિર્માણ 

'કાકા-સવાસો(૧૮૮૫-૨૦૧૦)' નિમિત્તે, આચાર્ય કાકાસાહેબ કાલેલકરના સાહિત્યનો અભ્યાસ અને વ્યાખ્યાનો

'બા-બાપુ-દોઢસો' ઉજવણી અંતર્ગત, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના ઉપાસનાખંડમાં 'કસ્તૂરકથા'નો મૌલિક પ્રયોગ

'આઝાદીનો અમૃત મહોત્સવ' અંતર્ગત,

'મહાદેવકથા'નો મૌલિક પ્રયોગ
'મોહનકથા'નો મૌલિક પ્રયોગ
'વલ્લભકથા'નો મૌલિક પ્રયોગ
'ભીમકથા'નો મૌલિક પ્રયોગ
 
કતાર-લેખન :

શહેરના સામાજિક-સાંસ્કૃતિક વારસાની ઓળખ આપતી, 'આપણું અમદાવાદ' નામની કતાર 
'હળવે હૈયે' અને 'હળવે હલેસે' જેવી હાસ્ય-વ્યંગ્ય કતાર

બ્લોગ (અક્ષર-આકાશિકા) : 'અશ્વિનિયત' (http://ashwinningstroke.blogspot.in)
પોસ્ટ્સ : 4925+
પેજવ્યૂઝ : 400000+
વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

No comments:

Post a Comment