Tuesday, February 27, 2018

મોરારજી દેસાઈને ૧૨૩મા જન્મદિવસે શ્રદ્ધાસુમન-અર્પણ કાર્યક્રમ


ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈનો ૧૨૩મો જન્મદિવસ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ ને બુધવારના રોજ ગાંધીઆશ્રમની બાજુમાં અભયઘાટ ખાતે સવારે ૮ વાગે મનાવવામાં આવશે.

આ પ્રસંગે પ્રાર્થના-ભજન તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહ, કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, તથા વિદ્યાપીઠના સેવકો અને વિદ્યાર્થીઓ ભાગ લેશે.
 
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે મોરારજી દેસાઈનો જન્મદિવસ અને નિર્વાણદિન અભયઘાટ ઉપર મનાવવામાં આવે છે.

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લ્ભભાઈ પટેલ અને પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠના આજીવન કુલપતિપદે કાર્યરત હતા.

No comments:

Post a Comment