કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી તથા પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે 'ફોટોગ્રાફી અને એ.આઈ.' વિષય ઉપર, ૧૭-૦૮-૨૦૨૬ના રોજ કાર્યશાળા(વર્કશોપ)નું આયોજન કરવામાં આવ્યું હતું. 'વિશ્વ તસવીરકળા દિવસ'ના અનુસંધાનમાં આયોજિત આ કાર્યશાળાના વિષયનિષ્ણાત તરીકે અભિષેક ગોરે પ્રતિભાગીઓ સાથે રસપ્રદ સંવાદ કર્યો હતો.
ગૂજરાત વિદ્યાપીઠના દૃશ્ય શ્રાવ્ય નિર્માણ સ્ટુડિયોમાં યોજાયેલી આ કાર્યશાળામાં, કેમેરા ક્લબ ઓફ કર્ણાવતીના હોદ્દેદારો અને તસવીરકાર સભ્યો તેમજ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પ્રાધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યશાળામાં પ્રોમ્પ્ટથી માંડીને ટૂલ્સ અને ટોકનથી માંડીને કન્ટેન્ટ સુધીની એ.આઈ. સંબંધિત બાબતોની વિગતે જાણકારી આપવામાં આવી હતી. ફોટોગ્રાફી અને એ.આઈ. સંદભે નીતિમત્તા વિષયક મુદ્દાઓ વિશે સદૃષ્ટાંત ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિભાગીઓએ પ્રશ્નોત્તરી કરીને વિશેષ જાણકારી પણ મેળવી હતી.
આ કાર્યશાળામાં કેમેરા ક્લબ ઓફ કર્ણાવતીના પ્રમુખ વિવેક દેસાઈ તથા પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ ડૉ. નરેશ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment