Saturday, May 3, 2014

અધ્યાપકો માટે 'ગાંધી વિચાર અને ઉચ્ચ શિક્ષણ ' વિષયક શિબિર


ગાંધીકથાકાર અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ નારાયણ દેસાઈ (જન્મ : 24-12-1924)નાં સાન્નિધ્ય અને માર્ગદર્શનમાં, અધ્યાપકો સારુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 'ગાંધી વિચાર અને ઉચ્ચ શિક્ષણ' વિષયક આ શિબિરમાં ગૂજરાત વિદ્યાપીઠના પચીસ અને ગુજરાતનાં અન્ય વિશ્વવિદ્યાલયોના પચીસ એમ કુલ પચાસ અધ્યાપકો ભળશે. શિબિરાર્થીઓએ પ્રાર્થના, સફાઈ, શ્રમકાર્ય, રસોઈકાર્ય, બૌદ્ધિક સત્રો, જૂથચર્ચા, હળવી રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવો ફરજિયાત છે. શિબિર-સ્થળે કદાચ વ્યક્તિગત અગવડ પડે, પણ જીવનનો આનંદ મળી શકે એમ છે. શિબિરાર્થીઓએ જરૂરી પણ ખપપૂરતી સાધન-સામગ્રી લઈને આવવાનું રહેશે.

અમદાવાદથી સુરત થઈને વેડછી વચ્ચેનું ત્રણસો કિલોમીટરનું અંતર સડકમાર્ગે કાપવું હોય તો આશરે છ કલાક લાગે છે. આ માટે 01-06-2014, રવિવારના રોજ બપોરે બરાબર બાર કલાકે ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : 380 014થી વેડછી જવા માટે બસ રવાના થશે. જે શિબિરાર્થીઓને આ વ્યવસ્થા અને વખત અનુકુળ ન હોય તેઓએ સ્વખર્ચે 01-06-2014, રવિવારના રોજ સાંજે છ સુધીમાં વેડછી પહોંચી જવાનું રહેશે. શિબિરાર્થીઓને કોઈ પણ પ્રકારના ભાડાં-ભથ્થાં આપવામાં આવશે નહીં. 


શિબિર-સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી, તાલુકો : વાલોડ, જિલ્લો : તાપી

તારીખ : 1-06-2014, રવિવારથી 05-06-2014, ગુરુવાર
સમય : સવારના છથી રાત્રિના દસ

તમે આ શિબિરમાં શા માટે સહભાગી થવા માગો છો એ અંગે 200 શબ્દોનું લખાણ કરીને, 25-05-2014 સુધીમાં આ સરનામે મોકલશો :

ડો. સુદર્શન આયંગાર, કુલનાયક
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : 380 014
દૂરભાષ : ૦૭૯- ૪૦૦૧૬૨૦૦ / ૦૭૯- ૪૦૦૧૬૨૦૩


No comments:

Post a Comment