Wednesday, May 25, 2016

ગૂજરાત વિદ્યાપીઠને 'નેક'નો 'એ' ગ્રેડ મળ્યો


મહાત્મા ગાંધીએ ઈ.સ. ૧૯૨૦માં સ્થાપેલી રાષ્ટ્રીય કેળવણી સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠને 'રાષ્ટ્રીય માન્યતા અને મૂલ્યાંકન પરિષદ' (નેક) દ્વારા 'એ' ગ્રેડ મળ્યો છે. આ માટે 'નેક'ની દસ સભ્યોની બનેલી ટુકડીએ ગત એપ્રિલમાં ગૂજરાત વિદ્યાપીઠની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આ વિશ્વવિદ્યાલયનાં અમદાવાદ, રાંધેજા, સાદરા પરિસરના પ્રત્યેક વિભાગમાં જઈને અધ્યાપન, સંશોધન, વિસ્તરણ સંબંધિત વિવિધ મુદ્દાઓની સઘન ચકાસણી કરી હતી. મહત્વની બાબત એ છે કે, ગૂજરાત વિદ્યાપીઠે પહેલી જ વખત 'નેક' દ્વારા મૂલ્યાંકન કરાવીને 'એ' ગ્રેડ મેળવ્યો છે. ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર ગૂજરાત વિદ્યાપીઠે વહીવટી તંત્ર, શૈક્ષણિક-બિનશૈક્ષણિક સેવકો, વર્તમાન-ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓનાં પરિશ્રમ અને પરિવારભાવના થકી આ સિદ્ધિ હાંસલ કરી છે.

.......................................................................................................

// માધ્યમ-નોંધ (Media-Note) //

1 comment:

  1. ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલા સૌને અભિનંદન

    ReplyDelete