Tuesday, October 17, 2017

ગૂજરાત વિદ્યાપીઠ // માધ્યમ-નોંધ // ચોસઠમો પદવીદાન સમારોહ

તા. ૧૮-૧૦-૨૦૧૭ ને બુધવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠ ૯૮મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, સાથે સાથે આ જ દિવસે સવારના ૯-૩૦ કલાકે વિદ્યાપીઠનો ૬૪મો પદવીદાન સમારંભ પણ યોજાઈ રહ્યો છે. ૬૪મા પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન તરીકે ભારતના દૂરસંચાર અને તકનીક ક્ષેત્રના સ્થાપક અને વાહક ડૉ. સત્યનારાયણ પિત્રોડા દીક્ષાન્ત પ્રવચન આપશે. આ પ્રસંગે વિદ્યાપીઠના આદરણીય કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટના વરદહસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. અધ્યક્ષશ્રી ઇલાબહેન દ્વારા વિદ્યાર્થીઓને દીક્ષાન્ત સમારોહ નિમિત્તે ઉદ્દબોધન કરાશે. આ ઉપરાંત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહ પ્રસંગોચિત પ્રવચન આપશે.

પ્રાણજીવન વિદ્યાર્થીભવન ખાતે યોજાનાર આ પદવીદાન સમારોહનું અને મહાનુભાવોનાં વ્યાખ્યાનોનું જીવંત પ્રસારણ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ www.gujaratvidyapith.org પરથી નિહાળી શકાશે.

No comments:

Post a Comment