Sunday, July 31, 2022

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ કેવા વિશેષ હોય છે?


* વિદ્યાર્થીઓ સમૂહ માધ્યમોના શિક્ષણ અને વ્યવસાય સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમમાં ઉત્સાહભેર અને શિસ્તપૂર્વક ભાગ લેતાં હોય છે.

* વિદ્યાર્થીઓ ખાદીના ગણવેશ / પોશાકમાં શોભી ઊઠતાં હોય છે.

* વિદ્યાર્થીઓ કાર્યક્રમ-સ્થળે સમયસર આવે છે, કાર્યક્રમમાં પૂરો વખત હાજર રહે છે, અને નિવાસ-સ્થળે સમયસર જાય છે.

* વિદ્યાર્થીઓ કાર્યક્રમના શિષ્ટાચારથી સંપૂર્ણપણે વાકેફ હોય છે.

* વિદ્યાર્થીઓ કાગળ અને કલમ સાથે સજ્જ હોય છે. તેઓ કાર્યક્રમની 'જીવંત' નોંધ લેતાં હોય છે. વિદ્યાર્થીઓ કાર્યક્રમનું યોગ્ય દસ્તાવેજીકરણ કરે છે.

* વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે સભાન હોય છે.

* વિદ્યાર્થીઓ પોતાના જોખમે અને પોતાના ખર્ચે વ્યક્તિત્વ-વિકાસ અને કારકિર્દી-કૌશલ્ય માટેના વિશેષ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી નોંધાવે છે.

* વિદ્યાર્થીઓ નીત-નવા સંપર્કો બનાવે છે. અંતે, તેઓ કાર્યક્રમના આયોજકોનો હૃદયપૂર્વક આભાર માને છે!

😊

No comments:

Post a Comment