Thursday, September 18, 2025

વાસરી વિશે કાકાસાહેબ કાલેલકર


રોજની નોંધ રાત્રે જ લખવી જોઈએ. જેમ આત્મકથા ઉત્તરવયમાં લખાય તેમ દિવસ ઘરડો થયો હોય, અને દિવસનું કામ પૂરું થયું હોય, ત્યારે જ વૃત્તિ અંતર્મુખ થાય છે, અને અનુભવ લિપિબદ્ધ કરવાનું મન થાય છે. પ્રભાત શોધક હોય છે, બપોર પુરુષાર્થી હોય છે, સંધ્યાકાળ આનંદમય હોય છે અને સૂવાનો વખત સંસ્મરણપ્રધાન હોય છે. એ જ વખત રોજનીશી લખવાને લાયક છે. ઊંઘ, વિસ્મૃતિની સાવરણી લઈને મનોભૂમિને સાફ કરે છે, અને નવા દિવસ માટે નવી તાજગી અર્પે છે. પછી ઘરડા થઈને પૂર્વદિવસનું લખવા બેસવું એ શક્ય હોય તોય અનુચિત છે.

કાલેલકર ગ્રંથાવલિ : તેરમો ભાગ વાસરી-૧, પૃષ્ઠ : ૧૯

No comments:

Post a Comment