Wednesday, April 27, 2016

સંસ્થા-કાર્યકર માટે ‘ગ્રામશિલ્પી’ યોજના

'ગ્રામશિલ્પી' એ ગાંધીવિચારના પાયા પર સંપોષી/ટકાઉ વિકાસની ધગશ સાથે આગળ વધવા ઇચ્છનાર સ્નાતક-અનુસ્નાતક યુવાનો માટેનો કાર્યક્રમ છે. છેલ્લા કેટલાક સમયથી આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન કેટલીક સંસ્થાઓ તરફથી આવા ગ્રામશિલ્પી તરીકે કેળવાયેલા કાર્યકર તેમની સંસ્થાને મળે તેવી લાગણી વ્યક્ત થતી હતી. આ વિચાર દ્વારા તેમની સંસ્થાને પણ લાંબા ગાળા માટે ગાંધી વિચાર આધારિત દૃષ્ટિકોણ મળી રહે તે અપેક્ષા તો ખરી જ. આવા કર્મશીલો ગાંધીવિચાર સાથેની સંસ્થાઓને પણ મળે તેવું ગૂજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું છે. આ વર્ષે આવી જ કેટલીક સંસ્થાઓમાંથી પસંદગીની દસેક સંસ્થાઓ માટે 'ગ્રામશિલ્પી'નો કાર્યક્રમ નક્કી કરેલો છે. જેનો મુખ્ય હેતુ ગાંધીવિચારને વરેલી સંસ્થાઓ માટે યોગ્ય કાર્યકર તૈયાર કરવાનો છે. આ કાર્યકર સંસ્થા-સંચાલન, ગાંધીવિચાર, વિકાસની વર્તમાન પરિસ્થિતિની સમજણ, સંપોષી વિકાસ જેવી બાબતોની સમજણ સાથે સ્થાનિક જરૂરિયાત મુજબનાં તળપદાં આયોજનો કરી તેને વૈશ્વિક પરિપેક્ષમાં તપાસી અને તેનું અમલીકરણ કરી શકે. આ સમગ્ર કાર્યક્રમમાં જે મિત્ર તાલીમ માટે જોડાય છે તેને આઠ હજાર રૂપિયાનું માનદ વેતન પ્રતિ માસ જે તે સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે.

આ કાર્યક્રમમાં જોડવા ઇચ્છુક ઉમેદવારનો નક્કી કરેલી તારીખે 'પરિસર મુલાકાત' (કેમ્પસ ઇન્ટરવ્યૂ) કરવામાં આવશે. તેમાંથી પસંદ થયેલા ઉમેદવારને પાંચ દિવસની પસંદગી કાર્યશાળામાં બોલાવવામાં આવશે.

કાર્યક્રમ અંગે વધુ વિગત માટે સંપર્ક:

અમિત જે શાહ : 9723132334; amit.shah@ceeindia.org
પાર્થેશ પંડ્યા : 9825412841; parthesh.panday@ceeindia.org
તેજસ ઠાકર : 079-23274270; tejasthaker@gujaratvidyapith.org

ગ્રામશિલ્પી પસંદગી શિબિર તારીખ ૧૬થી ૨૦ મે, ૨૦૧૬ના રોજ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવેલી છે.

// માહિતી-સૌજન્ય : અમિત જે. શાહ //

No comments:

Post a Comment