Thursday, January 1, 2026

વિદ્યાર્થી-મિત્રોને ઉપાસના વિષયક સૂચના

વિદ્યાર્થીઓએ વર્ગખંડની જેમ ઉપાસના-ખંડમાં પણ ગૂજરાત વિદ્યાપીઠના માન્ય ગણવેશ જ જવું.

ઉપાસના-ખંડમાં રેંટિયો, દૈનંદિની,  અને આસનિયું સાથે લઈને જ જવું.

રૂની પૂણીઓ પૂરતા જથ્થામાં રાખવી. 

ઉપાસનાના નિર્ધારિત સમયથી પાંચ મિનિટ પહેલાં ઉપાસના-ખંડમાં પહોંચી જવું.

પગરખાં મુખ્ય પ્રવેશદ્વારની બહાર યોગ્ય રીતે ગોઠવવાં. 

મોબાઈલ ફોન સંપૂર્ણપણે બંધ કરી દેવો.

કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારની વાત ન કરવી.

ઉપાસના શરૂ થાય પહેલાં રેંટિયો ખોલી દેવો કે જેથી કરીને ઉપાસના દરમિયાન ઘોંઘાટ ન થાય.

વિદ્યાર્થીઓએ પ્રાર્થના, ભજન, અને ગીત સમૂહમાં ગાવાં જરૂરી છે.

રેંટિયો સારી હાલતમાં હોય એ અનિવાર્ય છે. કાંતણ વખતે રેંટિયો ઘોંઘાટ ન કરતો હોય તે આવશ્યક છે. 

ઉપાસનાનો સમય પૂર્ણ થાય એટલે રેંટિયો ધીમેથી બંધ કરવો. 

ઉપાસના બાદ રેંટિયો, દૈનંદિની, અને આસનિયું લઈને પરત થવું.

રેંટિયો, દૈનંદિની, અને આસનિયું સાચવવાની જવાબદારી જે તે વિદ્યાર્થીની જ છે.

વિદ્યાર્થીઓને સત્રના અંતે નિર્ધારિત સંખ્યામાં આંટીઓ જમા કરાવવી અનિવાર્ય છે.



No comments:

Post a Comment