Wednesday, March 16, 2016

'હાર્દિક' અને 'બૌદ્ધિક' નિમંત્રણ

પ્રખર બુદ્ધિમત્તા અને કવિહૃદયની સંવેદનશીલતા, ઈશ્વર પૂર અતૂટ શ્રદ્ધા અને આત્મનિરીક્ષણનું ગજબનું સાતત્ય, પુસ્તક એમનો પહેલો પ્રેમ છતાં પ્રસંગ પડ્યે રાજકારણમાં ઝુકાવવામાં નહીં વિલંબ, ગાંધીજી સાથે રહેલા અને ગાંધીજીના ભાષ્યકાર તરીકે ખ્યાતિ પામેલા, આઝાદી પૂર્વે અને પછીના ભારતમાં પોતાની સ્પષ્ટ અભિવ્યક્તિથી અમીટ છાપ છોડી ગયેલા, ગાંધી વખતની અને ગાંધી પછીની પેઢીને જોડતી કડીરૂપ વ્યક્તિત્વ ધરાવતા, આચાર્ય જીવતરામ ભગવાનદાસ કૃપાલાનીના વ્યક્તિત્વ અને રાજકારણ અંગે, ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૮ અને ૧૯ માર્ચ, ૨૦૧૬ના રોજ સવારે દસથી સાંજના છ સુધી, રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

રસ ધરાવતા સૌને આ પરિસંવાદમાં પધારવા સાદર નિમંત્રણ છે. આપના આગમનની આગોતરી જાણ કપિલ દેશવાલને ૦૭૯-૪૦૦૧૬૩૨૨ અથવા kdeshwal@yahoo.in ઉપર કરવા વિનંતિ છે.


No comments:

Post a Comment