Tuesday, February 14, 2023

વાસુદેવ વોરા વિશે કેતન રુપેરા


ગાંધીવિચાર, નઈ તાલીમ શિક્ષણ અને પર્યાવરણ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત વાસુદેવ વોરા(હિંદ સ્વરાજ મંડળ-રાજકોટ અને અમદાવાદ)એ આજે સવારે (14-02- 2023) અગિયાર આસપાસ છેલ્લા શ્વાસ લીધા.

પ્રારંભનાં વર્ષોમાં રાજકોટ, એ પછી અમદાવાદમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યા પછી છેલ્લાં દસેક વર્ષથી તેઓ પરિવાર સમેત વડોદરા જઈને વસ્યા હતા.

પર્યાવરણ શિક્ષણ અને માલધારીના મુદ્દે એમનાં ક્ષેત્રકાર્ય થકી થયેલાં લેખન-સંપાદન તથા નઈ તાલીમ શિક્ષણ વિચારના મૂળ ઉદ્દેશો-સિદ્ધાંતો જાળવી રાખીને સમયાનુરૂપ પદ્ધતિ અને પ્રયોગોમાં નાવીન્ય લાવવાના તેમના પ્રયાસો માટે તેઓ યાદ રહેશે.

કે.
--
Ketan Rupera
Consulting Editor-Researcher-Publisher
Ahmedabad - 380009
Gujarat, India
M. 098983 32123

No comments:

Post a Comment