Saturday, January 6, 2018

હૃદયઋષિ ડૉ. રમેશ કાપડિયા /////// Heart-Sage Dr. Ramesh I. Kapadia

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ડૉ. રમેશ કાપડિયા (જન્મ : ૨૬-૧૦-૧૯૩૪) વિશે વિગતે જાણવા માટે આ કડી ઉપર પહોંચવું :
For detailed information about Dr. Ramesh I. Kapadia, kindly click the following link :

http://www.universalhealing.org/Pub/Dr%20Ramesh%20Kapadia%20Profile%206%20-%204Dec2014.pdf

વિશેષ નોંધ : ડૉ. રમેશ કાપડિયા ગૂજરાત વિદ્યાપીઠના 'વિજ્ઞાન અને અહિંસા કેન્દ્ર'માં સંલગ્ન પ્રાધ્યાપક (એડજંક્ટ પ્રોફેસર) છે.

Monday, January 1, 2018

નિલમ પટેલને ૨૦૧૭ના વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
'ગ્રામશિલ્પી' નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ગ્રામશિલ્પીમિત્રો સાથે નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
હિતચિંતક ધીરુભાઈ ઘેવરિયા સાથે નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નિલમ ધીરુભાઈ પટેલને ૨૦૧૭ના વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

નિલમભાઈ ધીરુભાઈ પટેલનો જન્મ તા. ૨૨-૦૩-૧૯૮૪ના રોજ મુ. ગુંદલાવ (તા. વલસાડ, જિ. વલસાડ)માં થયો હતો. તેઓએ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં અધ્યયન કરીને વર્ષ ૨૦૦૭માં ગ્રામઅર્થશાસ્ત્રના વિષયમાં પારંગત(એમ.એ.)ની પદવી પ્રાપ્ત કરી. ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણવ્યવસ્થાથી તેમના જીવનમાં બદલાવ આવ્યો. ભણીગણીને પુત્ર ઘર અને નોકરીની જવાબદારીઓ સંભાળી લે તેવી પિતાની ઇચ્છાને પૂર્ણ કરવાને બદલે તેઓ ગાંધીવિચાર અનુસાર ગ્રામવિકાસ અને ગ્રામસ્વરાજના સ્વપ્નને સાકાર કરવા ગૂજરાત વિદ્યાપીઠની ‘ગ્રામશિલ્પી યોજના’માં જોડાયા અને સહ્યાદ્રિની ગિરિમાળા વચ્ચે વસેલા તથા શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા જેવી સુવિધાઓથી દૂર એવા મુ. ખોબા(તા. ધરમપુર, જિ. વલસાડ)ને પોતાની કર્મભૂમિ બનાવી.

મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેઓએ શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્ત્રીસશક્તીકરણ, વનસુરક્ષા, રોજગારી, કૃષિસુધારણા, પશુપાલન, ગ્રામોદ્યોગો, લોકપ્રતિકારકતાનો અહિંસક રાહ, યુવકપ્રવૃત્તિ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યાં છે.

વર્ષ ૨૦૧૪માં જાગૃત જન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તેમને ‘જાગૃત જન ઍવોર્ડ’, ૨૦૧૬માં વિચાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ‘ગાંધીમિત્ર ઍવોર્ડ’ તથા ૨૦૧૭માં આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ‘ધરતી રત્ન ઍવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે.

નિલમ પટેલનાં સમાજસેવાનાં કાર્યોને બિરદાવતાં, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૭ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેઓની પસંદગી કરી છે.

સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૧૮

* (60) મારી પાસે પણ એક મનગમતું ખાતું હોય!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૧-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (61) સંગીત સમારંભો અને રાગ ઔરંગઝેબ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૩-૦૧-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (62) દીકરી ને ગાય, વિમાનઘર સુધી જાય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૦-૦૧-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (63) એક રીંછનું ઝાડ ઉપર ચઢી જવું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (64) વાહનની આ નંબર પ્લેટ જૂનીજૂની લાગે!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (65) શૂર્પણખા : નાક વગર વધુ ખતરનાક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (VII) ભલું કરો, હે જોડણીમાતા! // 'માતૃભાષાનો મનોમન મહિમા'
'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૨-૨૦૧૮, બુધવાર,
'ભાષાની અભિવ્યક્તિ' (તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦ ('વિશ્વ માતૃભાષા દિવસ' નિમિત્તે વિશેષ પાનું )

* (66) (લા)ચાર રસ્તા નજીક વાહનવિરામ હરામ છે!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (VIII) એક રીંછનું ઝાડ ઉપર ચઢી જવું
પૂર્ણકદ-વ્યંગ્યકથા, 'આદિલોક' (ISSN 2250-1517), વર્ષ - ૧૦, અંક - ૦૧, સળંગ અંક : ૬૦,
જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૮, પૃષ્ઠ : ૩૪

* (IX) કાકાના જમાનામાં 'એપ્રિલફૂલ'નું ટીખળ
'નવજીવનનો અક્ષરદેહ', ફેબ્રુઆરી, ૨૦૧૮, સળંગ અંક : ૫૮, પૃષ્ઠ : ૬૦-૬૨

* ભૂસાતાં હોળીચિત્રો : હોળૈયાં અને હારડા
'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૧-૦૩-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3327/bhoosaataan-holichitro-holaiaan-ane-haaradaa

* (X) જળસંકટમાં પાઉચ હોળી, 'હાસ્યરંગ' (હોળી-ધુળેટી પર્વપૂર્તિ)
'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૩-૨૦૧૮, ગુરુવાર, પૃષ્ઠ : ૦૫

* (67) એક જોખમકારક જગ્યા : બાથટબ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (68) ઢોલીડા ઢોલ ના વગાડ, મારે ભાગવું છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (69) ગૃહમાં સભ્યોને લડતા અટકાવવા માટે ...
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (70) ૩૧ માર્ચ : હિસાબો પતાવવાનો છેલ્લો દિવસ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૧-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

.................................................................................................................................

* (71) ઓફિસમાં ખુશી નહીં, ખુરશી મહત્ત્વની છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૪-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (72) ચાલો, ઉપવાસ ઉપવાસ રમીએ!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૦૪-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦ 

* (73) ધર્મ પછી કર્મનું ફળ મેળવવાનો વારો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૫-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (74) ખાડો ખોદે, તે ન પણ પડે!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૫-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦ 

* (75) પહેરો ભલે બીજું બધું, હાફ પેન્ટ પહેરશો નહીં
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૫-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૫-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3540/satyagrhashramnun-bandhaaran-poorvataiyaaree-ane-pratibaddhataa

* (76) તમને હટાવવા અઘરા છે, સાહેબ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૫-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (77) ઉનાળામાં દ્વિચક્રી ઉપર સ્થાનગ્રહણ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૬-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (78) કીડી અને ઉનાળો : કહાની દર દર કી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૬-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (79) જ્યારે ઘરમાં ઘો ઘૂસી ગઈ!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૬-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (80) ફૂલમાળા નહીં, શાકમાળા : ટામેટાં દઉં બે-ચાર?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૦-૦૬-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (81) બપોરની સવેતન ઊંઘ : ઝોકાં ખવાય બે-ચાર?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૭-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (82) દાળવડાંની દુકાને : 'આપ કતાર મેં હૈં'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૭-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (83) રબર બેન્ડ : ખીંચો મગર પ્યાર સે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૭-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (84) ગળે મળવું, પણ ગળે ન પડવું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૦૭-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (85) પાણીપૂરીના ખૂમચા પરના દરોડાના વિરોધમાં
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૦૮-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (86) વાંકા આંગણામાં નાચો, સીધા રસ્તામાં નહીં
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૮-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (87) જેઓ ભૂવા પાડે તે ક્યારેય ન પડે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૮-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (88) આગ ન હોય તોય જોવા મળતો ધુમાડો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૦૮-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (89) ૨૦૧૮ના આ વિપ્લવને કોઈ અટકાવશે ખરું?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૯-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (90) મચ્છરમારક યંત્રવાહન : સંભવામિ શેરીએ શેરીએ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૯-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૧-૦૯-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3831/nine-eleven-mukaam-kocharab

* (91) ધાર્મિક લાગણી દુભાવતો શ્રાવણિયો જુગાર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૯-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ', ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૮, સળંગ અંક : ૬૬-૬૭, પૃષ્ઠ : ૩૪૫-૩૪૯

* રમેશ બી. શાહ (૧૪-૧૧-૧૯૩૬)
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ (ખંડ : ૨), [૧૯૩૬થી ૧૯૫૦], સ્વાતંત્ર્યોત્તર યુગ - ૨
(નવલકથાકારો, વાર્તાકારો, ચરિત્રકારો, અનુવાદકો, વિવેચકો, સંશોધકો-સંપાદકો)
સંપાદક : પારુલ કંદર્પ દેસાઈ, સંદર્ભ સહાયક : ઇતુભાઈ કુરકુટિયા, પરામર્શક : રઘુવીર ચૌધરી
પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ISBN : 978-81-939074-1-2
પ્રથમ આવૃત્તિ : નવેમ્બર, ૨૦૧૮, પૃષ્ઠ : ૩૧૯-૩૨૦

શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર : ૨૦૧૭ : અર્પણ સમારોહ


તારીખ : ૦૧-૦૧-૨૦૧૮, સોમવાર
સમય : સવારે ૧૧-૦૦ કલાકે
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


ગૂજરાત વિદ્યાપીઠ, તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ૧૯૯૮થી ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપે છે. વર્ષ ૨૦૧૭નો આ પુરસ્કાર શ્રી નિલમભાઈ ધીરુભાઈ પટેલને આપવાનું ઠરાવવામાં આવ્યું છે. તેઓએ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં અધ્યયન કરીને વર્ષ ૨૦૦૭માં ગ્રામઅર્થશાસ્ત્ર પારંગત (એમ.એ.)ની પદવી પ્રાપ્ત કરી. ગાંધીવિચાર અનુસાર ગ્રામવિકાસ અને ગ્રામસ્વરાજના સ્વપ્નને સાકાર કરવા તેઓ ગૂજરાત વિદ્યાપીઠની ‘ગ્રામશિલ્પી યોજના’માં જોડાયા અને સહ્યાદ્રિની ગિરિમાળા વચ્ચે વસેલા તથા શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા જેવી સુવિધાઓથી દૂર એવા મુ. ખોબા (તા. ધરમપુર, જિ. વલસાડ)ને પોતાની કર્મભૂમિ બનાવી.

'ગ્રામશિલ્પી' નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

નિલમે મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્ત્રીસશક્તીકરણ, વનસુરક્ષા, રોજગારી, કૃષિસુધારણા, પશુપાલન, ગ્રામોદ્યોગો, યુવકપ્રવૃત્તિ, લોકપ્રતિકારકતાનો અહિંસક રાહ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યાં છે. તેમનાં સમાજસેવાનાં આ કાર્યોને બિરદાવવા, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૭ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેમની પસંદગી કરી છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી અને સમારોહના અધ્યક્ષશ્રી ઇલાબહેન ભટ્ટના હસ્તે આ પુરસ્કાર તેઓને અર્પણ કરવામાં આવનાર છે. કુલનાયકશ્રી પ્રા. અનામિકભાઈ શાહ આ સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરશે.

.................................................................................................................................
વિગત-સૌજન્ય : કુલસચિવ-કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Saturday, December 30, 2017

'હળવે હલેસે'

પી. સાઈનાથનું ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નિરંજન ભગત
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સ્વાતિ જોશી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પી. સાઈનાથ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઇંદુકુમાર જાની
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પી. સાઈનાથ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શ્રોતાગણમાં સર્જકો અને કર્મશીલો
 Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શ્રોતાગણમાં પ્રૌઢ લેખકો અને યુવા વાચકો
 Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પત્રકારત્વના વિદ્યાર્થીમિત્રો સાથે પી. સાઈનાથ
 Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પત્રકારો અને પ્રાધ્યાપકો સાથે પી. સાઈનાથ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Nero’s Guests (P. Sainath : Inequality and India’s Agrarian Crisis)

Who is and why is P. Sainath? // // // પી. સાઈનાથ : કોણ છે અને શા માટે છે?

Friday, December 22, 2017

ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે હિંદલાની આશ્રમશાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉત્તર બુનિયાદી આશ્રમશાળા(મુકામ પોસ્ટ : હિંદલા, વાયા : રાણીઆંબા, પિનકોડ : ૩૯૪૩૬૫, તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી)ના સિત્તેર જેટલાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અને શિક્ષકમિત્રો ૨૦-૧૨-૨૦૧૭થી ૨૨-૧૨-૨૦૧૭ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરની મુલાકાતે આવ્યાં હતાં. તેમણે દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના સ્ટુડિયો તેમજ આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના સંગ્રહાલયની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે અનૂદિત પુસ્તક મેળો અને મધ્યસ્થ ગ્રંથાલયનો પ્રત્યક્ષ પરિચય કેળવ્યો હતો. આ સફળ શૈક્ષણિક મુલાકાત માટે આશ્રમશાળાનાં આચાર્ય બિંદુબહેન દેસાઈ અને મદદનીશ શિક્ષક મુકેશભાઈ શાહે ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી રાજેન્દ્ર ખીમાણી અને દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના અધ્યક્ષ આલાપ બ્રહ્મભટ્ટ, આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રનાં તેજલબહેન અને પુસ્તક ભંડારનાં તૃપ્તિબહેન તેમજ કસ્તૂરબા અલ્પાહારગૃહના હિતેશ દોંગા અને રામકુ ભેડાનો વિશેષ આભાર માન્યો હતો.    

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના તેત્રીસ વિદ્યાર્થીઓ અને ત્રણ અધ્યાપકોએ મળીને ૩૦-૧૦-૨૦૧૫થી ૦૩-૧૧-૨૦૧૫ દરમિયાન તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં હિંદલા, મેઢા, સાદડવેલ, ખડી, ધનમૌલી, શ્રાવણિયા, ઓઝર, લવચાલી, નાના-તારપાડા, કણજી, કાંટી, જામખડી એમ કુલ બાર ગામમાં પદયાત્રા કરી હતી. તેમને ઉત્તર બુનિયાદી આશ્રમશાળાનો સક્રિય સહયોગ મળ્યો હતો. પદયાત્રાનાં સ્થાનિક માર્ગદર્શક તરીકે બિંદુબહેન અને મુકેશભાઈ સતત કાર્યરત રહ્યાં હતાં.

Monday, December 18, 2017

અનૂદિત પુસ્તક મેળો અને સ્મૃતિ વ્યાખ્યાન



માધ્યમ-નોંધ (મીડિયા-નોટ)

અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત અનૂદિત પુસ્તક મેળો

માતૃભાષાની સેવાના સામાન્ય ઉદ્દેશથી પ્રેરાઈને ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાતી સાહિત્ય પરિષદના કેટલાક કાર્યકર્તાઓએ મળીને 'અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી છે. ભારતની વિભિન્ન ભાષાઓમાંથી ઉત્તમ વાઙમય ગુજરાતીમાં ઉતારવું અને ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિઓ દેશની અન્ય ભાષાઓમાં અનૂદિત થતી રહે તેને પ્રોત્સાહન આપવું એ અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ છે. શ્રી નારાયણભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પોતાની પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. તેનું કાર્યાલય ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં છે.

ઉપર મુજબના ઉદ્દેશ પ્રમાણે ભારતીય ભાષાના ઉત્તમ પુસ્તકો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવીને ઉપલબ્ધ કરાવવાનો પ્રકલ્પ અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશને હાથ ધર્યો છે. તેમાં અત્યાર સુધી પાંચ અનુવાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે. વળી, અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશને હાલની કામગીરીમાં ગાંધીજીના ‘અક્ષરદેહ‘નો 91મો ગ્રંથ કે જે ગુજરાતીમાં ઉપલબ્ધ નથી તેની કામગીરી હાથ ધરી છે. ગાંધીજીના હાથે ગુજરાતીમાં લખાયેલા મૂળ પત્રોને મેળવી તેને ઉકેલી અને અંગ્રેજી પત્રો તેમજ હિન્દી પત્રોના અનુવાદ કરાવી તે ગ્રંથસ્થ કરવાનું કામ હાલ કરી રહ્યું છે.

અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઈ.સ. ૨૦૧૨માં અનૂદિત પુસ્તકમેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે, ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલાં પુસ્તકોનો મેળો તારીખ 20 થી 24 ડિસેમ્બર 2017 દરમિયાન સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ મુકામે બપોરે 2.00થી રાત્રે 8.00 વાગ્યા સુધી યોજાશે. જેમાં, વિવિધ ભાષાઓમાંથી અનુવાદિત થયેલાં અગિયારસોથી વધુ પુસ્તકોનું વેચાણ થશે.

અનૂદિત પુસ્તક મેળાનું ઉદઘાટન કુલપતિ સુશ્રી ઈલાબહેન ભટ્ટની અધ્યક્ષતામાં તારીખ 20-12-2017 ને બુધવારના રોજ સાંજે 4.00 કલાકે, ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં શ્રી રઘુવીરભાઈ ચૌધરી અને શ્રી કુમારળપાળ દેસાઈના વરદ હસ્તે થશે.

-------------------------------------------------------------------------------------------------------

અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત શ્રી નારાયણ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન 

'અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન' અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તા. 24-12-2017ના રોજ શ્રી નારાયણ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન અંતર્ગત સુશ્રી રાધાબહેન ભટ્ટ ‘લોગોં કે ગાંધી લોગોં તક‘ વિષય પર વ્યાખ્યાન આપશે. આ વ્યાખ્યાન ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ સુશ્રી ઈલાબહેન ભટ્ટની અધ્યક્ષતામાં હીરક મહોત્સવ સભાખંડ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મુકામે સવારે 10.30 કલાકથી 12.00 કલાક દરમ્યાન યોજાશે. 

રાધાબહેન ભટ્ટ ગાંધીવિચારક અને સમાજસેવિકા છે. તેઓ 'ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન'નાં પૂર્વ પ્રમુખ તરીકે કાર્યરત હતાં. રાધાબહેન હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે તે માટે કાર્ય કરી રહ્યાં છે.

જીવવૈવિધ્યની જબરી જાણકારી

Saturday, December 16, 2017

'હળવે હલેસે'



'એ તો આવનારો સમય જ બતાવશે' 

હળવે હલેસે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

'એ તો આવનારો સમય જ બતાવશે' - આ વાક્યનો પ્રયોગ કરવા માટે તત્વજ્ઞાનીથી માંડીને જ્યોતિષશાસ્ત્રી હોવું જરૂરી નથી. આ વાક્ય ભૂતકાળના અનુભવોને આધારે વર્તમાનકાળમાં કરવામાં આવતી ભવિષ્યવાણી છે. ખોટા ન પડવું હોય તો, જોખમમાં ન મુકાવું હોય તો, વિવાદ ઊભો ન કરવો હોય તો, આવનારા સમયને યાદ કરી લેવો પડે. કારણ કે, જે બતાવવાનું હશે તે આવનારો સમય જ બતાવશે! ધોળાં લૂગડાં ઉપર છેલ્લી ઘડીએ ચોક્કસ રંગનો ખેસ ઓઢી લઈને ટિકિટ ફડાવી લીધાં પછી કયાં નેતા અને નેતી હારશે એ તો આગામી સમયે જ બતાવવું પડે. કઈ જ્ઞાતિએ કેટલી મતિથી કયા ઉમેદવારને શું કામ મત આપ્યો એ અત્યારનો સમય ન જ કહી શકે. ચૂંટણી પછીનાં સર્વેક્ષણો એ વીતેલા વખતની વાત છે, પરંતુ એ સાચાં પડશે કે ખોટાં પડશે એ તો ચેનલોની ભાષા પ્રમાણે 'આવનારો સમય' જ બતાવશે!

'આ તબક્કે કશુંક પણ બોલવું બહુ વહેલું ગણાશે', 'એ વિશે કહેવું ઘણું મુશ્કેલ છે', 'અમને આમાં ઝાઝી ખબર પડતી નથી', 'અમારી અક્કલ ઘાસ ચરવા કે રાસ રચવા ગઈ છે' એવી કબૂ'લાત'થી બચવું હોય તો કહી દેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે.' કારણ કે, આવનારો સમય તો ગમે ત્યારે સામેથી આવતો જ હોય છે! 'એ તો આવનારો સમય જ બતાવશે' વાક્યમાં 'સમય'ને બદલવાનો નિષ્ફળ પ્રયાસ પણ ન કરવો. જૂની ગુજરાતી ભાષાના ચાહક કે પ્રચારક હોઈએ તોપણ 'સમય'ની જગ્યાએ 'વખત', અંગ્રેજી પ્રભાવ હેઠળ હોઈએ તોય 'સમય'ની જગ્યાએ 'ટાઇમ', ગમે તેટલા ધાર્મિક હોઈએ છતાં 'સમય'ના બદલે 'કાળ' બોલવાનું યાદ જ નહીં આવે. અને કોઈક કારણસર યાદ આવશે તોય મજા નહીં જ આવે!

એકાદ વાક્ય કે પાંચેક શબ્દો જેટલી જગ્યા બાકી રહેતી હોય તો તેને પૂરવા માટે યોગ્ય સમયની રાહ જોયા વિના આ વાક્ય લખી દેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે'. 'બધું જ આવનારો સમય જ બતાવશે તો તમને નોકરીએ શેના માટે રાખ્યા છે?', એવું ઉપરીઅધિકારી પૂછે તો આપણે એટલું જ કહેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે'! આવું બોલી બોલીને આ ભવમાં કેટલો સમય બગાડ્યો એ તો આવતા ભવમાં આવનારો સમય જ બતાવશે. બારસો શબ્દનો પૂ..રા કદનો લેખ ઢસડી કાઢ્યા પછી કે ત્રીસ મિનિટનો લાં..બો કાર્યક્રમ ઝીંકી કાઢ્યા પછી એના પૂંછડે 'એ તો આવનારો સમય જ બતાવશે' એવું સારવાક્ય મૂકવું હતું તો આટલી બધી વારતા કરવાની શી જરૂર હતી? કહેવાતો આ હાસ્યલેખ કેવો કંટાળાજનક છે એ તો આવનારો સમય નહીં, અત્યારનો સમય જ બતાવી રહ્યો છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

'એ તો આવનારો સમય જ બતાવશે' // હળવે હલેસે // ડૉ. અશ્વિનકુમાર


'એ તો આવનારો સમય જ બતાવશે' - આ વાક્યનો પ્રયોગ કરવા માટે તત્વજ્ઞાનીથી માંડીને જ્યોતિષશાસ્ત્રી હોવું જરૂરી નથી. આ વાક્ય ભૂતકાળના અનુભવોને આધારે વર્તમાનકાળમાં કરવામાં આવતી ભવિષ્યવાણી છે. ખોટા ન પડવું હોય તો, જોખમમાં ન મુકાવું હોય તો, વિવાદ ઊભો ન કરવો હોય તો, આવનારા સમયને યાદ કરી લેવો પડે. કારણ કે, જે બતાવવાનું હશે તે આવનારો સમય જ બતાવશે! ધોળાં લૂગડાં ઉપર છેલ્લી ઘડીએ ચોક્કસ રંગનો ખેસ ઓઢી લઈને ટિકિટ ફડાવી લીધાં પછી કયાં નેતા અને નેતી હારશે એ તો આગામી સમયે જ બતાવવું પડે. કઈ જ્ઞાતિએ કેટલી મતિથી કયા ઉમેદવારને શું કામ મત આપ્યો એ અત્યારનો સમય ન જ કહી શકે. ચૂંટણી પછીનાં સર્વેક્ષણો એ વીતેલા વખતની વાત છે, પરંતુ એ સાચાં પડશે કે ખોટાં પડશે એ તો ચેનલોની ભાષા પ્રમાણે 'આવનારો સમય' જ બતાવશે!

'આ તબક્કે કશુંક પણ બોલવું બહુ વહેલું ગણાશે', 'એ વિશે કહેવું ઘણું મુશ્કેલ છે', 'અમને આમાં ઝાઝી ખબર પડતી નથી', 'અમારી અક્કલ ઘાસ ચરવા કે રાસ રચવા ગઈ છે' એવી કબૂ'લાત'થી બચવું હોય તો કહી દેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે.' કારણ કે, આવનારો સમય તો ગમે ત્યારે સામેથી આવતો જ હોય છે! 'એ તો આવનારો સમય જ બતાવશે' વાક્યમાં 'સમય'ને બદલવાનો નિષ્ફળ પ્રયાસ પણ ન કરવો. જૂની ગુજરાતી ભાષાના ચાહક કે પ્રચારક હોઈએ તોપણ 'સમય'ની જગ્યાએ 'વખત', અંગ્રેજી પ્રભાવ હેઠળ હોઈએ તોય 'સમય'ની જગ્યાએ 'ટાઇમ', ગમે તેટલા ધાર્મિક હોઈએ છતાં 'સમય'ના બદલે 'કાળ' બોલવાનું યાદ જ નહીં આવે. અને કોઈક કારણસર યાદ આવશે તોય મજા નહીં જ આવે!

એકાદ વાક્ય કે પાંચેક શબ્દો જેટલી જગ્યા બાકી રહેતી હોય તો તેને પૂરવા માટે યોગ્ય સમયની રાહ જોયા વિના આ વાક્ય લખી દેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે'. 'બધું જ આવનારો સમય જ બતાવશે તો તમને નોકરીએ શેના માટે રાખ્યા છે?', એવું ઉપરીઅધિકારી પૂછે તો આપણે એટલું જ કહેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે'! આવું બોલી બોલીને આ ભવમાં કેટલો સમય બગાડ્યો એ તો આવતા ભવમાં આવનારો સમય જ બતાવશે. બારસો શબ્દનો પૂ..રા કદનો લેખ ઢસડી કાઢ્યા પછી કે ત્રીસ મિનિટનો લાં..બો કાર્યક્રમ ઝીંકી કાઢ્યા પછી એના પૂંછડે 'એ તો આવનારો સમય જ બતાવશે' એવું સારવાક્ય મૂકવું હતું તો આટલી બધી વારતા કરવાની શી જરૂર હતી? કહેવાતો આ હાસ્યલેખ કેવો કંટાળાજનક છે એ તો આવનારો સમય નહીં, અત્યારનો સમય જ બતાવી રહ્યો છે!
....................................................................

'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

Thursday, November 23, 2017

Mrinal Pande / મૃણાલ પાંડે

Mrinal Pande / મૃણાલ પાંડે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Mrinal Pande / મૃણાલ પાંડે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Mrinal Pande / મૃણાલ પાંડે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Mrinal Pande / મૃણાલ પાંડે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર