Tuesday, October 22, 2019

સ્નાતકોને મારા અંતરના આશીર્વાદ છે // સરદાર વલ્લભભાઈ પટેલ


... ગૂજરાત વિદ્યાપીઠની શરૂઆતથી આજ સુધીનો ઇતિહાસ મારી આંખ આગળ ખડો થાય છે. જ્યારે વિદ્યાપીઠની સ્થાપના થઈ અને એનું ખાતમુહૂર્ત મારે હાથે થયું ને ત્યાર પછી જ્યારે આચાર્યશ્રી રાયને બોલાવીને તેનું શિલારોપણ કર્યું, ત્યાર પછી હિંદુસ્તાનના ઇતિહાસમાં જે ફાળો વિદ્યાપીઠે આપ્યો તે આપણી સામે તાજો છે. વિદ્યાપીઠની ચડતી-પડતી એ સ્વરાજની ચડતી-પડતીનો ઇતિહાસ છે. આખરે જ્યારે હિંદુસ્તાનને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તે કાળે વિદ્યાપીઠને પોતાને મગરૂબ થવાનું કારણ મળ્યું. તેના ઉપર અનેક મુસીબતો આવી અને કેટલીક વખત વિદ્યાપીઠનો તે વખતની સલ્તનતે કબજો લીધો. પણ વિદ્યાપીઠ તેમાંથી દરેક વખતે આખરે પાર નીકળી ગઈ. વિદ્યાપીઠના સ્નાતકો જે જે ક્ષેત્રમાં ગયા છે, તેઓ જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં તેમણે પસ્તાવો નથી કર્યો. તેઓ જ્યાં ગયા છે ત્યાં ઠીક રીતે કામ કર્યું છે અને વિદ્યાપીઠને શોભાવી છે.

No comments:

Post a Comment