Wednesday, October 23, 2019

અમારું અહોભાગ્ય // કમુબહેન પુ. પટેલ


શરૂઆતનાં વરસોમાં કન્યા છાત્રાલયમાં ગૃહમાતા નહોતાં. નાના-મોટા અનેક પ્રશ્નો ઊભા થાય. શ્રી મગનભાઈને માથે કામનો બોજો ઘણો રહેતો. પણ મહત્વનાં કેટલાંય કામ છોડીને અમારી સાથે વિગતથી વાત કરે. વાતનો સાર તરત પકડી લે અને નિર્ણય તથા સલાહ આપે. મહિલાશ્રમ-વર્ધાના સંચાલનમાં અનુભવને લીધે બહેનોના પ્રશ્નોનો ઉકેલ શોધવો તેમને માટે તદ્દન સરળ થઈ ગયું છે. અમારા જીવનના ઘડતર માટે સ્વેચ્છાએ કેટલાક નિયમો અમને પળાવતા છતાંય તેનો ભાર અમારા પર લાગવા દે નહીં. અમને પૂરેપૂરી છૂટ અને મોકળાશ આપેલી, પણ કડક શિસ્તેય પળાવતા. ગમે તેવી ભૂલ થઈ હોય તોપણ સુધરવાનો કોલ આપીએ તો માફી બક્ષીને કંઈ જ બન્યું ન હોય તે રીતે વર્તે. પરંતુ જો છેતરવાનો પ્રયત્ન થતો, તો સંસ્થાના અને અમારા હિતમાં કડક પગલાં પણ લેતા. અને તેની યોગ્યતા અમારે ગળે પણ ઉતારતા અને અમારા વાલીઓને પણ પગલાંની જરૂરિયાત અને તેની ભૂમિકા સમજાવતા. તેમાં ગમે તેટલો સમય જાય તેની તેઓ પરવા કરતા નહીં.

No comments:

Post a Comment