અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Monday, August 26, 2024
Sunday, August 25, 2024
Saturday, August 24, 2024
Friday, August 23, 2024
Careers Workshop' for young journalists and students of mass communication
The Collective Newsroom on behalf of BBC News Gujarati is organising an online 'Careers Workshop' for young journalists and students of mass communication. This workshop is aimed to give an enhanced understanding of the resume making and demonstrating the skills when applying for journalism jobs.
we request you to please encourage students to participate in the workshop that is beneficial for them for the beginning of their professional career in journalism.
Date: Monday 23 September, 2024
Time: 11.30am
Thursday, August 22, 2024
'નર્મદ : જીવન અને સર્જન' વિશે વ્યાખ્યાન
૨૨-૦૮-૨૦૨૪, ગુરુવાર
Wednesday, August 21, 2024
Theodore M. Newcomb Model of Communication
https://youtu.be/p2ukB4F5BkE?si=wCn0t8nRpqHBhmMH
'કાકાસાહેબ કાલેલકર : જીવન અને કાર્ય' વિશે વ્યાખ્યાન
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨૧-૦૮-૨૦૨૪, બુધવાર
(કાકાસાહેબની પુણ્યતિથિ)
Tuesday, August 20, 2024
Monday, August 19, 2024
કાકાસાહેબની 'સ્મરણયાત્રા'માં ભાઈ-બહેન સંબંધ' વિશે વ્યાખ્યાન
વિષય : કાકાસાહેબની 'સ્મરણયાત્રા'માં ભાઈ-બહેન સંબંધ
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૯-૦૮-૨૦૨૪, સોમવાર
(રક્ષાબંધન પ્રસંગે વિશેષ વ્યાખ્યાન)
આજ રક્ષા બંધને | અનિલ ચાવડા
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી!
કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી.
ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.
આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી!
Sunday, August 18, 2024
Saturday, August 17, 2024
Friday, August 16, 2024
પૂર્વ વિદ્યાર્થીઓનો વર્તમાન વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ'
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
આ કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થી પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ સાથેનાં સ્મરણો તાજાં કરે છે.
૧
ડૉ. કિરણ કાપુરે
ગાંધી વિષયક સંશોધક
સંપાદક : 'નવજીવનનો અક્ષરદેહ'
કતારલેખક : 'ગુજરાતમિત્ર'
૨
નવીન ખત્રી
પ્રવાસન વિષયક સંશોધક
એડિટર, 'શંખનાદ' સામયિક
સબ એડિટર, 'ગુજરાત સમાચાર ડિજિટલ'
૩
સંધ્યા કાર
ગાંધી વિષયક સંશોધક
કેઝ્યુઅલ અનાઉન્સર, આકાશવાણી
પીએમ યુવા મેન્ટરશિપ ૨.૦ લેખક
૪
નિકુલ વાઘેલા
રિપોર્ટર : બોલીવૂડ બિટ
રિપોર્ટર : એજ્યુકેશન બિટ
પત્રકાર, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ
૫
કેયૂર કોટક
પૂર્વ પત્રકાર, 'ઇકોનોમિક ટાઇમ્સ'
અનુવાદક, સંપાદક
પ્રકાશક
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ,
વર્તમાન વિદ્યાર્થીઓ સાથેના 'સંવાદ-સેતુ' કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
તમારી અનુકૂળતાએ તારીખ નક્કી કરીશું.
વાર સોમથી શુક્રનો રહેશે.
સમય ૧૧થી ૧૨નો રહેશે.
અમે રાહ જોઈશું.
Thursday, August 15, 2024
એક ઑસ્ટ્રેલિયન પત્રકાર સાથે મુલાકાત
Tuesday, August 13, 2024
Digital Journalism Trainee @ BBC News Gujarati
Last date to apply: 20 August 2024
Apply for this link
https://shorturl.at/Lh5nJ
About Job
The Collective Newsroom is inviting applications for BBC India Trainee Scheme 2024-25 as part of its Diversity and Inclusion commitment. You will join the Collective Newsroom as a Digital Journalism Trainee, assisting in BBC News Gujarati.
You do not need any journalism experience before you start but you must be able to demonstrate your interest (for example, a qualification in journalism or a related subject).
You will be trained on digital journalism, including how to write for the website and social media platforms; as well as produce video across various platforms.
Should you complete your traineeship successfully, you will be skilled to apply for journalism roles within the Collective Newsroom and in other media organisations.
There is no guarantee of a job at the end of the scheme.
Monday, August 12, 2024
Sunday, August 11, 2024
Saturday, August 10, 2024
Friday, August 9, 2024
Monday, August 5, 2024
Saturday, August 3, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1496
ગરબામાં યુવકે યુવતીને ધોલ મારતાં ચકચાર.
Wednesday, July 31, 2024
Monday, July 29, 2024
અખબારી નોંધ (Press Note)
ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોકાર્પણ દિવસની ઉજવણી
કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે વ્યા.સ. મંદિર અર્થાત્ વ્યાવસાયિક સજ્જતા મંદિરના પ્રારંભની કરેલી જાહેરાત
ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો માટે ત્રિદિવસીય શિક્ષણ-કાર્યશાળાનું આયોજન
ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રારંભ ૨૯-૦૭-૨૦૨૦ના દિવસે કરવામાં આવ્યો હતો. આ મહત્ત્વપૂર્ણ દિવસને ધ્યાનમાં રાખીને, ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોકાર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૨૯-૦૭-૨૦૨૪ના રોજ, હીરક મહોત્સવ સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમનો સમયસર પ્રારંભ વિદ્યાપીઠ-ગાન સાથે થયો હતો.
ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ વિદ્યાશાખાનાં અધ્યક્ષ અને ડીનશ્રી તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ વિષયક જવાબદારી સંભાળતાં નોડલ અધિકારી પ્રા. દીપુબા દેવડાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ગૂજરાત વિદ્યાપીઠ વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ઉચ્ચ શિક્ષણ સંબંધિત ભલામણોનું ગૂજરાત વિદ્યાપીઠમાં અમલીકરણ’ વિશે મુદ્દાસર અને રસપ્રદ રજૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મૂળ દસ્તાવેજની વિવિધ બાબતોને ટાંકીને ગૂજરાત વિદ્યાપીઠની ગાંધીવિચાર આધારિત સર્વાંગી શિક્ષણ-વ્યવસ્થા, સમાજ-અનુબંધિત અભ્યાસક્રમ, બહુવિદ્યાશાખાકીય અભિગમ, સ્થાનિક ભાષામાં શિક્ષણ, અભ્યાસક્રમોમાં શિક્ષણ-પ્રશિક્ષણ, તાલીમ-ક્ષેત્રકાર્ય, અભ્યાસક્રમોનું અદ્યતનીકરણ, અધ્યાપન-પદ્ધતિઓ, પ્રાર્થના, યોગ, પદયાત્રા, શિબિર, પ્રવાસ, કેન્દ્ર-નિવાસ, સમૂહજીવન થકી જીવન-ઘડતર અને વ્યક્તિત્વ-વિકાસ, શિક્ષણમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો વિનિયોગ, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે સુવિધાસજ્જ પરિસર, ‘સ્વપ્ન’ પ્રકલ્પથી માંડીને કલાભવન, પુસ્તકાલયથી માંડીને છાત્રાલય અને પરિસંવાદખંડથી માંડીને પ્રયોગશાળાની સગવડનો વિગતે પરિચય કરાવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ અને ગૂજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્ભવ અને અમલીકરણની રૂપરેખા આપી હતી. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સાદી સમજણ આપતા કહ્યું હતું કે, ‘બુનિયાદી શિક્ષણ વત્તા યંત્રવિદ્યા(પ્રૌદ્યોગિકી) એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’. તેમણે જીવન-ઉપયોગી અસલ કેળવણી આપતી ગૂજરાત વિદ્યાપીઠ સમયની સાથે તાલ મિલાવીને યંત્રવિદ્યાનો ઉપયોગ કરે એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાર્થક થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કુલપતિશ્રીએ વર્ષ 1920માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના પ્રારંભના સમયમાં ઘડાયેલા વિવિધ અભ્યાસક્રમો આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેટલા પ્રાસંગિક છે એને ઉદાહરણ આપીને સમજાવ્યા હતા. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠની કેળવણી વિશે વિવિધ વિષયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંશોધન-નિબંધ તૈયાર કરાવવા માટે અધ્યાપકોને અનુરોધ કર્યો હતો.
કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં ઓગસ્ટ, 2024માં માનવ સંસાધન વિકાસ કેન્દ્ર (Human Resource Development Centre) અંતર્ગત વ્યાવસાયિક સજ્જતા મંદિર એટલે કે વ્યા.સ. મંદિરના પ્રારંભની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો માટે ‘વર્ગશિક્ષણ વિષયક પદ્ધતિશાસ્ત્ર’ની ત્રિદિવસીય કાર્યશાળાના આયોજનની પણ જાહેરાત કરી હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લોકાર્પણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાના વિભાગોના અધ્યાપકો હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ કર્યું હતું.
Saturday, July 27, 2024
Thursday, July 25, 2024
Wednesday, July 24, 2024
કાર્યક્રમની તૈયારી || અનુભવ-આલેખન : ડૉ. અશ્વિનકુમાર
અનુભવ-આલેખન : ડૉ. અશ્વિનકુમાર
કાર્યક્રમ-આયોજન પ્રક્રિયા
કાર્યક્રમના આયોજન અને અંદાજિત ખર્ચની મંજૂરી માટે સંબંધિત અધિકારીને પત્ર
સભાખંડ
વીજળી
ધ્વનિ
પ્રકાશ
પ્રોજેક્ટર
લેપટોપ કમ્પ્યુટર
વીડિયોગ્રાફી
જીવંત પ્રસારણની વ્યવસ્થા
બેઠક વ્યવસ્થા
વધારાની ખુરશીઓ
કાર્યક્રમની સમય-રૂપરેખા
ઉદ્ઘાટન કાર્યક્રમ
દીવી
તેલ
રૂની વાટ
મીણબત્તી
દિવાસળી
સ્વાગત
ટ્રે
પુસ્તક
સ્ટેજ
એક દિવસ અગાઉ બેનર વ્યવસ્થા
ખુરશીની સંખ્યા અને ગોઠવણી
પાણીની બૉટલ્સ
કાચના પ્યાલા
ટ્રે
આમંત્રણ કાર્યક્રમ
અખબારી યાદી : કાર્યક્રમ પૂર્વે
અખબારી યાદી : કાર્યક્રમ પૂર્ણ થયા બાદ
મહેમાનો માટે પાણીની વ્યવસ્થા
બેનર
ફ્લાયર
સ્ટેન્ડી
વક્તાનો પરિચય
સ્ટેજ ઉપર ખુરશીઓની વ્યવસ્થા
કાર્યક્રમ માટે આમંત્રિત શ્રોતાઓની નિર્ધારિત સંખ્યા
વિવિધ વિભાગો અને સંસ્થાઓને આમંત્રણ
કાર્યક્રમ સંચાલન
આભારવિધિ
આવકાર
પરિચય
સમૂહ-તસવીર
અલ્પાહાર અને/અથવા ભોજન માટે સંખ્યા અગાઉથી જાણકારી
નાસ્તો
કાર્યક્રમ થયા બાદ ખર્ચની વિગતો
બિલ
મહેમાનશ્રીના પુરસ્કાર માટે બેંકની વિગતો
સભાખંડની આસપાસ સાફ-સફાઈ
મહેમાનશ્રીનો પરિચય-આલેખ
તસવીરો
પુસ્તકો
વિશેષ યોગદાનની વિગતો
કાર્યક્રમ-રૂપરેખા
કાર્યક્રમનું સંચાલન
પ્રાર્થના
વિદ્યાપીઠ-ગાન અને સંઘગાન માટેની ઓડિયો વ્યવસ્થા
રાષ્ટ્રગીત માટે ઓડિયો વ્યવસ્થા
મહેમાનશ્રીને અગાઉથી અપાયેલો નિર્ધારિત વક્તવ્ય સમય
શ્રોતાઓની સંખ્યા વધે કે ઘટે એ અનુસાર ખુરશીઓની વ્યવસ્થા
મોબાઈલ બંધ રાખવા અંગેની સૂચના
બેનર એક દિવસ અગાઉ લગાડવાની વ્યવસ્થા
સ્ટેન્ડી મુખ્ય દરવાજા આગળ મૂકવાની વ્યવસ્થા
કુલસચિવશ્રીને મહેમાનનો પરિચય આપવા અંગે અને તે સંબંધિત માહિતી મોકલવા અંગેની સૂચના
મુખ્ય વક્તાઓનો પરિચય આલેખ અગાઉથી મેળવી લેવાની વ્યવસ્થા
અણધાર્યા સંજોગોમાં કાર્યક્રમનાં તારીખ, સમય, સ્થળ બદલવા અંગેની આગોતરી વ્યવસ્થા
ગરમાગરમ અને સમયસર ચા-નાસ્તો અને ભોજનની વ્યવસ્થા માટે વિદ્યાર્થીઓની ટુકડી
ગૂજરાત વિદ્યાપીઠ મંડળના મુખ્ય અધિકારીને જાણકારી
સહભાગી વિદ્યાર્થીઓ અને પત્રકારોની નામ-નોંધણી
મુખ્ય વક્તાની વિગતો અને તસવીરો સાથેની સામગ્રીની પટલ-રજૂઆત (સ્ક્રીન-પ્રેઝન્ટેશન)
મુખ્ય વક્તાને પુરસ્કાર માટે બેંકની વિગતો
મહેમાનોને ચા-નાસ્તા માટે મહેમાન-ગૃહમાં અલાયદી વ્યવસ્થા
આભાર-પત્ર
Sunday, July 21, 2024
રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગૂજરાત વિદ્યાપીઠના 70મા પદવીદાન સમારોહની ગરિમાપૂર્ણ ઉજવણી
Raj Bhavan
Press Release
Dt. 21.7.2024
*રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગૂજરાત વિદ્યાપીઠના 70મા પદવીદાન સમારોહની ગરિમાપૂર્ણ ઉજવણી*
________________
*પૂજ્ય ગાંધીજીના 'સાદું જીવન-ઉચ્ચ વિચાર'ના સંદેશને અનુરૂપ શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવો : શ્રી આચાર્ય દેવવ્રતની વિદ્યાર્થીઓને શીખ*
--------------
*પદ્મભૂષણ શ્રીમતી રાજશ્રી બિરલા અને નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર - સીઈઓ શ્રી આશિષ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ*
----------------
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ 2023-24ના વાર્ષિક અહેવાલનું વિમોચન*
__________
*39 પીએચડી, 5 એમ.ફિલ., 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 પી.જી. ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરાઇ*
___________
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પૂજ્ય ગાંધીજીના 'સાદું જીવન-ઉચ્ચ વિચારો'ના સંદેશને અનુરૂપ શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવવાની શીખ આપી હતી.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, જીવનમાં ક્યાંય પણ જાઓ એવો આચાર, વિચાર અને વ્યવહાર રાખજો કે ગૂજરાત વિદ્યાપીઠનું ગૌરવ વધે. રાષ્ટ્રસેવા, માનવસેવા અને જીવસેવાના ભાવ સાથે, સર્વના કલ્યાણની ભાવના સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરજો. પદવીદાન સમારોહમાં 39 પીએચડી, 5 એમ.ફિલ., 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 પી.જી. ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરાઇ હતી.
તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશના સંદર્ભ સાથે શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજી સત્યના આગ્રહી હતા. જીવનમાં હંમેશા સત્યનું આચરણ કરજો. જે હંમેશા સત્યના માર્ગે ચાલે છે તે જ જીવનમાં સ્થાયી સન્માન મેળવે છે. સત્ય જ શાશ્વત છે. સત્ય હંમેશા પ્રેરણા આપે છે. આત્માની શાંતિનો મૂળ આધાર જ સત્ય છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા ધર્મનું આચરણ કરવાની શિખામણ આપી હતી. તેમણે કહ્યું કે, હિંદુ-મુસ્લિમ જેવા ભેદ એ ધર્મ નથી. ધર્મ એટલે માનવીય સંવેદનાના સ્પંદનની અનુભૂતિ. કર્તવ્યનું પાલન. વ્યક્તિએ સર્વજીવો સાથે સદ્વ્યવહાર રાખીને માતૃધર્મ, પિતૃધર્મ, નાગરિકધર્મ અને રાષ્ટ્રધર્મનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનનો લાભ સમાજના જરૂરિયાતમંદ લોકોને આપવો જોઈએ. પૂજ્ય ગાંધીજી હંમેશા સમાજના છેવાડાના માણસ સુધી લાભ પહોંચાડવાના આગ્રહી રહ્યા. દરેક વિદ્યાર્થીએ સમાજમાં જ્યાં જરૂર છે ત્યાં પોતાના જ્ઞાનનો લાભ પહોંચાડવો જોઈએ. પોતાના માતા-પિતા અને ગુરુજનોનો હંમેશા આદર-સત્કાર-સન્માન કરવું જોઈએ. જ્યાં માતા-પિતા અને ગુરુનું સન્માન થાય છે એ જ સમાજ અને એ જ રાષ્ટ્ર સમૃદ્ધ થાય છે.
પ્રાકૃતિક ખેતી માટે સૌને પ્રેરણા આપતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજકાલ આપણી ખેતી હિંસક થઈ ગઈ છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનું કામ જ છે, મારો..મારો.. મારો.. આપણે મિત્ર જીવો અને સૂક્ષ્મ જીવ-જંતુઓને ખતમ કરી રહ્યા છીએ અને એટલે જ આપણે ખતરનાક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છીએ. આજે પર્યાવરણ બગડી ગયું છે, પાણી અશુદ્ધ છે, ધરતીમાં ઝેરીલી થઈ ગઈ છે. પ્રાકૃતિક ખેતી આ તમામ સમસ્યાઓનો ઉકેલ છે. આપણે સૌ સાથે મળીને પ્રાકૃતિક ખેતી માટે સમાજને પ્રેરિત કરીએ.
આ તકે રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠના તેજસ્વી અને સકારાત્મક વાતાવરણ માટે કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલ અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલના હસ્તે ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ 2023-24ના વાર્ષિક અહેવાલનું વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે પદ્મભૂષણ શ્રીમતી રાજશ્રીબેન બિરલાએ સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, સૌ વિદ્યાર્થીઓએ કલ્પનાશીલ બની પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા સતત પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. કલ્પનાશીલ વ્યક્તિ જ વિકાસના પથ પર આગળ વધે છે. કારણ કે, માનવની પ્રગતિ તેની કલ્પનાશીલતાના આધાર પર થાય છે. મહાત્મા ગાંધીજી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજીના પુરુષાર્થ થકી જ દેશ અહિંસક માર્ગે અંગ્રેજોથી મુક્ત થયો છે. તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, બિરલા પરિવાર વર્ષોથી ગાંધીજીના આદર્શો સાથે જોડાયેલો છે. બિરલા પરિવારન ત્રણ પેઢીથી ગાંધીજીથી પ્રભાવિત થઈ તેમના માર્ગે ચાલી સમાજ નિર્માણના કાર્યમાં સહભાગી થયો છે. અંતમાં તેમણે સૌ વિદ્યાર્થીઓને ગાંધીજીના વિચારો અને આદર્શોને જીવનમાં સ્થાન આપી આગળ વધવા કહ્યું હતું.
આ પ્રસંગે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, અલ્હાબાદ યુનિવર્સિટીના કુલાધિપતિ તથા યુજીસીના સભ્યશ્રી આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઇ રહેલા 70મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહીને આનંદની લાગણી અનુભવું છું. ગુજરાત વિદ્યાપીઠ એ 105 વર્ષથી ગાંધીજીના વિચાર સાથે સંકળાયેલી અને તેના મૂલ્યો આધારિત ચાલનારી એક વિશાળ સંસ્થા છે. તેમણે ગૌરવપૂર્વક કહ્યું કે, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈ જેવા દેશના મહાન ઘડવૈયાઓએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવાઓ આપી છે. વધુમાં તેમણે કહ્યું કે, ગાંધી ભારતીય પરંપરાને અનુસરી મોહનદાસમાંથી મહાત્મા બન્યા. શ્રી આશિષ ચૌહાણે કહ્યું કે, ગાંધીજીના આદર્શ અને નૈતિક મૂલ્યો આપણા માટે પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક છે. પોતાના વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, હું વર્ષોથી ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલો છું. તેમણે વધુ ઉમેર્યું હતું કે, આપણને ખરા અર્થમાં સ્વાવલંબી બનતાં ગાંધીજીએ શીખવ્યું.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ .હર્ષદ પટેલે સ્વાગત ઉદબોધન કરી સૌને આવકાર્યા હતા. કુલપતિશ્રીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠે સમયની સાથે નહિ પણ સમયથી આગળ ચાલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કર્યો. આ વર્ષે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ લેવા માટે 'ગીતા' પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતામાં આવતા 18 અધ્યાયોની જેમ 18 રાજ્યોના વિદ્યાર્થીઓએ આ વખતે વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ લીધો છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે કરાઇ રહેલી કામગીરી વિસ્તૃત જણાવી હતી અને વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે ગૌરવપૂર્ણ જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠ તેના ભવ્ય અને ઐતિહાસિક વારસાની જાળવણી સાથે આગળ વધી રહી છે.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના સમગ્ર ટ્રસ્ટી મંડળ અને અધ્યાપકો, વાલીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
Saturday, July 20, 2024
Friday, July 19, 2024
Thursday, July 18, 2024
Wednesday, July 17, 2024
World Emoji Day | July 17 | Dr. Sanjeev Bhanawat
17 जुलाई को विश्व इमोजी दिवस है। इस दिवस के बारे में विस्तार से जानने के लिए आप इस वीडियो को देख सकते हैं।
Monday, July 15, 2024
Saturday, July 13, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1492
Friday, July 12, 2024
Thursday, July 11, 2024
Wednesday, July 10, 2024
Saturday, July 6, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1491
Friday, July 5, 2024
Wednesday, July 3, 2024
Monday, July 1, 2024
ક્ષેત્ર-મુલાકાત અને માધ્યમ-પ્રશિક્ષણ
MJMC403 : વિકાસ પ્રત્યાયન | Development Communication
હેતુ : વિદ્યાર્થીઓને વિકાસ પ્રત્યાયન વિશે જાણકારી આપવી.
એકમ : ૧
૧.૧ વિકાસનો અર્થ અને વ્યાખ્યા
૧.૨ વિકાસ વિષયક વિવિધ મુદ્દા
૧.૩ વિકાસશીલ દેશો અને વિકસિત દેશો વચ્ચેનું અંતર
૧.૪ વિકાસ વિષયક ગાંધીજીના વિચારો
૧.૫ લોકશાહીનું વિકેન્દ્રીકરણ અને પંચાયતી રાજ પ્રણાલિ
એકમ : ૨
૨.૧ વિકાસ પ્રત્યાયનનો અર્થ અને સમજ
૨.૨ વિકાસ પ્રત્યાયનમાં અભિગમ
૨.૩ વિકાસ પ્રત્યાયનમાં વ્યૂહરચના
૨.૪ વિકાસ પ્રત્યાયનમાં સંદેશનું નિર્માણ અને અમલ
૨.૫ સહભાગી વિકાસ પ્રત્યાયન અને નિર્ણય કરવાની પ્રક્રિયા
એકમ : ૩
૩.૧ સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સ્પેરિમેન્ટ (સાઇટ)
૩.૨ ખેડા પ્રત્યાયન પ્રકલ્પ (કેસીપી)
૩.૩ ઝાબુઆ વિકાસ પ્રત્યાયન પ્રકલ્પ (જેડીસીપી)
૩.૪ સામુદાયિક રેડિયો દ્વારા વિકાસ પ્રત્યાયન
૩.૫ સામુદાયિક વીડિયો દ્વારા વિકાસ પ્રત્યાયન
એકમ : ૪
૪.૧ વિકાસ અને પરંપરાગત માધ્યમો
૪.૨ વિકાસ અને નૂતન માહિતી પ્રૌદ્યોગિકી (ન્યૂ ઇન્ફર્મેશન ટેકનોલોજી)
૪.૩ સરકારી યોજનાઓ અને વિકાસ પ્રત્યાયન
૪.૪ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિકાસ પ્રત્યાયન
૪.૫ વિકાસ પ્રત્યાયન સામેના પડકારો
Sunday, June 30, 2024
ત્રિમાસિક કામગીરી : એપ્રિલ-મે-જૂન, 2024
'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચારનાં'
કાસા વ્યોમા પરિસરમાં પક્ષીઓ | Birds in Casa Vyoma Campus
કાગડો
કાબર
કોયલ
દરજીડો
દશરથિયું
બુલબુલ
મુનિયા
રાખોડી ફડક ફૂત્કી
લલ્લેડાં
શક્કરખોર
હોલાં
મોર
બગલો
Saturday, June 29, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1490
પણ 'બિચકવું' એટલે શું?
'બિચકવું' અર્થાત્ 'વણસવું, બગડવું, ખરાબ થવું'.
Friday, June 28, 2024
Wednesday, June 26, 2024
Monday, June 24, 2024
Saturday, June 22, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1489
મિત્ર ખરાબ હોઈ શકે?
Friday, June 21, 2024
કાર્યશાળા : તાલીમ
વિષય : અભ્યાસક્રમ રચના કાર્યશાળા
તારીખ : 19-06-2024થી 21-06-2024
Thursday, June 20, 2024
Tuesday, June 18, 2024
Sunday, June 16, 2024
Saturday, June 15, 2024
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ || ૭૦મો પદવીદાન સમારંભ
ગૂજરાત વિદ્યાપીઠના ૭૦મા પદવીદાન સમારંભમાં પદવી મેળવવા માટેનાં અરજીપત્રો તા. ૨૭-૦૬-૨૦૨૪ સુધી ઓનલાઇન ભરી શકાશે. વધુ માહિતી અને અરજીપત્રો ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
ભાષાની મજા, મજાની ભાષા - 1488
Friday, June 14, 2024
Tuesday, June 11, 2024
Monday, June 10, 2024
Saturday, June 8, 2024
Wednesday, June 5, 2024
Monday, June 3, 2024
Saturday, June 1, 2024
Wednesday, May 29, 2024
चम्पारण सत्याग्रह में कस्तूरबा
Tuesday, May 28, 2024
Job @ Kinesis Communications
Saturday, May 25, 2024
Job @ Divya Bhaskar Newspaper
ભાષાની મજા, મજાની ભાષા - 1485
'પલીતો' એટલે દિવેટ, તેલમાં બોળેલો ચીંથરાનો ટુકડો, જામગરી, ફટાકડો, પ્રસ્ફોટક, સુરંગ.
'પપીતો' એટલે એક વેલાનું બી. જેને મરકી વખતે લોકો હાથમાં બાંધતા હતા.
Tuesday, May 21, 2024
Monday, May 20, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1484
સાચી જોડણી કઈ? : 'ભાવિ' કે 'ભાવી'?
કોઈનું ભવિષ્ય ટૂંકું હોય અને કોઈનું ભવિષ્ય લાંબું હોય. આથી, 'ભાવિ' અને 'ભાવી' એ બન્ને જોડણી સાચી છે!
Wednesday, May 15, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1483
Saturday, May 11, 2024
Friday, May 10, 2024
Thursday, May 9, 2024
Press Release : Press information Bureau
Wednesday, May 8, 2024
Sunday, May 5, 2024
Friday, May 3, 2024
Thursday, May 2, 2024
Wednesday, May 1, 2024
Poet Rabindranath Tagore ///// 7 May 1861 - 7 August 1941
સે કી સહજ ગાન?
સેઈ સૂરે તે જાગબો આમિ
દાઓ મોરે સેઈ કાન.
(વીજળીના ગડગડાટમાં તમારી બંસી બજી રહી છે, એ કાંઈ સહેજે સંભળાય તેવા સૂર છે? એ સૂરે હું જાગી ઊઠું એવા મને કાન આપો.)
બાપુના આશીર્વાદ
ડહાપણ અને પ્રામાણિકતા
Saturday, April 20, 2024
Friday, April 19, 2024
Thursday, April 18, 2024
Tuesday, April 16, 2024
Monday, April 15, 2024
પરિસંવાદના વક્તા તરીકે
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ
વિષય : ગૂજરાત વિદ્યાપીઠ પ્રવેશ-પ્રક્રિયા – 2024-2025
તારીખ : 15-04-2024, સોમવાર














.jpg)
.jpg)













