Sunday, March 29, 2020

૧૮

'મણિલાલ સાજો તો થયો, પણ મેં જોયું કે ગિરગામવાળું મકાન રહેવાલાયક નહોતું. તેમાં ભેજ હતો. પૂરું અજવાળું નહોતું. તેથી રેવાશંકરભાઈની સાથે મસલત કરી અમે બન્નેએ મુંબઈના કોઈ પરામાં ખુલ્લી જગ્યામાં બંગલો લેવાનો નિશ્ચય કર્યો. હું વાંદરા, સાંતાક્રુઝ વગેરેમાં ભટક્યો. વાંદરામાં કતલખાનું હતું તેથી વાંદરામાં રહેવાની અમારામાંથી કોઈની ઇચ્છા ન થઈ. ઘાટકુપર વગેરે દરિયાથી દૂર લાગ્યાં. સાંતાક્રુઝમાં એક સુંદર બંગલો મળી આવ્યો તેમાં રહેવા ગયા, ને આરોગ્યની દૃષ્ટિએ અમે સુરક્ષિત થયા એમ લાગ્યું. મેં ચર્ચગેટ જવાનો પહેલા વર્ગનો પાસ કઢાવ્યો. પહેલા વર્ગમાં ઘણી વાર હું એકલો જ હોઉં તેથી કાંઈક અભિમાન પણ માનતો એમ યાદ છે. ઘણી વેળા વાંદરાથી ચર્ચગેટ જતી ખાસ ગાડી પકડવા સાંતાક્રુઝથી વાંદરા હું ચાલીને જતો.'

https://www.google.com/maps/dir/Santacruz,+Mumbai,+Hasmukh+Nagar,+Santacruz+West,+Mumbai,+Maharashtra+400054/Bandra+Station,+Bairam+Naupada,+Bandra+East,+Mumbai,+Maharashtra+400050/@19.0693714,72.8226555,14z/data=!3m1!4b1!4m14!4m13!1m5!1m1!1s0x3be7c9a6e4a411ed:0xc794e2bdd8a53e5d!2m2!1d72.8359724!2d19.0843377!1m5!1m1!1s0x3be7bed2c9b2928f:0x77800faba0b8f5f5!2m2!1d72.8406903!2d19.0548399!3e2

No comments:

Post a Comment