Saturday, March 11, 2023

સમૂહજીવનની પરીક્ષા

વિદ્યાર્થીઓએ સમૂહજીવનની પરીક્ષા આપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા :

* કાંતણની કસોટી :
ત્રાક ખાલી કરીને લાવવી. 
ફાળકો સાથે રાખવો.

* ઝાડુ-નિર્માણ કૌશલ્ય :
ઝાડુ-નિર્માણ વિશેનું સાહિત્ય વાંચીને આવવું.
ઝાડુ-નિર્માણની માપ સાથેની આકૃતિ દોરવી.

* પ્રાર્થના અને ભજન :
મુખ્ય પ્રાર્થના અને એનું ભાષાંતર કરવું.
પરીક્ષક કહે તે કોઈ એક ભજન રજૂ કરવું.

* પુસ્તક પરિચય
માન્ય પુસ્તકો વાંચવાં.
પરીક્ષક પૂછે તે વિગતો અને સાર રજૂ કરવાં.

* સફાઈ
પરીક્ષકો જે સ્થળ સોંપે એની સઘન સફાઈ કરવી.
કચરાનો નિકાલ કરીને સાધનો જમા કરાવવાં.

આટલી સૂચનાઓ ખાસ ધ્યાનમાં લો :

પરીક્ષામાં સમયસર આવી જવું.
ગણવેશમાં જ આવવું.
આકૃતિ દોરવા માટેની સાધન-સામગ્રી લઈને આવવું.


પરીક્ષા માટે શુભેચ્છાઓ.

1 comment: