Sunday, March 19, 2023

પત્રકાર / માધ્યમકર્મી બનવા માટેનો પૂર્ણ સમયનો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ


પત્રકાર / માધ્યમકર્મી બનવા માટેનો પૂર્ણ સમયનો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ


વિભાગ : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન

વિદ્યાશાખા : વ્યવસાયી અભ્યાસક્રમ વિદ્યાશાખા

વિશ્વવિદ્યાલય : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

અભ્યાસક્રમ : એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન)

સમયગાળો : બે વર્ષ (ચાર સત્ર)

સમયપત્રક : સવારના સાડાદસથી સાંજના છ સુધી

લાયકાત : કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે સ્નાતક (ગ્રેજ્યુએટ). છઠ્ઠા સત્રનું પરિણામ ન આવ્યું હોય તો પાંચમા સત્રના ગુણપત્રકના આધારે અરજી કરી શકાશે. સરકારના નિયમો અનુસાર અનામત બેઠકોની જોગવાઈ છે.

અભ્યાસક્રમની વિશેષતાઓ :

કુદરતી વાતાવરણમાં અને હરિયાળા પરિસરમાં ગાંધીવિચાર આધારિત કેળવણી

નિષ્ણાત પ્રાધ્યાપકો દ્વારા ઉત્તમ માર્ગદર્શન અને માધ્યમ-નિષ્ણાતો સાથે નિયમિત સંપર્ક

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનને લગતા મહત્ત્વપૂર્ણ વિષયોનું ગુજરાતી માધ્યમમાં સઘન અધ્યાપન

પ્રાયોગિક તાલીમ માટે સત્ર બેમાં અને સત્ર ચારમાં એક માસનું માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા ઇન્ટર્નશિપ)

મઘ્યસ્થ ગ્રંથાલયમાં આશરે છ લાખ પુસ્તકો / સંદર્ભગ્રંથોના ઉપયોગની સગવડ

વ્યાવસાયિક તકો :

સમાચારપત્રો અને સામયિકોમાં પત્રકાર બનવાની તક

રેડિયો અને ટેલિવિઝન ક્ષેત્રે માધ્યમકર્મી બનવાની તક

ડિજિટલ મીડિયામાં વિસ્તૃત કારકિર્દી બનવાની તક

સરકારી, અર્ધસરકારી, અને ખાનગી ક્ષેત્રમાં માહિતી / જનસંપર્ક અધિકારી તરીકે જોડાવાની તક

પત્રકારત્વનું શિક્ષણ આપતાં સંસ્થાનો / વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપક તરીકે કામ કરવાની તક


માર્ગદર્શન માટે કાર્યાલયનું સરનામું :

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ,
મઘ્યસ્થ ગ્રંથાલયની સામે,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯

ફોન નંબર : ૦૭૯-૪૦૦૧૬૩૩૨, ૦૭૯-૪૦૦૧૬૩૩૩
(સોમથી શુક્ર : 12-00થી 05-00 દરમ્યાન, શનિવારે : 09-00થી 01-00 દરમ્યાન)

મો. ૯૪૨૭૩૧૭૯૭૧, ૯૬૩૮૯૮૧૫૧૧
(સોમથી શુક્ર : 03-00થી 05-00 દરમ્યાન, શનિવારે : 11-00થી 01-00 દરમ્યાન)


ઓનલાઇન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ : 
19-04-2023

ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયા માટેની લિન્ક :


ઓનલાઇન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ વીતી ગઈ હોય તો, નીચેની વિગતો ધ્યાનથી વાંચો.


હવે ઓનલાઇન અરજીપત્રક ભરવા માટે, ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટની મુલાકાત લો :

https://www.gujaratvidyapith.org/

આ વેબસાઇટમાં નીચેની બાબત જુઓ :

Admission-2023-24

ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટમાં આપેલી માહિતી ધીરજપૂર્વક વાંચીને, ઓનલાઇન અરજીપત્રક કાળજીપૂર્વક ભરો.

ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ : 
25-06-2023, રવિવાર

આગળ વધો.
અમારી શુભેચ્છાઓ આપની સાથે છે. 

No comments:

Post a Comment